Book Title: Anandsagarsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 3
________________ શ્રમણભગવંતે-૨ ૧૪૭ અવિરત અને અવિરામ કાર્યરત રહેતાં પૂજ્યશ્રી સં. ૨૦૦૬માં સુરતમાં રિથરતી હતી ત્યારે સ્વાથ્ય કથળ્યું. વૈશાખ વદ પાંચમની બપેરે પૂજ્યશ્રી અર્ધપદ્માસને નવકારમંત્ર ગણતા હતા, શિષ્ય “અરિહંતે શરણે પવનજામિ” સંભળાવતા હતા, અને ચતુવિધ સંઘ નમસ્કાર મહામંત્ર સંભળાવતા હતા, ત્યારે ધ્યાનસ્થ પદ્માસન અવસ્થાએ જીવનદીપ બુઝાયે. ૧૦૦થી અધિક સાધુઓ અને ૩૦૦ થી અધિક સાધ્વીજીઓનો વિશાળ પરિવાર ધરાવતા દિવંગત આચાર્ય ભગવંતને તેમના પટ્ટધર શ્રી મણિયસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીની નિશ્રામાં ચતુર્વિધ સંઘે દેવવંદન કર્યું. પૂ. ગુરુભગવંતના અગ્નિસંસ્કાર સ્થળે રમણીય ગુરુમંદિરની રચના કરવામાં આવી. સં. ૨૦૦૭ના મહા સુદ ૩ને દિવસે ગુરુમૂર્તિની સ્થાપના કરવામાં આવી. આગામિક તથા સાહિત્યક્ષેત્રે યોગદાન: ૧.૮ લાખ લેકપ્રમાણ ૧૦૦ ગ્રંથનું સંપાદન. ૨. રા લાખ શ્લેકપ્રમાણ ગ્રંથનું વાચનાદાન. ૩. ૭૦ હજાર કલેકપ્રમાણ આગમિક ગ્રંથનું સર્જન. ૪. ૭૦ હજાર લોકપ્રમાણે અનેક વિષયના ગ્રંથનું મૌલિક સર્જન, પ. ૧પ હજાર કલેકપ્રમાણ સંસ્કૃત પ્રસ્તાવના ૮૦ ગ્રંથો પર. ૬. ૪૦ હજાર ફુલસ્કેપ કાગળ પ્રમાણે ગુજરાતી ભાષામાં આગમિક આદિ ગ્રંથોના પદાર્થોનું વર્ણન. ૭. આગમ તથા પ્રકરણગ્રંથનું સંગેમરમર, પાષાણ તથા તામ્રપત્રમાં કંડારાવી દીર્ધાયુષ્યપ્રદાન, ૮. ભિન્ન ભિન્ન સ્થાનમાં સાત વખત આગમવાચના ( દરેક વાચના લાગટ છ માસ સુધી.) અનન્ય શાસન પ્રભાવના યથાનામગુણ પૂજ્યશ્રી આગમના મહાન ઉદ્ધારક બન્યા, તે જ તેઓશ્રીના જીવનની મહાન સિદ્ધિ છે. બાલ્યકાળથી તત્વજ્ઞાનમાં રસ હોતે જ, સંયમજીવન સ્વીકારીને શાના અભ્યાસ પ્રત્યે ઓર લગની લાગી. હંમેશાં પ૦૦ લેકેનું વાચન કરવાનું વ્રત એ જ સ્વાધ્યાયપ્રીતિનાં દર્શન કરાવે છે. તેઓશ્રીએ જોયું કે તીર્થંકર પરમાત્માની અવિદ્યમાનતામાં આત્માને તારનારાં બે જ તો છે : એક, જિનબિંબ-મંદિરે થયાં છે અને થતાં રહેશે. બીજુ, જિનાગમ-શ્રુતજ્ઞાન–જેનું સાચું શુદ્ધ સ્વરૂપ યાવચ્ચે દિવાકરી ટકી રહે તેમ કરવું જોઈએ. પૂજ્ય દેવધિંગણી ક્ષમાશ્રમણ ભગવંતે ત્યારે જે જે કંડસ્થ હતું તે તે સમસ્ત સાધુવર્ગને એકત્રિત કરીને લિપિબદ્ધ કર્યું હતું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યો સોનાચાંદીના અક્ષરે અંકિત કરાવ્યું હતું. મહામંત્રી વસ્તુપાલ તેજપાલે અનેક ભવ્ય ગ્રંથભંડાર કરાવ્યા હતા. કેટલાક દ્વેષી રાજવીઓ દ્વારા કે વિધમીઓના હુમલામાં કેટલાક ગ્રંથભંડાર છિન્નભિન્ન કે ના થયા હતા અને કેટલીક વાચનાઓ શુદ્ધ રહી ન હતી. આ બધું અતંત્ર જોઈ ને પૂજ્યશ્રીની નિદ્રા ઊડી ગઈ હતી. હળપળે પિતે એક જ ચિંતામાં નિમગ્ન રહેતા હતા. એવામાં પંન્યાસપદ ગ્રહણ કર્યા પછી, સુરતમાં સ્થિત હતા ત્યારે, તેઓશ્રીની મનોકામના સાકાર થવાનો પ્રસંગ ઊભે થે. તે જમાનામાં, આજથી લગભગ ૮૦ વર્ષ પૂવે, પૂજ્યશ્રીની અમૃતવાણીના પ્રભાવે એક જ ઝવેરી કુટુંબ એક લાખનું દાન જાહેર કર્યું. એ શ્રત પ્રેમી દાનવીર ગુલાબચંદભાઈ ઝવેરીની ભાવનાને આવકારી, તેમના વડીલનું નામ જોડી, વિ. સં. ૧૯૬૪માં “દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફડ”ની સ્થાપના કરવામાં આવી. અને તે સાથે વિવિધ ગ્રંથનું પ્રકાશન આરંભાયું. પડતર કિંમત કરતાં અડધી કિંમતે પુસ્તક આપવાને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5