Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ પ્રત્યક્ષ કે પરોક્ષમાં એવું જોવામાં આવે છે કે જે કોઈને અનુકૂળ કરે હોય તે તેને જે પ્રીતિકર હોય તે વસ્તુ જ તેને આપવામાં આવે છે,
જે ઘણું માન અને ભક્તિથી સાધુને માટે ન હોય તેવી મોતીની માળા કે મુકુટ (પાઘડી, ટેપી,) ઈત્યાદિ તેમના માથા પર મૂકી દેવામાં આવે તે શું તે બહુમાન ભક્તિથી તે સાધુ તેમના પર પ્રસન્ન થશે? નહીં જ ઉલટા તે વધારે અપ્રસન્નજ થાય છે, તે જ રીતે આ પ્રતિમાપૂજાના વિષયમાં સમજવું જોઈએ એથી
જ્યાં જ્યાં પ્રતિમાપૂજાદિ વિધાન છે, ત્યાં ત્યાં દરેક ઠેકાણે યક્ષાદિકનીજ પ્રતિમા અને તેમની જ પ્રતિમાનું પૂજન સવજવું નહીં કે તીર્થકરની એજ આને સારાંશ છે. અન્યથા તે એક જગ્યાએ તીર્થંકરની પ્રતિમા બનાવીને તેમની પૂજા કરવામાં આવે છે, અને બીજી તરફ તેમણે છોડેલી અને તેઓને અનભિમત (તેમણે ન સ્વીકારેલી) સચિત્ત વસ્તુઓના અને સોનાચાંદીના દાગીના આદિનું સમર્પણ કરવું એ તે આદર બુદ્ધિથી તેમને અનાદરજ થયો કહેવાય અર્થાત્ આશાતનાજ, થઈ એથી આ બધું જ મિથ્યાત્વના ઉદયને જ પ્રભાવ છે. અને ચતુર્ગતિક સંસારના પરિભ્રમણના મૂળકારણરૂપ છે, જેથી અતિ વિસ્તારની આવશ્યકતાની જરૂર નથી,
એથી અન્વય વ્યતિરેક મુજબ આ વાત સિદ્ધ થાય છે કે આ જિનપ્રતિમા શબ્દ તીર્થંકર પ્રતિમાને વાચક નથી પણ તે ગમે તે યક્ષ પ્રતિમાને જ વાચક છે કે પછી તેને કામદેવની પ્રતિમાનો પણ વાચક કહી શકાય. કેમકે જિન શબ્દથી કામદેવરૂપ અર્થનું પણ ગ્રહણ થયું છે. “હૈમી નામમાલા કેશમાં” अर्हन्नपि जिनश्चव, जिनःसामान्यकेवली, कन्दोऽपिजि नश्चैव, जिनो नारायणो हरिः જિન શબ્દના આટલા અર્થો સપષ્ટ કર્યા છે. એથી “જિન” પદથી તીર્થકર અર્થ ગ્રહણ કરે ગ્ય નથી. ૨૪ વળી, આ ચરાડર્ સૂત્રના છઠ્ઠા અધ્યનમાં કહ્યું છે કે “શાળા નામiધમૅ” રૂટ્યારિા કહેવામાં આવ્યું છે. આ મુજબ મનીષીજને ભગવાન તીર્થંકરની આજ્ઞાને ધર્મ માને છે. કોઈ પણ આગમમાં મૂર્તિપૂજાના વિષયમાં ભગવાનની આજ્ઞા મળતી નથી એટલે કે વિધિરૂપથી મૂર્તિપૂજાને ઉલ્લેખ કેઈ પણ સ્થાને મળતું નથી. સાધુ અને શ્રાવકોના નિયમોની બધી વિધિઓનું કથન મળે છે પણ મૂર્તિપૂજાની વિધિ માટે કંઈ પણ વિધાન મળતું નથી એથી જૈનધર્મમાં મૂર્તિપૂજાને ધર્મરૂપમાં માનવામાં આવી નથી. કેમકે આ મૂર્તિપૂજામાં અનેક આરંભ સમારંભે છે. જ્યાં પટકાય પૈકી કઈ પણ કાયને આરંભ થત હોય ત્યાં ધર્મ સ્વીકારવામાં આવ્યા નથી. ચારિત્રરૂપથી કરાયેલું વર્ણન અમારા માટે કોઈ પણ રીતે સ્વીકાર્યું નથી. કેમકે ચારિત્રરૂપથી વેશ્યા મદિર હિંસા
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૭૧