Book Title: Upadhyaya Padni Mahatta
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249501/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા ચૌદ પૂર્વના સારરૂપ, પંચમંગલ મહાશ્રુતસ્કંધસ્વરૂપ નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર છે, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ જગતનાં સર્વોત્કૃષ્ટ મંગલમય આરાધ્ય પો છે. નવકારમંત્રમાં ‘નમો અરિહંતાણં’ અને ‘નમો સિદ્ધાણં' એ બે પદમાં અરિહંત અને સિદ્ધને નમસ્કાર છે. અરિહંત અને સિદ્ધમાં દેવતત્ત્વ રહેલું છે. ‘નમો આયરિયાણં’, ‘નમો ઉવજ્ઝાયાણં’ અને ‘નમો લોએ સવ્વ સાહૂણં’ એ ત્રણ પદમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણમાં ગુરુતત્ત્વ રહેલું છે. ‘એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલમ્' – ચૂલિકાનાં આ ચાર પદમાં ધર્મતત્ત્વ રહેલું છે. દેવ, ગુરુ અને ધર્મ - એ ત્રણે તત્ત્વમાં જ્યાં સુધી સાચી સ્વાભાવિક શ્રદ્ધા ન પ્રગટે ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય. જ્યાં સુધી નવકારમંત્રમાં રસરુચિ ન થાય ત્યાં સુધી જીવ આધ્યાત્મિક માર્ગે બીજી ગમે તેટલી સાધના કરે તો પણ તે બહુ ફળદાયી ન નીવડે. એટલા માટે જ શાસ્ત્રકારે ‘નમસ્કાર બૃહત્ ફળ પ્રકરણમાં કહ્યું છે : ન सुचिरपि तवो तवियं, चिन्नं चरणं च बहु पढियं । जइ ता न नम्मुकारे रई, तओ तं गयं विहलं । । [ઘણા લાંબા કાળ સુધી તપશ્ચર્યા કરી હોય, બહુ સારી રીતે ચારિત્રને પાળ્યું હોય, શ્રુતશાસ્ત્રનો બહુ અભ્યાસ કર્યો હોય, પરંતુ જો નવકારમંત્રમાં રતિ ન થઈ હોય (આનંદ ન આવતો હોય) તો તે સધળું નિષ્ફળ ગયું એમ જાણવું.] નવકારમંત્રમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેને કરેલા Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા નમસ્કારમાં ગુરુને નમસ્કાર છે. કોઈકને પ્રશ્ન થાય કે દેવને નમસ્કાર કરવામાં અરિહંત અને સિદ્ધને જુદા જુદા નમસ્કાર કરાય છે, કારણ કે દેવનાં એ બે સ્પષ્ટ ભિન્ન સ્વરૂપ છે. પરંતુ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેને જુદ્ધ જુદા નમસ્કાર કરવાને બદલે એ ત્રણે માટે માત્ર ‘ગુરુ’ શબ્દ પ્રયોજીને નમસ્કાર ન કરાય ? દેવ, ગુરુ અને ધર્મનું શરણું આપણે લઈએ છીએ ત્યારે ચાર શરણ જુદાં જુદાં બોલીએ છીએ. ‘ચત્તારિ શરણું...'માં અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચા૨નું શરણું લઈએ છીએ. આચાર્ય અને ઉપાધ્યાયનું જુદું શરણ લેતા નથી. સાધુના શરણમાં તેમનું શરણ આવી જાય છે. તો પછી નવકારમંત્રમાં તેમ ન કરી શકાય ? વસ્તુત: આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે મુખ્યત: અને પ્રથમત: સાધુ જ છે. એક અપેક્ષાએ તેઓ ત્રણે સમાન છે. તેઓ ત્રણે માટે ‘શ્રમણ’ શબ્દ જ વપરાય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પંચાચારનું પાલન, પાંચ મહાવ્રતોનું તથા સમિતિ અને ગુપ્તિનું પાલન, બાર પ્રકારનું તપ, દસ પ્રકારનો મુનિધર્મ, પરીષહ અને ઉપસર્ગનું સહન કરવું, આહાર, શય્યા, વેશ ઇત્યાદિ બાબતોમાં તેઓ વચ્ચે કોઈ ભેદ નથી. તેમ છતાં આધ્યાત્મિક વિકાસક્રમની દૃષ્ટિએ સાધુ અને આચાર્ય વચ્ચે તરતમતાની અનેક ભૂમિકાઓ રહેલી છે. નવદીક્ષિત સાધુથી શરૂ કરીને આદર્શ આચાર્ય સુધીનો વિકાસક્રમ આરાધકના લક્ષમાં રહેવો જોઈએ. એટલા માટે જ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને જુદા જુદા નમસ્કાર કરવાની આવશ્યકતા છે. ૧ કોઈકને કદાચ પ્રશ્ન થાય કે તો પછી આચાર્ય અને સાધુને નમસ્કાર કરવાની વાત યોગ્ય જણાય છે, પણ વચ્ચે ઉપાધ્યાયના પદની શી આવશ્યકતા છે ? દેવતત્ત્વમાં જેમ અરિહંત ને સાધુ એવા બે વિભાગ પાડ્યા તેમ ગુરુતત્ત્વમાં આચાર્ય અને સાધુ એવા બે વિભાગ શું બસ નથી ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જૈન શાસનની પરંપરા જો બરાબર વ્યવસ્થિત રીતે ચલાવવી હોય તો ઉપાધ્યાયનું પદ માત્ર આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. સાધુ અને આચાર્ય વચ્ચે માત્ર ઉપાધ્યાયનું પદ જ નહિ, બીજાં ઘણાં પદ ઊભાં કરવાં હોય તો કરી શકાય. પરંતુ તેમાં આદર્શ સ્વરૂપનું સ્તંભરૂપ પદ હોય તો તે એકમાત્ર ઉપાધ્યાયનું જ છે. તીર્થંકર પરમાત્માએ પ્રબોધેલા મોક્ષમાર્ગના જ્ઞાનને લોકો સુધી, અને વિશેષપણે સર્વવિરતિ સાધુ સુખી વ્યવસ્થિત રીતે પહોંચાડવાનું કાર્ય Page #3 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ જિનતત્વ ઉપાધ્યાય ભગવંતો જ કરતા હોય છે. વ્યવહારમાં ઉપાધ્યાય નામધારી બધા જ ઉપાધ્યાય એકસરખી કોટિના ન હોઈ શકે, પરંતુ જૈનદર્શનમાં ઉપાધ્યાય ભગવંતનો જે આદર્શ રજૂ કરવામાં આવ્યો છે અને એમના જે ગુણો દર્શાવવામાં આવ્યા છે તે જોતાં નવકારમંત્રમાં ઉપાધ્યાય-વિજ્ઞાય ભગવંતને જે નમસ્કાર કરવામાં આવે છે તેની યથાર્થતાની સર્વથા સઘપ્રતીતિ થયા વગર રહેશે નહિ, શ્રુતજ્ઞાનના ધારક ઉપાધ્યાય ભગવંત ન હોય તો મોક્ષમાર્ગ ઝડપથી લુપ્ત થઈ જાય. એટલા માટે જ અનાદિ સિદ્ધ નવકારમંત્રમાં “નમો વિન્ઝાયાણં' પદનું એટલું જ મહત્ત્વ રહેલું છે. ઉપાધ્યાય (અર્ધમાગધીમાં વિઝાય) શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે જોવા મળે છે : उत्पेत्य अधीयतेऽस्मात्। [જેમની પાસે જઈને અધ્યયન કરવામાં આવે છે તે ઉપાધ્યાય.! उप-समीपे अधिवसनात् श्रुतस्य आयो-लाभो भवति येभ्यस्ते उपाध्यायाः । [જેમની પાસે રહેવાથી શ્રુતનો આય (લાભ) થાય છે તે ઉપાધ્યાય.] હેમચંદ્રાચાર્ય “અભિધાનચિતામણિમાં કહે છે : उपाध्यायस्तु पाठकः। જે ભણાવે, પઠન કરાવે તે ઉપાધ્યાય) अधि-आधिक्येन गम्यते इति उपाध्यायः । જેમની પાસે અધિક વાર જવાનું થાય તે ઉપાધ્યાય, स्मर्यते सत्रतो जिनप्रवचनं येभ्यस्ते उपाध्यायाः। [જેમની પાસે જિન પ્રવચનનું સ્મરણ તાજું કરવામાં આવે છે તે ઉપાધ્યાય.! Page #4 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪૩૩ उपाधानमुपाधिः सन्निधिस्तेनोपाधिना उपाधौ वा आयोलाभः श्रुतस्य येषामुपाधीनां वा विशेषणानां प्रक्रमाच्छोभनानामायो-लाभो येभ्यस्ते उपाध्यायाः। [જેમની ઉપાધિ અર્થાત્ સંનિધિથી શ્રુતનો આય અર્થાત્ લાભ થાય છે તે ઉપાધ્યાય.] आधिनां मनः पीडानामायो लाभः-आध्यायः अधियां वा (नञः कुत्सार्थत्वात्) कुबुद्धीनामायोऽध्यायः, दुनिं वाध्यायः उपहतः आध्यायः वा यस्ते उपाध्यायः। [જેઓએ આધિ, કુબુદ્ધિ અને દુર્ગાનને ઉપહત અર્થાત્ સમાપ્ત કરી દીધું છે તે ઉપાધ્યાય છે.]. આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે : तमुपेत्य शिष्टा अधियन्त ईत्युपाध्यायः । [જેમની પાસે જઈને શિષ્ય અધ્યયન કરે છે તે ઉપાધ્યાય છે.] આવશ્યક નિર્યુક્તિ માં કહ્યું છે : उति उवओगकरणे वत्ति अ पावपरिवज्जणे होई। ज्ञत्ति अ झाणस्स कए उत्ति अ ओसक्कणा कम्मे ।। [જેઓ ૩ એટલે ઉપયોગપૂર્વક, વ એટલે પાપકર્મનું પરિવર્જન કરતાં કરતાં, જ્ઞ એટલે ધ્યાન ધરીને, ૩ એટલે કર્મમળને દૂર કરે છે તે ઉપાધ્યાય છે. રાજવાર્તિકમાં તથા “સર્વાર્થ સિદ્ધિ માં ઉપાધ્યાયની વ્યાખ્યા આપતાં કહ્યું છે : विनयेनोपेत्य यस्माद् व्रतशीलभावनाधिष्ठानादागमं श्रुताख्यमधियते इत्युपाध्यायः। [જેમની પાસે ભવ્યજનો વિનયપૂર્વક જઈને શ્રુતનું અધ્યયન કરે છે એવા વ્રતશીલ અને ભાવનાશાળી મહાનુભાવ ઉપાધ્યાય કહેવાય છે.) Page #5 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ જિનતત્ત્વ “નિયમસારમાં શ્રી કુંદકુંદાચાર્યે ઉપાધ્યાય મહારાજનાં લક્ષણો દર્શાવતાં કહ્યું છે : रयणत्तयसंजुत्ता जिणकहियपयत्थदेसया सूरा। णिक्खस्वभावसहिया उवज्झाया एरिसा होति ।। રિત્નત્રયથી સંયુક્ત, જિનકથિત પદાર્થોનો ઉપદેશ કરવામાં શૂરવીર તથા નિ:કાંક્ષા ભાવવાળા એવા ઉપાધ્યાય હોય છે.) દિગમ્બર પરંપરાના “ધવલા” ગ્રંથમાં કહ્યું છે : चोदस-पुव्व-महोपहिमहिगम्म सिवरित्थिओ सिवत्थीणं। सीलधराणं वत्ता होई मुणीसो उवज्झायो।। [જેઓ ચૌદ પૂર્વરૂપી મહાસાગરમાં પ્રવેશ કરીને મોક્ષમાર્ગમાં સ્થિત છે તથા મોક્ષની ભાવનાવાળા શીલંધરોને (મુનિઓને) ઉપદેશ આપે છે એવા મુનીશ્વરો તે ઉપાધ્યાય છે.] ઉપાધ્યાય ભગવંતનો મહિમા કેટલો બધો છે તે શાસ્ત્રકારોએ એમના ગણાવેલા ગુણો ઉપરથી સમજાય છે. પંચપરમેષ્ઠિના કુલ ૧૦૮ ગુણ ગણાવવામાં આવે છે. તેમાં અરિહંતના બાર, સિદ્ધના આઠ, આચાર્યના છત્રીસ, ઉપાધ્યાયના પચીસ અને સાધુના સત્તાવીસ ગુણ હોય છે. ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ નીચે પ્રમાણે ગણાવવામાં આવે છે ૧૧ ગુણ : અગિયાર અંગશાસ્ત્ર પોતે ભણે અને ગચ્છમાં બીજાઓને ભણાવે. ૧૨ ગુણ : બાર ઉપાંગશાસ્ત્રો પોતે ભણે અને ગચ્છમાં બીજાઓને ભણાવે. ૧ ચરણસિત્તરી પોતે પાળે અને પળાવે. ૧ કરણસિત્તરી પોતે પાળે અને પળાવે. આમ, ઉપાધ્યાય ભગવંતના આ પ્રમાણે જે પચીસ ગુણ ગણાવવામાં આવે છે તે સવિગત નીચે પ્રમાણે છે : Page #6 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ ઉપાધ્યાયપદની મહત્તા અગિયાર અંગસૂત્રોનાં નામ નીચે પ્રમાણે છે : (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વિવાહ પ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર), (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસકદશાંગ, (૮) અંતકતદશાંગ, (૯) અનુત્તરોપપાતિક, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાકસૂત્ર. બાર ઉપાંગસૂત્રોનાં નામ નીચે પ્રમાણે છે : (૧) ઓવવાઈય, (૨) રાયપસેણિય, ૩) જીવાજીવાભિગમ, (૪) પણવણી, (પ) સૂરપણત્તિ, (૯) જંબૂદીવપત્તિ , (૭) ચંદપષ્ણત્તિ, (૮) નિરયાવલિયા, (૯) કપૂવડંસિયા, (૧૦) પુફિયા, (૧૧) પુષ્કચૂલિયા, (૧૨) વણિહદસા. ચરણ એટલે ચારિત્ર. “સિત્તરી' એટલે સિત્તેર. ચારિત્રને લગતા સિત્તેર બોલ એટલે “ચરણસિત્તરી”. સાધુ ભગવંતોએ આ સિત્તેર બોલ પાળવાના હોય છે. એમાં પણ એ પાળવામાં જ્યારે સમર્થ થયા ત્યારે તેઓ ઉપાધ્યાયપદને પાત્ર બને છે. ચરણસિત્તરીના બોલ માટે નીચે પ્રમાણે ગાથા છે : वयसमणधम्म-संजम-वेयावच्चं च बंभगुत्तिओ। नाणाइतिअं तव कोहनिग्गहाइ चरणमेवं ।। વ્રિત, શ્રમણધર્મ, સંયમ, વૈયાવચ્ચ, બ્રહ્મચર્યની ગુપ્તિઓ, જ્ઞાનાદિત્રિક, તપ અને ક્રોધાદિનો નિગ્રહ એ ચરણ છે.] આમ, ચરણસિત્તરીના સિત્તેર બોલ નીચે પ્રમાણે છે : પ્રકાર વ્રત (અહિંસાદિ મહાવ્રત) ૫ પ્રકારનાં શ્રમણધર્મ ૧૦ પ્રકારનો ૧૭ પ્રકારનો વિયાવ ૧૦ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિઓ (વાડ) ૯ પ્રકારની જ્ઞાનાદિત્રિક (જ્ઞાન, દર્શન, ચારિત્ર) ૩ પ્રકારનાં તપ (છ બાહ્ય + છ આત્યંતર) ૧૨ પ્રકારનાં ક્રોધાદિનો (ચાર કષાયોનો નિગ્રહ ૪ પ્રકાર ૭૦ પ્રકાર સંયમ Page #7 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ કરણ એટલે ક્રિયા. સિત્તરી એટલે સિત્તેર બોલ, કરણસિત્તરી વિશે નીચેની ગાથામાં કહેવાયું છે : पिंड विसोही समिई, भावण पडिमा य इन्दिअनिरोहो । पडिलेहण गुत्तीओ अभिग्गहा चेव करणं तु ।। [પિંડ વિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા, ઇન્દ્રિયનિરોધ, પ્રતિલેખના, ગુપ્તિ અને અભિગ્રહ એ કરણ (ક્રિયા) છે. કરણસિત્તરીના ૭૦ બોલ નીચે પ્રમાણે છે : સફ પિંડવિશુદ્ધિ સમિતિ ભાવના પ્રતિમા ઇન્દ્રિયનિરોધ પ્રતિલેખના ગુપ્તિ અભિગ્રહ કુલ ૭૦ પ્રકાર ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ બીજી રીતે પણ ગણાવવામાં આવે છે, જેમ કે અગિયાર અંગના અગિયાર ગુણ અને ચૌદ પૂર્વના ચૌદ ગુણ એમ અગિયાર અને ચૌદ મળીને પચીસ ગુણ. અગિયારે અંગનાં નામ જોઈ ગયા. ચૌદ પૂર્વનાં નામ નીચે પ્રમાણે છે : (૧) ઉત્પાદ પૂર્વ, (૨) અગ્રાયણી પૂર્વ, (૩) વીર્યપ્રવાદ પૂર્વ, (૪) અસ્તિપ્રવાદ પૂર્વ, (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ, (૬) સત્યપ્રવાદ પૂર્વ, (૭) આત્મપ્રવાદ પૂર્વ, (૮) કર્મપ્રવાદ પૂર્વ, (૯) પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ, (૧૦) વિદ્યાપ્રવાદ પૂર્વ, (૧૧) કલ્યાણ પૂર્વ, (૧૨) પ્રાણાયુ પૂર્વ, (૧૩) ક્રિયાવિશાલ પૂર્વ, (૧૪) લોકબિંદુસાર પૂર્વ. ૪ પ્રકારની ૫ પ્રકારની ૧૨ પ્રકારની ૧૨ પ્રકારની ૫ પ્રકારના ૨૫ પ્રકારની ૩ પ્રકારની ૪ પ્રકારના શ્રી જ્ઞાનવિમલસૂરિએ ‘નવકાર ભાસ'માં ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ આ બંને રીતે દર્શાવ્યા છે. જુઓ : ‘અંગ અગ્યાર, ચૌદ પૂર્વ જે, વલી ભણિ ભણાવે જેહ રે; ગુણ પણ વીસ અલંકર્યા, દૃષ્ટિવાદ અરથ ગેહ રે. * Page #8 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા અથવા અંગ ઇચ્ચાર જે વલી, તેહના બાર ઉપાંગ રે; ચરણકરણની સિત્તરી, જે ધારે આપણઇ અંગ રે.’ ઉપાધ્યાય મહારાજના પચીસ ગુણમાં અગિયાર અંગ, બાર ઉપાંગ તથા નંદીસૂત્ર અને અનુયોગસૂત્ર એ બે મળીને પચીસ ગુણ પણ ગણાવાય છે. વળી, ઉપાધ્યાયના પચીસ ગુણ નીચે પ્રમાણે પણ ગણાવવામાં આવે છે : बारसंग विउबुद्धा करण चरण जुओ। पब्भवणा जोग निग्गो उवज्झाय गुणं वंदे || [બાર અંગના જાણકાર, કરણસિત્તરી અને ચરણસિત્તરીના ગુણોથી યુક્ત, પ્રભાવના તથા યોગથી યુક્ત એવા ઉપાધ્યાયના ગુણોને વંદન કરું છું.] બાર અંગના બાર ગુણ, એક ગુણ કરહંસત્તરીનો, એક ગુણ ચરણસિત્તરીનો, આઠ પ્રકારની પ્રભાવનાના આઠ ગુણ તથા મન, વચન અને કાયા એ ત્રણના યોગના ત્રણ ગુણ એમ મળીને ઉપાધ્યાયના પચીસ ગુણો ગણાવવામાં આવે છે. જેમ આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ છત્રીસ જુી જુદી રીતે ગણાવવામાં આવે છે તેમ ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ જુદી જુદી પચીસ રીતે ગણાવવામાં આવે છે. શ્રી જ્ઞાનવિમલસૂરિ ‘નવકાર ભાસ’માં કહે છે : પંચવીસ પંચવીસી ગુણતણી, એ ભાખી પ્રવચનમાંહિ રે, મુક્તાફલ માલા પરિ, દીપે જસ અંગ ઉછાહી રે.’ ૪૩૭ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી પણ ‘નવપદની પૂજા'માં આ પચીસ પચીસીનો નિર્દેશ કરતાં કહે છે : ‘ધરે પંચને વર્ગ વર્ગત ગુણૌધા.' અહીં એમણે ગણિતશાસ્ત્રના પારિભાષિક શબ્દો વાપર્યા છે, પાંચનો વર્ગ એટલે ૫ × ૫ = ૨૫. આ વર્ગને ફરી વર્ગત કરવામાં આવે એટલે ૨૫ × ૨૫ = ૭૨૫ થાય. ઉપાધ્યાય ભગવંત એટલા ગુણોનો ધારણ કરનાર હોય છે. આમ શાસ્ત્રકારોએ ઉપાધ્યાય ભગવંતના ૨૫ × ૨૫ એટલે કુલ ૬૨૫ ગુણ બતાવ્યા છે. અલબત્ત, આમાં અગિયાર અંગ, ચરણસિત્તરી, કરણસિત્તરી વગેરે ગુણો એકાધિક વાર આવે છે એટલે કુલ ૬૨૫ ગુણ કરતાં થોડા ઓછા ગુણ થાય; તો બીજી બાજુ ચરણસિત્તરી અને કરણસિત્તરીના સિત્તેર સિત્તેર ગુણને એક એક ગુણ તરીકે બતાવવામાં આવ્યા છે તેને બદલે તેના પેટાભેદોને Page #9 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ સ્વતંત્ર ગુણ તરીકે ઓળખવામાં આવે તો આ સંખ્યા ઘણી વધી જાય. સંસ્કૃત શબ્દ “ઉપાધ્યાય” ઉપરથી અર્ધમાગધી-પ્રાકૃતમાં વિક્ઝાય શબ્દ આવ્યો છે. અધ્યાયન કરાવનાર તે ઉપાધ્યાય એ અર્થમાં ભારતીય ભાષાઓમાં ઉપાધ્યાય ઉપરથી ઉપાધ્ધ, પાÀ, ઓઝા, ઝા જેવા શબ્દો પ્રચલિત થયા છે. પરંતુ પંચપરમેષ્ઠિમાં ઉપાધ્યાયનું પદ વિશિષ્ટ પ્રકારનું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “પંચપરમેષ્ઠિ ગીતામાં ઉપાધ્યાયના જુદા જુદા પર્યાયો નીચે પ્રમાણે આપ્યા છે : ઉપાધ્યાય, વરવાચક, પાઠક, સાધક, સિદ્ધ, કરગ, ઝરગ, અધ્યાપક, કૃતકમ, કૃતવૃદ્ધ; શિક્ષક, દીક્ષક, વિર, ચિરંતન, રત્નવિશાલ, મોહજ્યા, પારિચ્છક, જિતપરિશ્રમ, વૃતમાલ. સાધારી, વિદિત-પદવિભાગ, કુતિયાવણ, વિગત દ્વેષરાગ; અપ્રમાદી, સદા નિર્વિષાદી, અદ્રયાનંદ, આતમપ્રવાદી.” આ ઉપરાંત પંડિત, પંન્યાસ, ગણિ, ગણચિંતક, પ્રવર્તક વગેરે શબ્દો પણ પ્રયોજાય છે. અલબત્ત, તેમાં ક્રિયા-કર્તવ્યાદિની દૃષ્ટિએ કેટલોક પારિભાષિક ભેદ રહેલો છે. ઉપાધ્યાય ભગવંતનાં લક્ષણો દર્શાવતાં, “વિશેષાવશ્યક ભાષ્યમાં નીચેની ગાથાઓમાં કહ્યું છે : नाम ठवणा दविए भावे चउव्यिहो उवज्झाया। दव्वे लोईवसिप्पा धम्मे तह अन्नतित्थीया।। નામ ઉપાધ્યાય, સ્થાપના ઉપાધ્યાય, દ્રવ્ય ઉપાધ્યાય અને ભાવ ઉપાધ્યાય એમ ચાર પ્રકારે ઉપાધ્યાય કહ્યા છે. લૌકિક શિલ્પાદિનો ઉપદેશ કરનાર તથા પોતાના ધર્મનો ઉપદેશ કરનાર અન્ય તીર્થિઓ (અન્યદર્શનીઓ) તે દ્રવ્ય ઉપાધ્યાય કહેવાય છે. वारसंगो जिणक्कखाणे सज्झायो कहिउँ बुहे। जम्हा तं उवइसंति उवज्झाया तेण बुच्चंति।। દ્વિાદશાંગરૂપ સ્વાધ્યાય જિનેશ્વર ભગવાને કહ્યો છે. એનો સ્વાધ્યાય શિષ્યોને ઉપદેશે છે તેથી તેઓ (ભાવ) ઉપાધ્યાય કહેવાય છે.] Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪૩૯ उत्ति उवओगकरणे झत्ति य ज्झाणस्स होई निददेसे। एएण होइ उज्झा जेसो अण्णो वि पज्जाओ।। |ક શબ્દ ઉપયોગ કરવાના અર્થમાં તથા ૪ શબ્દ ધ્યાનના નિર્દેશમાં છે. એટલે ૩જ્ઞા શબ્દનો અર્થ ઉપયોગપૂર્વક ધ્યાન કરનાર એવો થાય છે. ઉપાધ્યાય શબ્દના આવા પણ બીજા પર્યાયો છે.] उवगम्य जओऽहोयई जं चोवगयमज्झयाविति । जं चोवायज्झाया हियस्स तो ते उवज्झाया ।। જેની પાસે જઈને ભણાય અથવા જે પોતાની પાસે આવેલાને ભણાવે, તેમજ જે હિતનો ઉપાય ચિતવનાર હોય તેને ઉપાધ્યાય કહેવામાં આવે છે.] आयारदेसणाओ आयरिया, विणयणादुवज्झाया। अत्थ पदायगा वा गुरवो सुत्तस्सुवज्झाया।। આિચારનો ઉપદેશ કરવાથી આચાર્ય અને અન્યને ભણાવવાથી ઉપાધ્યાય કહેવાય. વળી, અર્થપ્રદાયક તે ગુરુ ભગવંત આચાર્ય ને સૂત્રપ્રદાયક તે ઉપાધ્યાય કહેવાય પંચાધ્યાયી માં ઉપાધ્યાયના લક્ષણો બતાવતાં કહ્યું છે : उपाध्यायाः समाधीयान् वादी स्याद्वादकोविदः । वाग्मी वाग्ब्रह्मसर्वज्ञः सिद्धान्तागमपारगः।। कविर्जत्यग्रसूत्राणां शब्दार्थः सिद्धसाधनात् । गमकोऽर्थस्य माधुर्ये धुर्यो वक्तृत्ववर्त्मनाम् । उपाध्यायत्वमित्यत्र श्रुताभ्यासोऽस्ति कारणम् । यदध्येति स्वयं चापि शिष्यानध्यापयेद गुरुः । शेषस्तत्र व्रतादीनां सर्व साधारणो विधिः । (ઉપાધ્યાય શંકાનું સમાધાન કરવાવાળા, વાદી, સ્યાદ્વાદમાં નિપુણ, સુવક્તા, વાન્ બ્રહ્મ, સર્વજ્ઞ એટલે કે શાસ્ત્રસિદ્ધાંત અને આગમોના પારગામી, શબ્દ અને અર્થ દ્વારા વાર્તિક તથા સૂત્રોને સિદ્ધ કરવાવાળા હોવાથી કવિ, અર્થમાં મધુરતા આણનાર, વક્તત્વના માર્ગના અગ્રણી હોય છે. ઉપાધ્યાયના પદમાં શ્રુતાભ્યાસ મુખ્ય કારણભૂત હોય છે, કારણ કે તેઓ સ્વયં અધ્યયન કરતા હોય છે અને શિષ્યોને અધ્યયન કરાવનાર ગુરુ અર્થાત્ ઉપાધ્યાય હોય છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ જિનતત્ત્વ ઉપાધ્યાયમાં તદુપરાંત વ્રતાદિના પાલનમાં મુનિઓના જેવી જ સર્વસાધારણ વિધિ હોય છે... શ્રી પદ્મવિજયજી મહારાજે નીચેની કડીમાં ઉપાધ્યાયના વિનય ગુણનો મહિમા ગાયો છે : મારગદેશક અવિનાશીપણું આચાર વિનય સંકેત છે, સહાયપણું ધરતાં સાધુ જી નમીએ એહિ જ હેતે છે.” ઉપાધ્યાય મહારાજના ૬ર૫ ગુણમાં વિનયનો ગુણ અનિવાર્યપણે સમાવિષ્ટ હોય જ. તેમ છતાં વિનય ગુણ ઉપર સકારણ ભાર મૂકવામાં આવે છે. એમનો વિનય ગુણ એમના ગુરુ ભગવંત પ્રત્યેનો છે. એ ગુણ એમના વ્યવહાર-વર્તનમાં દિવસરાત સ્પષ્ટપણે નીતરતો અન્યને જણાય છે. એથી જ એમની પાસે સ્વાધ્યાય કરનાર મુનિઓમાં પોતાના વાચનાદાતાનો ગુણ સ્વાભાવિક રીતે જ કેળવાય છે. તેઓ વિનીત બને છે. મુનિઓ સ્વાધ્યાય કરે અને છતાં એમનામાં જો વિનય ગુણ સહજપણે ન પ્રગટે તો એમના સ્વાધ્યાયનું બહુ ફળ ન રહે. વ્યવહારમાં કહેવાય છે કે જે વડીલોને માન નથી આપતો તે બીજાઓનું માન બહુ પામી શકતો નથી. લશ્કરી જીવનમાં કહેવાય છે કે, Only those who respect their seniors can command respect from their juniors. આવશ્યક નિર્યુક્તિની ૯૦૩મી ગાથામાં “વિણયયા” શબ્દ પ્રયોજાયેલો છે. એનો અર્થ થયો વિનયનથી. વિનયન એટલે સારી રીતે દોરી જવું, સારી રીતે ભણાવવું, સારી રીતે બીજામાં સંક્રાન્ત કરવું, બીજામાં સવિશેષ પ્રત્યારોપણ કરવું. ઉપાધ્યાય મહારાજ સાધુઓને સ્વાધ્યાય કરાવીને તેમનામાં જ્ઞાનનું વિનયન કરે છે. અભયદેવસૂરિએ “ભગવતી સૂત્ર'ની ટીકામાં આ વિનયન દ્વારા ભવ્ય જીવો ઉપર ઉપાધ્યાય મહારાજના ઉપકારનું મહત્ત્વ દર્શાવ્યું છે. नमस्यता चैषां सुसंप्रदायात् जिनवचनाध्यापनतो विनयनेन भव्यानामुपकारित्वादिति । ઉપાધ્યાય મહારાજના આ વિનય અને વિનયન એ બે ગુણોને કેટલાક એક સમજે છે. જોકે એ બંને ગુણો પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે, તો પણ તે બંનેના ભિન્ન વિશિષ્ટ સ્પષ્ટ અર્થ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ પદમાં વિકાસક્રમની દૃષ્ટિએ સાધ અને ઉપાધ્યાય વચ્ચે જેટલું અંતર છે તેટલું અંતર ઉપાધ્યાય અને આચાર્ય Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪૪૧ વચ્ચે નથી. ગચ્છવ્યવસ્થાની દૃષ્ટિએ આચાર્યનું સ્થાન ચડિયાતું છે તેમ છતાં આચાર્ય અને ઉપાધ્યાય બંને ધણી બધી દૃષ્ટિએ સમાન હોય છે. કેટલીક વાર કેટલાક ગચ્છમાં આચાર્ય માત્ર એક જ હોય છે અને ઉપાધ્યાય એક કરતાં વધુ હોય છે. એટલે આચાર્યના પદને પાત્ર હોવા છતાં કેટલાક ઉપાધ્યાય જીવનપર્યત ઉપાધ્યાય જ રહે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી “શ્રી પંચપરમેષ્ઠિ ગીતા”માં ઉપાધ્યાય ભગવંત આચાર્ય ભગવંત સમાન જ છે તે દર્શાવતાં કહે છે : જે આચાર્ય પદ યોગ્ય ધીર, સુગુરુગુણ ગાજતા અતિ ગંભીર;” “સૂત્ર ભણીએ સખર જેહ પાસે તે ઉપાધ્યાય, જે અર્થ ભાસે તેહ આચાર્ય એ ભેદ લહીએ, દોઈમાં અધિક અંતર ન કહીએ.” ‘શ્રીપાલ રાસ'ના ચોથા ખંડમાં રાજા અને રાજકુંવર (યુવરાજ)નું રૂપક પ્રયોજીને ગ૭-વ્યવસ્થાની દૃષ્ટિએ “ઉપાધ્યાયના કાર્યનો મહિમા દર્શાવતાં કહેવામાં આવ્યું છે : રાજકુંવર સરીખા, ગણચિતક આચારિજ પદ જોગ; જે ઉવઝાય સદા તે નમતાં, નાવે ભવ ભય રોગ.” રાજકુંવર જેવી રીતે રાજાની અનુપસ્થિતિમાં રાજની જવાબદારી વહન કરે છે તેમ આચાર્ય ભગવંતની અનુપસ્થિતિમાં આચાર્યનું પદ પામવાને યોગ્ય એવા ઉપાધ્યાય ભગવંત ગણની–ગચ્છની ચિંતા કરતાં હોય છે. એવા ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરતાં ભવનો ભય કે ભવરૂપી રોગ આવતો નથી. શ્રી જ્ઞાનવિમલસૂરિએ પણ “નવકાર ભાસ'ના ચોથા પદમાં ઉપાધ્યાયને યુવરાજ તરીકે ઓળખાવતાં કહ્યું છે : “ચોથે પદે વિઝાયનું, ગુણવંતનું ધરો ધ્યાન રે; જુવરાજા સમ તે કહ્યા, પદિસૂરિને સૂરિ સમાન રે; જે સૂરિ સમાન વ્યાખ્યાન કરિ, પણિ નવિ ધરે અભિમાન રે; વલી સૂત્રાર્થનો પાઠ દઈ, ભવિ જીવને સાવધાન રે." Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ જિનતત્ત્વ દિગમ્બર પરંપરાના “ધવલા' ગ્રંથમાં પણ કહ્યું છે : चतुर्दशविद्यास्थानव्यापयातारः उपाध्यायाः तात्कालिक प्रवचनव्याख्यातारी वा आचार्यस्योक्ता शेष लक्षण समन्विताः संग्रहानुग्रहादिगुणहीनाः।। [ચૌદ વિદ્યાસ્થાનો વિષે વ્યાખ્યાન કરવાવાળા ઉપાધ્યાય હોય છે; અથવા તાત્કાલિક પ્રવચનો (શાસ્ત્રો) વિશે વ્યાખ્યાન કરવાવાળા ઉપાધ્યાય હોય છે. તેઓ સંગ્રહ, અનુગ્રહ વગેરે ગુણો સિવાય આચાર્યના બધા જ ગુણોથી યુક્ત હોય છે.] ઉપાધ્યાય મહારાજ શ્રુતજ્ઞાનના પારગામી હોય અને તે જ પ્રમાણે તેમનું ઉત્કૃષ્ટ સંયમમય જીવન હોય તો તેઓ અવશ્ય વધુમાં વધુ ત્રીજે ભવે મોક્ષગતિ પ્રાપ્ત કરે. જે ઉપાધ્યાય મહારાજ આ જ પ્રમાણે ગુણો ધરાવીને પછી સમયાનુસાર આચાર્યની પદવી પ્રાપ્ત કરે અને આચાર્યનો ગુણ ધરાવે તેઓ પણ અવશ્ય વધુમાં વધુ ત્રીજે ભવે મોક્ષગતિ પામે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી “શ્રીપાલ રાસમાં લખે છે : અર્થ સૂત્ર ને દાન વિભાગે, આચાર જ ઉવઝાય ભવ ત્રણ્ય લહે જે શિવસંપદ, નમિર્યો તે સુપાય.’ [પોતાના શિષ્યોને શાસ્ત્રોના અર્થ અને સૂત્રના દાન કરવાના વિભાગથી અનુક્રમે આચાર્ય અને ઉપાધ્યાય વચ્ચેનું અંતર છે. ઉપાધ્યાય સૂત્ર ભણાવે છે અને આચાર્ય તેના ગૂઢાર્થ સમજાવે છે. આચાર્ય અને ઉપાધ્યાય પોતપોતાનાં પદ અનુસાર ત્રણ ભવમાં શિવસંપદ અર્થાત્ મોક્ષસંપત્તિ મેળવનાર છે. તેઓને પ્રસન્નતાપૂર્વક નમસ્કાર કરીને તેમનો કૃપાપ્રસાદ મેળવો.]. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી “પંચપરમેષ્ઠિ ગીતામાં પણ આ વાતનો નિર્દેશ કરતાં લખે છે : સંગ્રહ કરત ઉપગ્રહ નિજ વિષયે શિવ જાય, ભવ ત્રીજે ઉત્કર્ષથી, આચારજ ઉવજઝાય; એક વચન ઈહાં ભાખ્યો, ભગવઈ-વૃત્તિ લેઈ, એક જ ધર્મિ નિશ્ચય, વ્યવહારે દોઈ ભેઈ.' ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીએ અહીં “ભગવતીસૂત્ર'ની વૃત્તિનો આધાર આપ્યો છે. એ પ્રમાણે તેમાં ઉપાધ્યાય તથા આચાર્યમાં વ્યવહારદૃષ્ટિથી ભેદ છે, નિશ્ચયદૃષ્ટિથી તો તેઓ બંને એક જ છે એવું સ્પષ્ટ પ્રતિપાદન કર્યું છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા ઉપાધ્યાય ભગવંતો શાસ્ત્રોના અધ્યયન અને અધ્યાપનના કાર્યમાં સવિશેષપણે, કર્તવ્યરૂપે મગ્ન રહેતા હોવા છતાં તેમની વ્રત-તપાદિ ક્રિયાઓમાં જરા પણ ન્યૂનતા આવતી નથી. તેઓ પોતાના શિષ્યોને, અન્ય મુનિઓને વાચના આપવા ઉપરાંત ક્રિયાઓનાં રહસ્ય પણ સમજાવતા હોય છે અને અધ્યયન કરતાં કરતાં મુનિઓ ક્રિયાની બાબતમાં પ્રમાદી ન બને તે તરફ પણ પૂરતું લક્ષ આપતા હોય છે. ઉપાધ્યાય ભગવંત સાધુમાંથી ઉપાધ્યાય થયા હોય છે એટલે સાધુ તરીકેનાં તેમનાં વ્રત-તપાદિ ચાલુ જ હોય છે અને સાધુના સત્તાવીસ ગુણોથી તો તેઓ યુક્ત હોય જ છે. પોતાના પંચાચારના વિશુદ્ધ પાલન દ્વારા તેઓએ વાચના લેતા મુનિઓ સમક્ષ એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવાનું હોય છે. ઉપાધ્યાય મહારાજ બાહ્ય બધી ક્રિયાઓ ઉપયોગપૂર્વક કરતાં હોવા છતાં અને પોતાના ગચ્છમાં સારણાદિક કર્તવ્ય કરતા હોવા છતાં તેમનું ચિત્ત સતત ધ્યાનમાં રહેતું હોય છે. તેઓ આગમોના મુખ્યાર્થ ઉપરાંત અક્ષર, પદ, વાક્ય, વાક્યસમૂહનો શો તાત્પર્યાર્થ છે, તથા તેમાં કેવાં કેવાં રહસ્યો ગૂંથીલેવામાં આવ્યાં છે તેનું મનન-ચિંતન કરતા રહેતા હોય છે. તેમનું ભાવચિંતન મૌલિક અવગાહનરૂપ, અનુપ્રેક્ષારૂપ હોય છે. તેમનો રસનો વિષય જિનેશ્વરકથિત પદાર્થોનાં રહસ્યોને પામવાનો હોય છે. એથી જ તેઓ આત્મમગ્ન હોય છે અર્થાત્ આત્મારૂપી ઘરમાં રમણ કરતા હોય છે. કહ્યું છે : ‘સારાદિક ગચ્છમાંહિ કરતાં, પણ રમતાં નિજ ઘર હો, રંગીલે જીઉરા તું તો પાઠક પદ મન ધર હો.’ ‘શ્રીપાલ રાસમાં પણ કહ્યું છે : તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે, ઉપાધ્યાય તે આતમા, જગ બંધવ, જગ ભ્રાતા રે.’ ૪૪૩ ઉપાધ્યાય ભગવંત દિવસ-રાત અન્ય ક્રિયાઓ કરતા હોવા છતાં અને સમુદાયનાં અન્ય વ્યવહારનાં કાર્યો એમણે કરવાનાં હોય તો પણ એમનું ચિત્ત તો શ્રુતશાસ્ત્રના તમામ પદાર્થોમાં સતત રમતું હોય છે. એમને માટે ઉપમા આપવામાં આવે છે કે, જેમ જલ વિના માછલી તરફડે તેમ શ્રુતશાસ્ત્ર વિના ઉપાધ્યાય મહારાજને ચેન ન પડે. શાસ્ત્રોના અધ્યયન કે અધ્યાપનનો તેમને ક્યારેય થાક ન લાગે. વસ્તુત: અધ્યયન-અધ્યાપનની વાત આવે ત્યાં તેઓ Page #15 -------------------------------------------------------------------------- ________________ જિનતત્વ ઉત્સાહમાં આવી જાય. અધ્યાપનના કાર્યનો તેમને ક્યારેય બોજો ન લાગે. દિવસરાત ક્યારેય કોઈ પણ શિષ્ય કે અન્ય કોઈ ગૃહસ્થ શંકાસમાધાન માટે આવે ત્યારે તેઓ અવશ્ય તત્પર જ હોય. એ કાર્યમાં તેઓ ક્યારેય ઉતાવળ ન કરે કે વેઠ ન ઉતારે. પૂરી ધીરજ, ખંત, શાન્તિ અને સમભાવથી તથા એટલા જ ઉત્સાહથી તેઓ પદાર્થને, તત્ત્વને, સિદ્ધાંતને સમજાવે. ક્યારેક પૂછનાર વ્યક્તિ ગુસ્સો કરે, આવેશમાં આવીને ખોટી ખોટી દલીલો કરે તો પણ ઉપાધ્યાય મહારાજ એટલા જ સમભાવથી અને ક્ષમાભાવથી, જરૂર પડે તો મધ્યસ્થ કે કરુણાભાવથી તેને સમજાવે. તેઓ પોતે કયારેય રોષે ન ભરાય કે ઉત્તર આપવાનું રોષપૂર્વક ને ટાળે. અલબત્ત, તેઓ પાત્ર જોઈને, તેની ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ એકસરખી ન હોય એટલે જે જીવે જે દશાએ હોય ત્યાંથી તેને ઊંચે ચઢાવવાની દૃષ્ટિથી પૂરા સદ્ભાવપૂર્વક તેઓ અધ્યયન કરાવે. માસતુસ મુનિનું દૃષ્ટાંત જાણીતું છે. મુનિને કશું આવડતું નહોતું અને કશું જ યાદ રહેતું નહોતું. તેમના તેવા પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મોનો ઉદય જાણીને ઉપાધ્યાય મહારાજ તેમને રાગદ્વેષ ન કરવા માટે એક જ વાક્ય ભારપૂર્વક યાદ રાખવાનું, ગોખવાનું શિખવાડે છે : “મા તુષ મા રુષ.” મુનિને આ વાક્ય પણ પૂરું યાદ રહેતું નથી અને તેઓ “માસતુસ ” ગોખે છે, પણ ઉપાધ્યાય મહારાજની શિખામણ પ્રમાણે અત્યંત ભાવપૂર્વક ગોખે છે. બીજાઓ એમની અજ્ઞાન દશાની હાંસી કરે છે, પણ મુનિ તો ગુરુ મહારાજની શિખામણ યાદ રાખીને, પોતાનામાં જ મગ્ન બનીને એવી ઊંચી ભાવપરિણતિએ પહોંચે છે કે એમને કેવળજ્ઞાન થાય છે. આમ, ઉપાધ્યાય મહારાજ પાત્રાનુસાર અધ્યયન કરાવીને યોગ્ય જીવને કેવળજ્ઞાન સુધી પહોંચાડી શકે છે. શ્રુતશાસ્ત્રનું અધ્યયન કે અધ્યાપન એ ઉપાધ્યાય મહારાજના કર્તવ્યરૂપ છે. એટલા માટે પોતાનું અધ્યયન કરવામાં અને શિષ્યોને અધ્યયન કરાવવામાં તેઓ જો પ્રમાદ સેવે અથવા મન વગર, કંટાળા કે ઉદ્વેગ સાથે તેઓ અધ્યયન કરાવે તો તેમને દોષ લાગે છે અને તેનું તેમણે પ્રાયશ્ચિત લેવું પડે છે. ઉપાધ્યાય મહારાજનો આદર્શ તો એ છે કે એમની પાસે અધ્યયન કરવા આવનારને થાક ન લાગે, પણ તેમના અધ્યયનમાં રસ, રુચિ અને વેગ વધે. શિષ્ય તરફથી આદરભાવ, પૂજ્યભાવ નૈસર્ગિક રીતે પામવો એ સહેલી વાત નથી. જ્ઞાનદાનની સાથે સાથે અપાર વાત્સલ્યભાવ હોય તો જ એ પ્રમાણે બની શકે. ઉપાધ્યાય મહારાજ શિષ્યોના શ્રદ્ધેય ગુરુ ભગવંત Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪૪૫ હોવા જોઈએ. આવા ઉપાધ્યાય મહારાજ મુર્ખ શિષ્યને પણ જ્ઞાની બનાવી છે. તેઓ પથ્થરમાં પણ પલ્લવ પ્રગટાવી શકે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રીપાલ રાસમાં લખે છે: મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પહાણને પલ્લવ આણે; તે ઉવઝાય સકલજન પૂજિત, સૂત્ર અરથ સવિ જાણે.” જૈન શાસનની પરંપરામાં શિષ્યોને વાચના આપી ઉત્સાહિત કરવામાં કિશોર વયના શ્રી વજસ્વામીનું ઉદાહરણ અદ્વિતીય છે. એમની પાસે વાચના લેનાર સાધુઓ એમના કરતાં ઉંમરમાં ઘણા મોટા હતા. કેટલાક અલ્પબુદ્ધિના કે મંદબુદ્ધિના હતા. તેઓને પણ વજસ્વામી પાસે વાચના લેતાં બધું આવડી જતું. કેટલાક શિષ્યોને ધાર્યા કરતાં ઘણા ઓછા સમયમાં સમજાઈ જતું અને યાદ રહી જતું. વજસ્વામી પાસે અધ્યયન કરાવવાની એક વિશિષ્ટ લબ્ધિ હતી. આમ ઉપાધ્યાયપદનો મહિમા ઘણો મોટો છે. ઉપાધ્યાયપદના નમસ્કારનું, જાપ અને ધ્યાનનું મહત્ત્વ શાસ્ત્રકારોએ અહીં સુપેરે સમજાવ્યું છે. શ્રી ભદ્રબાહુ સ્વામી “આવશ્યક નિર્યુક્તિ માં ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરવાનો મહિમા સમજાવતાં કહે છે : उवज्झायनमुक्कारो जीवं मोएई भवसहस्साओ। भावेण कीरमाणो होई पूणो बोहिलाभाए।। उवज्झायनमुक्कारो धन्नाणं भवक्खयं कुणंताणं। हियअं अणु-मयंतो विसोत्तियावारओ होई।। उवज्झायनमुक्कारो एक खलु वन्निओ महत्थोत्ति। जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरई बहुसो।। उवज्झायनमुक्कारो सव्वपावप्पणासणो। मंगलाणं च सब्बेसिं पढमं हवई मंगलं ।। (૧) ઉપાધ્યાય ભગવંતને કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે. વળી ભાવપૂર્વક કરાતો નમસ્કાર તો બોધિલાભને માટે થાય છે. (૨) ઉપાધ્યાય ભગવંતને કરેલો નમસ્કાર ધન્ય માણસોને માટે ભવક્ષય કરનારો થાય છે તથા હૃદયમાં અનુસ્મરણ કરાતો નમસ્કાર અપધ્યાનને Page #17 -------------------------------------------------------------------------- ________________ ४४७ જિનતત્વ નિવારનારો થાય છે. (૩) ઉપાધ્યાય ભગવંતને કરાતો નમસ્કાર મહાન અર્થવાળો હોય છે એવું વર્ણવવામાં આવે છે તથા મૃત્યુ પાસે આવ્યું હોય ત્યારે તે નમસ્કાર બહુ વાર કરાય છે. (૪) ઉપાધ્યાય ભગવંતને કરાયેલો નમસ્કાર સર્વ પાપનો વિનાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. “શ્રીપાલ રાસના ચોથા ખંડમાં ઉપાધ્યાય ભગવંત વિશે વળી કહેવાયું છે : બાવના ચંદન સમ રસવણે, અહિત તાપ સવિ ટાળે, તે ઉવઝાય નમીજે જે વલી, જિનશાસન અજુઆલે રે.' જેઓ બાવનાચંદનના રસ જવાં પોતાનાં શીતળ રસવચનો વડે લોકોના અહિતરૂપી સઘળા તાપને ટાળે છે તથા જેઓ જિનશાસનને અજવાળે છે તેવા ઉપાધ્યાય ભગવંતને ભાવપૂર્વક નમસ્કાર કરો.] ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ “નવપદની પૂજામાં ઉપાધ્યાયપદની પૂજામાં રત્નશેખરસૂરિએ ‘સિરિ સિરિવાલ કહા'માં લખેલી ગાથા આદ્યકાવ્ય તરીકે નીચે પ્રમાણે આપે છે : सुत्तत्थवित्थारणतप्पराणं, नमो नमो वायगकुंजराणं । गणस्स साधारण सारयाणं सव्वक्खणा वज्जियमं घराणं ।। સૂત્રાર્થનો વિસ્તાર કરવામાં તત્પર અને વાચકમાં કુંજર (હાથી) સમાન ઉપાધ્યાય મહારાજને નમસ્કાર કરવાનું કહેવામાં આવ્યું છે. ઉપાધ્યાય મહારાજ સૂત્ર અને તેના અર્થનો વિસ્તાર કરીને સમજાવે છે. વળી તેઓ દ્વારા સૂત્રાર્થની પરંપરા વિસ્તરતી ચાલે છે. ઉપાધ્યાય મહારાજ સૂત્રોનો અર્થ સામાન્યથી સમજાવે છે અને આચાર્ય ભગવંત વિશેષથી અર્થ સમજાવે છે. અર્થાત્ જ્યાં જ્યાં અવકાશ હોય ત્યાં તેમાં તેનાં ગૂઢ રહસ્યો પ્રકાશે છે. “પંચપરમેષ્ઠિ નમસ્કાર અને સાધનામાં પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર લખે છે, “શ્રી ઉપાધ્યાય ભગવંતનો નમસ્કાર કેવી રીતે ભાવનમસ્કાર બને છે તે જોઈએ. શબ્દ, રૂપ અને ગંધ એ જેમ અનુક્રમે શ્રોત, ચલુ અને પ્રાણના વિષયો છે, તેમ રસ અને સ્પર્શ અનુક્રમે રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના વિષયો છે અને તેનું આકર્ષણ જીવને અનાદિનું છે. તે ટાળવાના ઉપાય તરીકે અને Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા તે દ્વારા ઉપાધ્યાયના નમસ્કારને ભાવનમસ્કાર બનાવવા માટે શ્રી ઉપાધ્યાય ભગવંતોનો સ્વાધ્યાય અને તેથી ઉત્પન્ન થતો એક પ્રકારનો રસ તે બંનેનું પ્રણિધાન આવશ્યક છે. દ્વાદશાંગીરૂપ પ્રવચનનો સ્વાધ્યાય નિરંતર કરવો અને અન્યને કરાવવો એ શ્રી ઉપાધ્યાય ભગવંતનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય છે. એ સ્વાધ્યાયનો રસ અતીન્દ્રિય તૃપ્તિને આપે છે, કે જે તૃપ્તિ પરસયુક્ત ભોજનનો નિરંતર સ્વાદ કરનારને પણ કદી થતી નથી. શ્રુતજ્ઞાનના અભ્યાસથી શ્રી ઉપાધ્યાય ભગવંતોને થતી તૃપ્તિ તે અનાદિવિષયની અતૃપ્તિને શમાવનારી છે અને અતીન્દ્રિય સુપ્તિના નિરુપમ આનંદને આપનારી છે.” શ્રી રત્નશેખરસૂરિની ગાથાને અનુસરી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે : ‘દ્વાદશ અંગ સઝાય કરે છે, પારગ ધારક તાસ; સુત્ર અરથ વિસ્તાર રસિક તે, નમો ઉવજ્ઞાય ઉલ્લાસ.” વળી તેઓ ઉપાધ્યાપદનો મહિમા સમજાવતાં કહે છે : “નામ અનેક વિવેક, વિશારદ પારદ પુણ્ય; પરમેશ્વર-આણાયુત, ગુણ સુવિશુદ્ધ અગય. નમીએ શાસન-ભાસન, પતિતપાવન ઉવજઝાય, નામ જપતાં જેહનું, નવ વિધિ મંગલ થાય.” પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ આ વિષે કહે છે, ““ઉવજઝાય' શબ્દ પણ ઉશ્યોગકરણમાં તથા ધ્યાનના નિર્દેશમાં વપરાયેલો છે. અર્થાત્ શ્રી ઉપાધ્યાય ભગવંત સદા ઉપયોગી અને નિરંતર ધ્યાની હોય છે.” શ્રી રત્નશેખરસૂરિએ શ્રીપાળરાજાની કથા “સિરિ સિરિવાલ કહામાં ઉપાધ્યાયપદનું ધ્યાન ધરવાનું કહ્યું છે ? गणतित्तीसु निउत्ते सुत्तत्थज्झायणमि उज्जुते। सज्जाए लीणमणे सम्मं झाएह उवज्झाए। [ગણ(ગચ્છ-ધર્મસંઘોની તૃપ્તિ(સારસંભાળ)માં નિયુક્ત (ગચ્છની સારાવારણાદિ કરવાના અધિકારથી યુક્ત), સૂત્ર તથા અર્થનું અધ્યયન કરાવવામાં તત્પર અને સ્વાધ્યાયમાં લીન મનવાળા શ્રી ઉપાધ્યાય ભગવંતનું સમ્યફ પ્રકારે ધ્યાન કરો.] સિરિ સિરિવાલ કહામાં નીચેની ગાથાઓમાં પણ ઉપાધ્યાયપદના ધ્યાનનું મહત્વ સમજાવતાં કહ્યું છે : Page #19 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ જિનતત્વ जे वारसंगसज्झाय पारगा धारगा तयत्थाणं। तदुभय वित्थाररया ते हं झाएमि उज्झाए। मोहादि दळूनकृष्प नाण जीवाण चेयणं दिति। जे केवि नरिंदा इव ते हं झाएमि उज्झाए। अन्नाणवहि विहुराण पाणिणं सुअ रसायणं सारं। जे दिति महाविज्जा तेहं झाएमि उज्झाए। ઉપાધ્યાય ભગવંત માટે શ્રી રત્નશેખરસૂરિ વળી લખે છે : सूत्तत्थ संवेगमयं सुएणं, संनीरखीरागय विस्सुएणं । तम्हा हु ते उवज्झायराये, झाएह निच्चं पिकयप्पसाए। સિારા શુદ્ધ જલ સમાન સૂત્રમય, ખીર સમાન અર્થમય અને અમૃત સમાન સંવેગમય એવા પ્રસિદ્ધ શ્રુતજ્ઞાન વડે જે ઉપાધ્યાયરૂપી રાજા કપાપ્રસાદ આપી ભવ્યાત્માને પ્રસન્ન કરે છે તેમનું હંમેશાં ધ્યાન કરો.] શ્રત એટલે આગમસૂત્રો. એ સૂત્રો શબ્દમય છે, તેમ જ અર્થમય છે. એમાં નિરૂપાયેલા પદાર્થનો બોધ સંવેગ જન્માવે એવો છે. આવા શ્રુતજ્ઞાનના દાતા ઉપાધ્યાય મહારાજ પોતાના શિષ્યોના ચિત્તને વિશદ્ધ બનાવી એની પુષ્ટિ કરે છે. આવો કૃપાપ્રસાદ વરસાવનાર ઉપાધ્યાય મહારાજનું હંમેશાં ધ્યાન ધરવું જોઈએ. એમનું એવું ધ્યાન ધરવાથી એમના ગુણો પોતાનામાં આવે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી “શ્રી પંચપરમેષ્ઠિ ગીતામાં ઉપાધ્યાય ભગવંતના ધ્યાનથી થતા આધ્યાત્મિક અને લૌકિક લાભ વર્ણવતાં લખે છે : નિત્ય ઉવઝાયનું ધ્યાન ધરતાં, પામીએ સુખ નિજ ચિત્ત ગમતાં; હૃદય દુર્ગાન વ્યંતર ન બાધે, કોઈ વિરૂઓ ન વયરી વિરાધે.' નવપદની આરાધનામાં એટલે પંચપરમેષ્ઠિની તથા દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધનામાં શાસ્ત્રકારોએ ભિન્ન ભિન્ન રંગની સંકલનાને ઘણું જ મહત્ત્વ આપ્યું છે. પંચપરમેષ્ઠિમાં અરિહંત પદનો શ્વેત, સિદ્ધ પદનો લાલ, આચાર્ય પદનો પતિ (પીળો), ઉપાધ્યાયપદનો નીલો (લીલો) તથા સાધુ પદનો શ્યામ રંગ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ દરેકનો શ્વેત રંગ છે. આ વર્ણોની સંકલના વિશેષત: ધ્યાતા-ધ્યાનની દૃષ્ટિએ કરવામાં આવી છે અને Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪૪૯ તેમાં વિશિષ્ટ પ્રયોજન રહેલું છે. સામાન્ય અનુભવની એ વાત છે કે આંખ બંધ કરીને કોઈ પણ એક પદાર્થનું ધ્યાન ધરીએ તો આંખ બંધ થતાં જ શ્યામ વર્ણ દેખાય છે. પછી ધીમે ધીમે નીલો વર્ણ, પછી પીળો વર્ણ અને પછી શ્વેત વર્ણ દેખાય છે. ધ્યાનમાં બહુ સ્થિર થતાં બાલસૂર્ય જેવો, તેજના ગોળા જેવો લાલ વર્ણ દેખાય છે. પંચપરમેષ્ઠિમાં છેલ્લું પદ સાધુનું છે. ત્યાંથી જીવે ઉત્તરોત્તર ચઢતાં ચઢતાં સિદ્ધ દશા સુધી પહોંચવાનું છે. એટલા માટે રંગનો ક્રમ એ પ્રમાણે આપવામાં આવ્યો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ આત્માના જ ગુણો હોવાથી તેનો શ્વેત વર્ણ રાખવામાં આવ્યો છે. ઉપાધ્યાયપદનો રંગ નીલો છે. વીજળીના બે તાર અડતાં તેમાંથી ઝરતા તણખાનો જેવો ભૂરી ઝાંયવાળો લીલો રંગ હોય છે તેવા રંગથી માંડીને પાસના લીલા રંગ જેવા લીલા રંગ સુધીના રંગ હોય છે. નીલમણિની પ્રભા પણ શીતળ, નયનરમ્ય અને મનોહર હોય છે. ઉદ્યાનની હરિયાળી વનરાજિ પોતે પ્રસન્ન હોય છે અને જોનારને પણ પ્રસન્ન કરી દે છે. હરિયાળાં વૃક્ષો પોતાના આશ્રયે આવનારનો શ્રમ હરી લે છે અને તેમને શીતળતા, પ્રસન્નતા અર્થે છે. તેવી રીતે ઉપાધ્યાય ભગવંત પોતે હંમેશાં ઉપશાંત અને પ્રસન્ન હોય છે તથા તેમના સાન્નિધ્યમાં આવનારને તેઓ શાંત અને પ્રસન્ન કરી દેતા હોય છે. ઉપાધ્યાય ભગવત પાસે ભવનો ભય અને થાક ઊતરે છે, શંકાનું સમાધાન થાય છે અને તે થતાં પ્રસન્નતા અનુભવાય છે. મંત્રશાસ્ત્રમાં અંતરાયો, ઉપદ્રવો કે અશિવના નિવારણ માટે નીલ વર્ણ(લીલા રંગોનું ધ્યાન ધરવાનું વિધાન છે. ઉપાધ્યાય ભગવંત જ્ઞાનના આવરણને કે અંતરાયને દૂર કરવામાં સહાયભૂત થાય છે. એટલા માટે એમનું ધ્યાન લીલા વર્ણ સાથે કરવાનું કહેવામાં આવ્યું છે મંત્રશાસ્ત્રમાં (જૈન, હિંદુ અને બોદ્ધ એ ત્રણેમાં બતાવ્યા પ્રમાણે આ વિશ્વમાં મુખ્ય પાંચ તત્ત્વો છે. આ પંચ મહાભૂત છે : (૧) પૃથ્વી, (૨) જલ, (૩) વાયુ, (૪) અગ્નિ અને (૫) આકાશ. વર્ણમાલાના પ્રત્યેક વર્ણ (અક્ષર) સાથે કોઈ ને કોઈ તત્ત્વ સંકળાયેલું છે. મંત્રમાં વર્ણાક્ષરો હોય છે. એટલે મંત્રોચ્ચારની સાથે આ તત્ત્વોનું સૂક્ષ્મ અનુસંધાન થાય છે. નવકારમંત્રમાં પણ એ રીતે એના અક્ષરો સાથે આ પાંચે તત્ત્વો સંકળાયેલાં છે. મંત્રવિદો બતાવે છે તે પ્રમાણે નવકારમંત્રના “નમો” એ બે અક્ષરો ઉચ્ચારતાં આકાશ તત્ત્વ સાથે અનુસંધાન થાય છે. “નમો ઉવક્ઝાયણ’ એ પદનો ઉચ્ચાર કરતી વખતે નમો Page #21 -------------------------------------------------------------------------- ________________ ૪૫o જિનતત્ત્વ = આકાશ, ઉ = પૃથ્વી; વ = જલ; ઝા = પૃથ્વી અને જલ; યા = વાયુ અને ણ = આકાશ – એ પ્રમાણે તત્ત્વો સાથે અનુસંધાન થાય છે. મંત્રશાસ્ત્રને જ્યોતિષશાસ્ત્ર સાથે સંલગ્ન કરવામાં આવે છે. પોતાને જે જે ગ્રહ નડતો હોય તેની આરાધના માટે જુદા જુદા મંત્રોનું વિધાન છે. મંત્રવિદોએ નવકારમંત્રનો પણ એ દૃષ્ટિએ પરામર્શ કર્યો છે અને ઉપાધ્યાયપદનો મંત્ર “ૐ હ્રીં નમો ઉવઝાયાણં' બુધના ગ્રહની શાંતિ માટે ફરમાવ્યો છે. નવપદની આરાધનામાં, શાશ્વતી આયંબિલની ઓળીની વિધિ સહિત તપશ્ચર્યામાં ચોથા દિવસે ઉપાધ્યાયપદની આરાધના કરવાની હોય છે. ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણ હોય છે. એટલે એ દિવસે સવારે પ્રતિક્રમણ પછી લોગસ્સનો કાઉસગ્ન કરવાનો હોય છે. ત્યાર પછી જિનમંદિરે જઈ પચીસ સાથિયા કરવાના, પચીસ ખમાસણાં દેવાનાં, પચીસ પ્રદક્ષિણા કરવાની અને “ ૐ હ્રીં નમો ઉવક્ઝાયાણં'ની વીસ નવકારવાળી ગણવાની હોય છે. ખમાસણા માટે નીચે પ્રમાણે દુહો બોલવાનો હોય છે ? તપ સઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગજાતા રે.' પ્રત્યેક પ્રદક્ષિણા અને ખમાસણા પછી નમસ્કાર કરતી વખતે ઉપાધ્યાયપદના એક એક ગુણના નિર્દેશ સાથે નમસ્કાર કરાય છે, જેમ કે “શ્રી આચારાંગ સત્ર પઠન ગુણયુક્તાય શ્રી ઉપાધ્યાય નમ:' આ રીતે અગિયાર અંગ અને ચૌદ પૂર્વ એમ મળીને પચીસના નિર્દેશ સાથે દુહા તથા ખમાસણાપૂર્વક નમસ્કાર કરાય છે. ઉપાધ્યાયપદનો રંગ લીલો હોવાથી જેઓ તે દિવસે એક ધાનનું આયંબિલ કરવાની ભાવના ધરાવતા હોય તેઓ આયંબિલમાં મગની વાનગી વાપરે છે. પચીસ સાથિયા કર્યા પછી જે ફળ-નૈવેદ્ય મૂકવામાં આવે છે તેમાં પોતાની શક્તિ અનુસાર લીલા વર્ણનાં ફળ-નૈવેદ્ય મૂકી શકે છે. શક્તિસંપન્ન શ્રીમંતો પચ્ચીસ મરકતમણિ પણ મૂકી શકે છે. ચોખાના સાથિયાને બદલે મગના સાથિયા પણ તે દિવસે કરી શકાય છે. ઉપાધ્યાય પદની આરાધના કરનારને તે દિવસે એવી ભાવના ભાવવાની Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદની મહત્તા ૪પ૧ હોય છે કે ઉપાધ્યાય ભગવંતની જેમ હું પણ શાસ્ત્રોનું પઠન-પાઠન કરાવવાની શક્તિ પ્રાપ્ત કરું અને જ્ઞાનાન્તરાય કર્મનો ક્ષય કરી સિદ્ધ-બુદ્ધ-મુક્ત બનું.” આમ પંચપરમેષ્ઠિમાં ઉપાધ્યાયપદનો મહિમા પણ ઘણો મોટો છે. સાધુના પદમાંથી ઉપાધ્યાયના પદ સુધી પહોંચવાનું પણ જો એટલું સરળ ન હોય તો ઉપાધ્યાયનું પદ ઔપચારિક રીતે પ્રાપ્ત કર્યા પછી એ પદને સાર્થક કરવું એ કેટલી બધી દુષ્કર વાત છે તે સમજાય છે. એટલે જ જૈન શાસનની પરંપરામાં પોતાને મળેલા ઉપાધ્યાયના પદને ઉજ્જવળ કરનારી વિભૂતિઓ કેટલી વિરલ છે ! શ્રી હીરવિજયસૂરિના શિષ્ય સત્તરભેદી પૂજાના રચયિતા, કુંભારનું ગધેડું ભૂકે ત્યારે કાઉસગ્ગ પારવાનો અભિગ્રહ ધારણ કરનાર અને તેથી આખી રાત ઊભા ઊભા કાઉસગ્ગ ધ્યાનમાં એ પૂજાની રચના કરનારા શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાયનું નામ કેટલું બધું પ્રેરક છે ! એ જ પ્રમાણે શ્રી હીરવિજયસૂરિના શિષ્યો ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્રજી અને ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રજી ગીતાર્થ પ્રભાવક ઉપાધ્યાય હતા. અનેક રાસકૃતિઓના રચયિતા ઉપાધ્યાય શ્રી સમયસુંદરજી, ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી, ઉપાધ્યાય શ્રી માનવિજયજી, ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી, ઉપાધ્યાય શ્રી સિદ્ધિચંદ્રજી તથા ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજીનાં નામ પણ શાસનપ્રભાવકોમાં સુપરિચિત છે. તદુપરાંત શ્રીપાલ રાસ' અને પુણ્યપ્રકાશના સ્તવનના રચયિતા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, ઉપાધ્યાય દેવચંદ્રજી મહારાજ વગેરે મહાન ઉપાધ્યાય ભગવંતો જૈન શાસનમાં થઈ ગયા છે. આ બધા ઉપાધ્યાયોમાં જેમણે સંસ્કૃત, અર્ધમાગધી અને ગુજરાતીમાં અનેક રચનાઓ આપી છે અને ત્રણ ત્રણ ચોવીસીઓની રચના કરી છે એવા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનું નામ શિરમોર સમાન છે. જેમનું સાહિત્ય રસ અને ભારપૂર્વક વાંચતાં જેમના ચરણમાં મસ્તક સહજપણે પુણયભાવથી નમી પડે છે એવા ઉપાધ્યાય-મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે તો ઉપાધ્યાયપદને ઘણું બધું ગૌરવ અપાવ્યું છે. “ઉપાધ્યાયજી મહારાજ' એટલું બોલતાં જ એ શો શ્રી યશોવિજયજી માટે વપરાય છે એવી તરત પ્રતીતિ થાય છે, કારણ કે ઉપાધ્યાય શબ્દ એમના નામના પર્યાયરૂપ બની ગયો છે. આમ, ઘણા બધા ઉપાધ્યાય ભગવંતો થઈ ગયા છે કે જેમણે જૈન શાસનને દીપાવ્યું છે. વસ્તુત: શાસનની પરંપરા જ્ઞાનદાનમાં અદ્વિતીય એવા Page #23 -------------------------------------------------------------------------- ________________ ૪પર જિનતવ ઉપાધ્યાય ભગવંતો દ્વારા જ સારી રીતે ચાલી શકે છે. એટલા માટે જ તેમને શાસનના સ્થંભભૂત તરીકે ઓળખાવવામાં આવ્યા છે. આમ આચાર્ય નહિ પણ આચાર્ય જેવા, આચાર્ય ભગવંતને સહાયરૂપ, શ્રુતજ્ઞાનરૂપી રસાયન દ્વારા શિષ્યોને માતૃસમ વાત્સલ્યભાવથી સુસજ્જ કરી શ્રુતપરંપરાને ચાલુ રાખનાર, ક્ષમા, આર્જવ, માર્દવ ઇત્યાદિ ગુણોથી યુક્ત, નિરાકાંક્ષી, નિરભિમાની, પચીસ-પચીસી જેટલા ગુણોથી યુક્ત એવા ઉપાધ્યાય ભગવંત જિનશાસનના આધારસ્થંભરૂપ છે. જૈન દર્શનમાં ઉપાધ્યાય ભગવંતનો આદર્શ ઘણો જ ઊંચો રહ્યો છે. એથી પંચપરમેષ્ઠિમાં, નવકારમંત્રમાં ઉપાધ્યાય - વિઝાય ભગવંતનું સ્થાન અધિકારપૂર્વક યથાર્થ સ્થાને રહેલું છે. એમને જપ-તપ-ધ્યાનપૂર્વક કરાયેલો સાચો નમસ્કાર ભવભ્રમણ દૂર કરવામાં, મોક્ષપ્રાપ્તિમાં અવશ્ય સહાયરૂપ બને છે.