Book Title: Agam Deep 35 Bruhat Kappo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ 155 ઉસો-૩, સૂત્ર–૧૦૫ ગ્રહણ કરી શકે છે. કેમકે અવગ્રહ ભીના હાથની રેખા સુકાય ત્યાં સુધીનો હોય છે. [૧૦પજો તે ઉપાશ્રયમાં સાધુ-સાધ્વી ઉપયોગી અચિત્ત પદાર્થ ભૂલી ગયા કે છોડી ગયા હોય તો (નવા આવનાર સાધુ-સાધ્વી) પૂર્વગૃહીત આજ્ઞાથી ગ્રહણ કરી શકે છે કેમકે અવગ્રહ ભીના હાથની રેખા સુકાય ત્યાં સુધીનો હોય છે. |10-107] જે ઘર કામમાં ન આવતું હોય. અનેક સ્વામીમાંથી કોઈ એક સ્વામીએ પોતાને આધિન ન કર્યું હોય, કોઈ વ્યક્તિ દ્વારા પરિહિત ન હોય અથવા કોઈ યક્ષ-દેવ આદિએ ત્યાં વાસ કર્યો હોય તો તે ઘરનો પહેલાં જે માલિક હોય તેની આજ્ઞા લઈ ત્યાં (સાધુ-સાધ્વી) રહી શકે છે, .. (તેનાથી વિપરીત, જો તે ઘર કામમાં ન આવતું હોય, એક સ્વામી હોય. અન્ય દ્વારા પરિગ્રહિત હોય તો ભિક્ષુ ભાવથી આવેલા બીજા સાધુએ બીજી વખત આજ્ઞા લેવી જોઈએ. કેમકે અવગ્રહ ભીના હાથની રેખા સુકાય તેટલા કાળમો હોય છે. [૧૦૮]ઘર-ભીંત-કિલ્લા અને નગર મધ્યેનો માર્ગ, ખાઈ, રસ્તા કે વાડની નજીક સ્થાન ગ્રહણ કરવું હોય તો તેના સ્વામી અને રાજાની પૂર્વ અનુજ્ઞા છે. અર્થાત્ સાધુ-સાધ્વી કોઈની આજ્ઞા લીધા વિના ત્યાં રહી શકે છે. [19] ગામ યાવતું રાજધાનીની બહાર શત્રુસેના દળ જોઈને સાધુસાધ્વીઓને તે જ દિવસે પાછા આવવું કહ્યું પણ બહાર રહેવું ન કલ્પે જે સાધુસાધ્વી બહાર રાત્રિ રહે, રહેવા કહે, રહેનારનું અનુમોદન કરે તે જિનાજ્ઞા અને રાજાજ્ઞા નું ઉલ્લંઘન કરતો અનુદ્દઘાતિક ચાતુમસિક પરિહાર સ્થાન પ્રાયશ્ચિત્ ને પ્રાપ્ત કરે છે. [૧૧૭]ગામ યાવતુ સંનિવેશ માં પાંચ કોશ નો અવગ્રહ ગ્રહણ કરવા કહ્યું. ભિક્ષા આદિ માટે અઢીકોશ જવાના- અઢીકોશ આવવાનું કહ્યું, ત્રીજા ઉદેશ-ની મતિ દીપ રત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ. (ઉદ્દેશો-૪) [૧૧૧]અનુઘાતિક પ્રાયશ્ચિત પાત્ર આ ત્રણ કહયા છે- હસ્તકર્મ કરનાર, મૈથુન સેવનાર, રાત્રિભોજન કરનાર. (અનુદ્યાતિક- જે દોષનું ગુરુપ્રાયશ્ચિત્ થી કઠિનતા એ શુદ્ધિ થઈ શકે છે તે) [112] પારાચિક પ્રાશ્ચિત પાત્ર ત્રણ કહયા છે- દુષ્ટ, પ્રમત્ત, પરસ્પર મૈથુન સેવી. (પારાંચિક-પ્રાયશ્ચિતના દશ ભેદો માં સૌથી વધુ આકરું પ્રાયશ્ચિતુ, દુષ્ટ-કષાયથી અને વિષયથી અધમ બનેલ પ્રમત્ત, મદ્યવિષય-કષાયવિકથા- નિદ્રાથી પ્રમાદાધીન થયેલા) [૧૧૩અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતું પાત્ર આ ત્રણ કહ્યા છે. સાધમિકોની વસ્તુની ચોરી કરનાર, અન્યધર્મની વસ્તુની ચોરી કરનાર, હાથ વડે તાડન કરનાર. f૧૧૪-૧૧૫જાત નપુસંક, કામવાસના દમન માં અસમર્થ, પુરુષત્વહીન કાયર પુરુષ આ ત્રણ પ્રકારના મનુષ્યો (દીક્ષા) પ્રવજ્યા આપવા, - મુંડિત કરવા, શિક્ષા આપવા, ઉપસ્થાપના કરવા એક માંડલી માં આહાર કરવા કે હંમેશાં સાથે રાખવા માટે અયોગ્ય છે. અર્થાત્ આ ત્રણમાંથી કોઈને પ્રવજિત કરવા આદિ કાર્યો કરવા ન કલ્પે. ૧૧૬]અવિનીત, ઘી વગેરે વિગઈમાં આસકત, અનુપરાંત ક્રોધી આ ત્રણને વાચના દેવી ને કહ્યું .. વિનિત, વિગઈમાં અનાસકત, ઉપશાંત ક્રોધવાળા ને કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24