SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ જિનતત્ત્વ द्वैधापि दुस्तरतमः श्रमविप्रणाशा साक्षात्सहस्रतकरमण्डलसम्भ्रमेण। वीक्ष्य प्रभोर्वपुषि कञ्चनकाञ्चनाम પ્રદ મતિ વચ્ચે ન માસના भाषाविशेषपरिणामविधौ पटिप्ठो નીવરિતવીરે સમર્થ: दिव्यध्वनिर्ध्वनितदिग्वलयस्तवार्ह न्नाकर्षति प्रवरमोक्षपथे मनुष्यान् ।। विश्वकजैत्रभटमोहमहामहेन्दं सद्यो जिगाय भगवान् निगदन्निवेत्थम्। सन्तयन् युगपदेव भयानि पुंसा ___ मन्द्रध्वनिन्दति दुन्दुभिरुच्चकैस्ते ।। આ ચાર શ્લોક પ્રચલિત થયા નથી. પરંતુ હસ્તપ્રતોમાં તે મળે છે. વસંતતિલકા છેદમાં નવી શ્લોક-રચના કરીને મૂળ સ્તોત્રમાં ઉમેરો કરવાનું અશક્ય કે અઘરું નથી. એટલે પ્રાતિહાર્યના ચાર શ્લોક ઉમેરીને ૪૮ શ્લોકનું સ્તોત્ર બનાવવાના ત્રણ જુદા જુદા પ્રયાસો થયેલા જોવા મળે છે. એ પ્રયાસ કરનાર દરેકને કદાચ બીજાએ કરેલા પ્રયાસની ખબર નહિ હોય, કારણ કે મુદ્રણકળાનો એ જમાનો નહોતો. ગમે તેમ પણ સ્તોત્રમાં વધુ ચાર શ્લોકનો ઉમેરો બે-ત્રણ સેકાથી વધુ પ્રાચીન નથી એમ હસ્તપ્રતોના આધારે જણાય છે. જ્યારે “ભક્તામર સ્તોત્ર'નું પઠન લગભગ ૧૩૦૦ કે ૧૫૦૦ વર્ષથી ચાલ્યું આવે છે. “ભક્તામર સ્તોત્ર'ની લોકપ્રિયતા અને મહત્તા એટલી બધી છે કે સૈકાઓ પૂર્વે પણ એની અનુકૃતિરૂપે અને તીર્થંકર ભગવાનની સ્તુતિરૂપે સંસ્કૃતમાં વસંતતિલકા છંદમાં કેટલીક રચનાઓ થઈ છે. શાંતિ-ભક્તામર, પાર્શ્વ-ભક્તામર, વીર-ભક્તામર, સરસ્વતી-ભક્તામર વગેરે રચનાઓમાં પણ ૪૪ શ્લોક જ જોવા મળે છે. એટલે ભક્તામરના ૪૪ શ્લોક હોવાની શક્યતાને વિશેષ સમર્થન મળે છે. શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરા વચ્ચે કેવલીભક્તિ અને સ્ત્રી-મુક્તિ જેવા મહત્ત્વના તાત્ત્વિક પ્રશ્નો ઉપરાંત નાની નાની બીજી કેટલીક વિગતોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249444
Book TitleBhaktamar Stotra Ketlak Prashno
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Stotra Stavan
File Size378 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy