Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 290
________________ विज्ञप्ति - फळदा पुंसां न क्रिया फलदा मिथ्याज्ञानात् प्रवृत्तस्य फलासंवाददर्शनात् " સમ્યાન જ યથાર્થ રૂપમાં ફલદાયક હોય છે. સમ્યગ્ જ્ઞાનરહિત ક્રિયા ફલદાયક હાતી નથી. મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્તિ કરનાર પુરુષ ફળ પ્રાપ્તિમાં અવિસવાદી હાતા નથી. એટલે કે ફળપ્રાપ્તિમાં તેને બાધાના સામના કરવા જ પડે છે. આ પ્રમાણે આ નયના મત મુજબ જ્ઞાનમાં જ પ્રધાનતા ન્યાપિત કરવામાં આવે છે. જે અહીં કહેવામાં આવી છે. એટલા માટે તો કર ગણધરાએ ગીતાર્થીના વિહાર પ્રતિષિદ્ધ કરેલ છે. ઉક્ત’ચઃ“નીત્યો ય વિશે...' સ્થાવિ આ ગાથા વડે જે અગીતાના વિહાર પ્રતિષિદ્ધ કરેલ છે, તેનુ કારણ આ છે કે ‘જેમ કોઇ આંધળા બીજા આંધળાની સાથે થઈને પેાતાના અભીષ્ટ પદ પર પહાંચી શકતા નથી, તેમજ અગીતાથી સમાધિત થયા માદ આ સંસાર પશુ સ્વેચ્છિત સ્થળ સુધી પહાંચી શતા નથી. એથી ગીતાના વિહાર આગમાનુકૂલ કહેવામાં આવેલ છે. અને અગીતા ના વિહાર નિષિદ્ધ કરવામાં આવેલ છે આ પ્રમાણે જ્ઞાનનયમાં જે આ પ્રધાનતાનું કથન ફેરવામાં આવેલ છે, તે તે ક્ષાયૈાપશમિક જ્ઞાનની અપેક્ષાએ કરવામાં આવેલ છે. ક્ષાયિક જ્ઞાનની અપેક્ષાએ પણ જ્ઞાનનયમાં જે આ પ્રમાણે વિશિષ્ટલસાધતા કહેવામાં આવી છે–સ'સારસાગરના તટસ્થ રહેલા એવા અહુત પ્રભુ દીક્ષિત થઈને પણ વિશિષ્ટ તપણુ કરવા છતાંએ ત્યાં સુધીમુક્ત થતા નથી કે જ્યાં સુધી તેએ સકલ જીવાદિક વસ્તુઓના સાક્ષાત્કારક કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરતા નથી. એથી જ્ઞાન જ પુરુષાર્થ સિદ્ધિતુ' કારણ છે, એવું માની લેવુ' જોઇએ. આમ જોવામાં આવે છે કે જે જેના વગર થતુ નથી, તે, તત્કારણુક માનવામાં આવે છે, જેમ ખીજ વગર નહિ થનાર 66 मना । अ० ११३ અંકુર ખીજનિખધક માનવામાં આવે છે, આ પ્રમાણે સકલ પુરુષા સિદ્ધિ જ્ઞાન અવિનાભાવિ હાવાથી જ્ઞાન કારણક માનવામાં આવે છે. આ જ્ઞાનનય સમ્યક્ત્વસામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિસામાયિક અને સવવિરતિસામાયિક આ ચાર સામાયિકમાંથી સમ્યક્ત્વ સામાયિક અને શ્રત સામાયિક આ બે સામાયિકાના પ્રતિપત્તા-ધારક હાય છે. કેમકે એએ અન્ને સામાયિક જ્ઞાનાત્મક હોવાથી મુકિતમાં પ્રધાન કારણેા માનવામાં આવ્યાં છે. દેશિવરિત સામાયિક અને સવિરતિ સામાયિક એઆ બે સામાયિકાના તે પ્રતિપત્તા-ધારક થતા નથી. કેમકે એએ બન્ને જ્ઞાનના કાર્યા છે. એથી મુકિત પ્રાપ્તિમાં એએ ગૌણ માનવામાં આવ્યા છે. આ પ્રમાણે જ્ઞાનનયના મત મુજબ આ સામાયિક વિષે વિચાર કરવામાં આવ્યા છે, હવે ક્રિયાનયના મત મુજમ્ આ વિષે વિચાર આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવે છે-ક્રિયાનય ક્રિયાને અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૭૮

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295