Book Title: Aatmakathana Amrut Binduo
Author(s): Mohandas Karamchand Gandhi, Gandhiji
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 16
________________ આત્મકથાનાં અમૃતબિંદુઓ આ લખાણની ગેરસમજ ન થાઓ? ઉપરની ટીકા એવી સંસ્થાઓને લાગુ નથી પડતી કે જેને મકાન ઈત્યાદિની આવશ્યકતા હેય. જાહેર સંસ્થાઓના ચાલુ ખાને આધાર લેકે પાસેથી મળતા ફાળા ઉપર રહેવું જોઈએ. ૩૫ આપણામાં એ વહેમ છે કે પહેલાં પાંચ વર્ષ બાળકને કેળવણી પામવાપણું હોતું નથી. ખરી વાત એ છે કે પહેલાં પાંચ વર્ષમાં બાળક જે પામે છે તે પછી પામતું જ નથી. બાળકની કેળવણી માતાના ઉદરથી જ શરૂ થાય છે એમ હું અનુભવથી કહી શકું છું. ૩૫ જે સમજુ દંપતિ હશે તે તો કદી દંપતીસંગને વિષય વાસના સતેજવાનું સાધન નહિં બનાવે. પણ જ્યારે તેમને સંતતિની ઈચ્છા થશે ત્યારેજ સંગ કરશે. રતિસુખ એક સ્વતંત્ર વસ્તુ છે એમ માનવામાં મને તે ઘોર અજ્ઞાનજ જણાય છે. જનનક્રિયા ઉપર સંસારની હસ્તીને આધાર છે. સંસાર એ ઈશ્વરની લીલાનું સ્થાન છે, તેના મહિ. માનું પ્રતિબિમ્બ છે. તેની સુવ્યવસ્થિત વૃદ્ધિને અર્થેજ રતિક્રિયા નિમાયેલી છે, એમ સમજનાર વિષય વાસનાને મહા પ્રયત્ન કરીને પણ કરશે. અને રતિભેગને પરિણામે જે ૧૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38