Book Title: Arya Kalyan Gautam Smruti Granth
Author(s): Kalaprabhsagar
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

Previous | Next

Page 7
________________ યુગપ્રભાવક, અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ ગુણસાગરસૂરીશ્વરજી મહારાજાના આ સ્મૃતિગ્રંથ અંગે JESSESS) આશીર્વચન [JD]] 000oooooooooooooooooooooooo પ્રાતઃ સ્મરણીય યુગવીર મહાન પૂર્વાચાર્યોના પ્રશસ્ત જીવનકાર્યોની ચિર અનુદન નિમિત્તે આ “શ્રી આયકલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ” પ્રકાશિત થઈ રહેલ છે. જેથી ખૂબજ પ્રમદભાવ અનુભવું છું અનેક માહિતીઓથી સભર આ સચિત્ર ઐતિહાસિક મહાગ્રંથ પાછળ સાત-સાત વર્ષોથી અથાગ પરિશ્રમ કરાયેલ છે. મારા શિષ્યરત્ન પરમ વિનયી મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી એ વિશિષ્ટ રીતે વિદ્વતાપૂર્વક આ ગ્રંથનું સંપાદન અને સંકલન કરી જૈનશાસન અને અચલગચ્છની મહાન સેવા કરેલ છે. સાથે સાથે પૂર્વાચાર્યોના આપણુ પરના અગણિત ઉપકારોના મહાન ઋણથી મુક્ત બનવા પત્કીંચિત્ પ્રયત્ન કરેલ છે જે અનુમોદનીય છે. સાત્વિક સાહિત્ય એ જીવનવિકાસનું એક આગવું અંગ છે. આ મુનિરાજશ્રી આવા સમ્યજ્ઞાન અને સાત્વિક સાહિત્યના સથવારે વધુમાં વધુ કલાકે ગાળે છે. અને આ રીતે જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમના લાભને મેળવે છે. જેના ફલસ્વરૂપે પ્રાચીન જ્ઞાનભંડારમાંથી હસ્તલિખિત ગ્રંથે અને અવનવી સામગ્રીને પ્રકાશમાં આણી આપણી સમક્ષ રજૂ કરે છે. સાથો સાથ અને કેને પણ આ સાહિત્યદ્વારના રસમાં તરબોળ બનાવે છે. તેઓશ્રી હજી પણ વધુમાં વધુ આ ક્ષેત્રે વિકાસ સાધે તથા અનેક ગ્રંથરત્નને પ્રકાશમાં આણે એજ શુભેચ્છા ! તેઓશ્રી રત્નત્રયીની નિમલ આરાધનામાં ખૂબજ આગળ ધપી જિનશાસન, ગચ્છ અને ગુરુને વધુમાં વધુ ગૌરવ અપાવે એજ શુભ આશીર્વાદ અને શુભેચ્છા ! લિ. અચલગચ્છાધિપતિ આચાર્ય ગુણસાગરસૂરિ સં. ૨૦૩૯ ઢિ. ફા. સુ. ૭. લાલવાડી મુંબઈ-૧૨. GOOOOOOOOOOOOOOOOOOGOS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 1160