________________ 79 બૃહદ્ આલોચના અને બીજી લોકોત્તર માયા. તેમાં ઘર્મમાં શ્રદ્ધા ન હોય તો પણ માયાથી શ્રદ્ધા છે એમ બતાવવું, કપટથી વંદન આદિ કરી બતાવવું. શાસ્ત્રજ્ઞાન કે બીજા વિષયોનું જ્ઞાન ન હોવા છતાં હું બધું જાણું છું એવો દેખાવ કરવો. ઉપરથી કપટવડે ક્રિયા કરી બતાવવી તથા બીજા ઘર્મકાર્યોમાં કપટ કરવું તે બધુ માયા પાપસ્થાનક છે. એવા સંસાર સંબંધી કે ઘર્મ સંબંધી અનેક કર્તવ્યોમાં મેં કપટ કર્યું, તે મને ધિક્કાર, ધિક્કાર. તે બધા મારા દુષ્કૃત્ય મિથ્યા થાઓ એમ વારંવાર હે પ્રભુ! હું આપને જણાવું છું. નવમું લોભ પાપસ્થાનક : મૂછભાવ કર્યો, આશા તૃષ્ણા વાંચ્છાદિક કર્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. | ભાવાર્થ :- લોભ એટલે તૃષ્ણા. પાંચ ઇન્દ્રિયોના વિષયો માટે પૌલિક પદાર્થમાં મૂર્વાભાવ કર્યો. મૂછ એટલે મોહાસક્તિથી તેમાં તલ્લીન થઈ ગયો. તે મેળવવા આશા રાખી, તેની તૃષણા કરી. તે મેળવવાની વાંચ્છા એટલે કામના રાખી તેના માટે હમેશાં પ્રયત્નશીલ રહી આર્તધ્યાન, રૌદ્રધ્યાન ધ્યાયા. તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર તે સંબંધી મારા દુષ્કૃત્યો નાશ પામો એવી મારી અંતરની ભાવના છે. દશમું રાગ પાપસ્થાનક - મનગમતી વસ્તુઓમાં સ્નેહ કીઘો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. ભાવાર્થ :- રાગ એટલે સ્નેહ. રાગ એ આગ જેવો છે. રાગભાવ સંસારને વધારનાર છે. માયા અને લોભ એ રાગના પર્યાય છે. મનને જે ગમે એ વસ્તુઓમાં મેં રાગ કર્યો. તેથી મને ધિક્કાર હો, ધિક્કાર હો. તે સંબંધી કરેલા મારા પાપો સર્વ મિથ્યા થાઓ એમ વારંવાર હે પ્રભુ! આપને જણાવું છું. અગિગારમું તેષ પાપસ્થાનક - અણગમતી વસ્તુ જોઈ દ્વેષ કર્યો તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. 80 બૃહદ્ આલોચના ભાવાર્થ - દ્વેષ એટલે અણગમો, અરુચિ, ક્રોઘ અને માન એ વેષના પર્યાય છે. કોઈ ઉપર દ્વેષ થવાથી તે દેખતા કે તેની સ્મૃતિ થતાં મનમાં બળતરા થાય છે. એમ અણગમતી વસ્તુ જોઈ કે જાણી તે ઉપર મેં વેષ કર્યો, તે મને ધિક્કાર હો, ધિક્કાર હો. મારું આવું દુષ્કૃત્ય સર્વથા નષ્ટ થાઓ એવી આપ પ્રભુ પ્રત્યે વારંવાર પ્રાર્થના છે. બારમું કલહ પાપસ્થાનક : અપ્રશસ્ત વચન બોલી ફ્લેશ ઉપજાવ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર વારંવાર મિચ્છા મિ દુક્કડં. ભાવાર્થ - કલહ એટલે કજિયા કંકાસ. અપ્રશસ્ત એટલે અશુભ પાપયુક્ત વચન બોલવા, જેવા કે ગાળ આપવી કે કઠોર વચન બોલવું. એવા મોટેથી અસભ્ય વચનો બોલી ફ્લેશ ઉપજાવ્યા તેથી હું આપની સમક્ષ મને વારંવાર ધિક્કાર આપું છું. તે મારા સર્વ કૃત્યો નિષ્ફળતાને પામો. એવી અભિલાષા ઘરાવું છું. તેરમું અભ્યાખ્યાન પાપસ્થાનક : અછતાં આલ દીઘાં, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ ભાવાર્થ - અભ્યાખાન એટલે મિથ્યા દોષારોપણ. અછતાં એટલે જેણે કંઈ કર્યું નથી તેના ઉપર આવ એટલે કલંક ચઢાવ્યું તે મને વારંવાર ધિક્કાર હો ધિક્કાર હો. એવા મારા દુષ્ટ પાપકાર્યો સર્વથા મિથ્યા થાઓ એવી આપ પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. ચૌદમું પશુન્ય પાપસ્થાનક : પરની ચુગલી ચાડી કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. ભાવાર્થ - પૈશુન્ય એટલે ચાડી ચુગલી કરવી છે. કોઈને હલકો દેખાડવા અથવા શિક્ષા અપાવવા માટે તેના દોષોની બીજા પાસે ચાડી ચુગલી કરી તે મને ધિક્કાર, ધિક્કાર. વારંવાર તે પાપોની ક્ષમા ચાહું છું.