Page #1
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર – કેટલાક પ્રશ્નો
જેમાં જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરવામાં આવી હોય એવાં સંસ્કૃત સ્તોત્રોમાં “ભક્તામર સ્તોત્ર'નું સ્થાન અદ્વિતીય છે. જેનોમાં ચારે ફિરકાને માન્ય, જૈન-જૈનતર વિદ્વાનો અને આચાર્યોએ જેની ખૂબ પ્રશંસા કરી છે, જેના ઉપર ટીકા, ભાષ્ય, પાદપૂર્તિ, સમશ્લોકી પદ્યાનુવાદ, વિવરણ વગેરે પ્રકારની અનેક રચનાઓ થઈ છે, જેનું પઠન- પાઠન અને પૂજન ચમત્કારયુક્ત મનાયું છે, એ “ભક્તામર સ્તોત્ર'ની રચના મહાકવિ શ્રી માનતુંગસૂરિએ વસંતતિલકા છંદમાં કરી છે. કવિએ પોતે એના અંતિમ શ્લોકમાં પોતાના નામનો નિર્દેશ કર્યો છે.
આ સ્તોત્રના પઠન-પૂજનની ફલશ્રુતિ કર્તાએ તેના છેલ્લા શ્લોકોમાં વર્ણવી છે. આઠ પ્રકારના ભયનું એથી નિવારણ થાય છે; યશ અને લક્ષ્મી સહજ રીતે પ્રાપ્ત થાય છે; બીપ%િ બેડીઓ હોય તો તે તૂટી જાય છે. આ શ્લોક ઉપરથી એવી માન્યતા પ્રચલિત બની છે કે માનતુંગસૂરિએ પોતાના શરીર પરની (૪૪ અથવા ૪૮) બેડી તોડવાનો પ્રયોગ “ભક્તામરનો એક એક શ્લોક રચીને શ્રી હર્ષરાજા સમક્ષ કરી બતાવ્યો હતો.
શ્રી માનતુંગસૂરિ વિશે નિશ્ચિત પ્રમાણભૂત માહિતી ઓછી મળે છે, કારણ કે એ નામના એક કરતાં વધારે આચાર્ય થઈ ગયા છે. આમ છતાં ભક્તામર સ્તોત્ર' વિશે કે એના કેટલાક શ્લોક વિશે હેમચંદ્રાચાર્ય, હીરવિજયસૂરિ, જિનપ્રભસૂરિ, ઉપાધ્યાય યશોવિજયજી, મુનિસુંદરસૂરિ વગેરે પૂર્વસૂરિઓએ જે ઉલ્લેખો કરેલા છે તથા “પ્રભાવક ચરિત'માં એમના વિશે જે પ્રબંધ આપેલો છે તે પરથી એટલું તો નિશ્ચિત છે કે શ્રી માનતુંગસૂરિ ત્રીજીથી સાતમી શતાબ્દી સુધીના સમયગાળામાં થયા હોવા જોઈએ. તેઓ જન્મે બ્રાહ્મણ હતા; વારાણસીના વતની હતા; વેદાદિ શાસ્ત્રોમાં પારંગત હતા. તેઓ “ભક્તામર' ઉપરાંત “ભયહર સ્તોત્ર” અને “ભક્તિભમર સ્તોત્ર'ના
Page #2
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર કેટલાક પ્રશ્નો
રચયિતા હતા અને વિક્રમના સાતમા સૈકામાં શ્રી હર્ષદેવના સમયમાં વિદ્યમાન હતા એટલું ઘણાખરા વિદ્વાનો સ્વીકારે છે.
-
‘ભક્તામર સ્તોત્ર’ એમના કર્તાની નમ્રતા, લઘુતા, હૃદયની નિર્મળતા તથા ભાવની ઉત્કટતાને કારણે ભક્તિના સ્તોત્ર તરીકે જેમ હૃદયસ્પર્શી છે, તેમ કર્ણમધુર વર્ણ૨ચના, ઔચિત્યયુક્ત શબ્દસંકલના, ઉપમાદિ અલંકારો, કલ્પનાની નવીનતા અને ચિત્રાત્મકતા ઇત્યાદિને કારણે કાવ્ય તરીકે પણ તે અદ્ભુત છે.
૩૯૩
સંસ્કૃત ભાષામાં અર્થ સમજાતો હોય, શાંત અને અનુકૂળ અને પ્રેરક વાતાવરણ હોય, ચિત્ત પ્રસન્નતાથી અને હૃદય ભક્તિથી સભર હોય તેવે સમયે ‘ભક્તામર’ના શ્લોકનું ઉચ્ચ સ્વરે પઠન કે ગાન કરવામાં અનેરો ઉલ્લાસ અનુભવાય છે. એવે સમયે ચિત્તમાં રહેલા અશુભ ભાવો સ્વયમેવ ગલિત થઈ જાય છે. ‘ભક્તામર'નો આનંદોલ્લાસ મનને નિર્મળ બનાવવાનું કાર્ય અવશ્ય કરી જાય છે.
કોઈ પણ પ્રજા પોતાના નિ:સત્ત્વ સાહિત્યને ઝાઝો સમય સંઘરતી નથી. તેરસો કરતાંયે વધુ વર્ષથી સેંકડો અને હજારો લોકોના મુખે રોજેરોજ એનું આજ દિવસ સુધી પઠન થતું આવ્યું છે એ જ ‘ભક્તામર સ્તોત્ર’ની કાવ્ય તરીકે તેમજ સ્તોત્ર તરીકે સબળતા સિદ્ધ કરી આપે છે.
‘ભક્તામર સ્તોત્ર’ વિશે નીચેના કેટલાક પ્રશ્નો વારંવાર પુછાય છે : (૧) ભક્તામર સ્તોત્રની શ્લોક-સંખ્યા કેટલી ?
આ પ્રશ્ન ઘણા સમયથી ચર્ચાતો આવ્યો છે. વાચક ઉમાસ્વાતિકૃત ‘તત્ત્વાર્થાધિગમ સૂત્ર' જેમ શ્વેતામ્બર સમ્પ્રદાયને માન્ય છે તેમ દિગમ્બર સમ્પ્રદાયને પણ માન્ય છે. એવી જ રીતે માનતુંગસૂરિફત ‘ભક્તામર સ્તોત્ર’ની શ્લોકસંખ્યા દિગમ્બર પરંપરા પ્રમાણે ૪૮ની મનાય છે, જ્યારે શ્વેતામ્બર પરંપરામાં (કેટલાક અપવાદ સિવાય) શ્લોકસંખ્યા ૪૪ની માનવામાં આવે છે. અલબત્ત ૪૪ શ્લોકના શબ્દોના પાઠ વિશે કોઈ મતમતાંતર નથી.
શ્વેતામ્બરો એમ માને છે કે ‘ભક્તામર સ્તોત્ર'ના શ્લોકની સંખ્યા ‘કલ્યાણમંદિર સ્તોત્ર'ની જેમ ૪૪ની છે. ‘કલ્યાણમંદિર સ્તોત્રમાં પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ છે. ‘ભક્તામર સ્તોત્ર’માં આદિનાથ ભગવાનની સ્તુતિ છે. બંને સ્તોત્રની રચનાની સાથે ચમત્કારની ઘટના વણાયેલી છે. શ્વેતામ્બર
Page #3
--------------------------------------------------------------------------
________________
૩૯૪
જિનતત્ત્વ
માન્યતા એવી છે કે વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકર અને મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન એવા વીસ તીર્થંકરો એમ મળી કુલ ૪૪ તીર્થંકર થાય છે. એટલે ૪૪ની સંખ્યાને લક્ષમાં રાખીને તીર્થંકર ભગવાનની સ્તુતિરૂપ ‘ભક્તામર સ્તોત્ર’ અને ‘કલ્યાણમંદિર સ્તોત્ર’ - આ બંનેની રચના થયેલી છે. ‘ભક્તામર સ્તોત્રમાં ઋષભદેવ ભગવાનનો પ્રથમ જિનેન્દ્ર તરીકે આરંભમાં નિર્દેશ થયો છે એટલું જ. એ સિવાય કોઈ પણ તીર્થંકર ભગવાનની સ્તુતિરૂપ એ રચના ગાઈ શકાય એવી છે અને ગવાય પણ છે. વર્તમાન સમયમાં આરાધ્ય એવા ૪૪ તીર્થંકરો હોવાથી ૪૪ની બ્લોકસંખ્યા યોગ્ય છે એમ શ્વેતામ્બર પરંપરા માને છે.
‘ભક્તામર સ્તોત્ર’ ચમત્કારયુક્ત ગણાયું છે. તેની સાથે લબ્ધિ, ઋદ્ધિની વાત પણ સંકળાયેલી છે. અને લબ્ધિઋદ્ધિ માટે ‘ભક્તામર સ્તોત્ર'નું યંત્રસહિત વિધિવત્ પૂજન થતું આવ્યું છે. અને લબ્ધિઋદ્ધિની સંખ્યા ૪૮ હોવી જોઈએ એવો દિગમ્બર મત છે.
‘ભક્તામર સ્તોત્ર’ની રચના થયાને આશરે ૧૩૦૦ થી ૧૫૦૦ વર્ષ થઈ ગયાં. વિક્રમના સાતમા સૈકામાં કે તે પહેલાં માનતુંગસૂરિ થયા હોવાનું મનાય છે. ‘ભક્તામર સ્તોત્ર”ની પ્રાચીનતમ જે હસ્તપ્રત મળે છે તે બધી હસ્તપ્રતોમાં ૪૪ શ્લોકોની સંખ્યા મળે છે. વિ. સં. ૧૪૨૬માં ગુણાકરસૂરિએ ‘ભક્તામર સ્તોત્ર'ના પ્રત્યેક શ્લોક ઉપર તેનો મહિમા દર્શાવતી એક-એક કથા આપેલી છે. એવી કથાની સંખ્યા ૪૪ શ્લોકો પ્રમાણેની ૪૪ છે. ‘ભક્તામર સ્તોત્ર’ના ૪૮ શ્લોક દર્શાવતી હસ્તપ્રતો અને તેના ઉપર ૪૮ કથાઓ આપવામાં આવી હોય તેવી અને તેના પૂજન માટે ૪૮ યંત્ર દર્શાવતી હસ્તપ્રતો ૨૦૦- ૩૦૦ વર્ષથી વધુ પ્રાચીન નથી. દિગમ્બર પરંપરામાં રાયમલ બ્રહ્મચારીએ ‘ભક્તામર કથા સંગ્રહ'ની રચના કરી છે. તેમાં ૪૮ શ્લોક છે અને તેના ઉપરની ૪૮ કથા આપવામાં આવી છે. પરંતુ એ રચના ૩૫૦ વર્ષથી પ્રાચીન નથી. એટલે કે ‘ભક્તામર સ્તોત્ર'ની રચના થયા પછીનાં બારસો વર્ષના ગાળામાં જુદા જુદા સમયની મળતી હસ્તપ્રતોમાં ૪૪ શ્લોકનો જ ઉલ્લેખ છે. હેમચંદ્રાચાર્ય, હીરવિજયસૂરિ, શુભશીલગણિ, ઉપાધ્યાય યશોવિજયજી વગેરે કોઈએ ‘ભક્તામર સ્તોત્ર'ના ૪૮ શ્લોકનો ઉલ્લેખ કર્યો નથી.
‘ભક્તામર સ્તોત્ર’ની ૪૪ ગાથાની કૃતિમાં કોઈ ગાથાનો પાઠફેર જોવા મળતો નથી. એટલે કે હસ્તપ્રતોમાં ૪૪ શ્લોકમાંથી એકને બદલે બીજો શ્લોક
Page #4
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર – કેટલાક પ્રશ્નો
૩૫
લખાયો હોય એવું જોવા મળતું નથી, જ્યારે ૪૮ શ્લોકવાળી જેટલી પ્રાચીન હસ્તપ્રતો જોવા મળે છે તેમાં વધારાના ચાર શ્લોક ત્રણ જુદી જુદી રીતે મળે છે. અલબત્ત એમાં રાયમલ બ્રહ્મચારીની હસ્તપ્રત પ્રમાણે જે શ્લોક 'गंभीरतार'थी २३ थाय छे से यार यो १५ प्रययित थ गया छ8 नीये प्रभारी छ: गंभीरताररवपूरितदिग्विभाग -
प्रैलोक्यलोकशुभसङ्गमभूतिदक्षः। सद्धर्मराजजयघोषणघोषक : सन्
खे दुन्दुभिध्वनति ते यशसः प्रवादी।। मन्दारसुन्दरनमेरुसुपारिजात -
सन्तानकामदिकुसुमोत्करवृष्टिरुद्धा। गन्धोदविन्दुशुभमन्दमरुत्प्रयाता
दिव्या दिवः पतति ते वचसां ततिर्वा ।। शुम्भत्प्रभावलयभूरिविमा विभोस्ते,
लोकत्रये द्युतिमतां द्युतिमाक्षिपन्ति। प्रोद्यदिवाकरनिरन्तरभूरि सङ्ख्या
दीप्त्या जयत्यपि निशामपि सोमसौम्याम् ।। स्वर्गापवर्गगममार्गविमार्गणेष्टः
सद्धर्मतत्त्वकथनैकपटुस्रिलोक्याः। दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्व -
भाषास्वभावपरिणामगुणप्रयोज्यः।। ૪૮ શ્લોકના ભક્તામરની કેટલીક હસ્તપ્રતોમાં “ગંભીરતારને બદલે નીચેના ચાર શ્લોક મળે છે : विष्वग्बभोः सुमनसः किल वर्षयन्ति।
दिग्बन्धनाः सुमनसः किमु ते वदन्ति। त्वस्सङ्गताविहसतां जगती समस्ता -
स्त्यामोदिनो विहसता मुदयेन धाम्नः।।
Page #5
--------------------------------------------------------------------------
________________
૩૯
જિનતત્ત્વ
द्वैधापि दुस्तरतमः श्रमविप्रणाशा
साक्षात्सहस्रतकरमण्डलसम्भ्रमेण। वीक्ष्य प्रभोर्वपुषि कञ्चनकाञ्चनाम
પ્રદ મતિ વચ્ચે ન માસના भाषाविशेषपरिणामविधौ पटिप्ठो
નીવરિતવીરે સમર્થ: दिव्यध्वनिर्ध्वनितदिग्वलयस्तवार्ह
न्नाकर्षति प्रवरमोक्षपथे मनुष्यान् ।। विश्वकजैत्रभटमोहमहामहेन्दं
सद्यो जिगाय भगवान् निगदन्निवेत्थम्। सन्तयन् युगपदेव भयानि पुंसा
___ मन्द्रध्वनिन्दति दुन्दुभिरुच्चकैस्ते ।। આ ચાર શ્લોક પ્રચલિત થયા નથી. પરંતુ હસ્તપ્રતોમાં તે મળે છે. વસંતતિલકા છેદમાં નવી શ્લોક-રચના કરીને મૂળ સ્તોત્રમાં ઉમેરો કરવાનું અશક્ય કે અઘરું નથી. એટલે પ્રાતિહાર્યના ચાર શ્લોક ઉમેરીને ૪૮ શ્લોકનું સ્તોત્ર બનાવવાના ત્રણ જુદા જુદા પ્રયાસો થયેલા જોવા મળે છે. એ પ્રયાસ કરનાર દરેકને કદાચ બીજાએ કરેલા પ્રયાસની ખબર નહિ હોય, કારણ કે મુદ્રણકળાનો એ જમાનો નહોતો. ગમે તેમ પણ સ્તોત્રમાં વધુ ચાર શ્લોકનો ઉમેરો બે-ત્રણ સેકાથી વધુ પ્રાચીન નથી એમ હસ્તપ્રતોના આધારે જણાય છે. જ્યારે “ભક્તામર સ્તોત્ર'નું પઠન લગભગ ૧૩૦૦ કે ૧૫૦૦ વર્ષથી ચાલ્યું આવે છે.
“ભક્તામર સ્તોત્ર'ની લોકપ્રિયતા અને મહત્તા એટલી બધી છે કે સૈકાઓ પૂર્વે પણ એની અનુકૃતિરૂપે અને તીર્થંકર ભગવાનની સ્તુતિરૂપે સંસ્કૃતમાં વસંતતિલકા છંદમાં કેટલીક રચનાઓ થઈ છે. શાંતિ-ભક્તામર, પાર્શ્વ-ભક્તામર, વીર-ભક્તામર, સરસ્વતી-ભક્તામર વગેરે રચનાઓમાં પણ ૪૪ શ્લોક જ જોવા મળે છે. એટલે ભક્તામરના ૪૪ શ્લોક હોવાની શક્યતાને વિશેષ સમર્થન મળે છે.
શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરા વચ્ચે કેવલીભક્તિ અને સ્ત્રી-મુક્તિ જેવા મહત્ત્વના તાત્ત્વિક પ્રશ્નો ઉપરાંત નાની નાની બીજી કેટલીક વિગતોમાં
Page #6
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર કેટલાક પ્રશ્નો
પણ જે મતભેદ છે તેમાંનો એક તે ભક્તામરની શ્લોકસંખ્યા વિશેનો પણ છે. આ અંગે છેલ્લા એક સૈકામાં વખતોવખત કેટલીક ચર્ચા થઈ છે.
‘ભક્તામર સ્તોત્ર’માં કવિએ તીર્થંકર પરમાત્માનાં પ્રાતિહાર્યોનું વર્ણન કર્યું છે. ૪૪ શ્લોકના ભક્તામરનાં ચાર પ્રાતિહાર્યનું ચાર શ્લોકમાં વર્ણન છે. તીર્થંકર ભગવાનનાં પ્રાતિહાર્ય આઠ છે. એટલે પ્રાતિહાર્યના ચાર નહિ, આઠ શ્લોક હોવા જોઈએ એવો દિગમ્બર મત છે. એટલા માટે વધારાના ચાર શ્લોકમાં તીર્થંક૨ ભગવાનનાં બાકીનાં ચાર પ્રાતિહાર્યોનું વર્ણન છે.
૩૯૭
શ્વેતામ્બર મત એમ કહે છે કે કવિનો આશય બધાં જ પ્રાતિહાર્યોનું વર્ણન કરવાનો નથી. જો તેમ હોત તો જે ચાર શ્લોક આપવામાં આવ્યા છે તેમાં પ્રાતિહાર્યોનું ક્રમાનુસાર વર્ણન હોત. પરંતુ તેને બદલે કવિએ અશોક વૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર–એમ પહેલાથી છેલ્લા પ્રાતિહાર્ય સુધીમાંથી ચાર પ્રાતિહાર્યોનું વર્ણન કર્યું છે. દુંદુભિ, પુષ્પવૃષ્ટિ, ભામંડલ અને દિવ્ય ધ્વનિ એ ચાર પ્રાતિહાર્યને લગતા શ્લોક જો ઉમેરવામાં આવે તો પ્રાતિહાર્યોનો ક્રમ સચવાતો નથી. કવિનો આશય જો બધાં જ પ્રાતિહાર્યોનું વર્ણન કરવાનો હોય તો કવિ આઠેય પ્રાતિહાર્યોનું ક્રમાનુસાર વર્ણન કરે. અહીં ક્રમાનુસાર વર્ણન નથી. એ બતાવે છે કે કવિનો બધાં જ આશય બધાં જ પ્રાતિહાર્યોનું વર્ણન કરવાનો નથી.
તીર્થંકર પરમાત્માનાં પ્રાતિહાર્યો એ અતિશય છે. જો એ આઠેય અતિશયોનું વર્ણન કરવાનો કવિનો આશય હોય તો તે પછી શરૂ થતા ‘નિદ્રòમ...’ શ્લોકની અંદર એક વધુ દેવકૃત અતિશયનું વર્ણન છે. એમાં તીર્થંકરો જ્યાં વિચરે ત્યાં તેમનાં ચરણ નીચે દેવો સુવર્ણકમળની રચના કરે છે. જો કવિનો આશય દેવત બધા જ અતિશયોનું વર્ણન ક૨વાનો હોય તો પછી માત્ર સુવર્ણકમળવાળા અતિશયને વર્ણવવાની શી જરૂર ? એટલે વસ્તુત: કવિ તો દેવો દ્વારા કરાતા ઓગણીસ અતિશયમાંથી નમૂનારૂપ પાંચ અતિશયનું (ચાર પ્રાતિહાર્યનું અને એક સુવર્ણકમળનું) વર્ણન કરે છે. જો એવી દલીલ ક૨વામાં આવે કે દેવકૃત બધા અતિશયોનું વર્ણન કરવા જતાં કૃતિનો વિસ્તાર વધી જાય તો તે દલીલ પણ યોગ્ય નથી, કારણ કે તો પછી પ્રાતિહાર્યના વધુ શ્લોકની આવશ્યકતા રહેતી નથી. વળી કવિએ તીર્થંકર પરમાત્માની ભક્તિ કેવી કેવી આપત્તિમાં ચમત્કારિક રીતે રક્ષણ કરે છે તેનો મહિમા વર્ણવવા માટે આઠ-નવ જેટલા શ્લોકની રચના કરી છે, જે મહિમા બે કે ત્રણ શ્લોકમાં
Page #7
--------------------------------------------------------------------------
________________
se
જિનતત્ત્વ
વર્ણવી શકાત. અથવા ‘મત્તપેિન્દ્ર’ એ એક જ શ્લોક પૂરતો છે એવી દલીલ પણ કરી શકાય.
આમ, ભામરની શ્લોકસંખ્યા માટે મતભેદ ચાલ્યો આવે છે. છતાં જો કોઈ આરાધકો ૪૪ને બદલ ૪૮ શ્લોકનું પઠન કરે તો તેથી કોઈ હાનિ હોવાનો સંભવ નથી. ૪૪ કે ૪૮ શ્લોકના વિવાદમાં ઊતરવું કે અમુક જ મતનો આગ્રહ રાખવો એના કરતાં પોતપોતાની શ્રદ્ધા અનુસાર એ સ્તોત્રના ભાવોલ્લાસમય પઠન દ્વારા આરાધના કરવી એ જ મહત્ત્વની વાત આરાધકો માટે હોવી ઘટે.
(૨) કેટલાક પ્રશ્ન કરે છે કે ભક્તામર ઘણું કઠિન સ્તોત્ર છે, જલદી મોઢે થતું નથી. એના કરતાં એનો ગુજરાતી અનુવાદ મોઢે કરવામાં શું ખોટું છે ?
‘ભક્તામર સ્તોત્ર’ ઘણું કઠિન છે એ વાત સાચી છે. એમાં કેટલાય અપરિચિત શબ્દો અને જોડાક્ષરો આવે છે અને શબ્દો વચ્ચેની સંધિના કારણે ઉચ્ચારણ અટપટું લાગે છે. એથી સ્તોત્ર જલદી કંઠસ્થ થતું નથી એ વાત પણ કંઈક અંશે સાચી છે. એનો અર્થ સમજાતો નથી કે યાદ રહેતો નથી, એવી ફરિયાદમાં પણ કંઈક તથ્ય જરૂર રહેલું હશે ! આમ છતાં જેઓના મનમાં એક વખત ‘ભક્તામર સ્તોત્ર' પ્રત્યે સબહુમાન ભક્તિ- પ્રીતિ જાગે છે અને આરાધનામાં રસ અને રુચિ વધવા લાગે છે તેમને માટે ‘ભક્તામર સ્તોત્રમાં કશું કઠિન નથી. અનેક લોકોના સ્વાનુભવની આ વાત છે. અભણ સ્ત્રીપુરુષો પણ ભક્તામર કંઠસ્થ કરી શક્યાં છે. ભક્તામર કંઠસ્થ કરવા માટે વિશિષ્ટ પદ્ધતિ અપનાવવી જઈએ. એક સાથે આખો શ્લોક જેમનાથી કંઠસ્થ ન થાય તેઓએ શ્લોકની અર્ધી પંક્તિથી શરૂઆત કરવી જોઈએ. સો-બસો વખત (અથવા પોતાની જરૂરિયાત પ્રમાણે વધારે કે ઓછી વા૨) એ થોડાક શબ્દનું એવું સતત રટણ કરવું જોઈએ કે જેથી એ શબ્દો જીભમાં બેસી જાય. ત્યારપછી બાકીની પંક્તિનું પણ એ પ્રમાણે રટણ કર્યા પછી એક આખી પંક્તિનું સો બસો વખત રટણ કરવું જોઈએ, એક પંક્તિ કંઠસ્થ થઈ જાય, ત્યાર પછી ત્રીજી પંક્તિ, ત્યારપછી ચોથી પંક્તિ એમ ચારે પંક્તિ કંઠસ્થ થઈ ગયા પછી આખો શ્લોક કંઠસ્થ થઈ જાય છે. શ્લોકને કંઠસ્થ કરવામાં પોતાની પ્રકૃતિ અને ફાવટ અનુસાર પદ્ધતિ અપનાવવી જોઈએ. પરંતુ કંઠસ્થ કરવાની કોઈ એક પદ્ધતિ ઉપરાંત પોતાની સાચી રુચિ, ઊંડી લગની અને અનન્ય શ્રદ્ધા ઘણું વધુ કાર્ય
Page #8
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર – કેટલાક પ્રશ્નો
૩૯૯
કરી જાય છે. જ્યાં તમન્ના છે ત્યાં કંઠસ્થ કરવાનું કાર્ય પાર પડ્યા વગર રહેતું નથી. ઊલટું, “ભક્તામર સ્તોત્ર’ કંઠસ્થ કરવાનું બહુ સરળ છે એવી કેટલાય લોકોની સ્વાનુભવસિદ્ધ બાબત છે.
અર્થ ન આવડતો હોય તો પણ મૂળ સંસ્કૃત ભક્તામરનું પઠન જેટલું લાભદાયી છે તેટલું તેના અનુવાદની બાબતમાં નથી. કવિતાના કોઈ પણ અનુવાદમાં કવિતાનું બધું જ હાર્દ અને સૌંદર્ય સવશે ઊતરે છે એવું બનતું નથી. વળી શબ્દોનું પોતાનું પણ સૂક્ષ્મ ઔચિત્ય અને ગૌરવ છે, જે શબ્દાન્તરને કારણે અનુવાદમાં આવતું નથી. વળી ભક્તામર માટે એમ કહેવાય છે કે એના શ્લોકો મંત્રગબિત છે. એમાં વર્ણાક્ષરોનું સંયોજન કવિએ એવી ખૂબીથી કર્યું છે કે એક બાજુ તે તીર્થંકર પરમાત્મા ઋષભદેવ ભગવાનનું સ્તવન-કીર્તન છે, તો બીજી બાજુ મંત્રાલરોનું અનાયાસ ઉચ્ચારણ પણ થાય છે. એ મંત્રો કયા છે તેની આપણને ખબર પડતી નથી. મૂળ સ્તોત્રમાં જે મંત્રાક્ષરો એના રચયિતા, આર્ષદ્રષ્ટા માનતુંગસૂરિએ ગોઠવ્યા છે, તે મંત્રાક્ષરો ગુજરાતી, હિન્દી કે અન્ય ભાષાના અનુવાદમાં ન આવે એ સ્વાભાવિક છે. આથી અનુવાદ કરતાં મૂળ સંસ્કૃત સ્તોત્રનું પઠન વધુ લાભદાયી મનાય છે, અર્થ ન આવડતો હોય તો પણ અનાયાસ મંત્રાલયનું ફળ હર્ષોલ્લાસપૂર્વક કરેલા પઠનથી થાય છે એ અત્યંત મહત્ત્વની બાબત છે.
(૩) ભક્તામર સ્તોત્રનું પઠન ક્યારે કરવું ?
ભક્તામર સ્તોત્ર'નું સવારે બપોરે-સાંજે-રાત્રે એમ જુદે જુદે સમયે લોકો પોતાની અનુકૂળતા અનુસાર પઠન કરે છે. “ભક્તામર સ્તોત્ર' એક અત્યંત પવિત્ર સ્તોત્ર છે, માટે એનું પઠન સ્વાધ્યાયકાળમાં જ કરવું, અસ્વાધ્યાય કાળમાં ન કરવું એવો એક મત છે. જૈન ધર્મમાં સાધુ-સાધ્વીઓ અને ગૃહસ્થો માટે ક્યારે ક્યારે અસ્વાધ્યાય કાળ ગણવો તેના નિયમો આપેલા છે. દિવસરાત્રિના ચોવીસ કલાકમાં સંધિકાળના સમય ઉપરાંત કેટલોક સમય અસ્વાધ્યાય કાળ તરીકે બતાવ્યો છે. એ સમયે કેટલાક લોકો ભક્તામરનું પઠન કરતા નથી. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક લોકો અસ્વાધ્યાય કાળમાં ભક્તામરનું પઠન ન કરવાના નિયમનું ચુસ્તપણે પાલન કરે છે, પરંતુ અસ્વાધ્યાય કાળમાં ભક્તામર સ્તોત્ર'નું પઠન કરવું એવું કોઈ વિધાન પ્રાચીન શાસ્ત્રગ્રન્થોમાં ક્યાંય જોવા મળતું નથી. એટલે અસ્વાધ્યાય કાળમાં ભક્તામરનું પઠન ન કરવું એ કોઈ શાસ્ત્રીય વિધાન નથી, પરંતુ લોકલાગણીથી વ્યાપક
.
Page #9
--------------------------------------------------------------------------
________________
ro
જિનતત્ત્વ
બનેલી એ એક મર્યાદિત પરંપરા માત્ર છે. ઘણા જૈનો પોતાની અનુકૂળતા અનુસાર દિવસે કે રાત્રિના ગમે તે સમયે ભક્તામરનું પઠન કરે છે.
ભક્તામરમાં ભગવાનની સ્તુતિ છે. સ્તુતિ એ હૃદયનો ઉદ્ગાર છે. એટલે ભક્તિભાવપૂર્ણ આ સ્તોત્રના પઠન કે ગાનમાં કોઈ સમયનું બંધન હોઈ શકે નહિ. ૫. પૂ. ગચ્છાધિપતિ શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ, ૫. પૂ. (સ્વ.) વિજયધર્મસૂરિજી મહારાજ, ૫. પૂ. (સ્વ.) શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ વગેરે કેટલાક આચાર્ય ભગવંતો અને મુનિ મહારાજો સાથે આ પ્રશ્નની મેં છણાવટ કરી છે અને તેઓ બધાનો એક જ મત રહ્યો છે કે ભગવાનની સ્તુતિ ગાવામાં સમયનું કોઈ બંધન હોઈ શકે નિહ. વળી ભક્તામરના છેલ્લા શ્લોકમાં આ સ્તોત્રનું પઠન ક્યારે ક૨વું તે માટે ‘અજસ’ શબ્દ આવે છે. ‘અજસ’ એટલે નિત્ય અને નિત્ય એટલે સમયના કોઈ પણ બંધન વગર. આમ ખુદ કવિએ પોતે જ ભક્તામરનું પઠન ગમે ત્યારે કરી શકાય એવું સ્તોત્રમાં જ ફરમાવ્યું છે. અલબત્ત આમ છતાં અસ્વાધ્યાય કાળ કરતાં સ્વાધ્યાય કાળમાં કરેલું પઠન કે ગાન વિશેષ ફળ આપે એ સ્પષ્ટ છે. એવી જ રીતે મુખશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, સ્થળશુદ્ધિ, વાતાવરણશુદ્ધિ વગેરે સાથે કરેલું પઠન અવશ્ય વિશેષ ફ્ળ આપે, પરંતુ અસ્વાધ્યાય કાળમાં પઠન-ગાન કરવા માટે કોઈ શાસ્ત્રીય પ્રતિબંધ કે નિષેધ નથી. માત્ર કેટલાક લોકોમાં એવી પરંપરા થોડા સમયથી ચાલી આવી છે.
એવી જ રીતે નાહી-ધોઈને, સ્વચ્છ વસ્ત્ર પહેરીને, દેહ અને વસ્ત્રની પૂરી ચિતા જાળવીને જ ભક્તામરનું પઠન કરી શકાય અને મોટા સમૂહ વચ્ચે અથવા ટ્રેઇનમાં કે બસમાં ભક્તામરનું પઠન ન થઈ શકે એવું વિધાન પણ સાચું નથી, મુસાફરીમાં ટ્રેન, બસ કે મોટરકારમાં ભક્તામરનું પઠન થઈ શકે છે. એ માટે પણ કોઈ પ્રતિબંધ કોઈ શાસ્ત્રીય ગ્રંથમાં જોવા મળતો નથી, નાહીધોઈને સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા પછી જ પઠન થાય એવું પણ કોઈ વિધાન નથી. એમ કરવાથી વિશેષ લાભ મળે છે એ દેખીતું છે. પરંતુ નિષેધ નથી. અલબત્ત ભક્તામરનું મંત્રસહિત વિધિપૂર્વક પૂજન કરનારે શુદ્ધિના બધા નિયમો સાચવવા જોઈએ, પરંતુ તેમાં પણ અસ્વાધ્યાય કાળનો નિષેધ નથી.
ભક્તામર દિવસમાં એક જ વાર બોલી શકાય કે એક કરતાં વધારે વાર બોલી શકાય ? આવો પ્રશ્ન પણ કેટલાક કરે છે. આ બાબતમાં ‘ભક્તામર સ્તોત્ર'ના અનન્ય આરાધક એવા શ્રી તત્ત્વાનંદવિજયજી
Page #10
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર કેટલાક પ્રશ્નો
મહારાજને પ્રશ્ન કરતાં તેમણે મને જણાવ્યું હતું કે ‘ભક્તામર સ્તોત્ર' તો જેટલી વાર બોલીએ તેટલી વાર વધુ લાભદાયક છે. સારી આરાધના કરનારે દિવસમાં ઓછામાં ઓછી ત્રણ વાર-સવાર, બપોર અને સાંજ અવશ્ય પઠન કરવું જોઈએ. બાર મહિના ત્રણ વખત પઠન કરનારને અવશ્ય ચમત્કારિક લાભ થયો હોવાના દાખલા નોંધાયેલા છે. ભક્તામરના પઠન વખતે ભાવપૂર્ણ હર્ષોલ્લાસ હોવો અને તીર્થંકર પરમાત્માના સ્વરૂપ સાથે તદ્રુપતા હોવી એ જ સૌથી મહત્ત્વની વાત છે. પઠન કરતી વખતે આંખમાં હર્ષાશ્રુ આવે એ એની એક સાચી કસોટી છે.
(૪) ‘ભક્તામર સ્તોત્ર'માં અÇશ્રુતથી શરૂ થતા શ્લોકમાં નીચેની પંક્તિ આવે છે :
यत्कोकिलः किल मधो मधुरं विरौति । तच्चारुचूतकलिकानिकरैकहेतुः । ।
૪૦૧
આ શ્લોક કેટલાક લોકો નીચે પ્રમાણે બોલે છે :
यत्कोकिलः किल मधो मधुरं विरौति । तच्चारुचाम्रकलिकानिकरैकहेतुः । ।
આ બે પાઠમાંથી કર્યો પાઠ સાચો એવો પ્રશ્ન કેટલાકને થયો છે.
આ બે પાઠમાં ફક્ત એક શબ્દ પૂરતો જ ફરક છે. ‘વૃત’ને બદલે ‘ઞામ્ર’ શબ્દ કેટલાક બોલે છે. ‘વૃત’ શબ્દનો અર્થ આંબો થાય છે, ‘સામ્ર’ શબ્દનો અર્થ પણ આંબો થાય છે. પરંતુ કવિએ પ્રયોજેલો મૂળ શબ્દ તો ‘નૂત’ જ છે બધી પ્રાચીન હસ્તપ્રતોમાં એ પ્રમાણે જ છે. સંસ્કૃતમાં ‘વૃત્ત’ શબ્દ ધણો પ્રચલિત છે. આંબાના અર્થમાં તે ઘણો વપરાયેલો છે, અને સારી રીતે રૂઢ થયેલો છે. પરંતુ છેલ્લા એક-દોઢ સૈકાથી ‘ચૂત’ શબ્દ ગુજરાતી, હિન્દી, મરાઠી વગેરે ભાષાઓમાં સ્ત્રીયોનિદર્શક શબ્દ તરીકે પ્રચલિત બની ગયો છે. એટલે વ્યવહારમાં બોલવામાં અશિષ્ટ અને નિષિદ્ધ મનાય છે. એટલે એ શબ્દ કેટલાકને અશ્લીલ કે બીભત્સ લાગે એવો સંભવ છે. આથી કોઈક પંડિતે પોતાની મરજીથી ‘નૂત’ને બદલે તેના પર્યાયરૂપ ‘વ્ર’ શબ્દ મૂકી દીધો છે, જે છંદની દૃષ્ટિએ પણ બંધ બેસતો આવ્યો છે. પાઠશાળાઓમાં બાળકોને માટે પણ તે કેટલાકને ઉપયોગી લાગ્યો છે. અલબત્ત, ભાષા અને વ્યાકરણની દૃષ્ટિએ આ શબ્દફેર ખોટો છે, કારણ કે ચત્તુ + E = ચાર્વામ થાય.
Page #11
--------------------------------------------------------------------------
________________ 402 જિનતત્ત્વ તદ્વીપૂર્તઋત્રિછા-'માં સમાસરચના થયેલી છે. એટલે આ સમાસયુક્ત શબ્દમાં ‘પૂત'ને બદલે પાર્વત્ર શબ્દ મૂકી નહિ શકાય, કારણ કે વ્યાકરણની દૃષ્ટિએ આ અશુદ્ધ છે. તથાબ્રિતિવા કરવા જતાં છંદની ક્ષતિ થશે. માટે નૂત’ને બદલે વાઝ શબ્દ મૂકી શકાય નહિ. એટલે આ એક અનધિકાર ચેષ્ટા છે. કવિએ જે શબ્દ પ્રયોજ્યો છે તે શબ્દમાં પોતાની મરજી મુજબ લોકાચારને લક્ષમાં રાખી ફેરફાર કરવાનો અધિકાર કોઈને નથી, એવો ફેરફાર કવિને અભિપ્રેત પણ ન હોય. આરાધકોએ તો કવિના મૂળ શબ્દને જ વળગી રહેવું જોઈએ. વ્યાવહારિક સૂગથી જે લોકો પર ન થઈ શકે તેમની આરાધના એટલી કાચી સમજવી, વળી કવિનો શબ્દ મનીષીનો શબ્દ છે, આર્ષદ્રષ્ટાનો શબ્દ છે. કવિને “ઘ' શબ્દ નહોતો આવડતો માટે “નૂત' શબ્દ પ્રયોજ્યો એવું નથી, પરંતુ કવિની વાણીમાં જે શબ્દ અનાયાસ સરી પડ્યો છે તે એમના આત્માના અતલ ઊંડાણમાંથી આવેલો છે. માટે સાચા આરાધકોએ મૂળ શબ્દને જ વફાદારીપૂર્વક વળગી રહેવું જોઈએ અને શાબ્દિક સૂગમાંથી ચિત્તને નિવૃત્ત કરી ઉત્તમ અધ્યવસાયમાં રમવું જોઈએ. હિન્દુઓના ગાયત્રી મંત્રમાં પણ પ્રોડયાનું એવો એક શબ્દ આવે છે, કે જે છેલ્લા કેટલાક સૈકાઓથી અશ્લીલ કે બીભત્સ શબ્દ તરીકે પણ વપરાય છે. તેમ છતાં એ મંત્રમાં હજુ સુધી કોઈ પંડિતોએ ફેરફાર કર્યો નથી. એવી અનધિકાર ચેષ્ટા કોઈ કરે તો તે ચલાવી લેવાય નહિ. “ભક્તામર સ્તોત્ર' વિશે કેટલાક સામાન્ય પ્રશ્નોની છણાવટ અહીં મારી અલ્પ મતિ મુજબ કરી છે. એથી અન્ય મત પણ હોઈ શકે. મારી દૃષ્ટિએ બાહ્ય ચર્ચા કે વિવાદ કરતાં સાચી શ્રદ્ધાપૂર્વકની આરાધના જ સૌથી મહત્ત્વની છે.