Book Title: Atmanand Prakash Pustak 057 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. N. B, 431. મનને સતત તપાસતા રહીએ. જીવન શુદ્ધ કરવાની આપણી ઈરછા હૈય તો આપણે આપણા મનને તપાસવું પડશે. આપણા મનને વિચારપ્રવાહ જ્ઞાન કે ચારિત્ર્યસિદ્ધિ તરફ છે કે ઇન્દ્રિયેના ભાગો તરફ જાય એ આપણે તપાસવું જોઇએ માણસનો સ્વભાવ જ એ છે કે તે કંઈ કામ કરે છે તે વિચારપૂર્વક કરે છે. વિચારપૂર્વક જે કંઇ કામ થતું હોય એ જ કમ કહી શકાય. કિયા અને કર્મ માં આ મહત્વનો ભેદ છે. બાળક હાથ પગ હલાવે છે એ ક્રિયા છે. વ્યાયામ કરવાવાળા, અમુક ઉદ્દેશથી એવી જ ક્રિયા કરતા હોય તો પણ એ કેમ બને છે. આપણા વ્યવહારને ક્રિયાના ક્ષેત્રમાંથી કમ ના ક્ષેત્રમાં આપણે [ણવાનું છે. આપણી દરેક ક્રિયા ત્યારે કમ રૂપ બનશે ત્યારે આપણા ખાનપાનમાં, આપણા પહેરવેશમાં, આપણા વાચનમાં, આપણા આનંદ મેળવવાનાં સાધનામાં આપેઆપ ફેરફાર થઈ જશે. આ પાંગા હરેક વ્યવહાર આપાનું સમગ્ર જીવન જીવનશુદ્ધિ,’ના ઉદ્દેશથી જ પ્રાસાહિત થતુ હશે. આપણે આપણા મનને તપાસત્તા રહીશું, સાચી છુથી વિચારતા થઈશુ તો સાચું માર્ગ દર્શન આપણને થતું જ રહેશે. આજે સમાજમાં જ્યાં જોઇએ ત્યાં દુઃખ અને કલેશનું વાતાવરણ દેખાય છે. પોતાનાં દુ:ખનાં કારણે શા છે એ આપણે તપાસીશુ તો આપણને જણાશે કે એમાંના સાટા ભાગના દુ:ખનું કારણ આપણા સ્વભાવમાં, આપણી આદતોમાં, આપણા ખોટા સંસ્કારોમાં રહેલું છે. એ કારણે સમજાયા પછી પણ એ દેશે ચાલુ રહેતા હોય અને માણસ દુ:ખી જ બનતો રહે એમાં માનવતા નથી જ. અનુભવથી પણ જે માણસ શીખે નહિ એવા માણસ તો દુયાના પણ અધિકારી નથી બનતે. હું બધાને કહું છું કે તમે અનુભવથી શીખાજ્ઞાન પુસ્તકમાંથી મળવાનું નથી, પુસ્તકોમાંથી પણ મનુષ્ય સ્વભાવ પોતાની વૃત્તિ અનુસાર અર્થ કાઢો, તમારાં દુઃખેનું કારણ સંચમના અભાવ, સદાચારને અભાવે અને જીવનના દરેક ક્ષેત્રમાં શુદ્ધિ આણવાની વૃત્તિને અભાવે જ છે. 2 | સંતો અને મહાપુરુષે પોકારીને કહે છે કે " જાગૃત થાઓ', ઊધમાંથી ઊઠે એ એને સંકુચિત અર્થ કરવાની નથી. ખાટા બ્રામાંથી છૂટવું, ખાટી આદતોમાંથી છૂટવું, વ્યસનો અને પ્રલોભનમાંથી છૂટવું' એ રીતે જાગૃત થવાનું છે. આપણી વાસનાઓ અને તૃષ્ણાઓ, કામ, ક્રોધની આપણી વૃત્તિઓ, આપણા જીવનના સ ય ‘ચારી જાય છે એ રીતે જીવનને તપાસીશુ તો આપણે એ જીવનના તાં અટકાવી શકીશું. એટલે જ સમય સવૃત્તિથી સાચા કામમાં ખરો હા, તો જીવન સમૂ % બનશે અને સાર્થકતા અનુભવાશે. | - શ્રી કેદારનાથજી પ્રકાશક : ખીમચંદ ચાંપશી શાહ, શ્રી જેન આરમાનદ સભાવતી. મૃદ્રક : હરિલાલ દેવય કે શેઠ : : આનદ પ્રિન્ટીંગ પ્રેસ : ભાવતુગર, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20