Book Title: Alochana
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 39
________________ ૭૪ બૃહદ્ આલોચના खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सब्ब भूएसु, वेरं मझं न केणई ।। અર્થ :- હું સર્વ જીવોને અંતરથી ખમાવું છું. તમે સર્વ જીવો પણ મને ક્ષમા આપજો. મારો ‘સવ મુpg' એટલે સર્વ પ્રાણીઓ સાથે ‘મિત્તી’ એટલે મૈત્રીભાવ છે, ‘ા' એટલે કોઈની સાથે પણ “E” એટલે મને વેર ન’ વેરભાવ નથી. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું છયે કાયના જીવોના વૈર બદલાથી નિવૃત્તિ પામીશ. સર્વ ચોરાશી લાખ જીવયોનિને અભયદાન દઈશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. ભાવાર્થ:- તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાય તેમજ ત્રસકાય જીવોના વૈર બદલાથી નિવૃત્તિ પામીશ અર્થાત્ તે જીવોની સાથે મોહનીય કર્મના કારણે તેમને હણી હું વેર બાંધુ છું. અને તેના બદલામાં અશાતાવેદનીય કર્મ ઉપાર્જન કરું છું; તે સર્વથી છુટકારો પામીશ. તેમજ ચોરાશી લાખ જીવયોનિમાં ઉત્પન્ન થતાં જીવોને અભયદાન દઈશ અર્થાત્ તેમને કદી હણીશ નહીં; તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. ચોરાશી લાખ જીવયોનિ નીચે પ્રમાણે છે : જીવયોનિ એટલે જીવોને ઉત્પન્ન થવાના સ્થાનક તે ચોરાશી લાખ છે. સર્વ જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનો તો અસંખ્ય હોય છે. પરંતુ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને આકૃતિથી જેટલા ઉત્પત્તિ સ્થાનો સરખાં હોય, તેટલાનું એક સ્થાનક ગણાય છે.” શ્રી પંચપ્રતિક્રમણ સૂત્રો એવા ચોરાશી લાખ જીવયોનિના સ્થાનક છે. તે જીવયોનિમાં સ્થાનકોની ગણતરી નીચે પ્રમાણે શાસ્ત્રોમાં કહી છે : તે ૭ લાખ પૃથ્વીકાય, ૭ લાખ અપકાય એટલે જળકાયના ઉત્પત્તિ સ્થાનકો, ૭ લાખ વાયુકાય, ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય એટલે જેના એક શરીરમાં એક જીવ હોય છે. દાખલા તરીકે ફળ, છાલ, થડ, પાંદડા, બીજ વગેરે. ૧૪ લાખ સાઘારણ વનસ્પતિકાય એટલે જેના એક શરીરમાં બૃહદ્ આલોચના અનંત જીવો હોય છે. દાખલા તરીકે બટાકા, કાંદા, મૂળા, ગાજર, લીલુ આદુ, લીલી હળદર, અંકુરા, કૂંપણો, સેવાળ, પાલકની ભાજી, કૂણા ફળ, થોર, ગુગળ, ગળો વગેરે જેને ભાંગવાથી સરખા બે ભાગ થતા હોય, તાંતણ વગરનું હોય અને કાપવા છતાં ફરી જે ઊગી શકે તેને સાઘારણ વનસ્પતિકાય કહેવાય છે, અથવા અનંતકાય પણ કહેવાય છે. તત્વજ્ઞાન પ્રવેશિકા તથા ૨ લાખ બે ઇન્દ્રિયના યોનિ સ્થાનકો, ૨ લાખ તેઇન્દ્રિય, ૨ લાખ ચઉરિંદ્રિય, ૪ લાખ દેવતા, ૪ લાખ નારકી, ૪ લાખ તિર્યંચ પંચેન્દ્રિય એટલે પંચેન્દ્રિય સહિત તિર્યંચોના ઉત્પત્તિ સ્થાનકો તથા ૧૪ લાખ મનુષ્યના ઉત્પત્તિ સ્થાનકો એમ બધા મળીને ૮૪ લાખ જીવયોનિના ઉત્પત્તિ સ્થાનકો છે. એક યોનિમાં અનેક કુળ હોય છે. જેમ છાણરૂપ યોનિમાં કૃમિકુળ, કીટ (કીડા) કુળ, વૃશ્ચિક કુળ વગેરે હોય છે. તે સર્વ જીવોને હું સુખનું કારણ ક્યારે થઈશ કે જ્યારે હું સર્વથા કર્મોથી મુકાઈને મુક્તિપુરીએ જઈશ ત્યારે. માટે વપર સુખના હેતુભૂત એવી મુક્તિને જ હું ઇચ્છું છું. તે હે પ્રભુ! આપની અનંતકૃપાએ મને પ્રાપ્ત થાઓ. પ્રાપ્ત થાઓ. બીજું પાપ મૃષાવાદ - ક્રોઘવશે, માનવશે, માયાવશે, લોભવશે, હાયે કરી, ભયવશે ઇત્યાદિક કરી મૃષા વચન બોલ્યો, નિંદાવિકથા કરી, કર્કશ, કઠોર, માર્મિક ભાષા બોલી ઇત્યાદિક અનેક પ્રકારે મૃષા જૂઠું બોલ્યો, બોલાવ્યું, બોલતાં પ્રત્યે અનુમોધું તે સર્વે મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે મૃષાવાદનો ત્યાગ કરીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. ભાવાર્થ :- મૃષાવાદ એટલે જૂઠું બોલવું, અસત્ય બોલવું તે. હું ક્રિોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય ઇત્યાદિકના કારણે જૂઠું બોલ્યો, કોઈની નિંદા કરતા જૂઠું બોલ્યો, વિકથા એટલે દેશકથા, રાજકથા,

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42