________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૫] તેરીનાં નવધા,-ન્નિસં! मोहादिसंगतः संगी, बाह्यत्यागी वनस्थितः ॥५०८॥
દેહ-ઈન્દ્રિય-મનના મોહને ત્યાગ કરનારે, મોહથી રહિત નિઃસંગી સમજ, મેહને સંગ એટલે શરીર-ઈન્દ્રિય-મન વિષયમાં ઘુમતું હેવાથી, બહારથી સર્વ લોકસંગતિને ત્યાગી વનવાસી હોય તે પણ સંગી જ છે, એમ સમજવું. ૫૦૮.
अहं वं ममता ग्रन्थि,-यस्य नष्टो विवेकतः। बाघलक्ष्म्या च किं तस्य, अन्तराऽऽत्मविदेहिनः ॥५०९॥
હું-તું એવી મેહમયી ગ્રંથી–ગાંઠ જે યોગીને હૃદયમાંથી નષ્ટ થઈ હોય અને વિવેકથી આતમ-સ્વરૂપને પારમાર્થિક બેધ પ્રગટ થયો હોય તેવા સમ્યજ્ઞાની યોગીઓને બાહ્ય લક્ષમી કાંઈ પણ સંસારભ્રમણના કારણરૂપ નથી થતી, તેવા યેગીએ આત્મવિદેહી-દેહથી ન્યારા ગણાય છે. ૫૦૯૮
समत्वं यस्य संजातं, तस्य किं त्यागतः खलु । समाऽऽत्मनस्तपस्त्याग,-क्रियादेन प्रयोजनम् ॥५१०॥
જે ભવ્યાત્માના હૃદય પ્રદેશમાં પ્રત્યેક વસ્તુ ઉપર રાગદ્વેષ નષ્ટ થવાથી સમાન ભાવના પ્રગટ થઈ હોય તેને શરીર કપડાં ઘર વસ્તુ ત્યાગ કરવાને કઈ પ્રયોજન નથી જ રહેતું, હોય તો બંધન નથી, ન હોય તે કઈ આર્તધ્યાનને પ્રસંગ પણ નથી. દેહની મમતા ન હોવાથી આત્મસ્વરૂપમાં જ વિચારે છે. તેમજ તેવા ત્યાગીને ક્રિયાનુકાનનું પણ પ્રયોજન નથી રહેતું. આ વાત નિશ્ચયનયથી સમજવી. પૂર્ણ યોગીઓને માટે
For Private And Personal Use Only