Book Title: Atmanand Prakash Pustak 034 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. આ સભાને એકતાલીસમું વર્ષ પૂરું થઈ જેઠ સુદ ૭ ના રોજ બેતાલીશમું વર્ષ બેસતું હોવાથી દર વર્ષે મુજબના કાર્યક્રમ અને ધોરણ અનુસાર નીચે મુજબ ધાર્મિક કાર્યો કરવામાં આવ્યા હતા. ૧, જેઠ સુદ ૭ મંગળવારના રોજ આ સભાના મકાન (આત્માનંદ ભવન) ને ધ્વજાતેર વગેરેથી શણગારી સવારના આઠ વાગે પ્રથમ પ્રાતઃ સ્મરણીય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી ( આમારામજી ) મહારાજની છબી પધરાવી સભાસદોએ પૂજન કર્યું હતું. ત્યારબાદ કલાક પછી નવ વાગે સભાના મકાનમાં પ્રભુ પધરાવી આચાર્ય શ્રીમદ વિજયવલ્લભસૂરિ મહારાજ શ્રી પંચપરમેષ્ઠીની પૂજા ભણાવવામાં આવી હતી. ત્યારબાદ વોરા હઠીસંગભાઈ ઝવેરચંદ તરફથી સભાસદોનું સ્વામીવાત્સલ્ય કરવામાં આવ્યું હતું. તે જ દિવસે બપોરના ક. ૨-૩૫ ની ટ્રેનમાં દરવર્ષ મુજબ પ્રાતઃસ્મરણીય આચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી ( આત્મારામજી) મહારાજશ્રીની જયંતિ જેઠ સુદ ૮ રવિવારના રોજ ઉજવવાની હોઈ શ્રી સિદ્ધાચળજી (પાલીતાણા) શુમારે સાઠ સભાસદ બંધુઓ ગયા હતા. ૨. જેઠ સુદ ૮ બુધવારના દિવસે શ્રી સિદ્ધાચલજી ઉપર શ્રી આદીશ્વર પ્રભુનાં મંદિરના ચોકમાં શ્રી નવાણુ પ્રકારી પૂજા બહુ જ આનંદ અને ઉત્સાહપૂર્વક ભણવવામાં આવી હતી, તથા ગુદેવની આંગી રચવામાં આવી હતી અને બપોરના સ્વામી – વાત્સલય કરવામાં આવ્યું હતું. એ રીતે દેવભકિત તથા ગુરૂભક્તિ કરવામાં આવી હતી. તેને ખર્ચ ધ્રાંગધ્રાનિવાસી શેઠ પુરશોત્તમદાસ સુરચંદ તરફથી આપવામાં આવ્યો હતો. જેને માટે આભાર માનવામાં આવે છે. આ સભાના સભાસદ શ્રીયુત વિનયચંદ ગુલાબચંદ આ વર્ષે બી. એ. ની પરીક્ષામાં પ્રથમ વર્ષ પસાર થયા છે. ઉત્તરોત્તર દરેક ધોરણમાં અને કેલેજની ઉચ્ચ પરીક્ષામાં પણ પ્રથમ વર્ષે જ ઉત્તીર્ણ થયા છે. લઘુ વય હોવા છતાં શિક્ષણ લેવું એક જ દયેય હોવાથી શિક્ષણમાં ઉત્તરોત્તર આગળ વધેલ છે જે માટે તેમને ધન્યવાદ દેવા સાથે આ સભા પોતાને હર્ષ પ્રદર્શિત કરે છે. નામ પ્રમાણે ગુણ અને હજી પણ શિક્ષણમાં આગળ વધવાની ઉત્કંઠા હોવાથી તેમાં તે ફલિભૂત થાઓ તેમ ઇચ્છીએ છીએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28