Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Shrimad Rajchandra
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 16
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. 135 ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. 136 મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટયો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. 137 દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહુ સદાય સુજાગ્ય. 138 મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનદશા, બાકી કહીએ ભ્રાંત. 139 સકળ જગત તે એંઠવત્ અથવા સ્વપ્ર સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. 140 સ્થાનક પાંચ વિચારીને, છઠું વર્તે જેહુ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. 141 દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો ! વંદન અગણિત. ૧૪ર શ્રી નડિયાદ, આસો વદ 1, ગુરુ, ૧૯પર 1 શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યહિત કારણે, કહ્યો બોધ સુખસાજ. 1 સાધન સિદ્ધદશા અહીં, કહી સર્વ સંક્ષેપ; પટું દર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 14 15 16