Book Title: Agam 22 Upang 11 Pushpachulika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
કે પહેલાં ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. જ્ઞાતાધર્મકથામાં મેઘકુમારની માતા શ્રેણિકની (૨૪મી) રાણી ધારિણી હતી તેવો ઉલ્લેખ છે. દશાશ્રુતસ્કન્ધમાં (૨પમી) મહારાણી ચેલણાનું વર્ણન છે. તે અત્યંત રૂપવાન હતી. તેના દિવ્ય રૂપને જોઈને ભગવાન મહાવીર સ્વામીના સાધ્વીજીઓ સ્તબ્ધ થઈ ગયા અને નિદાન કરવા માટે તત્પર થઈ ગયા. નિશીથચૂર્ણિમાં શ્રેણિકની એક રાણીનું નામ અફતગંધા પણ મળે છે પરંતુ આ નામ બહુપ્રસિદ્ધ નથી. બૌદ્ધ સાહિત્યમાં વિનયપિટક નામના ગ્રંથમાં રાજા શ્રેણિકની પાંચસો રાણીઓનો ઉલ્લેખ છે. શ્રેણિકના પુત્ર – આગમમાં શ્રેણિકરાજાના છત્રીસ પુત્રોનો ઉલ્લેખ મળે છે. તે છત્રીસ નામ આ પ્રમાણે છે– (૧) જાલી (ર) માલી (૩) ઉવયાલી (૪) પુરિષણ (૫) વારિસેણ (૬) દીહદંત (૭) લષ્ટદંત (૮) વેહલ્લ (૯) વેહાયસ (૧૦) અભયકુમાર (૧૧) દીઘુસેન (૧૨) મહાસેન (૧૩) લષ્ટદંત (૧૪) ગૂઢદંત (૧૫) શુદ્ધદંત (૧૬) હલ્લા (૧૭) દુમ (૧૮) દુમસેન (૧૯) મહાદુમસેન (૨૦) સીહ (૨૧) સિંહસેન (૨૨) મહાસિંહસેન (૨૩) પુણ્યસેન (૨૪) કાલકુમાર (૫) સુકાલકુમાર (૨૬) મહાકાલકુમાર (૨૭) કૃષ્ણકુમાર (૨૮) સુકૃષ્ણકુમાર (૨૯) મહાકૃષ્ણકુમાર (૩૦) વીરકૃષ્ણકુમાર (૩૧) રામકૃષ્ણકુમાર (૩૨) પિતૃસેનકૃષ્ણકુમાર (૩૩) મહાસેનકૃષ્ણકુમાર (૩૪) મેઘકુમાર (૩૫) નંદીસણ (૩૬) કોણિક.
તેમાંથી અનુત્તરોપપાતિક સૂત્રાનુસાર જાલી આદિ ૨૩ રાજકુમારો દીક્ષા લઈ સંયમધર્મની આરાધના કરી અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. જ્ઞાતાસૂત્ર અનુસાર મેઘકુમાર પણ શ્રમણધર્મ સ્વીકારી અંતે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. નંદીસૂત્રની ટીકા અનુસાર નંદીષેણ પણ સંયમી બની સાધનાના પંથે આગળ વધ્યા. આ પ્રમાણે ૨૫ રાજકુમારોએ દીક્ષા લીધી. શેષ અગિયાર(કોણિક અને કાલકુમાર આદિ ૧૦) રાજકુમારો સંયમ ગ્રહણ કર્યા વિના મૃત્યુ પામી નરકમાં ઉત્પન્ન થયા. દ્વિતીય વર્ગઃ કલ્પાવતસિકા :
કલ્પ શબ્દનો પ્રયોગ સૌધર્મથી અશ્રુત સુધીના બાર દેવલોક માટે પ્રયુક્ત થયો છે. દેવલોકમાં ઉત્પન્ન થનારા જીવોનું જેમાં વર્ણન છે તે વર્ગ કલ્પાવતંસિકા છે. દેવલોક તે પુણ્ય ભોગવવાનું સ્થાન છે.વ્રત-નિયમ ધારણ કરનાર, શુભ ભાવથી પુણ્યના કાર્ય કરનાર દેવગતિ પામે છે. આ વર્ગમાં વર્ણિત (૧) પદ્મ (૨) મહાપદ્મ (૩) ભદ્ર
38