________________
ભક્તામર સ્તોત્ર કેટલાક પ્રશ્નો
પણ જે મતભેદ છે તેમાંનો એક તે ભક્તામરની શ્લોકસંખ્યા વિશેનો પણ છે. આ અંગે છેલ્લા એક સૈકામાં વખતોવખત કેટલીક ચર્ચા થઈ છે.
‘ભક્તામર સ્તોત્ર’માં કવિએ તીર્થંકર પરમાત્માનાં પ્રાતિહાર્યોનું વર્ણન કર્યું છે. ૪૪ શ્લોકના ભક્તામરનાં ચાર પ્રાતિહાર્યનું ચાર શ્લોકમાં વર્ણન છે. તીર્થંકર ભગવાનનાં પ્રાતિહાર્ય આઠ છે. એટલે પ્રાતિહાર્યના ચાર નહિ, આઠ શ્લોક હોવા જોઈએ એવો દિગમ્બર મત છે. એટલા માટે વધારાના ચાર શ્લોકમાં તીર્થંક૨ ભગવાનનાં બાકીનાં ચાર પ્રાતિહાર્યોનું વર્ણન છે.
૩૯૭
શ્વેતામ્બર મત એમ કહે છે કે કવિનો આશય બધાં જ પ્રાતિહાર્યોનું વર્ણન કરવાનો નથી. જો તેમ હોત તો જે ચાર શ્લોક આપવામાં આવ્યા છે તેમાં પ્રાતિહાર્યોનું ક્રમાનુસાર વર્ણન હોત. પરંતુ તેને બદલે કવિએ અશોક વૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર–એમ પહેલાથી છેલ્લા પ્રાતિહાર્ય સુધીમાંથી ચાર પ્રાતિહાર્યોનું વર્ણન કર્યું છે. દુંદુભિ, પુષ્પવૃષ્ટિ, ભામંડલ અને દિવ્ય ધ્વનિ એ ચાર પ્રાતિહાર્યને લગતા શ્લોક જો ઉમેરવામાં આવે તો પ્રાતિહાર્યોનો ક્રમ સચવાતો નથી. કવિનો આશય જો બધાં જ પ્રાતિહાર્યોનું વર્ણન કરવાનો હોય તો કવિ આઠેય પ્રાતિહાર્યોનું ક્રમાનુસાર વર્ણન કરે. અહીં ક્રમાનુસાર વર્ણન નથી. એ બતાવે છે કે કવિનો બધાં જ આશય બધાં જ પ્રાતિહાર્યોનું વર્ણન કરવાનો નથી.
તીર્થંકર પરમાત્માનાં પ્રાતિહાર્યો એ અતિશય છે. જો એ આઠેય અતિશયોનું વર્ણન કરવાનો કવિનો આશય હોય તો તે પછી શરૂ થતા ‘નિદ્રòમ...’ શ્લોકની અંદર એક વધુ દેવકૃત અતિશયનું વર્ણન છે. એમાં તીર્થંકરો જ્યાં વિચરે ત્યાં તેમનાં ચરણ નીચે દેવો સુવર્ણકમળની રચના કરે છે. જો કવિનો આશય દેવત બધા જ અતિશયોનું વર્ણન ક૨વાનો હોય તો પછી માત્ર સુવર્ણકમળવાળા અતિશયને વર્ણવવાની શી જરૂર ? એટલે વસ્તુત: કવિ તો દેવો દ્વારા કરાતા ઓગણીસ અતિશયમાંથી નમૂનારૂપ પાંચ અતિશયનું (ચાર પ્રાતિહાર્યનું અને એક સુવર્ણકમળનું) વર્ણન કરે છે. જો એવી દલીલ ક૨વામાં આવે કે દેવકૃત બધા અતિશયોનું વર્ણન કરવા જતાં કૃતિનો વિસ્તાર વધી જાય તો તે દલીલ પણ યોગ્ય નથી, કારણ કે તો પછી પ્રાતિહાર્યના વધુ શ્લોકની આવશ્યકતા રહેતી નથી. વળી કવિએ તીર્થંકર પરમાત્માની ભક્તિ કેવી કેવી આપત્તિમાં ચમત્કારિક રીતે રક્ષણ કરે છે તેનો મહિમા વર્ણવવા માટે આઠ-નવ જેટલા શ્લોકની રચના કરી છે, જે મહિમા બે કે ત્રણ શ્લોકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org