Book Title: Anadhikar Cheshta
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 7
________________ અધિકાર ચેષ્ઠા શક્તિ ધરાવનારા લેખકા કેવી રીતે ભિન્ન ભિન્ન આલેખન કરતા. આપણે ઉપર જોયુ તેમ, એક સસામાન્ય કથાસાહિત્યના પ્રભવસ્થાનમાંથી ઉદ્ભવેલી સંપ્રદાય–ભેદની છાયાવાળી કથાત્રિવેણી ભારતીય વાડ્મયના પટ પર તેા વહે જ છે, પણ એના પ્રચારની બાબતમાં ધ્યાન આપવા લાયક મહત્ત્વના ભેદ છે. ખૌદ્ધ ભિક્ષુકાને ન નડતુતિબંધન કે ન નડતા વિહારને સખત પ્રતિબંધ. તેથી તે ભારતની ભૂમિ એળગી તે સમયમાં જાણીતી ઍવી સમગ્ર દુનિયાના ખૂણેખૂણે પહેાંચવા મથ્યા. સાથે પોતાનુ અણુમાલું કથાસાહિત્ય પણ લેતા ગયા. અને પરિણામે બૌદ્ધ કથાસાહિત્ય, ખાસ કરીને જાતકસાહિત્ય, અનેક ભાષાઓમાં અનુવાદિત થયું અને ભારત બહારની જનતાનુ ધ્યાન તેણે મુદ્દભૂમિ પ્રત્યે આકળ્યુ. વૈદિક અને પૌરાણિક કથાસાહિત્યને એવી તક મળવા સામે મુશ્કેલી હતી. વ્યાસા ને પૌરાણિકા વાર્ તે વાટુ કાંઈ ઓછા નહિ, પ્રચાર-ઉત્સાહ પણ જેવા તેવા નહિ, પણ તેમને નડતુ. મુખ્યપણે જાતિનું ચેકાળધન. તેથી બૌદ્ધ કથાસાહિત્ય જેટલું પૌરાણિક કથાસાહિત્ય તે કાળમાં ભારત બહાર પ્રચાર ન પામ્યું એ ખરું; પણ ભારતમાં તે એ દરેક રીતે ફૂલ્યું-ફાલ્યું અને ધરે ધરે આવકાર પામ્યું. એક તે બ્રાહ્મણવ જ વિશાળ, ખીજું તે વ્રુદ્ધિપ્રધાન અને માત્ર બુદ્દિવી, ત્રીજું એ લાક અને શાસ્ત્રમાં ગુરુસ્થાને, એટલે પૌરાણિક કથાઓએ જનતામાં એવા સંસ્કાર સીંચ્યા કે જે વૈદિક કે પૌરાણિક પરંપરાના અનુયાયી ન ઢાય તેના કાન ઉપર પણ પૌરાણિક કથાઓના પડધા પડતા જ રહ્યા છે. જૈન કથા--સાહિત્યના પ્રશ્ન સાવ નિરાળા છે. જોકે જૈન ભિક્ષુકાને યથેચ્છ વિહારમાં જાતિ ધનનું ડામણુ નડે તેમ ન હતું, પણ તેમને જીવનચર્માંના ઉગ્ર નિયમે મુક્ત વિહારમાં આડે આવતા. તેથી ભારત બહાર જૈન કથા-સાહિત્યના પ્રચારને સંભવ જ લગભગ ન હતા. અલબત્ત, ભારતમાં એ પ્રચાર માટે પૂર્ણ અવકાશ હતા, છતાં એમ સિદ્ધ ન થવાનાં અનેક કારણે પૈકી મુખ્ય કારણુ જન ભિક્ષુકાની પેાતાની ધર્માંસ્થાન પૂરતી મર્યાદા એ જ હતું. જે ના પોતાના ધર્મસ્થાનમાં જતા-આવતા રહે અને કથા શ્રવણ કરે તે તે આછેવત્તે અંશે જૈન કથાથી પરિચિત રહેતા, પણ જે એ રીતે ટેવાયેલા ન હેાય તેવા જૈના પણ જૈન કથા વિશે ભાગ્યે જ જાણતા. તેથી જૈન કથાઓ જેટલા પ્રમાણમાં ગ્રંથોમાં આલેખાયેલી છે તે સંગૃહીત છે તેટલા પ્રમાણમાં તેનું પ્રચારક્ષેત્ર વધ્યું નથી, એ નક્કર હકીકત છે.: જે વસ્તુ સાર્વજનિક ક્ષેત્રમાં પ્રચારમાં આવે છે તેમાં હમેશાં લોકરુચિ પ્રમાણે અનેક આકર્ષક સુધારા– વધારા પણ થતા રહે છે. જેના પ્રચાર નહિ અથવા એછે તેમાં કાઈ સારું Jain Education International For Private & Personal Use Only i r www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19