________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંપરાને વધારનારી લાગતી હોય તે, ઈચ્છાઓને જ્ઞાનવડે નાબુદ કરે.
ઈષ્ટ વસ્તુ મળતાં માનવી હર્ષઘેલે બને છે અને તેને વિયેગ થતાં શોક પરિતાપ કરીને પાગલ બને છે. તેથી મળેલી વસ્તુઓને લાભ ઉઠાવી શક્તા નથી.
૯ વ્યાવહારિક જ્ઞાન, ધન સંપત્તિ-સત્તા આપે છે. પણુ આમજ્ઞાન આપતું નથી, તેથી સત્ય સુખની પ્રાપ્તિ થતી નથી. પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તે વ્યાવહારિક કાર્યોમાં ભાન ભૂલાય નહી, આનંદ રહે અને મુંઝવણ ટળે. આત્મિકજ્ઞાન, આત્માના ગુણને સ્પર્શે છે અને વ્યાવહારિકજ્ઞાન, શરીરને સ્પર્શે છે.
૭૦. ઈચ્છાઓ સાધનને સાથે મનાવે છે, તેથી સત્ય સાધ્યથી વિમુખ બનાય છે; સત્ય સાધ્ય તે ઈરછાઓના ત્યાગમાં છે, ઈચ્છાઓ વડે સત્ય વસ્તુ-આત્મિકજ્ઞાન ઉત્પન્ન થતું નથી માટે દુન્યવી ઈચ્છાને ત્યાગ કરવા પ્રયાસ કરવાની જરૂર છે.
૭૧. છૂટા પડેલા મોતીઓને ગુણેના-સૂત્રથી પરેવવામાં આવે તે માળા બને છે, અને કંઠમાં પહેરી શકાય છે; છૂટી પડેલી ઇ-વળીઓ વિગેરે પદાર્થોને એકઠાં કરીને જેમ કારીગરો મહેલ બનાવે છે, તે પ્રમાણે સમ્યજ્ઞાનીઓ માનસિક પ્રવૃત્તિઓને તેમજ કાયિક-વાચિક પ્રવૃત્તિઓને આત્માના ગુણેમાં એકત્ર કરીને મોક્ષ મહેલને તૈયાર કરી અનંતકાલ પર્યત આનંદમાં રહે છે. કોઈ પ્રકારની આધિ-વ્યાધિ-ઉપાધિ
For Private And Personal Use Only