Book Title: Atmanand Prakash Pustak 101 Ank 10
Author(s): Pramodkant K Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ વર્ષ: ૪ અંક ૧૦, ૧૫ જાન્યુઆરી ૨૦૦૫ ] [૧૫ ( સમાચાર સૌરભ ઓપન બુક એકઝામ :-લેખક પૂ. ગણિવર્યશ્રી મેઘદર્શન વિજયજી મ.સા. દ્વારા લીખીત ‘તત્વઝરણું' (ખુલ્લા પુસ્તક ઘેર બેઠા પરીક્ષા) ૮થી ૯૮ વર્ષના તમામ ભાઈ-બહેનો માટે પરીક્ષાર્થીને આ બુક રૂ-૩૦ માં પ્રશ્નપત્ર કિંમત રૂ.-૧૦ પરીક્ષા સંચાલન વર્ધમાન સંસ્કારધામ પાર્લા ઇસ્ટ, પ્રથમ ઈનામ ૫001થી 3000, ૨૦૦૧, નં. ૧થી૪ને અન્ય 1000 પરીક્ષાર્થીઓને પણ યોગ્યતા અનુસાર ઈનામો અપાશે. ચાતુર્માસ પરિવર્તન - સિદ્ધહસ્ત લેખક સૂરિમંત્ર સમારાધક સંયમજીવનના ૫૦માં વર્ષમાં પ્રવેશ પામેલ પૂ.આ.શ્રીમદ્ વિજયપૂર્ણચંદ્ર સૂરિશ્વરજી મ.સા., પ્રવચન પ્રભાવક પૂ. ગણિશ્રી યુગચંદ્રવિજયજી મ.સા. તથા પ્રબુદ્ધ પ્રવચનકાર પૂ. મુનિશ્રી હિતચિ વિજયજી મ.સા. આદિનું વિ.સં. ૨૦૬૦નું ચંદનબાળાનું ચાતુર્માસ વિશાળ શિષ્ય પરિવાર સાથે ઐતિહાસિક શાસન પ્રભાવના સહ સુંદર રીતે સંપન્ન થયું. શેષકાળમાં પૂજયશ્રી સાથે સંપર્ક પત્રવ્યવહાર આ સરનામે કરવો. C/o. જિતેન્દ્ર જવેલર્સ, ૧૦૦ ભંડારી સ્ટ્રીટ, ગોદાવરી ભુવન, મુંબઈ-૪ ફોન (ઓ) ૨૩૮૬૧૮૪૩ (ઘર) ૨૩૮૮૪૩૨૫. ગ્રંથ વિમોચન :-ભાવનગરના પીઢ સાહિત્યકાર શ્રી નંદલાલભાઈ દેવલુક સંપાદિત શ્રી ચતુર્વિધ સંઘ : ‘તવારીખની તેજ છાયા” તથા “પથ પ્રદર્શક પ્રતિભાઓ' નામના બે સમૃદ્ધ ગ્રંથો અરિહંત પ્રકાશન દ્વારા પ્રકાશિત થઈ રહ્યા છે. આ અલભ્ય ગ્રંથોનું નજીકના ભવિષ્યમાં વિમોચન થનાર છે. માલગાંવ થી રાણકપુર છરીપાલિત સંઘ :-માલગાંવનગર શ્રી પાવાપુરી તીર્થધામ જીવમૈત્રી ધામથી વિશ્વપ્રસિદ્ધ રાણકપુર તીર્થનો ભવ્યાતિભવ્ય ૨૧૧ કિ.મી.નો છ'રીપાલિત સંઘ અનેક પ.પૂ. આચાર્ય ભગવંતોની શુભ નિશ્રામાં આગામી તા.૧૮-૨-૦૫ના રોજ પ્રસ્થાન કરી આગામી તા. ૬૩-૦૫ના રાણકપુર તીર્થની સ્પર્શના કરનાર છે. સંઘ આયોજન સંઘવી પૂનમચંદજી ધનાજી બાફના, કે.પી. સંઘવી પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. શ્રી જીરાવલા પાર્શ્વનાથ તીર્થ -આગામી તા. ૯-૧૦-૧૧ ફેબ્રુઆરી ૨૦૦૫ બુધ-ગુરુ- અને શુક્રવારના ભૂમિપૂજન - ખાતમુહૂર્ત મહોત્સવ થનાર છે. જેમાં ૭૦૦થી પણ વધુ પૂજય સાધુ - સાધ્વીજી ભગવંતોનું સાંનિધ્ય પ્રાપ્ત થશે. તા. ૧૦-૨-૦૫ના ભૂમિપૂજન - ખાતમુહૂર્તના ચઢાવા બોલવામાં આવશે. તા. ૧૧-૨-૦૫ના તીર્થ જિનાલયના ભૂમિપૂજન - ખાતમુહૂર્તના લાભાર્થીઓને હાથી ઉપર સવારી કરાવી માન-સમ્માન-ઉલ્લાસ ભાવથી વાંજિત્રો સહિત રાજાશાહી ઠાઠ-માઠથી મુહૂર્ત થશે. શિલાન્યાસ મુહૂર્ત આગામી તા. ૮-૨-૦૫ના રાખવામાં આવેલ છે. તેના ચઢાવા પણ ભૂમિપૂજન - ખાતમુહૂર્ત મહોત્સવમાં તા. ૧૦-૨-૦૫ના બોલવામાં આવશે. શિલાન્યાસ ચઢાવાના લાભાર્થીઓના નામ શિલાન્યાસ મહોત્સવ આમંત્રણ પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવશે. સકલ શ્રીસંઘોને લાભ લેવા વિનંતી છે. ફિક્કીનો એવોર્ડ મેળવતા શ્રી નિશીથભાઈ મહેતા :-સભાના પેટ્રન મેમ્બર શ્રી નિશીથભાઈ મહેતા(માઈક્રો શાઇન પ્રોડકટ્સ)ને સહૃદયતા ભર્યા બીઝનેસ માટે ફેડરેશન ઓફ કોમર્સ (ફીક્કી) દ્વારા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28