________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીયુત ખીમચંદભાઈ ચાંપશી શાહને નિવૃત્તિ સન્માન સમારંભ
આ સભાના પ્રમુખ અને ભાવનગર શ્વેતાંબર મૂર્તિપૂજક તપાસંઘના ઉપપ્રમુખ શ્રીયુત ખીમચંદભાઈ ચંપશી શાહ (શાહ સાહેબ) ઈ. સ. ૧૯પરના માર્ચમાં સૌરાષ્ટ્ર સરકારના કેળવણી ખાતામાં ઉચ્ચ પદેથી વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા કે તરત જ આ પ્રદેશના લેકનાયક , બલવંતરાય ભાઈ મહેતાને આગ્રહ સ્વીકારી શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી એસ એન. ડી. ટી) વિમેન્સ યુનિવર્સિટી
સાથે સંલગ્ન મહિલા કોલેજની (શ્રીમતી નર્મદાબાઈ ચત્રભુજ ગાંધી મહિલા કોલેજની) ભાવનગરમાં સ્થાપના કરી. અને ત્યારથી ઈ. સ. ૧૯૭૪ સુધી (પૂરાં બાવીસ વર્ષ) તદ્દન અવેતન માનદ આચાર્ય પદે રહી પિતાના પુરુષાર્થ અને પ્રતિભાથી એ કેલેજની લેકહદયમાં તેમજ યુનિ.માં એક આગવી પ્રતિષ્ઠા ઊભી કરી. નાદુરસ્ત તબિયતના કારણે આચાર્ય પદેથી નિવૃત્ત થતાં કોલેજના ઉપક્રમે શ્રી ભાવનગર સ્ત્રી ઠેળવણી મંડળના સહકારથી તેમને નિવૃત્તિ સન્માન સમારંભ તા. ૧૫-૨-૭૫ શનિવારના રોજ સાંજના ૪-૩૦ કલાકે લેજના પ્રાંગણમાં ઉજવવામાં આવ્યો હતો. આ સમારંભમાં અતિથિવિશેષ પદે મુંબઈના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને ચિંતક શ્રી ચીમનલાલભાઈ ચકુભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંતભાઈ શુક્લે ભાવ્યું હતું. આ પ્રસંગે કેળવણીમાં રસ લેતા સ્ત્રી પુની હાજરી ખાસ ધ્યાન ખેંચે તેવી હતી. કેલેજની વિદ્યાર્થીનીઓના મધુર રવરે ગવાયેલા એક સુંદર ગીતથી કાર્યક્રમને પ્રારંભ થશે હતું. ત્યારબાદ આચાર્યશ્રી જયેન્દ્રભાઈ ત્રિવેદીએ ઉપસ્થિત રહેલા સૌનું સ્વાગત કર્યું હતું. ડે. બાલકૃષ્ણ કુવે સંદેશા વાંચન કર્યું હતું. શ્રી શાહ સાહેબને શ્રદ્ધા અને આદરના પ્રતીકરૂપે વિદ્યાર્થિની પ્રતિનિધિસભાના સભ્યોએ પુષ્પ ગુચ્છ અર્પણ કર્યા હતા અને વિમેન્સ યુનિ. તરફથી ઉપસ્થિત રહેલા ડેપ્યુટી રજીસ્ટ્રાર શ્રી આઈ. એન કાજી સાહેબ તથા એસ. એન. ટી. ટી. વિમેન્સ કેલેજના નિવૃત્ત આચાર્ય શ્રી. ડી. એસ. ફાટક સાહેબે યુનિ. વતી પુષ્પહાર કરી સન્માનના પ્રતીકરૂપ શાલ અર્પણ કરી હતી,
સૌરાષ્ટ્ર યાન, ના કુલનાયક છે. ગૌરીભાઈ ભટ્ટે જ્યારે શહેસાહેબ સામળદાસ કેલેજમાં ગણિતના મુખ્ય પ્રાધ્યાપક હતા અને પોતે ગણિતના વિદ્યાથી હતા તે સમયને યાદ કરીને શાહ સાહેબની ગણિતના વિષય ઉપરની પકકડ, શીખવવાની કુશળતા, વિદ્યાર્થીઓ પ્રત્યેની મમતા પરીક્ષક તરીકેની નિષ્પક્ષતા વગેરે ગુણોની પ્રશંસા કરી હતી. માછ કુલનાયક શ્રી હરભાઈ ત્રિવેદીએ શાસાહેબ સૌરાષ્ટ્ર સરકારમાં કેળવણી ખાતામાં
[આઇમાન પ્રકાશ
For Private And Personal Use Only