Book Title: Atmanand Prakash Pustak 090 Ank 01 02
Author(s): Pramodkant K Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ નહિ! ના વિનય હજી જીવીત છે, પરંતુ તે શિથીલ બની ગયો છે, તેને થોડે સક્રિય બનાવવાની જરૂર છે, પછી જેઇલો જીવન કેવું મધમધાટ ભર્યું આનંદદાયક બની જાય છે !! વિનય તે જીવનનો પ્રાણ છે, આધાર છે, જીવનની સાચી ઓળખાણ વિનયથી જ છે. આપણે ત્યાં વિનયનાં પાંચ પ્રકાર કહયા છે. (૧) ચીત્ય વૃતિથી આદર (૨) ગુરૂઆજ્ઞા પાલન (૩) ગુરૂ પર બહુમાન (૪) બહુમાન (૫) ગુરૂ પર પ્રીતિ. આજે આપણે વિનયને અનુરૂપ વિનયગુણનું મહત્વ સમજાવતી એક કથા જાણીએ. “ખીચડીયા શેઠ 2 એક નગરમાં શેઠ રહેતા હતા, એ શેઠ ખુબ ધનવાન હતા તેમની છ પેઢીથી એક નિયમ ચાલ્યો આવતો હતો કે દરેકે પિતાની મુડીમાં એક લાખ રૂપિયા ઉમેરીને મરવું, આમ તેના બાપ દાદા એ છ લાખ રૂપીયા ભેગા કર્યા હતા હવે આ શેઠને પણ એક લાખ રૂપિયા ભેગા કરવાનો વારો આવ્ય, શેઠ એની મુડી ભેગી કરવા લાગ્યા હતા. - શેઠ એ મુડી એકઠી કરવા માટે ખુબ જ કરકસરયુક્ત જીવન જીવતા હતા તેઓની સાત માળની હવેલી હતી, પરંતુ તેઓ હમેશ ને માટે જરૂરી એક માળ સિવાય બાકીના છ એ માળ બંધ રાખતા હતા, કારણ કે એ છ માળ ખોલવાથી તેમાં કચરો ભરાય એ કચરાને સાફ કરવા માટે કરો રાખવા પડે અને વખત જતા એ સાવરણીને ઘસારો પહોંચે અને ઘસાઈ જતા નવી લાવવી પડે, અને ખર્ચ પહોચે આથી તેઓ છ માળ તે હંમેશા બંધ જ રાખતા. આમ છતાં એ શેઠ કરકસરીયા હોવા છતાં તેમને એક ખુબ જ સારો નિયમ હતો કે તેઓ કદી કોઈની પાસે કશુ માંગતા નહીં, આ રીતે વખત જતા શેઠના લગ્ન થયા પત્નીએ ઘરમાં જેયુતે તે આશ્ચર્ય પામી શેઠ આટલા ધનવાન હોવા છતાં પણ પેલી કહેવત અનુસાર “ચમડી તૂટે પણ દમડી ન છૂટે” એ રીતે જીવન જીવતા હતા તેઓ જમવામાં એકલી પાણીમાં બાફેલી ખીચડીજ ખાતા હતા તેમાં ઘી ની તો વાત જ નહી કરવાની આથી પત્નીએ શેઠને સુધારવાને નિશ્ચય કર્યો. એક દિવસ ગામમાં જ્ઞાની ગુરૂ ભગવંત પધાર્યા શેઠાણીએ શેઠને મહાજ્ઞાની ગુરૂભગવતની વાત કરી અને વ્યાખ્યાન શ્રવણ કરવા આવવા કહ્યું પણ શેઠે ચકખી ના પાડી દીધી તે કહે હું [ ડીસેમ્બર-૯૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17