Book Title: Atmasiddhishastra Part 03
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 479
________________ XXI સત્યનાં સ્વીકારમાં જે ભ્રમિત કરે તેને કહેવાય છે દર્શનમોહ અને આત્માને જાણ્યા પછી પોતાનો ઉપયોગ આત્મામાં ઠેરવી શકતો નથી તે ચારિત્રમોહ. આ બન્ને ભાવો ક્ષીણ થાય અથવા પ્રશાંત થાય ત્યારે જ્ઞાનદશા પ્રગટે છે. ગાથા - ૧૪૦ વાચાજ્ઞાની જે માત્ર વાણીથી ડાહી ડાહી વાતો કરે પણ આચરણમાં કાંઈ નથી તેને કહેવાય વાચાજ્ઞાની. શાસ્ત્રોની ઊંચામાં ઊંચી વાતો કરે પણ તેની નજર હોય જગતનાં પદાર્થો ઉપર અને પોતાના શરીર તથા કુટુંબ ઉપર, મોહ હજુ વિરમ્યો નથી અને જ્ઞાનની કોરી વાતો કરે તે પંડિતો વાચાજ્ઞાની છે. પોતે તરે નહિ અને બીજાને તારે નહિ. ગાથા - ૧૪૨ દેહાતીત : દેહથી રહિત, આત્મમય જેની દશા વર્તે છે, દેહમાં રહેવા છતાં જે આત્મા સાથે જ જોડાયેલો છે તેને કહેવાય દેહાતીત. દેહથી જુદો છે તેવી દશામાં રહેનાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490