Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન કવિ શ્રી હેમરત્નવિરચિત વીરગાથા : ગોરા-બાદલ-પદમની-કથા-ચોપાઈ [સંક્ષિપ્ત પરિચય)
મુનિ શ્રી જિનવિજયજી, પુરાતત્ત્વાચાર્ય
જૈન સંપ્રદાયનો ત્યાગીવર્ગ પ્રાચીન સમયમાં મુખ્યત્વે “અતિ'ના નામથી પ્રસિદ્ધ હતો. એનું બીજું
નામ “મુનિ' પણ હતું, પરંતુ જૈનેતર વર્ગ મોટે ભાગે જૈન ત્યાગીવર્ગને “અતિ” નામથી ઓળખતો હતો. જૈન યાતિવર્ગની સાહિત્યિક અને સાંસ્કૃતિક ફાળો
પંજાબ, દિલ્લી પ્રદેશ, મારવાડ-મેવાડ વગેરે આખું રાજસ્થાન, માલવા, મધ્ય પ્રદેશ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત હવે પાકિસ્તાનમાં ગયેલા હૈદરાબાદ સાથેના સિંધ પ્રદેશ સહિત ભારતના સમસ્ત પશ્ચિમ ભાગના મધ્યકાલીન ઇતિહાસનું અવલોકન કરતાં માલૂમ પડે છે કે એ યુગમાં જૈન ચતિવર્ગે દેશના સાહિત્યિક અને સાંસ્કૃતિક વિકાસમાં ઘણું મોટો ફાળો આપ્યો છે.
જૈન ધર્મ ઉદબોધેલ જીવન-આદર્શ પ્રમાણે આ યતિઓ, ઈચ્છા અને સમજણપૂર્વક, સાંસારિક જીવનનો ત્યાગ કરીને વિરક્ત જીવનનું અનુસરણ કરતા હતા. અને અહિંસા સાધક તપ, સંયમ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રતનું પાલન કરવું એ એમના જીવનનું મુખ્ય લક્ષ્ય હતું. આ લક્ષ્ય અનુસાર તેઓ પોતાના જીવનને એક સાધકના રૂપમાં ફેરવવા માટે હમેશાં યથાશક્તિ પ્રયત્નશીલ રહેતા હતા, અને પોતાના જ્ઞાન અને ઉપદેશ દ્વારા, એમના સંપર્કમાં આવતા જનસમૂહને આદર્શમય સુસંસ્કારી જીવન જવવાની પ્રેરણું આપતા રહેતા હતા. આ યતિજનો કોઈ પણ સ્થાને સ્થિરવાસ કરવાને બદલે જુદા જુદા પ્રદેશોમાં નિરંતર પરિશ્રમ કરતા રહેતા હતા, અને કેવળ સામાન્ય ભિક્ષા દ્વારા પોતાની કાયાને ટકાવી રાખતા હતા. તેઓ ન કોઈની પાસે ધન-ધાન્યની યાચના કરતા કે ન કોઈની પાસેથી ભેટ-સોગાત–પૂજાને ઈચ્છતા કે સ્વીકારતા.
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન કવિ શ્રી હેમરવિરચિત વીરગાથા ગોરા-બાદલ-પદમની કથા-ચૌપાઈ: ૨૦૭
જેન યતિઓનું આવું નિસ્પૃહ છવન જનસમૂહના અંતરમાં એમના પ્રત્યે આદર અને બહુમાનની લાગણી ઉત્પન્ન કરે છે. તેઓ એક ઉત્તમ સાધક તરીકે પોતાની આત્મસાધના કરતા રહે છે; અને સાથોસાથ પોતાના સંપર્કમાં આવતાં નર-નારીઓને, એમની યોગ્યતા અનુસાર, અહિંસા, સત્ય, અસ્તેય, વ્યા, દાન, પરોપકાર, સેવા-સુશ્રુષા, દીન-દુ:ખી જનો પ્રત્યે સહાનુભૂતિ, એમની સહાયતા તેમ જ રાષ્ટ્ર તથા સ્વધર્મની રક્ષા વગેરે સદાચાર પોષક સદ્ગુણોના સંસ્કારોનો વિકાસ કરવાની દૃષ્ટિએ સદુપદેશ આપતા રહે છે.
જેન તિજનોના આવા સદાચાર-પોષક ઉપદેશને ઝીલીને હજારો માણસો એમના શ્રદ્ધાળ અનુયાયી બની જતા હતા, અને એમણે બતાવેલા ધર્મમાર્ગનું અનુસરણ કરતા રહેતા હતા. પશ્ચિમ ભારતમાં અત્યારે જેટલી જૈન વણિક જ્ઞાતિઓ કે જેટલા સમાજે હયાત છે તે બધાંય આ જૈન યતિઓના સદુપદેશોને લીધે સંસ્કારસંપન્ન બની શક્યાં છે. આ જૈન સમૂહોએ પશ્ચિમ ભારતના સમગ્ર લોકજીવનના ઘડતર અને વિકાસમાં ઘણું મહત્ત્વનો ફાળો આપ્યો છે. આ જૈન સમૂહો દેશની રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કારિક પ્રવૃત્તિઓમાં હંમેશાં પોતાનો ફાળો આપતા રહેવાની વિશિષ્ટ ફરજ બજાવતા રહ્યા છે. એનો ઈતિહાસ ઘણું વિશાળ તેમ જ પ્રમાણભૂત છે. પણ હજી સુધી એના ઉપર જોઈ એ તેટલો પ્રકાશ પાડવાનો યોગ્ય પ્રયત્ન નથી થયો.
આ જેન તિઓ જનસમૂહને સંસ્કારસંપન્ન કરવા માટે જેમ હમેશાં ઉપદેશ આપતા રહેતા એ જ રીતે તેઓ જાતે જુદા જુદા વિષયોનું વિશિષ્ટ જ્ઞાન મેળવતા રહેતા અને પોતાથી ભિન્ન દેશકાળમાં રહેનાર કે થનાર જિજ્ઞાસુઓને પોતાની જ્ઞાનોપાસનાનો લાભ મળતો રહે એટલા માટે નવા નવા ગ્રંથોની રચના કરીને દેશની સાહિત્યિક સમૃદ્ધિમાં પણ વધારો કરતા રહેતા. જેન તિઓએ રચેલ સાહિત્ય ઘણું વિપુલ છે. છેલ્લાં એક હજાર વર્ષના ભારતીય સાહિત્યનો વિસ્તૃત ઇતિહાસ લખવામાં આવે તો સંખ્યાબંધ જેન યતિઓને એમાં ઘણું વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થઈ શકે એવી એમની સેવાઓ છે.
આ જૈન યતિઓ કે મુનિઓ પોતાના ધર્મ અને સંપ્રદાયના મર્મજ્ઞ વિદ્વાન તો થતા જ હતા, પરંતુ એમના જ્ઞાનાર્જન અને જ્ઞાનદાનનું ક્ષેત્ર સર્વવ્યાપક અને સર્વાનુભવવાળું રહેતું હતું. તે તે સમયમાં જ્ઞાત અને પ્રવર્તતી વિદ્યાઓની બધી શાખા-પ્રશાખાઓનું આ વિદ્વાનો યથેષ્ટ આકલન, અધ્યયન, ચિંતન-મનન, આલોચન અને સર્જન કરતા રહેતા હતા. જેમ એમની જ્ઞાનપિપાસા અપરિમિત હતી,
મ એમની જ્ઞાનોપાસના પણ એવી જ ઉત્કટ અને અસાધારણ હતી. તેઓ વ્યાકરણ, કાવ્ય, કોષ, છંદ, અલંકાર, ન્યાય, પ્રમાણુશાસ્ત્ર વગેરે શબ્દશાસ્ત્ર કે તરવવિવેચનને લગતાં શાસ્ત્રોનું અધ્યયન કરવા ઉપરાંત જ્યોતિષ, વૈદ્યક, શિલ્પ, શકુન, વર્ષાવિજ્ઞાન, પ્રશ્નપરિજ્ઞાન, રમલ વગેરે બધી જાતનાં શાસ્ત્રોનું પણ એવું જ અધ્યયન, અવલોકન અને સર્જન કરતા રહેતા. કેટલાય જૈન આચાર્યો અને યતિનાયકો મંત્રવિદ્યા અને તંત્રવિદ્યામાં નિપુણ હતા. જૈન ઇતિહાસના અંગભૂત પ્રાચીન પ્રમાણે અને ઉલ્લેખો મુજબ એવા અનેક મોટા જેન આચાર્યોનું વર્ણન મળી આવે છે કે જેઓ મોટા માંત્રિક અને તાંત્રિક હતા. પોતાની આ વિદ્યાને બળે એમણે એ વખતના જનસમૂહો ઉપર મોટો ઉપકાર કર્યો હતો; પોતાના દેશવાસીઓનાં આંતર-બાહ્ય કષ્ટો દૂર કરવામાં ઘણી મદદ કરી હતી. તેઓ સદાચારનું આચરણ કરવાની પ્રેરણા તો આપતા જ રહેતા હતા; પણ અવસર જોઈને લોકોને નીતિમાર્ગનું અનુસરણ કરવાની પ્રેરણા આપીને રાજા અને પ્રજાની ફરજેનું અને આદરવા યોગ્ય વ્યવહારોનું પણ માર્ગદર્શન કરાવતા રહેતા હતા.
એમના જ્ઞાન અને ચારિત્રબળને લીધે એમના પ્રત્યે શ્રદ્ધા ધરાવતા અનુયાયીઓ તો એમના સદુપદેશને માથે ચડાવવાને માટે હમેશાં તત્પર રહેતા જ હતા; પરંતુ જેઓ એમના અનુયાયી ન હતા
Page #3
--------------------------------------------------------------------------
________________
૨૮: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચન્થ એવા અજૈનો પણ એમને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક હમેશાં આદર કરતા રહેતા હતા. નગર અને દેશ ઉપર શાસન ચલાવતા રાજાઓ વગેરે પણ એમનાં ઉપદેશ અને સલાહ-સૂચનનો લાભ લેતા રહેતા હતા.
ઉપર સૂચવવામાં આવ્યું છે તે પ્રમાણે જનસમૂહની સાંસ્કારિક તેમ જ સામાજિક ઉન્નતિમાં આ વિદ્વાનોએ જેવો ફાળો આપ્યો છે, એવો જ ફાળો એમણે દેશની સાહિત્યિક સમૃદ્ધિને વધારવામાં આપ્યો છે. આ વિદ્વાનોએ, ઉપર સૂચવ્યા તેવા, જુદા જુદા વિષયને લગતા હજારો ગ્રંથો પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં લખ્યા છે, જે ક્રમે ક્રમે પ્રસિદ્ધ થતા જાય છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા ઉપરાંત પ્રાચીન રાજસ્થાની, ગુજરાતી વગેરે જેવી દેશ્ય ભાષાઓની સમૃદ્ધિને વધારવા માટે આ વિદ્વાનોએ આ દેશ્ય ભાષાઓમાં અસંખ્ય ગ્રંથોની રચના કરી છે. દેશ્ય ભાષાઓની આ રચનાઓમાં. મુખ્યત્વે, સામાન્ય જનસમૂહને સંભળાવવાની દૃષ્ટિએ કથા-વાર્તા જેવા લોકપ્રિય અને લોકભોગ્ય સાહિત્યનું વિવિધરૂપે એમણે સર્જન કર્યું છે. ભાષાવિકાસ અને વિચારપ્રકાશની દષ્ટિએ, જેન યતિઓએ સર્જેલું આ દેશ્યભાષા-સાહિત્ય પણ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. આ યતિઓએ દેશ્ય ભાષામાં કેવળ પોતાના સંપ્રદાયને લગતી પ્રાચીન કથા-વાર્તાઓને જ ઉતારી છે એવું નથી; એમણે તો દેશના સમગ્ર જનસમૂહમાં પ્રચલિત લોકકથાઓ તથા ઐતિહાસિક પ્રબંધોનું પણ દેશ્ય ભાષામાં એવું જ વિશિષ્ટ અવતરણ, ભાષાંતર કે આલેખન કરીને પોતાની કવિત્વશક્તિનાં ખીલેલાં પુષ્પોથી માતૃભાષાસ્વરૂપ સરસ્વતી માતાની ચરણપૂજા કરી છે. હેમરત્નકૃત ચોપાઈ
અહીંયાં આવા જ એક યતિજી દ્વારા પ્રાચીન રાજસ્થાની ભાષામાં, અથવા જેને અમારા કેટલાક વિદ્વાન મિત્રો મારુ-ગૂર્જર તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે તે ભાવોમાં, રચવામાં આવેલી ભારતના ઈતિહાસની ખૂબ કરુણ છતાં અત્યંત ગૌરવશાળી કથારૂપ વીરગાથાનો કંઈક પરિચય આપવામાં આવે છે.
આ કથાકાવ્યનું નામ “ગોરા-બાદલ-પદમની-કથા-ચૌપાઈ”—-અપરનામ “ગોરા-બાદલ-ચરિત્ર” છે. એના કર્તા યતિ હેમરત્ન નામે કવિ છે. આ કાવ્યમાં ચિત્તોડની જગપ્રસિદ્ધ પદ્મિનીની આખી કથા વર્ણવવામાં આવી છે. પશ્ચિનીની કથાની લોકપ્રિયતાનાં કારણ - ચિત્તોડની રાણી પવિની કે પદ્માવતી ભારતીય લોકમાનસમાં એક વિશિષ્ટ વીરાંગના કે સતી નારી રૂપે સનાતન સ્થાન પામી ચૂકી છે. એ રામાયણની સતી સીતા અને મહાભારતની દ્રૌપદીના સંયુક્ત અવતારરૂપ આર્યનારીના અદભુત પ્રતીક સમાન હતી. તેથી ભારતની જુદી જુદી લોક-ભાષાઓમાં આ વિષયને લગતું વિપુલ સાહિત્ય રચાયું છે. કથા, વાર્તા, નાટક, નવલકથા તેમ જ કવિતારૂપે એની હૃદયંગમ કથા ભારતના ખૂણે ખૂણે પહોંચી ગઈ છે.
પદ્મિનીની કથા ખૂબ લોકપ્રિય થઈ તેનાં કારણે અનેક છે : એક તો એ ખૂબ રૂપવતી અને ગુણુવતી શ્રેષ્ઠ નારી હતી. ભારતમાં પ્રાચીન સમયથી જેનું વિશિષ્ટ એતિહાસિક અને ભૌગોલિક મહત્વ લેખાતું આવ્યું છે તે વિખ્યાત તેમ જ સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પરિપૂર્ણ એવો ચિત્તોડદુર્ગ એની રાજધાની હતો. ભારતના પ્રાચીનમાં પ્રાચીન રાજવંશોમાંના એક ખૂબ ગૌરવશાળી ગુહિલોત રાજવંશની એ રાજરાણું હતી. ભારતના ઇતિહાસમાં પ્રલયકાળ સમા દિલ્લીના દુષ્ટ પ્લેચ્છ મુસલમાન સુલતાન અલાઉદ્દીનની ક્રૂર કુદષ્ટિ એના ઉપર પડી હતી. એ વિષયલોલુપ, મદાંધ, ધર્મ-ધ્વંસક, ખની, તુર્ક મુસલમાન ભારતની હિંદુ જાતિની એ સર્વશ્રેષ્ઠ નારીનું સતીત્વ નષ્ટ કરીને એને પોતાની ગુલામ_બાંદી
Page #4
--------------------------------------------------------------------------
________________
જૈન કવિ શ્રી હેમરવિરચિત વીરગાથા : ગોરા-ખાદલ-પદ્મમનીકથા-ચૌપઈ : ૨૮૯
બનાવવા ચાહતો હતો; અને એમ કરીને એ હિંદુ જાતિના ધાર્મિક અને સાંસ્કૃતિક હૃદયનું ખૂન કરીને એને પોતાના કબ્રસ્તાનમાં દફનાવવા ચાહતો હતો. અલાઉદ્દીને માન્યું હશે કે ચિત્તોડ એ તો નાનુંસરખું રાજ્ય છે; એની લશ્કરી તાકાત કંઈ મોટી નથી; એ કિલ્લા ઉપર ચપટી વગાડતાં કબજો થઈ જશે, અને ભારતની એ શ્રેષ્ઠ નારીને સહેલાઈથી મારા અંતઃપુરમાં હું દાખલ કરી શકીશ. પણ ચિત્તોડના મુઠ્ઠીભર વીરોએ એના આક્રમણનો દૃઢતાપૂર્વક સામનો કર્યો. એને મહિનાઓ સુધી ત્યાં પડાવ નાખીને પડયા રહેવું પડયું, અને પોતાના સેંકડો ચુનંદા સૈનિકોનાં માથાં કપાવા દેવાં પડ્યાં. લડતાં લડતાં જ્યારે ચિત્તોડના બધા વીરો ખપી જવા આવ્યા ત્યારે પદ્મિનીએ પોતાના વીરોને કેસરિયાં કરવાનું કહીને, એમના કપાળમાં અક્ષત-ચંદનનાં તિલક કરીને, એમને વિદાય કર્યા; અને પોતે, પોતાના સમસ્ત નારીસમુદાયની સાથે, પદ્મિની સરોવરમાં સ્નાન કરીને અને ભગવાન શંકરની ભક્તિપૂર્વક પૂજા-પ્રાર્થના કરીને, મંગળ ગીત ગાતી ગાતી ચિતા ઉપર બેસી ગઈ ! જોતજોતામાં એની અને એની સાથેની બધી સતી નારીઓની સોનલવર્ણી કાયા, ચિતાની સોનલવર્ણી જવાળાઓમાં ભળી જઈને, રાખનો પુંજ બની ગઈ ! જેમ કિલ્લામાં ભડભડતી ચિતાની જવાળાઓ શાંત થઈ ગઈ એમ કિલ્લાની નીચેની રણભૂમિમાં રણવીરોની રક્તધારા પણ વહેતી બંધ થઈ ગઈ ! કિલ્લાના દરવાજા ઉધાડા પડ્યા હતા અને રાજમહેલો સૂના થઈ ગયા હતા ! જ્યારે અલાઉદ્દીન કિલ્લા ઉપર પહોંચ્યો ત્યારે એ પોતાના રાજકવિ અમીર ખુસરુ સામે જોઈ ને કોઈક હુદ હુદ ’ને માટે બૂમો પાડી રહ્યો હતો; પણ ત્યાં ‘હુદહુદ' ક્યાં હતી? ફકત રાખના પુંજમાંથી રાખની ઝીણી રજ ઊડીઊડીને એની ગોઝારી આખોમાં પડી રહી હતી; જેથી એ, પોતાનું કાળું મોં છુપાવતો છુપાવતો અને પોતાની ઘૃણાસ્પદ આંખોને ચોળતો ચોળતો, હતાશ થઈને ખાલી હાથે દિલ્લી પાછો ફરી ગયો !
6
પદ્મિનીની જીવનકથાનું આટલું જ સારભૂત નૃત્તાંત છે; પણ એ એટલું તો ઉદાત્ત અને ભાવોત્તેજક છે કે પ્રત્યેક હિંદુ સંતાન એને સાંભળીને રોમાંચિત થઈ જાય છે. આબાલવૃદ્ધ બધાં સ્ત્રી-પુરુષો આ કથાનું શ્રવણ કરીને લાગણીભીનાં બની જાય છે. હિંદુ જાતિની હસ્તિને જ ખતમ કરી નાખે એવા પ્રલયકાળ સમા એ યુગમાં એક આદર્શ સન્નારી એવી થઈ, જેણે પોતાના સતીત્વ અને જાતીય ગૌરવની રક્ષા માટે પોતાના પ્રાણનું એવી રીતે બલિદાન આપી દીધું કે જેને લીધે હિંદુ જાતિના ગૌરવની દિવ્ય જ્યોતિ આજ સુધી પ્રકાશમાન રહી છે. આને લીધે પદ્મિનીની કથા, એ મૂળ ઘટના બની ત્યારથી જ, માળવા, ગુજરાત વગેરે પ્રદેશોની જનતામાં ખૂબ લોકપ્રિય થઈ ગઈ હતી; અને આબાલવૃદ્ જનસમૂહમાં ખૂબ ભક્તિ, ઉલ્લાસ અને ગૌરવપૂર્વક કહેવા-સાંભળવામાં આવતી હતી—–રાજસ્થાનથી દૂર છેક પૂર્વ ભારતમાં પણુ.
પદ્મિનીની કથાની આવી હૃદયસ્પર્શિતા, વિશિષ્ટતા અને લોકપ્રિયતાથી પ્રભાવિત થઈને જ જાયસી જેવા મુસલમાન કવિ પણ અવધી ભાષામાં આ કથાને ‘ પદમાવત' નામથી કવિતાઅદ્દ કરવા પ્રેરાયા હતા. જાયસીની આ કવિતા પણુ, કથાની મુખ્ય નાયિકા પદ્મિનીની જેમ, સારા પ્રમાણમાં લોકપ્રિય બની છે. આ કૃતિની રચના પ્રાચીન હિન્દીની અવધી બોલીમાં થયેલ હોવાથી ઉત્તર ભારતમાં એનો પ્રચાર વિશેષ થયો છે.
ઐતિહાસિક સામગ્રીનો અભાવ; સાહિત્યિક સામગ્રીની પ્રાપ્તિ
કાળના પ્રભાવે જ્યારે મોટા-મોટા સમ્રાટોનાં જીવન સંબંધી પણ આપણને થોડીક પણ ઐતિહાસિક સામગ્રી મળી શકતી નથી, ત્યારે પદ્મિની જેવી એક નાના સરખા રાજ્યના શક્તિહીન રાજાની રાણી
સુ૨૦૧૯
Page #5
--------------------------------------------------------------------------
________________
ર૯૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
સબંધી ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થવાની આશા રાખવી વ્યર્થ છે. આમ છતાં પદ્મિની એક મોટી ભાગ્યશાળી રાણી છે કે જેના સંબંધી તથ્યાતથ્યમિશ્રિત, તિહાસનો આભાસ કરાવતી કેટલીક સાહિત્યિક રચનાઓ મળી આવે છે. કવિ હેમરત્નવિરચિત · ગોરા-ખાદલ-પદમની-કથા-ચૌપઈ ' આવી રચનાઓમાંની એક રાજસ્થાની ભાષાની વિશિષ્ટ કૃતિ છે.
કવિ જાયસીકૃત ‘ પદમાવત ’
આમ તો, આગળ સૂચવ્યું તેમ, મુસલમાન સૂફી કવિ જાયસીએ અવધી ભાષામાં રાણી પદ્મિનીની જીવનકથા સંભળાવતું ‘ પદમાવત ’ નામે સુંદર, પ્રૌઢ કાવ્ય રચ્યું છે. એ કાવ્ય હેમરત્નકૃત ઔપઇ ’ કરતાં આશરે અર્ધી સદી પહેલાં રચાયું છે. જાયસીની આ કૃતિ હિંદી-ભાષા-સાહિત્યમાં એક ખૂબ મહત્ત્વની અને ઉત્કૃષ્ટ કોટિની રચના મનાય છે; અને એના ઉપર અનેક વિદ્વાનોએ વ્યાખ્યા, વિવેચન કે સમાલોચનારૂપે ગ્રંથ, નિબંધ કે પ્રબંધ લખ્યા છે. આ કૃતિમાં જાયસીએ પદ્મિનીના જીવનનું વર્ણન વિશુદ્ધ કથારૂપે નહિ પણ આલંકારિક ભાષામાં મહાકાવ્યની ઢબે કર્યું છે. કવિ જાયસી સૂફી વિચારસરણીનો અનુયાયી હતો. એનું ધ્યેય હિંદુ જનતામાં ખૂબ લોકપ્રિય અને શ્રદ્દાસ્પદ અનેલી સતી પદ્મિનીની આબાલગોપાલપ્રસિદ્ધ લોકકથાને સૂફી વિચારસરણી અને કલ્પનાના રંગે રંજિત કરીને એ કથાને વાંચવા-સાંભળવાવાળાઓને પોતાના સંપ્રદાયની વિચારસરણી તરફ આકર્ષિત કરવાનું હતું. જાયસીના સંસ્કાર અને ભાવ ઇસ્લામી સંસ્કૃતિથી રંગાયેલા હતા, અને એનો ઉછેર ક્ારસી-અરખી ભાષાના સાહિત્યની પરંપરામાં થયો હતો, તેથી એની કૃતિમાં એને અનુરૂપ ભાવાભિવ્યક્તિ થવા પામી છે. આમ છતાં એ કવિ હિંદુ વિચારસરણી, ભાવાભિવ્યક્તિ અને સાહિત્યશૈલીથી સુપરિચિત હતો, તેથી એની રચનામાં વિશેષ ભેદભાવ નજરે નથી પડતો; અને તેથી એની રચના હિંદુઓને માટે પણ એટલી જ સ્વીકાર્ય અને આદરપાત્ર બની શકી છે.
પ્રસ્તુત કૃતિનું ઐતિહાસિક મહત્ત્વ
જાયસીકૃત ‘ પદમાવત ’ જેમ ઉત્તર ભારતમાં વિશેષ પ્રચલિત બન્યું તેમ રાજસ્થાન, ગુજરાત, માળવા જેવા પશ્ચિમ ભારતના પ્રદેશોમાં કવિ હેમરત્નની પ્રસ્તુત રચના વિશેષ પ્રસિદ્ધ હતી. આ કવિ વિદ્વાન જૈન યતિ હતા. એમની ભાષા સુપરિષ્કૃત રાજસ્થાની છે; પણ એની રચના મારવાડ, મેવાડ, માળવા અને ગુજરાતના પ્રદેશોમાં સમાનરૂપે ઉપયોગમાં લેવાતી શૈલીમાં થયેલી છે.
ઐતિહાસિક દૃષ્ટિએ આ કૃતિ વિશેષ મહત્ત્વ ધરાવે છે. કવિએ પોતે જ આ કૃતિની પ્રશસ્તિમાં (A પ્રતિની પ્રશસ્તિની ૪થી ૭મી કડીઓમાં) જણાવ્યું છે તે પ્રમાણે આ ચૌપઈની રચના ઉદયપુર રાજ્ય અને એના રાજવંશ સાથે વિશેષ સંબંધ ધરાવતા, ઓસવાલ જાતિના, કાવડિયા ગોત્રના તારાચંદની માગણીથી કરવામાં આવી હતી. આ તારાચંદ ઇતિહાસપ્રસિદ્ધ દેશભક્ત વીર ભામાશાહનો નાનો ભાઈ થતો હતો; અને મહારાણા પ્રતાપનો વિશ્વાસુ રાજ્યાધિકારી હતો. સુપ્રસિદ્ધ હલ્દીઘાટના યુદ્ધમાં ભામાશાહની સાથે તારાચંદ પણ એક અગ્રણી યોદ્દો અને સૈન્યનો સંચાલક હતો. એણે ચિત્તોડના રાજવંશની રક્ષાને માટે અનેક પ્રકારે સેવાઓ આપી હતી; તેથી એના અંતરમાં ચિત્તોડની ગૌરવગાથાનું ગાન કરાવવાનો ઉલ્લાસ હોય એ સ્વાભાવિક છે. જ્યારે કવિ હેમરત્ન વિ૰ સં૦ ૧૬૪૫નું ચોમાસુ સાદડી નગરમાં રહ્યા તે વખતે તારાચંદ ત્યાં મોટા રાજ્યાધિકારીને પદે હતા. જૈન સમાજની પરંપરા પ્રમાણે તારાચંદ ધર્મગુરુઓને વંદન કરવા તેમ જ એમનો ઉપદેશ સાંભળવા, યથાસમય, જૈન ઉપાશ્રયમાં જતા રહેતા હતા. યતિ હેમરત્ન સારા કવિ હતા અને ધર્મોપદેશમાં તેઓ પોતાની રચનાઓને આધારે
Page #6
--------------------------------------------------------------------------
________________
જૈન કવિ શ્રી હેસરવિરચિત થીરગાથા : ગોરા-માદલ-પદમનીકથાૌપઈ : ૨૦૧
પ્રવચન કરતા હતા. તારાચંદ એમની આવી કૃતિઓને સાંભળીને ખૂબ પ્રસન્ન થતો. એકવાર અવસર જોઈ ને એણે કવિ હેમરત્નને વિનંતિ કરી કે તેઓ ચિત્તોડના ઇતિહાસની પદ્મિનીની ગૌરવભરી કીર્તિકથાનું પોતાની હૃદયસ્પર્શી કાવ્યમય વાણીમાં ગાન કરે. તારાચંદની આ પ્રાર્થના ઉપરથી હેમરત્ને આ કાવ્યકૃતિ રચવાની શરૂઆત કરી, અને વિ॰ સં. ૧૬૪૫ના શ્રાવણ શુદ પાંચમના દિવસે એ પૂરી કરી. વિના કહેવા મુજબ આની રચના વખતે મહારાણા પ્રતાપ હયાત હતા.
આ ચૌપઈના રચનાકાલથી આશરે ૨૦-૨૧ વર્ષ પહેલાં અકબરે ચિત્તોડનો સર્વનાશ કર્યો હતો; અને એ દુઃખદ ધટનાની બહુ ઘેરી અસર મેવાડની જનતાના ચિત્ત ઉપર થઈ હતી. ચિત્તોડના પતનથી ૧૧ વર્ષ પછી થયેલ હલ્દીધાટના યુમાં તારાચંદ પણ એક શૂરવીર યોદ્ધા તરીકે હાજર હતો. મહારાણા પ્રતાપના એ સુરક્ષિત પહાડી પ્રદેશના મારવાડ અને ગુજરાતના ધોરી માર્ગ ઉપર આવેલું એ સાડી નગર એક મહત્ત્વનું નાકું હતું. અરવલીનાં દુર્ગમ સ્થાનો અને માર્ગોનું એ પ્રવેશદ્વાર હતું. તેથી એના રક્ષણનો ભાર મહારાણા પ્રતાપે તારાચંદને સોંપ્યો હતો. એ તારાચંદના જ આગ્રહથી, એ સાદડી નગરમાં આ ચૌપઈની રચના થઈ હતી, તેથી આ રચનાનું આ ઐતિહાસિક મહત્ત્વ પણ છે.
કવિ હેમરત્નની આ ચોપઈ ખૂબ લોકપ્રિય થઈ હતી. ચિત્તોડની પદ્મિનીની કથામાં ગોરા અને બાદલની સ્વામિભક્તિનું અનુપમ ઉદાહરણ આવે છે; એમણે 'અદ્ભુત રીતે ચિત્તોડના ગૌરવનું રક્ષણ કર્યું એનું વર્ણન આમાં છે. આ કાવ્યની રચના થઈ તે વખતે જ આની અનેક નકલો થઈ હતી, અને મારવાડ, મેવાડ, માળવા, ગુજરાત વગેરે પ્રદેશોમાં એનો ખૂબ પ્રચાર થયો હતો.
લમ્બોદયકૃત ‘ પદ્મિની-ચરિત્ર-ચઉપઈ
આ ચૌપઈના અનુકરણ રૂપે, પછીથી, બીજા કવિઓએ પણ આ કથાને પોતાની કવિતા-વાણીમાં ગૂંથી છે. એમાં લબ્યોદય કવિએ રચેલી આવી જ એક ‘ પદ્મિની-ચરિત્ર-ચઉપઈ' નામે રચના છે, જે હેમરત્નની રચના બાદ આશરે ૬૦-૬૨ વર્ષ પછી (વિ॰ સં૦ ૧૭૦૬-૭માં) રચાઈ છે. લખ્યોદય પણુ, કવિ હેમરત્નની જેમ, વિદ્વાન જૈન યતિ હતા. તેઓ પણ લોકપ્રિય ધર્મકથાઓને પોતાની કવિતામાં ગૂંથીને ધૌપદેશ વખતે એના ઉપર પ્રવચન કરતા રહેતા હતા. તેઓ ખરતરગચ્છની પરંપરાના યતિ હતા. સંવત ૧૭૦૬-૭માં તેઓ ઉદયપુરમાં ચોમાસુ રહ્યા હતા. એ વખતે એમના ગચ્છના આગેવાન, ઓસવાલ જાતિના, કટારિયા ગોત્રના ભાગચંદે એમને પદ્મિનીની કથાને ચઉપષ્ટમાં ઉતારવાનો અનુરોધ કર્યો. ભાગચંદનો મોટો ભાઈ હંસરાજ ઉદયપુરના મહારાણા જગતસિંહની માતા જંબૂવતીનો કારભારી હતો. ભાગચંદનો એક મોટો ભાઈ ડુંગરસી નામે હતો; એને ધર્મકરણીમાં ખૂબ આસ્થા હતી. એમની પ્રેરણાથી
www
* સંવત સોલઇ સઇ પણયાસ, શ્રાવણ સુદ પંચમી સુવિસાલ | પુહી પીઠી ઘણું પરગડી, સબલ પુરી સોહુઇ સાદડી || ૪ ૩ પૃથવી પરગઢ વાણુ પ્રતાપ, પ્રતપ૪ દિન દિન અધિક પ્રતાપ | તસ મંત્રીસર બુદ્ધિનિધાન, કાવે¢થા કુતિક્ષક નિર્માંન || | || સાંમિ ધરમ ધુર્ં ભામું સાહ, વયરી ભેંસ વિધુંસણુ રાહુ | તપુ લઘુ ભાઈ તારાચંદ, અવનિ જાણિ અવતરિઉ ઇંદ્ર । ૐ ।। બ્રૂય જિમ અવિચલ પાલઇ ધરા, શત્રુ સહુ કીધા ધિરા | તસુ આદેશ લહી સુભ ભાઈ, સભા સહિત પાંમી સુપસાઇ || ૭ ||
—A પ્રતની પ્રશસ્તિ
Page #7
--------------------------------------------------------------------------
________________
૨૯૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
લખ્યોદયે ‘ પદ્મિની-ચરિત્ર-ચઉપઈ ' નામે કાવ્યની રચના કરી. હેમરત્નની રચના મુખ્યત્વે દોહા અને ચૌપઈ છંદમાં થયેલી છે, ત્યારે લખ્યોદયે પોતાની રચના જુદા જુદા દેશી રાગોની ગીતબદ્ધ શૈલીમાં કરી છે; પણ એની કથાનું મુખ્ય વર્ણન હેમરત્નની કૃતિને આધારે જ કરવામાં આવ્યું છે. આ ચઉપઇ ખીકાનેરના ‘સાલ રાજસ્થાની રિસર્ચ ઈન્સ્ટિટયૂટ ' તરફથી તાજેતરમાં પ્રગટ થઈ છે. એની સાથે કોઇ પ્રાચીન કવિ મલ્યે રચેલ ‘ ગોરા-બદલ-કવિત્ત ' તથા જમલ નાહરે રચેલ ‘ પદ્મિની-ચરિત્ર ' અથવા ગોરા-બદલ-કથા ’ નામની કૃતિ પણ પ્રગટ કરી દેવામાં આવી છે.
<
હેમરત્નની રચનાના મૂળ મુદ્દા
હેમરત્નની ચૌપર્કના મૂળ મુદ્દા આ પ્રમાણે છે : (૧) ચિત્રકૂટ નામે સુપ્રસિદ્ધ અને સુસમૃદ્ધ દુર્ગનો રાજા ગુહિલોત વંશનો રતનસેન છે. (૨) એની પટરાણી પ્રભાવતી નામે છે, જે રૂપે-રંગે રંભા જેવી અને શીલવતી સતી નારી છે. (૩) એ ખૂબ પતિપરાયણ અને હેતાળ છે. (૪) એક દિવસ રાજાએ જમતાં જમતાં રાણીની રસોઈની આવડતમાં કંઈક ખામી બતાવી, તો રાણીએ હસતાં હસતાં મહેણું માર્યું કે મારી રસોઈ તમને ન ગમતી હોય તો પદમણીને પરણી લાવો ! (૫) રાજા એ મહેણાને સાચું કરી બતાવવા પદમણી નારીની શોધમાં નીકળી પડ્યો. (૬) ફરતાં કરતાં સિંહલ દેશમાં પદ્મિની રાજકુમારી હોવાનું એના જાણવામાં આવ્યું. (૭) એ ખૂબ જહેમત ઉઠાવીને સિંહલ દેશમાં પહોંચ્યો અને પોતાની હોંશિયારીથી પદ્મિનીને પરણી લાવ્યો. (૮) રાધવચેતન નામે એક બ્રાહ્મણ રાજાના દરબારમાં હતો; એ પોતાની વિદ્યાથી રાજાને પ્રસન્ન કરતો હતો. (૯) પણ, કોઈક અનુચિત ધટનાને લીધે, રાજાને એ બ્રાહ્મણના ચારિત્ર ઉપર સંદેહ જાય છે, અને તેથી રાજા એનું અપમાન કરીને એને ત્યાંથી કાઢી મૂકે છે, (૧૦) બ્રાહ્મણુ ગુસ્સે થઈ ને રાજા ઉપર દ્વેષ ધારણ કરીને, વેર લેવાની બુદ્ધિથી, દિલ્લીના બાદશાહ અલાઉદ્દીનના દરબારમાં પહોંચી જાય છે. (૧૧) ત્યાં પણ એ પોતાની તાંત્રિક વિદ્યાથી બાદશાહને ખુશ કરે છે, અને બાદશાહની કામવાસના ઉત્તેજિત થાય એ રીતે ચિત્તોડના રાજાની રાણી પદ્મિનીના અનુપમ સૌંદર્યનું વર્ણન કરે છે. (૧૨) લંપટ બાદશાહ પદ્મિનીને મેળવવા માટે મોટા લશ્કર સાથે ચિત્તોડ ઉપર ચડાઈ કરે છે. (૧૩) ઘણા પ્રયત્ન, સંઘર્ષ અને ખળનો ઉપયોગ કરવા છતાં જ્યારે એ ચિત્તોડનો કિલ્લો નથી જીતી શકતો ત્યારે એ છળ-કપટ રચીને, રાજાને ભ્રમમાં નાખીને, કિલ્લો જોવાને બહાને રાજાનો મહેમાન બને છે. (૧૪) રાજા એક ક્ષત્રિયને છાજે એ રીતે એનું આતિથ્ય કરે છે, પણ એ વિશ્વાસધાતી સુલતાન કિલ્લાથી ઊતરતી વખતે રાજાને કેદ કરીને પોતાની છાવણીમાં લઈ જાય છે. (૧૫) બાદશાહ રાજાને ખૂબ દુ:ખ આપે છે; અને એ ોઈ-સાંભળીને બધા ચિત્તોડનિવાસીઓ ભારે મુસીબતમાં, મૂંઝવણમાં પડી જાય છે અને રાજાને કેવી રીતે છોડાવી શકાય એનો ઉપાય વિચારવા લાગે છે. (૧૬) એ વખતે અલાઉદ્દીન પોતાના દૂતને કિલ્લામાં મોકલીને કહેવરાવે છે કે જો મને રાણી પદ્મિનીને સોંપી દેવામાં આવશે તો હું રાજાને છોડી મૂકીશ અને ચિત્તોડનો ઘેરો ઉઠાવીને ચાલતો થઈશ. (૧૭) રાજાની પટરાણીનો પુત્ર વીરભાણુ, જે પોતાની ઓરમાન માતા પદ્મિની તરફ દ્વેષભાવ ધરાવતો હતો, એ પોતાના સરદારોને કહે છે કે ‘ જો ચિત્તોડની અને રાજાની રક્ષા કરવી હોય તો પદ્મિનીને સુલતાનને સોંપી દીધા સિવાય ખીજો કોઈ ઉપાય નથી.’ (૧૮) પદ્મિનીને કાને જ્યારે આ વાત જાય છે ત્યારે એ બહુ ખિન્ન થાય છે. એક બાજુ ચિત્તોડની અને પોતાના પતિની રક્ષાનો સવાલ છે, અને ખીજી બાજુ પોતાના સતીત્વ અને કુળધર્મની માઁદાની રક્ષાનો પ્રશ્ન છે. એને પોતાના જીવનની રક્ષાની તો કશી જ ચિંતા નથી. એ વિચારે છે : ‘ હું તો પળમાત્રમાં મારા પ્રાણુનો ત્યાગ કરીને મારા સતીત્વની રક્ષા કરી શકું છું : જીવતેજીવ તો હું ક્યારેય એ દુષ્ટ સુલતાનના હાથમાં નહીં પડું; પરંતુ મારા પ્રાણ આપવા છતાં શું મારા સ્વામી ખસી
Page #8
--------------------------------------------------------------------------
________________
જૈન કવિ શ્રી હેમરત્નવિરચિત વીરગાથા : ગોરા-માદલ-પદમની-કથા-ચૌપઈ : ૨૯૩
શકશે અને ચિત્તોડનો સર્વનાશ થતો અટકી જશે ખરો ?' (૧૯) આ અંગે કેટલોક વિચાર કરીને પદ્મિની પોતાના વિશ્વાસપાત્ર રાજપૂત યોદ્ધા ગોરા રાવતને ઘેર પહોંચે છે. ગોરા મોટો વીર અને પરાક્રમી રાજપૂત છે, પણ કોઈ કારણસર એ રાજા રતનસેનથી અસંતુષ્ટ બનીને રાજદરબારથી અલિપ્ત રહે છે. રાજમાતા પદ્મિનીની વાત સાંભળીને એ ખૂબ ચિંતામાં પડી જાય છે; અને આ આફતનો સામનો કેવી રીતે થઈ શકે એનો ઉપાય વિચારે છે. એનો એક ભત્રીજો બાદલ યુવાન, ઘણો મુદ્ધિશાળી અને ભારે શૂરવીર છે. ગોરા એની સાથે વિચાર કરે છે. કાકો-ભત્રીજો બન્ને એક અદ્ભુત પ્રપંચ દ્વારા રાજાને છોડાવી લાવવાની યોજના ઘડે છે. રાણી પદ્મિની એ સાંભળીને રાજી થાય છે. (૨૦) પછી એ અન્ને યોદ્ધાઓ રાજદરબારીઓને મળીને એમને પોતાની યોજના સમજાવે છે. બધા એમની સાથે સહમત થાય છે; અને એ પ્રમાણે બધી તૈયારી કરીને, પદ્મિનીને બહાને પાલખીમાં ગોરા રાવતને છુપાવીને, એને યોગ્ય ખૂબ શોભા સાથે સેંકડો પાલખીઓનો રસાલો લઈ ને તેઓ અલાઉદ્દીનની છાવણીમાં પહોંચે છે. બાદશાહ આ છળથી સાવ અજ્ઞાત છે, અને ભારે આતુરતાથી પદ્મિનીનું સ્વાગત કરવાની ઘડીની રાહ જોઇ રહ્યો છે. (૨૧) ખાદલ ચુપચાપ રાજાને ગોરાની પાલખીમાં એસારી દે છે, અને એને કિલ્લા તરફ રવાના કરી દે છે. એટલામાં વાતનો ભેદ ખુલી જાય છે અને સુલતાનની છાવણીમાં દોડધામ મચી જાય છે. < દગો ! દગો !'ની બૂમો સાથે ત્યાં મારામારી અને કાપાકાપી શરૂ થઈ જાય છે. પાલખીઓમાં છુપાયેલા સૈનિકો વીર ગોરાની આગેવાની નીચે અદ્ભુત વીરતા દાખવીને સેંકડો દુશ્મન-સૈનિકોનો સંહાર કરી નાખે છે. ગોરા વીર શૌર્ય દાખવીને ત્યાં વીરગતિને પામે છે. (૨૨) પોતાની સેનાનો ભારે સંહાર થઈ જવાને લીધે સુલતાન હતાશ થઈ તે દિલ્લી પાછો ફરી જાય છે. આ રીતે અદ્ભુત પરાક્રમ અને બુદ્ધિબળથી રાજા રતનસેન અને રાણી પદ્મિનીની રક્ષા કરવાને કારણે બાદલ વીરનો સર્વત્ર જયજયકાર થાય છે.
હેમરત્નના આ મુદ્દાઓમાં અસંભવનીય ઘટનાનો થોડો પણ આભાસ નથી; બધી ઘટનાઓ ક્રમબદ્દ અને બહુ જ સ્વાભાવિક રીતે વર્ણવી છે. ઠેકઠેકાણે હેમરત્ને કથાના આધારભૂત કેટલાંય પ્રાચીન કવિત્ત વગેરે આપ્યાં છે, જે નિઃશંકપણે પૂર્વવર્તી કવિઓની રચનાઓમાંથી લેવામાં આવ્યાં છે.
એક અસંગત વાત અને તેનો ખુલાસો
હેમરત્નની કથામાં જે વાત અસંગત જેવી લાગે છે તે પદ્મિનીને સિંહલ દેશની રાજકન્યા કહી છે એ છે. સિંહલની અત્યંત રૂપવતી રાજકન્યાઓની કથાઓને લીધે કથાકારોએ સિંહલને પદ્મિનીનું પિયર માની લઈ ને એનો એ રીતે પ્રચાર કર્યો હોય એ બનવાજોગ છે. રાજસ્થાનના મહાન ઇતિહાસકાર સ્વ. ગૌરીશંકર ઓઝાજીએ આ અંગે એવી કલ્પના કરી છે કે રાજા રતનસેન સિંહલ જેટલા સુદૂરના પ્રદેશમાં જઈ તે પદ્મિનીને પરણી લાવ્યો હોય એ કોઈ રીતે સંભવિત નથી. સંભવ છે કે પદ્મિની મેવાડના સિંગોલી જેવા સ્થાનની રાજકન્યા હોય અને ભાટો વગેરેએ શબ્દસામ્યને લીધે એનું ‘ સિંહલ ' બનાવી દીધું હોય . જોકે મારી પાસે કોઈ આધાર નથી, છતાં મારી કલ્પના છે કે પદ્મિની સિંહલ દેશની નહિ પણ સિંધલ અર્થાત્ પ્રસિદ્ધ સિંધ પ્રદેશના કોઈ રાજપૂતની કન્યા હશે. સિંધલની સ્ત્રીઓના રૂપ-લાવણ્યનું વર્ણન રાજસ્થાનના પાછળના કવિઓએ ખૂબ કર્યું છે, અને સિંધલની રૂપવતી સ્ત્રીઓને રાજસ્થાનની સ્ત્રીઓના સૌંદર્યના પ્રતીક તરીકે વર્ણવવામાં આવી છે. કર્નલ ટૉ સિંહલના રાજા અને પદ્મિનીના પિતાનું નામ હમીરસિંહ લખ્યું છે, અને એને ચૌહાણ વંશનો કહ્યો છે. સિંહલ અર્થાત્ લંકામાં ચૌહાણ રાજાનું હોવું સર્વથા અસંભવ છે. હમીરસિંહ નામ પણ શુદ્ધે રાજસ્થાની છે. તેથી કર્નલ ટૉડના આ ઉલ્લેખમાં કંઈ પણ તથ્ય હોય તો તે ‘ સિંહલ ’ને સ્થાને ‘ સિંધલ ’ માની લેવાથી સાર્થક થઈ શકે છે, અને પદ્મિનીની શરૂઆતની આખી કથા સંભવિત અને સંગત બની શકે છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
૨૯૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
જાયસી અને હેમરત્નની રચનાઓમાં તફાવત
જાયસી પદ્મિનીના વાસ્તવિક આત્માને પિછાનતો ન હતો. એને એના લોકવિદ્યુત તિહાસનું પણ વિશેષ જ્ઞાન ન હતું; એ ચિત્તોડના રાજા રતનસેનને ચૌહાણ માને છે. જાયસી કેવળ કાવ્યની દૃષ્ટિએ આ કથાનું આલેખન કરે છે. એના ભાવોમાં આત્મીયતાનો આભાસ નથી, એ વાંચતાં કવિતાનો આસ્વાદ તો મળે છે, પરંતુ કથામાં આવતાં પાત્રોના આલેખનમાં કોઈ પોતાપણાનું સંવેદન થતું નથી. એનાં વર્ણનો ખૂબ લાંબાં-લાંબાં અને ઉપમા વગેરે અલંકારોથી ભરેલાં છે. જાણે કવિ આ કથા નિમિત્તે પોતાની કાવ્ય-શકિતને દેખાડવા માગતો હોય એવો જ આભાસ આ રચના વાંચતાં થાય છે. જાયસીએ કેટલાંક વર્ણનો તો એવો મુસલમાની ઢોળ ચડાવીને લખ્યાં છે કે જે સંસ્કારી, ધર્મનિષ્ઠ હિંદુને સાંભળવાં કે વાંચવાં ન ગમે. હેમરત્નની રચના સહજ, અકૃત્રિમ, હૃદયંગમ અને ભાવોદ્બોધક છે. પદ્મિની, રાજા રતનસેન, ગોરા-ખાદલ, રાધવચેતન અને અલ્લાઉદ્દીન વગેરે બધાં પાત્રોનું આલેખન, તે તે વ્યકિતના સ્વભાવને અનુરૂપ, સાવ આડંબર વગરનું થયું છે. આમાં કોઈ જાતની કૃત્રિમતાનો આભાસ સુધ્ધાં નથી થતો. જાણે એમ લાગે છે કે હેમરત્ન પોતાની આંખે દેખેલી ધટનાઓનું દૂ વર્ણન કરી રહ્યા છે. આ વર્ણન સાથે જાણે એનો આત્મીય સંબંધ અભિવ્યકત થાય છે. હેમરત્નની કૃતિમાં ભારતની એક શ્રેષ્ઠ સતી નારીના અખંડ શીલવ્રતનું, સાચા સ્વામિભક્ત રાજપૂત યોદ્દાના સ્વધર્મ કાજે સમર્પિત થઈ જવાના ઉદાત્ત જીવનવ્રતનું શ્રદ્ધાભર્યું આલેખન જોવા મળે છે. હેમરત્નની આ રચના આપણું એક રાષ્ટ્રીય ગીત છે. હેમરત્ને જે રીતે પદ્મિનીની કથા વર્ણવી છે, લગભગ એ જ પ્રકારે એના સમકાલીન મુસલમાન ઋતિહાસલેખકોએ પણ એ ઘટનાનું વર્ણન કર્યું છે.
ઘટનાની ઐતિહાસિકતા : ડૉ॰ કાનૂનગોના મતનું નિરાકરણ
પણ, જાયસીની અસંબદ્ધ અને અપ્રાસંગિક વાતોથી ભરેલી પદ્મિનીની કથા પ્રકાશમાં આવતાં, અનેક વાચકોને એની યથાર્થતા ઉપર શંકા થવા લાગી, અને અનેક ઐતિહાસિક જિજ્ઞાસુઓ અને વિદ્વાનોએ એ સંબંધી ઊહાપોહ શરૂ કર્યો. ભારતના પ્રાચીન ઇતિહાસને શંકાની દૃષ્ટિએ જોનારાઓને પદ્માવતી—પદ્મિનીની કથાનો, જાયસીના સમયથી પહેલાંના સમયનો, કોઈ વિશ્વાસપાત્ર સ્રોતન દેખાયો. તેથી તેઓ એવા અભિપ્રાય ઉપર આવ્યા કે—પદ્મિનીની આ કથા એ કેવળ જાયસીની કલ્પના જ છે; એમાં કોઈ ઐતિહાસિક તથ્ય છે નહિ. અલ્લાઉદ્દીને ચિત્તોડ ઉપર આક્રમણ કરીને એના ઉપર ઇસલામનો ઝંડો ફરકાવ્યો, એનો ઉલ્લેખ અલ્લાઉદ્દીનના પોતાના દરબારી લેખક્રોએ કર્યો છે; અને એમનામાં સૌથી મુખ્ય પ્રસિદ્ધ લેખક અમીર ખુસરુ છે. અમીર ખુસરુ પોતે ચિત્તોડના આક્રમણ વખતે અલ્લાઉદ્દીનની સાથે હતો. એણે એ લડાઈનું વર્ણન કરતાં ચિત્તોડના રાજા રતનસેન અને રાણી પદમાવતી કે પદ્મિનીનો જરાસરખો પણ નિર્દેશ કર્યો નથી. પછી અકબરના સમયમાં થયેલા મુસલમાન ઇતિહાસલેખકો, જેમાં ફરિશ્તા અને અબુલક્જલ વગેરેનો સમાવેશ થાય છે, એમણે પદ્મિનીની ઘટનાનું વર્ણન કર્યું છે; પરંતુ તેઓ જાયસી પછી થયા છે, એટલે એમની કથાનો મુખ્ય આધાર જાયસીનું વદ્માવત જ છે. એને જ આધારે પછીના હિંદુ કવિઓએ પણ પદ્મિનીની કથાને પ્રચલિત કરી વગેરે વગેરે...આ મતના મુખ્ય પ્રચારક છે સુપ્રસિદ્ધ ઇતિહાસવેત્તા બંગાળના વિદ્વાન ડૉ॰ કાલિકારંજન કાનૂનગો.
ડૉ॰ કાનૂનગોએ પોતાની માન્યતાના સમર્થનમાં કેટલાક તર્ક આપ્યા છે. એક તો એ કે અલ્લાઉદ્દીનના સમકાલીન ઇતિહાસલેખકોએ પદ્મિનીનો કશો નિર્દેશ કર્યો નથી. ખીજું, જાયસીની પહેલા પદ્મિની સંબંધી કોઈ રચના મળતી નથી. ત્રીજું, પછીથી થયેલા ભાટચારણોએ પદ્મિનીને લગતી જે કથ કહી છે એમાં પરસ્પરમાં વિસંવાદ અને કાળક્રમનો અસંબદ્ધ ઉલ્લેખ છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
જૈન કવિ શ્રી હેમરત્નવિચિત વીરગાથા : ગોરા-બદલ-પદસની-થા-ચૌપઈ : ૨૯૫
ડૉ॰ કાનૂનગો જેવા વિચારકોનું ખંડન કરનારાઓમાં રાજસ્થાનના જાણીતા ઋતિહાસન ૌ॰ દશરથ શમાં મુખ્ય છે. એમણે કેટલાંક વિશિષ્ટ ઐતિહાસિક પ્રમાણોને આધારે પદ્મિનીની કથાને ઇતિહાસસિદ્ધ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે. બિકાનેરથી પ્રગટ થયેલ, અગાઉ સૂચિત, લખ્યોન્ય કવિની પદ્મિનીચઉપઈ ની શરૂઆતમાં રાની પદ્મિની—એક વિવેચન ’ શીર્ષક ડૉ॰ શર્માજીનો ટૂંકો છતાં સારભૂત લેખ છપાયો છે. એમાં ડૉ॰ શર્માએ ડૉ કાનૂનગોના તાનો જવાબ આપતાં કહ્યું છે કે અલ્લાઉદ્દીનના સમકાલીન લેખકોએ દ્મિની સંબંધી ચર્ચા નથી કરી એ હકીકતને કોઈ પ્રબળ પ્રમાણરૂપ ન લેખી શકાય; એ લેખકોએ તો એવી અનેક બાબતોનો ઉલ્લેખ નથી કર્યો કે જે અન્ય પ્રમાણોથી જાણી શકાય છે. જાયસીની પહેલાં પદ્મિનીના અસ્તિત્વનો સૂચક કોઈ ઐતિહાસિક ઉલ્લેખ નથી મળતો, એવો ડૉ॰ કાનૂનગોનો ખીજો તર્ક પણ ખરાબર નથી. જાયસી પહેલાં (સ્૦ ૧૫૮૩માં) રચાયેલી તિા વાર્તા'માં રતનસેન, પદ્મિની, ગોરા-ખાદલ અને ચિત્તોડની ધટનાનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. કોઈ અજ્ઞાત કવિ, ભાટ કે ચારણે રચેલાં ગોરા-બદલના ચરિત્રને લગતાં કવિત્ત મળી આવ્યાં છે, જે ભાષાની દૃષ્ટિએ જાયસી પહેલાંનાં માલૂમ પડે છે. રાજા રતનસિંહનો સં૦ ૧૩૫૯નો સ્પષ્ટ શિલાલેખ ચિત્તોડમાંથી મળી આવ્યો છે; એને આધારે એ વખતે એ ત્યાંનો રાજા હતો એ નિશ્ચિત થાય છે. આ તર્કોને આધારે ડૉ॰ શર્માજીએ એમ પુરવાર કર્યું છે કે જાયસીના ‘ પદ્દમાવત ’ની પહેલાં જ પદ્મિનીની કથા અને અલ્લાઉદ્દીનની લંપટતા સારી રીતે જાણીતી થઈ ચૂકી હતી.
હેમરત્નને જાયસીના ‘ વદ્માવત ' સંબંધી કશી જાણકારી નહિ હતી. એમણે તો રાજસ્થાનમાં પરાપૂર્વથી લોકવિખ્યાત બનેલાં કથાબીજોને આધારે પોતાની સ્વતંત્ર કૃતિ રચી છે. એ સ્પષ્ટ કહે છે કે ‘મુળિક તિનુ માઘ્યક સંવૈધિ' (A પ્રતિની પ્રશસ્તિ, કડી ૧૦) અર્થાત્ મેં જેવો સંબંધ સાંભળ્યો તેવો કહ્યો છે. વળી, કવિ પોતાની રચનાના પ્રારંભમાં જ કહે છે કે ઝવસ્યું તારી થા, કાળિ ન ગવર્વાદ' (ત્રીજી કડી) એટલે કે હું સાચી કથા રચીશ અને એમાં કોઈ ખોડ અર્થાત્ અસત્ય નહિ આવવા દઉં. આ રીતે હેમરત્નની કથા અને એનાં મુખ્ય પાત્રો બિલકુલ ઐતિહાસિક હતાં, એમાં શંકા નથી.
પદ્મિનીની આ કથા સુખાંત કેમ ?
આમ છતાં એક વાતનું આશ્ચર્ય થયા વગર નથી રહેતું કે હેમરત્ન વગેરે રાજસ્થાનના કવિઓએ પદ્મિનીના જીવનની અંતિમ ઘટના (પોતાના પતિની પાછળ સતી થવા) અંગે ક્રમ કશું નથી લખ્યું ? આ રાજસ્થાની કવિઓ પદ્મિનીની કથાને સુખાંત રૂપમાં જ પૂરી કરે છે; અને એ કથાનો જેવો કરુણ અંત જાયસીએ વર્ણવ્યો છે, એ અંગે સર્વથા મૌન સેવે છે, એમ કેમ બન્યું હશે ?
પદ્મિની સંબંધી બધી કથાઓમાં સૌથી વધારે સંગત અને આધારભૂત રચના કવિ હેમરત્નની પ્રસ્તુત કૃતિ જણાય છે. સંભવ છે, પદ્મિનીના કરુણ અંત અંગે એને કોઈ વિશ્વાસપાત્ર આધાર જાણવા નહિ મળ્યો હોય, તેથી એણે એનું કોઈ સૂચન નહિ કર્યું હોય અને રાજા રતનસેનની મુકિતની સાથે જ આ કથાને સુખાન્ત રૂપમાં પૂરી કરી દીધી હોય.
વીરગાથાની કેટલીક પ્રસાદી
સામાન્ય જનસમુદાયમાં રાષ્ટ્રભાવના કે રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરે એવી અદ્ભુત આ વીરગાથા દસ ખંડમાં વિભક્ત છે. ગ્રંથની પ્રશસ્તિની કડીઓ, અને વચ્ચે વચ્ચે, આભમાં તારલિયાની જેમ, શોભી
*
જુઓ, ગોરીશંકર હીરાચંદ ઓઝાકૃત ‘વયપુર રાજ્યા તિહાસ' ખંડ ૨, પૃ૦ ૪૯૫-૪૯૬.
Page #11
--------------------------------------------------------------------------
________________
ર૯ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ પ્રથ ઊઠતાં કવિત્તોને બાદ કરતાં ચૌપાઈઓ અને દુહાઓની કડીઓની સંખ્યા ૬૨૦ છે. પોતાના રાષ્ટ્રના ગૌરવની કે પોતાની અસ્મિતાની રક્ષા માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની પ્રેરણા આપતા આ વીરકાવ્યનું મૂલ્ય ચિરંતન છે. કવિવર હેમરત્નની આવી પ્રેરક અને બળકટ બાનીમાંથી થોડીક કાવ્યપ્રસાદી અહીં નીચે રજૂ કરવામાં આવે છે :
ખંડ પહેલો કથાના મુખ્ય વીરોનો નિર્દેશ કરતાં કવિ શરૂઆતના દુહામાં કહે છે? સામિ-ધરમ જિણિ સાચવિ, વીરા રસ સવિશેષ | સુભટાં મહિ સીમા લહી, રાખી ખિત્રવટ રેખા || ૬ || ગોરા રાવત અતિ ગુણી, વાદલ અતિ બલવંતા
બોલિસુ વાત બિહુ તણી, સુણિયો સગલા સંત | ૭ || ચિત્રકૂટ (ચિત્તોડ)નું વર્ણન કરી કવિ રાજા રતનસેનનો પરિચય આપે છે: તિણિ ગઢિ રાજ કરઈ હિલોત, રતનસેન રાજ જસ-જેતા પ્રબલ પરાક્રમ પૂર પ્રતાપ, પેસી ન સકઈ જસુ ઘટિ પાપ ૧૮ ! અવનિ ઘી લગ અવિચલ આણ, ભાલિ પડૅ જસુ બાઈ ભણT વેરી કંદ તણુઉ કુદ્દાલ, રણ-૨સીઉ નઈ અતિ રુંઢાલ | ૧૯.
પદ્મિની નારીનું સામાન્ય વર્ણન: ભમર ઘણુ ગુંજારવ કરશું, પદમિણિ-પરિમલ મોહ્યા કિર, પદમિણિ તણુઉ પરંતર એહ, ભૂલા ભમર ના છેડ દેહને ૮૭ ||
ખંડ બીજે
પવિણીનું દુહામાં વિશેષ વર્ણન: વાદલ મહિ જિમ વીજલી, ચંચલ અતિ ચમકંતિ. મહલ માહિતિમ તે તણુઉં, ઝલહલ તનુ ઝલકંતિ || ૧૧૪ / પાન પ્રહસ્ય પદમિણી, ગલિ તંબોલ ગિલંતિ | નિરમલ તન તંબોલ તે, દેહ મહિય દી સંતિ | ૧૧૫ / હંસ-ગમણિ હેજ હસઈ, વદન-કમલ વિસંતિ | દંતકુલી દીસઈ જિસી, જાણિ કિ હીરા હૃતિ || ૧૧૬ ||
વ્યાસ રાઘવચેતન; રાજાનો કોપ; વ્યાસની વિચારણા : તિણિ પુરિ રાઘવ ચેતન વ્યાસ, વિદ્યારું અધિક અભ્યાસ રાજા તિણિ રીઝવી ઘણું, મુહત ઘણું ઘઈ વ્યાસ તણું . ૧૨૩ || એક દિવસ પદમણિ નઈ પાસ, જા બેઠ કરી વિલાસ | નેહ નિતંબની ચુંબનિ કરઈ, રાજ આલિંગન આચરઈ / ૧૨૫ || તિ િપ્રસ્તાવ રાઘવ વ્યાસ, હતઉ ૫દમિણિ તણુઈ આવાસ | તે દેખી રજા ખુણસી, રાઘવ ઊપરિકોપ જ કીજે ૧૨૬ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
જૈન કવિ શ્રી હેમરવિરચિત વીરગાથા : ગોરા-ખાદલ-પદમની-કથા-ચોપઈ : ૨૯૭
થલતા વ્યાસ ન તેવા મા,િ મૌન મુહનથી કુંપા હિ ! ઇકિંગ્સ સુઝ દીઠી એ પદમિણી, ખિ હરાવું હું એ તણી || ૧૩૪ || વ્યાસ સુણી ઇમ નિ બહનઉ, કુણુ વેસાસ કર સીહનઉ | રાજા મિત્ર કદી નવિ હોઈ, નવ દીઠૂઠ્ઠું નિ સુણી કોઈ || ૧૩૫ ||
ખંડ ત્રીજો
રાધવની દિલ્લી તરફ રવાનગી; અલાઉદ્દીનની કૃપા; પ્રતિષોધની પ્રતિજ્ઞા : ઈબ આલોચી ટ્રાયલ-વ્યાસ, ચિત્રકોટ નર્ક ડિક વાસ |
માણસ મુહુરઈ લેઈ કરી, ગઢથી છાન ગર્ભ નીસરી || ૧૩૭ || કિન્લીપતિ પ્રતિમાહ પ્રચંડ, અવનિ એક તંત્રે આબુ અખંડા સાયીન નવ ખંડે નામ, રૂપ સહુ તેહન કર સિલÑમ || ૧૪૨ // માઁન ગૃહત વધીä પર માઁહિ, પૃછા તડી નિંત પતિસાહિ ઉલગતા તૂડ@ અવનીસ, પૂગી રાઘવ તણી જંગીસ || ૧૪૬ || ઇક દિન આવિવું એ અભિમૌન, તનસેન મુઝ મહીજું મન વાલું થયર કિસી પરિ એહ, સૉમિ-ધર્મ નઇ દીધઉ છેહ // ૧૪૮ !!
66
તવું હું જઉં પણિ અપહતું, ચિત્રકોટથી અલગઉં કરું । પદિ નારિ ખરી પડવી, ક્ષત્રિ પાતિસાહ કરું પરબડી || ૧૪૯ ||
ચોથા ખંડમાં પદ્મણીની શોધમાં અલાઉદ્દીનનો સિંહલદ્વીપનો ફેરો ફોગટ ગયાનું વર્ણન આવે છે.
ખંડ પાંચમો
અલાઉદ્દીન રાધવને પદ્મિણી બીજે ક્યાં છે એ પૂછે છે; રાધવ ચઢવણી કરે છે; અલાઉદ્દીન ચિત્તોડ પર ચડાઈ કરે છે :
*
૯ સિંઘલદીપ ૫ખે પદમિણી, વલે કહાઁ છઇ કહિ મુઝ ભણી ’’| વ્યાસ કઈ સંમતિ સુશ્ર્વિનાથ, ઇ વિક્ષ પિિષ્ણુનું અહંકાઁજી || ૨૩૫ || ચિત્તુ દિસિ વિઙ્ગ અઢ ચીતો, વાચલ મહિં વિસમઇ હાર્ડિ | રતનસેન રાજ રૂંઢાલ, કલહ કરૂર મહા સંધાલ || ૨૩૬ ||
આરંભ
તસુ ઘરિ નારિ અછઇ પદમિણી, સેષનાગ સિરિ જિમ હુઇ મણી | લેઈ ન સકઇ કોઈ તેહ, તિ િકારણ સું ભાણું એહુ ।। ૨૩૯ || સાથે હઈ— “ સંલિ હા બંબ, એવડુહ કોટ ી શ્રીજી જાત સહુ હિંવ તિજૐ, ગત ચીતી તણુંક સું ગજૐ ।। ૨૩૮ | ઊભા-ત્રિ શીજું પષિી, જીવિત પકડું બનવું બી '' | સબલ સેન લે ગાલિમ ફિ, ધર પૂછ વાસિંગ ધડિક | ૨૩૯ ||
ખંડ ઠ્ઠો
રતનસેનનો સામનો; અલાઉદ્દીનની વિમાસણ અને છેતરપીંડીની યોજના : રતનસેન પિણુ રોસě ચઉિં, દીઉં મામિ આવી પદ્ધિ સુભટ સેન સજ કીધી સહુ, બલવંત બોલઈ બદો બહુ | ૨૪૭ | “સાહિં બલ” નું આવિીં સદી, પિષ્ણુિ હિય નાસિ મ ાએ વહી નાસંતાઁ છઈ નર નઈ ખોડી, હું ઠાલઉં છું ઈશુ હિજિ ઢોડિ '' ॥ ૨૪૮ I
Page #13
--------------------------------------------------------------------------
________________
ર૯૮: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચન્થ
સાંઝ લગઇ હઉ સંગ્રામ, પિણ નવિ સીપલ કોઇ કૉમ, ઘણા મરાવ્યા મુંગલ મીર, અતિ પતિ મૉની હીયઈ હીર | ૨૬ ! આલિમસાહિ કરઈ આલોચ, લસકર માહિં હઉ સંકોચ વ્યાસ કહઈ– “ સંભલિ સુલિતૉણ, કોટ ન લીજઇ કિમ હી બૉણ | ૨૬૭ છાનઉ કોઈ કરઉ છલ-ભેદ, મત પગાસઉ મરમ મજેદ) વાત કરાવઉ કપટ ઇસી, સાહિ હુઉહિ તુમસું ખુસી | ૨૬૮ . પદમિણિ હાથૐ જમણુ તણી, મુઝ મનિ ખંતિ અછઈ અતિ ઘણી , અવર ન કાઈ માગઇ સાહિ, અલપ સેનાનું આવઈ માહિ || ૨૭૧ . એક વાર દેખી પદમણ, સાહિ સિધાવઈ ઢીલી ભણી” –એમ કહી મૂક્યા પરધન, રતનસેન પૂછથા દે માઁન || ૨ ૨ ||. “ કહઉકિમ આવ્યઉ તુહિ પરધન ?” તવ તે બોલઈ_સુણિ રાજોના આલિમ સાહિ કહઈ છઈ એમ,–“માહો-માહિ કર હિવ શ્રેમ” || ર૭૩ |
ખંડ સાતમો અલાઉદીનન આગમનઃ પદ્મિનીનો પીરસવાનો ઇનકાર; દાસીઓને જોઈને બાદશાહનું અચરજ :
રાઘવ વ્યાસ કઉ મંત્રણઉ, રતનસેન નૂ૫ ઝાલણ તણુઉ . નૃ૫-મનિ કોઈ નહી છ-ભેદ ખુરાની મનિ અધિકઉ ખેદ || ૨૮૪ || રતનસેન સરલઉ મન માંહિ, મંત્રી તેણુ મેયઉ સાહિ..
સાહિબ ! આજ પધા૨ઉ સહિ”, રતનસેન તેડઈ ગહગાહી | ૨૮૭ | રતનસેન હિ વ નિજ ઘરિ ધણી, ભગતિ કરાવઈ ભોજન તણું ! પદમિણિ નારિ પ્રતઈં જઈ કહઈ-આલિમરું હિલ જિમ રસ ૨હ || ૧ || તણ પરિ ભોજન ભગતઈ કરઉ, જિમ આલિમ મનિ હરજઈ ખરઉ”, પદમિણિ નારિ કહઈ-“પ્રી ! અણુઉ, નિજ કરિ ન કરિશું હું પ્રીસણ ૩૦૨છે. પટ ૨સ સરસ કરું રસવતી, પ્રોસેસી દાસી ગુણવતા, સિણગાઉ સગવી છોકરી, પતિ અછઈ જઉ તુહ મનિ ખરી” | ૩૦ || તિહાં આવી છેપતિસાહ, મન મહિ આવઈ અધિક ઉછાહ | પદમણિ પહઈ અધિક ૫હૂર, દાસી આવી દિખાઈ નૂર // ૩૦૮ !! ઈક આવી બઈસણુદે ભાઈ, બીજી થાલ મૈડાવઈ ઠાઈ ! ત્રીજી આવિ ધોવાઈ હાથ, ચોથી ઢાઈ અમર સનાથ || ૩૦ || દાસી આવઇ ઇમ જ જઈ, આલિમ મતિ અતિ વિહૂવલ હુઈ | છે પદમણિ આ કઈ, આ પદમિણિ, સરિખી દી સઈ સહુ કમિણી || ૧૦ || વ્યાસ કહઈ –“સંભલિ મુઝ ધણી! એ સહુ દાસી પદમિતિણી વાર-વાર સ્પં ઝબકઉ એમ? પદમિણિ ઈહીં પધારઈ કેમ? I ૩૧૧ | ઉંચઉ દીસ એ આવાસ, કહો છS પદમણિ તણુ નિવાસ. રતનસેન રાજા હો રહઈ, પદમિણિવિરહ ખિણ ઈક નવિ સહઈ ! ૩૧૮ ||.
સામેના મહેલના ગોખમાં પદ્મિનીને જોઈને બાદશાહ ઘેલો બની જાય છે? “અહો અહા એ કહ્યું પદમિણિ? રંભ કહું, કઈ કહું છુખમિણી? નાગકુમરિ કઈ કા કિંનરી? ઇદ્રાણી ણી અ૫હરી?” ૩૨૫T.
Page #14
--------------------------------------------------------------------------
________________
જૈન કવિ શ્રી હેમરત્નવિરચિત વીરગાથા : ગોરાબાદલ-પદમનીથા-ચૌપાઈ : ૨૯૯
રતનસેન પાદશાહને વળાવવા જતાં દગાથી કેદ પકડાય છે ? કામકાજ કહો હમ ભણી, તુમ મહિમાની કીધી છે ! સીખ દીઉ હિર ઉભા રહી”, આલિમસાહ કહઈ ગહગહી / ૩૩૭ || ભૂપ ભણઈ-“આઘેરા ચલ, જીમ અમહ જીવ હુઈ અતિ ભલઉ”] એમ કહી આઘઉં સંચરિ૭, ગઢથી બહરિ ગૃ૫ ની સરિઉ // ૩૩૮ . ૫ મનિ કોઈ નહી વલવેધ, ખુરસા મુનિ અધિકઉ બધા વ્યાસ કહઈ–“ એ અવસર અછઈ, ઈમ મ કહે જ્યી ન કહિઉં પછઈ ” \\ ૩૩૮ || હલકાય આલિમ અસવાર, માહોં-માહિ મિયા જુગાર; રતનસેન ઝાય તતકાલ, વિલલી વાત હુઈ વિસરાલ || ૩૪૧ ||
' ખંડ આઠમો પ્રધાન દ્વારા અલાઉદ્દીનનો પદ્મિનીને સોંપીને રાજાને છોડાવવાનો સંદેશો આવે છે:
“હમકું નારિ દિયઉ પદમણી, જિમ હમ છાડ ગઢનઉ ધણી // ક૫૫ | નહી તરિ પ્રાણ લેશ સહી, જઉ તુહ ઈશું પરિ દેશઉ નહીં | જઉ તુહ દેશ હમ પદમિણી, તઉ છુસી ગઢનઉ ધણી // ૩૫૬ નહી તરિ ગઢપતિ લીધઉ ગ્રાહી, ગઢ પિણ હવઈ લેશ સહી
ગઢ લીધઈ લીધી ૫દમિણી, હઠીઉ અસપતિ કરસી ઘણું” I ૩૫૭ ના પદ્મિનીનો ઓરમાન પુત્ર વીરભાણ અને બીજા સુભટો પદ્મિનીને અલાઉદીનને
સોંપી દેવા તૈયાર થાય છે : વીરભણ પિશુ પદમણિ દિસી, દેતૉ હોવઈ મન મહિ ખુશી “ઈણિ મુઝ માત તણુઉ સોહાગ, લેઈ દીધઉ દુખ દઉહાગ || ૩૬૩ / તિણિ કારણિ દેતાં પદમિની, વલિ મુઝ માત હઈ સામિની” વીરભાણુ સમજાવી કહઈ–“પદમિણિ દીધઈ સકલું રહઈ” || ૩૬૪|| સગલે સુભટે થાપી વાત– પદમિણિ દેશ હિલ પરભાતિ” ઈમ આલોચી ઊઠથા જિસઇ, પદમિણિ સહુ સાંભલીઉ તિસઈ || ૩૬૬ II
પવિનીની વિમાસણુ; ગોરા પાસે ગમન; ગોરાનું આશ્વાસન : પદમિણિ હેવ હાઈ ખલભલી, “વાત બુરી છે એ સાંભલી . ખંડ જીભ ! દહું નિજ દેહ! પિણ નવિ જાઉં અસુરૉ ગેહ / ૩૬૭ || રાજા ઈણિ પરિ બંધે દીઉં, વસઈ એ આલોચહ કીઉT સગલા સુભટ હુઆ સતહીણ! હિ૧ કિણુ આગલિ ભાષુ દીણ !! ૩૬૮ // વખત ઈસઉ મુઝ આવિઉ વહી, સરણાઈ કો દેખું નહી ! હિવ જગદીસ ! કરી જઇ કિશું? દેખઉ સંકટ આવિર્ષે ઇસું ૩૬૯ // રે જીવ! તું નવિ ભાણે દીણ, જીવ! મ હાલો રે સતીણ મરતાં સહુવઈ સમરઈ સરી, દુખ-સુખ કમ લિખા હોઈ મહી” , ૩૭૦ || હિવે ચિતિ ચિતઈ ઈમ પદમિણિ- “ ગોરા-બાદિલ હી ગુણ ત્યાંસું નઈ કરું વીનતી, બીજો માહિ ન દીસાઈ રતી” | ૩૮૩| ઈમ આલોચી ૫દમિણી નારિ, ચડિ ચકડોલિ પહંત બારિ 1 સાથ લેઈ સખી પરિવાર, આવી ગોરિલર દરબારિ II ૩૮૪||
Page #15
--------------------------------------------------------------------------
________________
૩૭૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
ગોરાનો વિરોચિત જવાબ :
ગોરહ સાઁા પાયો ધસી, વિનય કરી ઇમ બોલઇ હસી માત ! મા બહુ કીધી આજ, કહે પધાર્યા કેહુઇ કાજ || ૩૮૬ II આલસુઓં માહિ આવી ગંગ, પવિત્ર હુઆ મુઝ અંગણુ-અંગ ’| સતી બોલ મ પામિણી, “ હું આવી તુમ્હેં મલવા બડ઼ી || ૩૮૭ ||
*
સુભટે સગલે દીધી સીખ, દયા ધરમની લીધી દીખ | સીખ ; હિલ ઝુહ વિષ્ણુ સહી, જિમ અસુરો રિ ૐ વહી || ૩૮૮ ||
સુબહ સહે હું સત્ત હીંબુ, બિતિ-પ્રકિ ખિત્રયટિ હુઈ ખીશુ । સુરે સબલે દાખિઉ દાઉં, પણિ ? નઈ લેશાઁ રાહ || ૩૮૯ || હિય તુમ્હ શબ દઉં છું કિસી સુક્ષ્મરું સગલે કીધી ઇસી ' ગોરજી પર સુષ્ઠિ પુત્ર માત! ગઢ માર્કે હું કેહી માત્ર ! || ૩૯૦ || ખરચ ન ખાઓં વાળ તણું, પૃઇ કોઇ નહી તંત્રણ પિ સનિ આકૃતિ મ કરä માત ! બલી હુસી ફ્રિંજ સબલી વાત || ૩૯૧ || જઇ તુતિ વા મુત્ર રિ વહી, તે અસુરા પર નશકે નહી | સુબત તમુક એ નહી સંકેત, આ દેશ નઈ લીજા ત્ર || ૩૭૨ || પિિમણ પઈ-ગોરા! સુહુઉ, ઇણિ રિ છાજઇ એ મંત્ર | સિરિખઇ-સિરિખ સગલે થાઇ, ભીત પખે નવી ચિત્ર લિખાઇ ” || ૩૯૫ ||
ખદલની ગર્જના :
ગોરણે જંપઇ— સુષુિ મુઝ માઇ ! ગાજણુ હુંતઉ મુઝ વડે ભાઈ | તસુ સુત બદલ અતિ બલવંત, તેહ નઇ પિણુ જાઇ પૂછ્યું મંત ’” || ૩૯૮ || એહી આયા આદિલ દિસી, ખાદિલ સાઁમ્હો ધાયઉ ધસી | વિનયવંત પગ કરીચ પ્રણામ, પૃઈ બાદશ—કૈક કામ ? '' || ૩ ગોર પઈ. ખાદિલ સુણ, સુભટે કીધઉ એ મંત્રણ | પદિમિણ દેઇ નઇ લેશા રાય! અવર ન મંડઇ કોઇ ઉપાય || ૪૦૦ || પિિશુ આવી પાઁ પાર્ટ્સ, હિય તરૂં કાણું હઈ વિમાસી । તાનઇ પૂણ્ થા સહી, કાઁ વાત નુહારી કહી ' || ૪૧ ||
||
66
પણિ બાર્દિશતું વિલ ભઈ... રાખી સક તઉ રાખઉ સહી, નહી ખંડુ જીભ દઈ નિજ દેહ, પણ નવિ શાખા મહર કરિ નઈ બન્યું, પણિ નનિત્ર કોઢ થકી નીકલ '' || ૪૦૬ ||
સરઇ આવી હું તુમ્હે તબુજી | તિર્ પાછી ન વહી || ૪૦૫ || " અસુરૌં ગંહ ।
ઇમ સુણિ ભાદિલ ખોલી, દૃઢ મહા દુરદંત | ષ્ઠિ કિ ચાર ગાઉં, અનુય બલી એન || ૪૭ || “સુણ બાબા !” ખાદિલ કેહુઈ, “ સુભટારું કુણુ કામ ? । સુભટ સહું એ ૪૭, એ રચ્યું હું કાઁમ || ૪૦૮ || કાકા છે કોઇ ખલબાઉ, અંગમ પરવું ઉતાપ | ત હું ખાદિલ તાહરણે, સયલ હ, સંતાપ || ૪૦૯ |
Page #16
--------------------------------------------------------------------------
________________
જૈન ાિવે શ્રી હેમરવિરચિત વીરગાથા : ગોરા-બાદલ-પદમન-કથા-ચાપઈ ૩ ૩૦૧
પિિષ્ણુ ગણુ પળ ઉં, પબિલ હુઉ મુક્ત ગેન | મહિશ પધા માઉલી, ડુબ મ ધઉં નિજ દૈહિ || ૪૬૦ ||
હિમ માં એકલ", જઉં ચાઁસઇ જગદીશ | ન હું. ખાદિલ બહુઉં, જવુ માછું વનસ '' || ૪૨૩ ||
ખંડ નવમો
બાદલની માતા અને પત્ની બાદલના યુદ્ધે ચડવાના સમાચારથી ચિંતિત થઈ ને અને યુદ્ધે ન ચડવા સમજાવે છે, પણ દનિશ્ચયી બાદલ છેવટે પોતાની પત્નીને સમજાવી લે છે, અને યુદ્ધે ચડવા સજ્જ થાય છે. પછી પોતાનો જીવ બચાવવા દક્તા સુભટોને એ સમજાવે છે :
4 કાયા-માયા એ કારિમી, ઘડી એક વોકી ઘડી એક સમી | કાયર હુ અથવા હુઈ સૂર, મધુ ક્રિષ્ણુગ્રંથી ન લઇ ૬૨ ||૪૮૭ ||
નવું તે પણ સમારી મર, ઢાઁા હોઈ ક્યું હગર |
• પિિા દીધો ’ કડ્ડીઇ ક્રેમ, પતિ રાખયું જવું છે! પ્રેમ ' || ૪૮૮ ||
વીરભાણુ અને ખાદલ વચ્ચે વાતચીત; બાદલની રવાનગી :
પીણુ ઇમ નિજી ભઈ. બાદિય! બોતિ નું બક્ષિ ઘઈ ભાષી સહુ બલી ન થાત, વિષ્ણુ નવિ પ્રીજી તું નિત્ર માત્ર || ૪૮૯ || આલિમ ઈસ તણુ અવતાર, લસકર લાખ સતાવીસ લાર્ | યંત્રની સુભટ વડા ઝુઝાર, હુઇ હેકીકઉ હેલિ હાર્ || ૪૯૦ ||
સાહી લીધઉં ક્ષિ સિદ્દાર, અજંતા ઇ તસુ બાર |
કોઈ પરિ હિલ યુદ્ધઇ નહી, નહિ તર હું વિલ અઝત સહી '' || ૪૯૧ ||
બાદિલ બોલઈ—કુંમર સુગૃહ, એ આર્શાચ નહી આપણુૐ | કિસ્સા આલોચ કર્યા કેંસરી મા મયગજ્ઞ માથઇ ધરી '' || ૪૯૨ || વીરબાં હિલ ખોલઇ ઘી- બાદિલ ! તુજી મત નિનિમલી| અરજુણ તે જે વાલઇ ગાઇ, કર્ જિમ હુિંવ તુઝ આવઇ દાઇ || ૪૯૫ || રાજા છૂટી પાણિ રહે, ઇસુ વાત” ક નવિ બહુબહુઇ | બાદેશ બોક્ષ. અર! મુખુદ કો ઊપર વાંસદ શÈ || ૪૯૬ || હું નઉં છું લસકર માહિ, આવું વાત સહુ અવગાહ ’|
કાર જુહાર ખાદિલ અમસ ચઢું, સાહિસ સુપતિ સાંસ પાઉં || ૪૯૭ ||
ખંડ દસમો
જેમ અલાઉદ્દીને પ્રપંચ રચીને રતનસેનને કેદ પકો હતો તે રીતે બાદલ અલાઉદ્દીનને ગણીને રતનસેનને છોડાવવાની યોજના ઘડે છે. તે બાદશાહ પાસે જઈને એને કહે છે કે તમને મહેલમાં જોયા ત્યારથી પદ્મિની તો તમારા ઉપર આસક્ત થઈ છે. તમે કહો તો એની એ હજાર દાસીઓના રસાલા સાથે એને અહીં લઈ આવું. કામાંધ બાદશાહ કબૂલ થાય છે, અને બાલને કીમતી ભેટો આપીને એનું બહુમાન કરે છે. બાદલ આવીને વીરભાણુને અને સૌને બધી વાત કહે છે અને પોતાની યોજના સમજાવે છે. પછી બે હજાર પાલખીઓમાં દરેકમાં એ-મે સુભટ્ટોને અને પદ્મિનીની પાલખીમાં ગોરા રાવતને બેસાડી બાદલ એ બધું લઈ તે બાદશાહની છાવણીમાં જાય છે; બાદશાહને સમજાવી એના લશ્કરને આધું મોકલાવી દે છે અને સિફતથી રતનસેનને છોડાવી ગઢમાં મોકલી દે છે. રતનસેન સકુશલ
Page #17
--------------------------------------------------------------------------
________________ 302 : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ થW ગઢમાં પહોંચી ગયાનો ઢોલ-વાજાંનો અવાજ સાંભળીને પાલખીઓમાંના સભ્યો બાદશાહની છાવણી ઉપર તૂટી પડે છે. લશકરને મોખરે ગોરા અને બાદલ છે. બાદશાહને પડકાર કરવામાં આવે છે : રે! રે! આલિમ ઊભલે રહે, હિવે નાસી મત જઈ વહે ! ૫દમિણિ આણી છઠે અહિ જિકા, તો નઈ હિલઈ દિખાહૉ તિકા” 581 || પછી તો અલાઉદ્દીનનું લશ્કર આવી ચડે છે અને ખૂનખાર જંગ જામે છે. ત્યારે અલાઉદ્દીન કહે છે: “રે! રે! ફૂડ કી બાદિલૐ, આવઉ સુભટ સહૂ હિલ કિલ”. હલકાય અપતિ નિજ ધ, ધાયા કિલલી કરતૉ કોલ || 584 યુદ્ધમાં ગોરાનું પરાક્રમ, રાજા-રાણીનું યુદ્ધદર્શન; ગોરાની વીરગતિઃ સૂરિજ નિજ રથ ખેંચી રહઈ, રગતિ-વિગતિ નવિ કાંઈ લહઈ ઈણિ અવસરિ ગોરઉ ગજગાહિ, ધાઈ આવિ જિહ નિસાહ / પ૩ . મેદાઉ ખડગ મહાબલિ જિસô, અસપતિ અલગઉ નાકઉ તિસĖ 1 બોલાઈ બાદિલ બે કર જોઉં, “નાસંતૉ માર્યો છૐ ખોહિ” | 54 રતનસેન રાજા અતિ ભલઉ, ગઢ ઊપરથી દેખાઈ કિલઉ જેવી બાદિલ ગોરા તણૉ, હાથ મહાબલ અરિગંજણ / 595TI પદમિણિ ઊભી ઘઈ આસીસ, “છ બાદિલ કોડ રીસ | ધન્ય ધન્ય બલિહારી તૂઝ, તઈ મુઝ રાખિઉં સગલું ગુઝ || 596 | સુભટ પણ છ ઉભા એહ, તે સગલા નીસત નિસનેહી બાદિલ એક મહાબલ સહી, સત્ય થકી જે કઈ નહી / 597 || સૉમિ-ધરમ સાચઉ સસનેહ, રાખી બાદિલ રણુટ રેહ”| ગોરઉ રાવત રણુમહિ રહિઉ, આલમ-સેન સહુ લહુ બહિઉ / 598 // વિજય; બાદલને વધામણાં જયજયકાર હઉ જસ લીધ, કરણી બાદિલ અધિષી કીધી. ઊઘડિયા ગઢના બારણા, બિરદ હુઆ બાદિલનઈ ઘણુ || 602 . રાજ સૉહઉ આવિઉ રંગ, મિલિયા બેહી અગાસંગિ! મહામહોછવિ માહે લીલ, અ દેસ બાદિલ નઈ દઉ | 603 બાદલની માતા અને પત્ની એનું સ્વાગત કરે છે; ગોરાની પત્ની સતી થાય છે; છેલ્લી બે કડીઓમાં કવિ જાણે કથાનો સાર કહે છે : બિરદ બુલાવઈ બાદિલ ઘણુ, સૉમિ-ધરમ સતવંતૉ તણુ! ઇસઉ ન કોઈ હુઉ સૂર, ત્રિહું ભણે કીધઉ જસપૂર ! 619 / પદમિણિ રાખી રાજા લઉ, ગઢનઉ ભાર ઘણુઉ ઝીલીઉં . રિણવટ કરીનઈ રાખી રેહ, નમો નમો બાદિલ ગુણ-ગેહ | 20 || જોધપુર તા. 1-12-66 આ ચોપાઈની જે કડીઓ ઉપર આપવામાં આવી છે તે પહેલાં ઉપલબ્ધ થયેલી પ્રતને આધારે તૈયાર કરેલ નકલમાંથી લેવામાં આવી છે. આ પછી, કેટલાક વખત પહેલાં, કવિ હેમરત્નના પોતાના હાથે લખાયેલી આ ચૌપઇની હરકત મળી આવી છે અને અત્યારે હું એનું સંપાદન કરી રહ્યો છું, જે રાજરથાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાનની ગ્રન્થમાળામાં ૪૦મા ગ્રન્યાંક તરીકે પ્રગટ થશે.