Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Shrimad Rajchandra
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેહ ન જાણે તેહને, જાણે ન ઇદ્રીય, પ્રાણ; આત્માની સત્તાવડ, તેહ પ્રવર્તે જાણ. પ૩ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪ ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? પપ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહુ મતિ અલ્પ; દેહ હોય જો આતમાં, ઘટે ન આમ વિકલ્પ. પ૬ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણે પામે નહીં, ત્રણે કાળ દ્રય ભાવ. પ૭ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એવું અમાપ. ૫૮ (૨) શંકા-શિષ્ય ઉવાચ આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યું વિચાર. પ૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેશ્યોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧ (૨) સમાધાન-સદ્ગુરુ ઉવાચ દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ્ય; ચેતનની ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય? ૬ર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16