Book Title: Ashtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan
Author(s): Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 24
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ સ્ફટિક પથ્થર (કુદરતી રીતે પારદર્શક અને પ્રકાશ પસાર થઈ શકે તેવો પથ્થર)નો બનાવવામાં આવ્યો, જેથી એ પર્વત બરફથી છવાયેલો હોય તેવો જણાય. રત્નમંદિરની કલ્પના પરિપૂર્ણ કરવા માટે આઠ પગથિયાં રચવામાં આવ્યાં અને પર્વતની મધ્યમાં ચોવીશી માટે ૨૪ ગોખલા બનાવવામાં આવ્યા. પર્વતનો દેખાવ લાગે તે રીતે એની બાંધણી કરવામાં આવી. આ રીતે ૨૪ તીર્થકર ભગવાનની ચોવીસી ધરાવતા રત્નમંદિરને અષ્ટાપદ પર્વતની પ્રતિકૃતિ રચીને ન્યૂયોર્કના જૈન સેન્ટરના ભવ્ય જિનાલયમાં બિરાજમાન કરવાનું નક્કી થયું. પ્રાચીન ધર્મગ્રંથો અને પૂજ્ય આચાર્યશ્રીઓનું માર્ગદર્શન મેળવીને આ કાર્ય આગળ ધપાવ્યું. જૈન સેન્ટર ઑફ અમેરિકા (ન્યૂયોર્ક)ના જિનાલયમાં અષ્ટાપદની રચનાની પ્રક્રિયા: બિરાજમાન થનારા અષ્ટાપદની રચનાની પ્રક્રિયાનો ઇતિહાસ જોઈએ. એની રચના માટે સર્વાગી અને શાસ્ત્રીય રીતે પ્રયાસ કરવામાં આવ્યો. ડિઝાઈન : અષ્ટાપદ પર્વતની રચના માટે સ્ફટિક વાપરવાનું નક્કી થયું પણ તે માટે જરૂરી સામગ્રીનું વજન આશરે ૧૦ ટન જેટલું થાય, તે બાબત ન્યૂયૉર્કના જૈન સેન્ટરના ભવન માટે મુશ્કેલીરૂપ બની રહી. વળી અષ્ટાપદ ચોથા માળે આવેલું હોવાથી એની વજન ખમવાની ક્ષમતાની મર્યાદા હોય તે સ્વાભાવિક છે. ૧૨ ટનથી વધુ વજન તો ન જ થવું જોઈએ. બાંધણી મજબૂત બને, તે માટે દોઢ ટન વજનની 22 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36