Book Title: Amaro Pravas
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૨૩૮ ] દન અને ચિંતન છતાં અંબાજીના ધામમાં આવેલ વિચાર લખી દેવામાં કશું જ નુકસાન જોતા નથી. તેથી એ પશુ લખી દઉં, કે તીર્થ' એ તરણને ઉપાય છે. પારલૌકિક કલ્યાણ શું અને કયારે થશે તે અજ્ઞાત છે, થવાનુ જ હશે તે ભાવના પ્રમાણે થશે જ, પણ તેનાથી અહિક કલ્યાણ જેટલું વધારે અને જેટલું સહર સાધી શકાય તેટલી જ સાચી તોતા. તીર્થા એ માત્ર અમુક -સમુદાયની શ્રદ્દાનું મૂર્ત-રૂપ છે. અન્યત્ર કંજુસાઈ કરનાર પણ શ્રદ્દાળુ તીમાં કાંઈ જ ફાળા આપે જ છે. તીર્થનું મહત્ત્વ શ્રદ્ધાળુઓની ભક્તિ અને દાનńત્તને આભારી છે. શ્રદ્ધાળુ ખર્ચ કરે છે તે કાંઈક બદલાની આશાથી, નહિ કે માત્ર નિષ્કામ બુદ્ધિથી. તીર્થસ્થાન એટલે શ્રદ્દાની મૂર્તિમંત કામધેનુ તે દર ક્ષણે અને દર પળે આપેાઆપ અનેક રીતે દુઝા જ કરે છે. તેને બુદ્ધિપૂર્વક સાર્વજનિક કલ્યાણ અર્થે ઉપયોગ કરવામાં આવે તા શ્રદ્ધા સાથે વિવેકને સમન્વય થવાથી તીર્થં એ માત્ર નામનાં જ તીર્થં ન રહેતાં ખરાં તરણેાપાય બને. તે દ્વારા શારીરિક, માનસિક અને નૈતિક આરેાગ્ય ઘણું પાષી શકાય. તીર્થસ્થાને બહુધા સુંદર આત્માવાળાં સ્થાનમાં આવેલાં હોવાથી ત્યાંની આબેહવા પ્રભાણે આરેાગ્યભવના ઊભાં કરી શકાય અને અનેક બીમારીના આશીર્વાદ મેળવી શકાય. વ્યવસ્થિત શિક્ષણ સંસ્થાઓ, તીર્થની જ આવકમાંથી ચલાવી તે દ્વારા અજ્ઞાનના રોગ ફેડી શકાય. ઉચ્ચ નૈતિક જીવનવાળા સેવા અને શિક્ષકાને સંગ્રહ કરી તે વાતાવરણદ્વારા નૈતિક વન વિકસાવી શકાય. આ રીતે તીર્થં-થાનને આધુનિક જરૂરિયાતવાળી સંસ્કૃતિગંગાનું ઉદ્ગમસ્થાન બનાવી શકાય, આ માટે જોઈતાં સઘળાં નાણાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધાની દિશા બદલીને મેળવી શકાય. એ કામ માત્ર કશુ નથી, પણ તેમાં મુશ્કેલીએ અપાર છે. આજ સુધી માત્ર તીર્થો ઉપર નભતે અમુક વર્ગ અને તે ઉપર તાગડધિન્ના કરનાર રાજ્ય સુદ્ધાં પ્રકાપ વહેારવા પડે, પણ અંગત સ્વાર્થ ખાતર જ્યાં પ્રકાપ વહારવાને ન હોય અને કેવળ સામાને મુશ્કેલીમાં મૂકવાને ઉદ્દેશ ન હોય તેવાં સાનિક કાર્ય કરવામાં ગમે તેની અને ગમે તેટલી ખન્ગીની પરવા રાખ્યા સિવાય જ કામ કરવું એમાં ધર્મષ્ટિ અને તીર્થ સેવા આવી જાય છે. એને પરિણામે એક નાનકડા વની પાપવિતા અને આલસ્ય વૃત્તિ દૂર થવા સાથે પ્રજાનું વાસ્તવિક હિત સધાતાં એ નાનકડાવર્ગનું પણ હિત સધાઈ જાય છે. અંબાજી જેવાં તીર્થસ્થાનમાં શારીરિક અને માસિક જ નહિ, પણ ઔદ્યોગિક શિક્ષણ અમુક અંશે આપવાના સફળ પ્રયોગો કરી શકાય તેમ છે અને બરબાદ જતી ખનીજ અને જંગલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12