Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી
સૌજન્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ રતિલાલભાઇ ભાયચંદભાઇ મહેતાનું
જીવન ઝરમર
ભારતમાં ગરવી ગુજરાતનું સ્થાન અતિહાસિક અને ધાર્મિ ક ક્ષેત્રે મહત્વપૂર્ણ છે, ગુજરાતમાં પણ ઉત્તરગુજરાતનુ સ્થાન ગૌરવશાળી રહ્યું છે. ઉત્તરગુજરાતના પાલનપુર નામના શહેરમાં સ્થાનકવાસી જૈન ધર્માંમાં અત્યંત શ્રદ્ધાવાન અને ધ પરાયણ એવા શ્રીમાન શ્રી ભાયચંદભાઈ ઝુમચંદભાઈ મહેતા નામના સગૃહસ્થ રહેતા હતા. તેમની ધર્મ પત્નીનું નામ મેનાબાઈ હતુ.
પિતાશ્રી ભાયચંદભાઇ પાતે વકીલાતના ધંધામાં અગ્રગણ્ય બાહેાશ વકીલ તરીકે ખ્યાતિ પામ્યા હતા, તેમજ પાલનપુરના જાહેર જીવનમાં પણ તેમનું સ્થાન વિશિષ્ઠ પ્રકારનું હતુ.
માતુશ્રી મેનાબાઈ ધમ પરાયણ, સેવાપરાયણ અને સંસ્કાર સોંપન્ન હતા. જેએ તેમના સમાગમમાં આવ્યા હતા. તેઓ આજે પણ તેમના સંસ્કારનુ સ્મરણ કરી રહ્યા છે. આવા સસ્કારી, સેવાભાવી ધાર્મિક માતા પિતાને સંતાનમાં પાંચ સુપુત્રો અને એ સુપુત્રીએ એમ સાત સંતાનેા પ્રાપ્ત થયાં હતાં. તેમાં નામાંક્તિ એવા મેટા સુપુત્ર શ્રી મણીલાલભાઇ, ખીજા સુપુત્ર શ્રી કાળીદાસભાઇ, ત્રીજા સુપુત્ર શ્રી બાપાલાલભાઇ, ચેાથા સુપુત્ર શ્રી સૂરજમલભાઈ તથા પાંચમાં સુપુત્ર સૌથી નાના એવા શ્રી રતિલાલભાઇ અને પહેલાં સુપુત્રી તારાબાઈ (પૂ. તારાબાઇ મહાસતીજી)અને ખીજા સુપુત્રી અ.સૌ. મેાતીબહેન હતા.
આવા સુસંસ્કાર સંપન્ન માતા પિતાને ત્યાં શ્રી રતિભાઈના જન્મ સને ૧૯૦૨માં પદરમી ઓગષ્ટે થયેા હતેા.
બાલ્યાવસ્થાથી જ સ્થાનકવાસી જૈન ધર્મના વારસા માતપિતા તરફથી શ્રી રતિભાઇને પ્રાપ્ત થયા હતા, જે ધાર્મિક સંસ્કારના સિંચનથી સેવાભાવના અને ધર્મભાવના પૂર મહારમાં તેઓશ્રીમાં ખીલો હતી.
બાલ્યકાળમાં પ્રાથમિક અધ્યયન પૂરું કરીને મુંબઈમાં ભરડા અને એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું. સને ૧૯૧૮માં તેઓએ શાળાંત પરીક્ષા પસાર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧