Book Title: Atmasiddhi shastra Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 447
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૬] [૪૨૧ કલ્યાણ નહિ થાય. માટે સાચાં નિમિત્તને જાણીને વિવેક સહિત પુરુષાર્થમાં વર્તવાથી જ કલ્યાણ છે, એમ જાણવું. તલ અને તેલ જુઓ. તલમાં તેલ છે. પણ શક્તિરૂપે છે, તેનો પ્રયોગ થયે પ્રગટે છે, તેમ દરેક આત્મામાં શક્તિપણે પૂર્ણ સિદ્ધત્વ છે, પણ તે યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને જ્ઞાનના પુરુષાર્થની સ્થિરતા કરવાથી પ્રગટ થાય છે. જેમ તલને એમ ને એમ અગ્નિ ઉપર તાવડામાં નાખો તો બળી જાય, પૂરી તળવામાં કામ ન આવે. તેમ પુરુષાર્થ વિના ગુણ પ્રગટયા વિના હું સિદ્ધ છું” એમ કલ્પના કરવાથી હિત નહિ થાય; પણ અહિત થશે. માટે જેને હિત કરવું હોય તેણે ગુણનો આદર કરવો. દેવ, ગુરુ, ધર્મનો વિનય અને સગુરુનો સમાગમ કરે તો પોતાની પાત્રતા વડે અવશ્ય તે બધાં નિમિત્તો ઉપકારી કહેવાય, અને સની સમજણ વડે ગુણ પ્રગટે. જેને ગુણ પ્રગટયો તેને સત્ દેવ, ગુરુ, ધર્મ, સન્શાસ્ત્ર વગેરેનું બહુમાન આવ્યા વિના રહે નહિ. માટે જે કોઈ સત્સાધન અને તેનાં નિમિત્તોનો (દેવ-શાસ્ત્ર-ગુરુની પૂજા, ભક્તિ, જિનપ્રતિમા, જિનમંદિરનો ) નકાર કરે છે તે સત્સાધનને નહિ પામે, અને અસત્ કલ્પનામાંભ્રાંતિમાં સંતોષ માની રાગની રુચિમાં-બંધમાં અટકશે. સતશ્રદ્ધા તથા સત્સાધનના પ્રેમ વિના તેને શંકા ટળશે નહિ. શુદ્ધતા સદ્ગુરુ પ્રગટાવી દેશે કે મારાથી થશે, મારામાં ગુણ હશે કે નહિ હોય?–એમ સંદેહ રહેતાં સાચો નિર્ણય થઈ શકશે નહિ અને સાચા નિર્ણય વિના નિઃસંદેહ પુરુષાર્થ ક્યાંથી કરશે? પોતાનો પુરુષાર્થ ઉઘાડયા વિના તેને સાચો ઉત્સાહ આવે નહિ. તેથી મોક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રોગ.” શાસ્ત્ર-વાંચન-શ્રવણ પણ ઉત્સાહથી કરશે નહિ, એકવાર સાંભળ્યું કે અમારે બસ છે! એમ માનશે. જ્યાં થોડાથી બસ માન્યું ત્યાં પોતાના જ્ઞાનને મર્યાદાવાળું માન્યું; વગેરે ઘણા પ્રકારની ભૂલો તેને પરમાર્થમાં આડે આવશે. શાસ્ત્રવાંચન, ઉપદેશ, ભક્તિ, શ્રવણમાં કંટાળો, અને અનંત કાળથી સંસારનાં કામ કર્યા તેમાં કંટાળો નથી, ભવનો ભય નથી, તેને નિત્ય રોટલા ખાતાં ખાતાં કંટાળો આવતો નથી અને સશ્રવણ-સ્વાધ્યાયમાં કંટાળો છે, તેને સાચાં નિમિત્ત પ્રત્યે ઉત્સાહ નથી કારણ કે સંસારનો પ્રેમ છે. જ્ઞાની ધર્માત્મા અધૂરી દશામાં છે ત્યાં લગી તેને "આવશ્યક ક્રિયા અકષાયપણાના લક્ષ હોય છે. સત્ સાધન-ઇષ્ટ નિમિત્તોનું બહુમાન આવે છે. જ્યાં સત્નો તથા તેને દેખાડનાર સાધનો (ઇષ્ટ નિમિત્તો) નો આદર છે, ત્યાં તેની સમજણ અને વિનય-વિવેક હોય જ હોય. આ નિમિત્તાધીનપણું નથી, પણ એ તો નિમિત્તનું જ્ઞાન કર્યું છે, સાધકસ્વભાવની શક્તિનો વિકાસ કર્યો છે. એ જ લોકોત્તર વિનયની મહત્તા છે પુરુષાર્થ સાથે જે સદગુરુ આજ્ઞા આદિ શુભ વિકલ્પનું આલંબન છે તે આગળ જતાં સહજ છૂટી જાય છે, હઠથી નહિ. શ્રીમદે કહ્યું છે કે :- “સંયમના હેતુથી યોગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો, તે પણ ક્ષણક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” જેમ જેમ નિરાલંબી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457