Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 705
________________ ८ પેાતાની જાતના ભાગ આપી સહાય કરવા તેઓ સદા તત્પર રહેતા હતા. જેમ વૃક્ષને ફળ આવતા વૃક્ષ વધુ નમ્ર બની ઝૂકી પડે છે, ખીજાને ફળ લેવા સુલભ બને છે, તેમ ચરિત્ર નાયક શ્રી રતિભાઈને પણ જેમ જેમ ઉચ્ચસ્થાન પ્રાપ્ત થતા ગયાં તેમ તેમ તેઓશ્રી વધુ મીરાદાત્ત, સેવાભાવી બની સમાજને ઉપયાગી કાર્યોંમાં પેાતાનાથી બનતુ કરવા હરહુ ંમેશા પ્રવૃત્તિશીલ રહેતા હતા. પાલણપુરના શ્રી ધર્મ શ્રદ્ધાવાન રત્નસમા શ્રી રતિભાઈનુ લગ્ન સંસ્કારી માતા પિતાના સુસ'સ્કાર પ્રાપ્ત કરેલ લીલાવતી બહેન સાથે થયા હતાં. લીલાવતી બહેન ખાલ્યકાળથી ધમ પરાયણ છે. તેઓ સામાયિક પ્રતિક્રમણ, પતિથિના પાષધ કરવા વિગેરે ધાર્મિક કાર્યોમાં સદા સાવધ રહેતાં. ઉપરાંત દીન, દુ:ખી ને શાતા ઉપજાવવામાં તથા સાધમિક પ્રેમ વિશેષ રીતે દીપી ઉઠે છે. આ રીતે તેમનામાં ઘણી ઉંચા પ્રકારની ધમ ભાવનાએ વાસ કરેલ છે. લીલાવતી બહેનમાં કૌટું બીક સ્નેહ પણ વિશેષ રીતે ખીલેલ છે. ધમ કાર્ય થી પેાતાનું જીવન સફળ કરી સુશ્રાવિકા બની રહેલ છે. વ્રત અને નિયમથી શ્રાવિકા પદનુ આરાધન કરાય છે. તે નિયમ પ્રમાણે તેઓ તેમાં સદા પ્રવૃત્તિશીલ રહ્યા છે. શ્રી રતિભાઇના વિચાર અને આર્થાને અનુકૂળ રહી, સુસંગત કાર્યમાંમાં લીલાખહેન સાથે આપતા. જૈન ધર્મના સિદ્ધાંતામાં શ્રી રતિભાઇને અવિચળ શ્રદ્ધા હતી. તેઓશ્રી ધર્મના અગ્રગણ્ય મુનિમહારાજો અને મહાસતિજીએના ચારિત્ર તથા જીવનમાંથી વારંવાર પ્રેરણા મેળવતા હતા. વિશાળ અને વ્યાપક જૈનધમ તેમના જીવન દીપ હતા. (દરીયાપૂરી સંપ્રદાય) પૂ. તારાબાઈ મહાસતિજી (તેમના સાંસારિક બહેન) તથા પૂ. શ્રી. વસુમતીમાઈ મહાસતિજી (તેમના સાંસારિક સાળી) વિગેરેનું જીવન હું મેશા તેમની નજર સમક્ષ રહેલું તેમના પવિત્ર જીવનમાંથી તેએ હંમેશાં અખૂટ ધર્મશ્રદ્ધા અને પ્રેરણા મેળવતા. અમદાવાદમાં આવ્યા બાદ જૈનધમ દિવાકર, શાસ્ત્રોદ્ધારક, પરમ પૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલ મ. સા. ના સમાગમમાં અવારનવાર આવતા અને કલાકો સુધી એસી ધમ બળ મેળવતા. તેમના ધર્મ પત્ની લીલાબહેન પણ વખતેવખત પૂજય મ. સા. ના અચૂક પ્રયત્ન કરી રહ્યા છે. ધામિક સ`સ્કારાની સુવાસ શ્રી રતિભાઈના સકુટુબીજનામાં આજે પણ મઘમઘી રહેલ છે. શ્રી રતિભાઈ વિદ્વાન હતાં છતાં તેમની વિદ્વત્તા ખીજાને આંજી નાખવા માટે ન હતી પરંતુ તે અન્યને સહાયભૂત થવા કંઈક જાણવા મેળવવા માટે હતી ગમે તેવા કૂટ પ્રશ્નને સાદી સમજદારીથી સમજાવવાની તેમની અંતર સૂજ હતી. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 703 704 705 706 707 708 709