Page #1
--------------------------------------------------------------------------
________________
કૃપાળુદેવ (શ્રીમદ્ રાજચંદ્રજીના) કુટુંબીઓ અને જીવનની જાણવા જેવી
અલૌકિક ઘટનાઓ.
નીચે લખેલી વિગતો (૧) જીવનસાધના (૨) શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન અને આપ્તજનો (૩) શ્રી લઘુરાજ સ્વામીના ઉપદેશામૃત (૪) જીવનદર્શન વગેરે પુસ્તકોમાંથી સંકલન કર્યું છે.
આપ્તજન
વિગત નામ | રાયચંદભાઈ રવજીભાઈ મહેતા (જન્મથી નામ લક્ષ્મીનંદન રાખેલ, સં. ૧૯૨૮માં નામ
બદલ્યું.) જન્મ સ્થળ | વવાણિયા, સં. ૧૯૨૪, કાર્તિક સુદ ૧૫, રવિવાર, તા. ૧૦-૧૧-૧૮૬૭, રાત્રે ૨ વાગે. દેહવિલય રાજકોટ, સં. ૧૯૫૭, ચૈત્ર વદ પાંચમ, મંગળવાર, તા. ૯-૪-૧૯૦૧, નર્મદા મેન્શન,
હાલનું નામ અનંતસુખ-ધામમાં સંઘરણી રોગ થવાથી, વઢવાણ કેમ્પમાં પડાવેલ ઊભા કાઉસ્સગ મુદ્રાના ફોટાની જેમ કાઉસ્સગ મુદ્રામાં કોચ પર સૂતા રહી પાંચ કલાક (૭. ૪૫ થી ૨ વાગ્યા સુધી) સમાધિમાં રહ્યા. બપોરે બે વાગે દેહ છોડ્યો. રાજકોટની સ્મશાનભૂમિના ડોસાભાઇના વડના પાસે આજી નદીના કિનારે અગ્નિદાહ આપ્યો
હતો. આ સ્થળે સમાધિમંદિર બનાવેલ છે. માતાજી દેવબાઈ, તેમનું બીજું નામ મોંઘીબેન હતું. તેઓ માળિયાના રાઘવજીભાઈ શાહના
પુત્રી હતા. તેઓ જૈન હતા. તેઓ કપાળદેવના દેહવિલય સમયે હાજર હતા. પિતાજી રવજીભાઈ પંચાણભાઈ મહેતા, જન્મ સં. ૧૯૦૨માં થયો હતો. સ્થાનકવાસી જૈન
હતા. તેમને બે પુત્રો રાયચંદભાઈ અને મનસુખભાઈ, તેમજ ચાર પુત્રીઓ શિવકોરબેન, મેનાબેન, ઝબકબેન અને જીજીબેન હતા. તેઓ કૃપાળુદેવના દેહવિલય
સમયે હાજર હતા. દાદાજી | પંચાણભાઈ મહેતાના પિતાજી શ્રી દામજીભાઈ પીતાંબરભાઈ, મોરબી નજીકના
માણેકવાડામાં પૈસેટકે ખૂબ સુખી હતા. શ્રીકૃષ્ણ ભક્ત હતા. તેમની પત્નીનું નામ
ભાણબાઈ હતું. તેમણે સં. ૧૮૯૨માં વવાણિયા આવી મકાન લીધું. આ મકાનમાં
| કૃપાળુદેવનો જન્મ થયો, ત્યારે તેઓ ૮૮ વર્ષના હતા. ૯૮મા વર્ષે ગુજરી ગયા. ભાઈ-બહેન મનસુખભાઈ એક ભાઈ અને ચાર બહેન શિવકોરબેન, મેનાબેન, ઝબકબેન અને
જીજીબેન હતાં. મનસુખભાઈ મનસુખભાઈનો જન્મ સં. ૧૯૩૩માં થયો હતો. દેહાંત સં. ૧૯૮૦માં રાજકોટમાં થયો
હતો. તેમની પત્નીનું નામ પણ ઝબકબેન, પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુરજબેન હતું. કૃપાળુદેવ સં. ૧૯૫૨ના દ્વિતિય જેઠ સુદ ૧ના દિવસે ભાગીદારીમાંથી
છૂટા થયા અને ધંધો મનસુખભાઈને નામે કરી દીધો. પત્ની ઝબકબેન, શ્રી પોપટભાઈ જગજીવનભાઈ (રેવાશંકર જગજીવનભાઈના મોટાભાઈ)
ઝવેરીના પુત્રી, રાજકોટ. તેમના લગ્ન સં. ૧૯૪૪ના મહા સુદ ૧૨ના થયાં. ત્રંબકભાઈ તેમના ભાઈ હતા. કૃપાળુદેવના દેહાંત બાદ સં. ૧૯૭૦માં ખંભાતમાં દેહ છોડયો.
તેઓ કૃપાળુદેવના દેહવિલય સમયે હાજર હતા. પુત્ર-પુત્રી | (૧) છગનભાઈ (૨) જવલબેન (૩) કાશીબેન (૪) રતિલાલભાઈ. છગનભાઈ | (૧) છગનભાઈ, જન્મ સં. ૧૯૪૬ના મહા સુદ ૧૨ના મોરબીમાં થયો હતો. દેહાંત સં.
૧૯૬૫ના ચૈત્ર વદ ૨ ના બુધવારના સવારના ૭ વાગે, ૨૦ વર્ષની ઉંમરે ક્ષય રોગથી મોરબીમાં થયો. કૃપાળુદેવ છ વર્ષની ઉંમરથી તેમને છગનશાસ્ત્રી નામથી બોલાવતા. તેમને કૃપાળુદેવ તરફ ખૂબ બહુમાન અને ભક્તિ હતાં. તેમની ઉંમરના પ્રમાણમાં ખૂબ
Page #2
--------------------------------------------------------------------------
________________
સમજદાર હતા. તેમણે છગનલાલ મનસુખલાલ નામથી પેઢી શરૂ કરેલ, પણ બાર માસમાં જ તેમનો દેહાંત થયો. શ્રીમદ્ રાજચંદ્ર (વચનામૃત) ગ્રંથના કયા પૃષ્ઠ ઉપર કયો વિષય છે, તે તેમને જીવઠાગ્રે હતું. દેહત્યાગના આઠ-દસ દિવસ પહેલાં કહ્યું, “અમદાવાદથી ફોનોગ્રાફી મંગાવો, એમાં બાપુનાં રચેલાં કાવ્યો ઉતારેલાં છે.” (શ્રીમદ્ રાજચંદ્રના આત્મા સંબંધીના કાવ્યો સાંભળવાની જ વૃત્તિ હતી.) જીવનના છેલ્લા
સમયે કૃપાળુદેવનો ફોટો તેમની સામે રાખતા. જવલબેન (૨) જવલબેન (જયાબેન), જન્મ સં.૧૯૫૦ના કારતક સુદ ૫, જ્ઞાનપંચમીના થયો
હતો. તેમનો દેહાન્ત તા.૮-૩-૧૯૭૮ બુધવારે સવારના ૯ વાગ્યા આસપાસ માટુંગા, મુંબઈ (તેમનાં લગ્ન સં. ૧૯૬૬માં શ્રી ભગવાનદાસભાઈ રણછોડભાઈ ધારશીભાઈ મોદી સાથે થયાં હતાં. તેમણે રાજ-જન્મભુવન બનાવવામાં ખૂબ ઉત્સાહ સાથે મોટો નાણાંકીય ફાળો આપ્યો હતો. ત્યારબાદ રાજ-જન્મભુવનની અને વવાણિયા આવતા દરેક મુમુક્ષુની ખૂબ ખંતથી સારસંભાળ રાખતાં. તેમના ત્રણ પુત્રોનાં નામ
બુદ્ધિધનભાઈ, પ્રફુલભાઈ અને મનુભાઈ હતાં. કાશીબેન (૩) કાશીબેનનો જન્મ સં. ૧૯૫૨માં થયો હતો. દેહાંત સં. ૧૯૮૦માં ૨૮ વર્ષની વયે
થયો. માતુશ્રી જેવાં દેખાતાં હુતાં. તેમનાં લગ્ન શ્રી રેવાશંકર ડાહ્યાભાઈ સંઘવી સાથે
થયાં, તેમના બે દીકરાના નામ નગીનભાઈ અને પ્રવિણભાઈ. રતિલાલ || (૪) રતિલાલ, જન્મ સં. ૧૯૫૪માં થયો હતો. દેહાંત ૧૨ વર્ષની ઉંમરે થયો. બનેવી
શ્રી ચત્રભુજ બેચ૨ અને શ્રી ઠાકરશીભાઈ મહેતા, શ્રીમદ્જીના બનેવી હતા. સગાં | શ્રી રેવાશંકરભાઈ અને ડો. પ્રાણજીવનભાઈ, શ્રીમદ્જીના કાકાજી-સસરા હતા. શ્રી સંબંધીઓ રેવાશંકર અને શ્રી માણેકલાલ તેમના ભાગીદાર હતા. ગાંધીજી શ્રી મોહનલાલ કરમચંદ ગાંધી (મહાત્માજી), એક વર્ષ દસ મહિના નાના હતા. જન્મ
સં. ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ના. કૃપાળુદેવ સાથે તેમનો પરિચય સં. ૧૯૪૭માં, સને
૧૮૯૧ના જુલાઈ માસમાં થયો હતો. વેબ સાઈટ ઉપર વધુ જોવું. રાજ વવાણિયામાં, સં. ૧૯૯૭ના આસો સુદ દસમ (વિજ્યા દસમી) ના વકીલ શ્રી જન્મભૂવન રામજીભાઈ માણેકચંદ દોશી એ શિલારોપણવિધિ કરી. આ સ્થળ માટે જવલબેન અને
શ્રી ભગવાનદાસભાઈ મોદીએ ખૂબ ઉત્સાહ સાથે મોટો નાણાંકીય ફાળો આપ્યો હતો. આ ભવનમાં, સર્વશ્રી સોભાગભાઈ, બ્રહ્મચારીજી (મૂળ નામ ગોવર્ધનદાસ કાળિદાસ પટેલ), પૂજયશ્રી લલ્લુજીસ્વામી, પૂજયશ્રી કાનજીસ્વામી, મહાત્મા ગાંધી, તેમના કુટુંબીઓ, ઝબકબા, મનસુખભાઈ છગનભાઈ, જવલબેન, ભગવાનદાસ મોદી, કાશીબેન, જાતિ-સ્મરણ થયું તે બાવળના ઝાડ વાળો, મુનિ સમાગમ વાળો, ઉપરાંત
બીજા ફોટા રાખ્યા હતા. ધરતીકંપને કારણે હાલ આ ભવન ફરીથી બંધાય છે. વિવાણિયા | વાણિયા, સૌરાષ્ટ્રમાં મોરબી પાસે દરિયા કિનારે નાનું ગામ છે, ત્યાં સ્થાનકવાસી
જૈન ધર્મ પાળનાર ઘણા લોકો હતા. અહીં જન્મભુવનમાં કુપાળુદેવના વપરાશની ચીજ, વસ્ત્રો, ઘોડીયું વગેરે રાખેલ છે. (ધરતીકંપને કારણે હાલ આ બધું નવું ભવન ફરીથી બંધાય ત્યાં સુધી અગાસ આશ્રમમાં રાખેલ છે.) જે બાવળના ઝાડ પર કૃપાળુદેવને જાતિસ્મરણ જ્ઞાન થયું તે બાવળનું થડ સ્મશાનભૂમિ પાસે છે, બાજુમાં જ્ઞાન પ્રકાશ મંદિર બનાવેલ છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
જે સંયોગો દુખિયે,
૬૪
ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪
તે તે અનુભવ દૃશ્યા
આત્મસિદ્ધિ શાસ્ત્ર
પ્રેમજી
શાવવાન જન્મ ૧૯૨૧ જેઠ સુ. ૨ ભુજ બેચર-તપુર
છગનઈ જન્મ ૧૯૪૬
માહ સુદ ૧૩ મરણ ૧૯૬૫ ચૈત્ર વદ ૨
શ્રેણી:બોન દિવાળીતેન કાશીબહેન
યુવાનભા પ્રફુલ્લભાઈ મનુભાઈ
1 ઓધવજી
' જવલબહેન
જન્મ ૧૯૪૮ ભગવાનવાલ
રાઇ દાસ મોદી મરણ ૨૦૬ કા. નં. ૮ કરાંચી મુકામે 1
(બધાં હયાત છે)
અંબા મહેતા
1 પતાંબર
દામજીભાઈ
1
પંચાણભાઈ ૧૯૯૨ માં વણિકા આવ્યા |
૧૮૩૬-૧૯૩૪ ૧૯૮ વર્ષ) ભાણબાઈ (૯૦ વર્ષ) *
જાનબાઈ કાનજી મહેતા મારી
૨૧૯૧૦
શ્રીમાં રાજ્ય જન્મ ૧૯૨૪ ડી. સુ. ૧૫ મરણ ૧૯ 9 રી, વદ ૫ ઝબકબાઈ મરણ ૧૯૬૯ આસ !
મીનાબહેન જન્મ ૧૯૨૭ ભા. સુ. ૧૨ ટોકરી પિતાંબર કચ્છ અંજાર
T
।
હેમચંદભાઈ બોલાવ્ય V 3 મરણ ૨૦૦૬ ૪ (શ્ચયાત છે)
1 કાશીબહેન
૪-૫ ૧૯૫૮
મરણ ૧૯૮૨ રંભાઈ સંઘવી
મારો
માણવડા સરબી પાસે
વજીભાઈ મહેતા
૧૯૦૨ મહ-૧૯૬૯ દેવબાઈ . મરણ-૧૯૭૫ 3 I
પ્રવીણભાઈ વિદ્યુતન (બી મુકાય છે.
લીલાબહેન
શાંતાબહેન
નગીનભાઈ
વિનાશભાઈ
જન્મ ૧૯૫૨
ભા મરણ નાની ઉંમરે મનુભાઈ
બહેન r•ન્મ ૧૯૩
અષાઢ સુ. ૫ જસરાજ દેશો
--
ગુભાઇ મેહનભાઈ
પ્રેમ રાજાનું નાનુભ
જ: જાનબાઈ
४
હીરજ
પ્
''
મગનભાઈ
(૪ ભાઈ ને ૩ બહેનો હયાત છે)
લક્ષ્મીચંદ
મનસુખભાઈ જન્મ ૧૯૩૩ ૨ સુ. ૧૩ કરણ ૧૯૮૦ ગમ કબ છે. દીક્ષિત પર્ણ છે.
1
બહેન જન્મ ૧૯૩૬
૨. સું. ૧૬ ઝવેરચંદ મલુક
સાયલવાળો
1
Ti
1 !
દિવાળીબોન સૂરોન સુમન ખેંચવામાં કાબહેન કાશીબહેન (બન્ને હયાત છે) (બન્ને હયાત છે) સૂરજબહેન
શ્રીમદ રાજ્યદ્ર અને રાનાન્દી દિન સં. ૨૦૦૭ ચૈત્ર વદી ૫ ગુરુવાર તા. ૨૬-૪-૫૧
FROM: CHITRABHANUL FAMILY
FAX NO.: 212 5346090
Aus. 16 2000 04:57PM 1
Page #4
--------------------------------------------------------------------------
________________
જીવનદર્શન
શ્રીમદ્ રાજચંદ્રજીની જીવન કથાનાં પુસ્તકો, સચિત્ર(એનીમેટેડ) પુસ્તકો, VDO, CD, વિગેરે, ઘણાં સ્થાન અને ઘણી સંસ્થાઓએ પ્રકાશન કર્યુ છે. વધુ જાણકારી માટે વેબ સાઇટ જુઓ. શ્રીમદ્ રાજચંદ્રજીની જીવન કથાનાં કેટલાક પ્રસંગ નીચે લખ્યા છે.
વર્ષ ૭
८
૯
૧૦
૧૩
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૨
૨૩
૨૪
૨૫
જન્મ, વવાણિયામાં સં. ૧૯૨૪, કાર્તિક સુદ ૧૫, રવિવાર તા. ૧૦-૧૧-૧૮૬૭ રાત્રે ૨ વાગે. શ્રી અમીચંદભાઇના અગ્નિસંસ્કાર વિધિ જોતાં, જાતિસ્મરણ જ્ઞાન થયું, અને પૂર્વ ભવો સ્મરણમાં આવ્યા. સાત વર્ષ પછી સ્કૂલમાં કેળવણી માટે બેસાડયા.
૫,૦૦૦ કડીઓનો નેમિરાજ નામનો કાવ્યગ્રંથ છ દિવસમાં રચેલો. આ રચના અપ્રાપ્ય છે.
રામાયણ અને મહાભારત ૫ધમાં રચ્યાં.
જ્ઞાન ધારા ઉલશી. શ્રી ધારશીભાઈ ન્યાયાધીશ સાથે મોરબી જતાં ઓળખ થઈ. કૃપાળુદેવને કોઈ વ્યક્તિ મળવા આવે છે અને શા માટે આવે છે તેની ૧૦ વર્ષની વયથી ખબર પડતી હતી.
અંગ્રેજી ભણવા રાજકોટ ગયા. ૧૩ વર્ષ પૂરાં થયે પિતાજીની દુકાને બેઠા. અવધાન કરવાની શક્તિ બહાર જાણમાં આવી. પુષ્પમાળા, ભાવનાબોધ લખ્યાં. મોક્ષમાળા, સોળ વર્ષને પાંચ માસની ઉંમરે, સં. ૧૯૪૦માં, મોરબીમાં શ્રી પોપટભાઈ દફતરીની વિનંતીથી ૩ દિવસમાં લખી હતી અને સં. ૧૯૪૪માં છપાવી હતી. સાતસો મહાનિતિ લખી. જામનગરમાં ૧૨ અને બોટાદમાં ૧૬ અવધાન કર્યા. “હિંદના હીરા” અને “સાક્ષાત્ સરસ્વતી ” નું બિરુદ મળ્યું. અદ્ભૂત વૈરાગ્યધાર રે.
મુંબઈમાં સતાવધાન કર્યા, અલૌકિક સ્પર્શેન્દ્રિયશક્તિ હતી તેમજ ૨સોઈ જોઈ મીઠું ઓછું વત્તું કહી આપતા. શ્રી રેવાશંકર ઝવેરી રાજકોટમાં વકીલ હતા. ધંધામાં ભાગ્ય સારું છે તેવા કૃપાળુદેવના ભવિષ્ય કથનથી મુંબઈમાં સં. ૧૯૪૫માં તેમણે હીરામોતી, ઝવેરાતનો ધંધો, રેવાશંકર જગજીવન ઝવેરી નામથી ભાગીદારીમાં શરૂ કર્યો, તેમના ભાગીદારો, રેવાશંકરભાઈ, માણેકલાલ ઝવેરી હતા, સં. ૧૯૪૮માં, નગીનચંદ કપુરચંદ અને છોટાલાલ લલ્લુભાઈ જોડાયા. (સં. ૧૯૫૨ના દ્વિતિય જેઠ સુદ ૧ના દિવસે ભાગીદારીમાંથી છૂટા થયા અને તે મનસુખભાઈના નામે કરી દીધો.)
લગ્ન, સં. ૧૯૪૪ના મહા સુદ ૧૨નાં, શ્રી પોપટભાઈ જગજીવનભાઈની પુત્રી ઝબકબેન સાથે રાજકોટમાં થયાં. અવધાન કરવાનું બંધ કરી દીધું.
શુદ્ધ સમકિત પ્રગટયું.
સં. ૧૯૪૭, ઇ. સ. ૧૮૯૧ના જૂનમાં મહાત્મા ગાંધીજી સાથે ઓળખાણ થઈ. “બિના નયન પાવે નહિ” મુંબઈમાં લખ્યું. (પત્ર–૨૫૮). સં. ૧૯૪૭ના પર્યુષણ ૫૨ કૃપાળુદેવ સાથે ૨ાળજમાં શ્રી સોભાગભાઈ હતા ત્યારે, ભાદરવા સુદ ૮ના “હે પ્રભુ, હે પ્રભુ” (પત્ર-૨૬૪), “યમ નિયમ સંજમ આપ કિઓ” ( પત્ર-૨૬૫ ), “જડ ભાવે જડ પરિણમે ” (પત્ર-૨૬૬ ) અને તે સમયમાં જ “જિનવ૨ કહે છે જ્ઞાન તેને” (પત્ર-૨૬૭) લખેલ.
સં. ૧૯૪૬માં, શ્રી સોભાગભાઇને મોરબીમાં, અને મુનિશ્રી લલ્લુજીનો ખંભાત સમાગમ થયો.
સં. ૧૯૪૭માં, શુધ્ધ સમકિત પ્રકાશ્યું. જયોતિષનો ત્યાગ. મહાત્મા ગાંધી મુંબઇમાં
મળ્યા.
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
૩૪
સં. ૧૯૫૦માં, શ્રી લલ્લુજી મુનિની વિનંતીથી છ પદનો પત્ર મુંબઇથી લખી મોકલ્યો હતો, સાથે લખેલ કે, “દેહ છૂટવાનો ભય કર્તવ્ય નથી”, તેમજ મહાત્મા ગાંધીજીએ પૂછાવેલા ૨૭ સવાલના ઉત્તર આપ્યા.
સં. ૧૯૫૨, સર્વસંગપરિત્યાગનો સંકલ્પ, સં. ૧૯૫૨ના દ્વિતિય જેઠ સુદ ૧ના દિવસે ભાગીદારીમાંથી છૂટા થયા અને મનસુખભાઈના નામે કરી દીધો. શ૨દપૂર્ણિમાના બીજા દિવસની રાત્રે નડિયાદમાં એકજ બેઠકે દોઢ કલાકમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર લખ્યું.
સં. ૧૯૫૩ના વવાણિયામાં માતુશ્રીની બીમારીમાં સેવા કરતાં ૨૧ કડીની અનન્ય “અપૂર્વ અવસ૨”ની રચના કરી. શ્રી સોભાગભાઇને સાયલા, ઇડ૨માં બોધ આપ્યો, પરિણામે આત્મદર્શન થયું.
નડિયાદના શ્રી મોતીલાલ ભાવસારના પત્ની આઠમે ભવે મોક્ષ પામવાનાં છે, તેમ કૃપાળુદેવે કહ્યું. શ્રી કલ્યાણભાઈ અને શ્રી ખીમજીભાઈને કહેલ કે, “અમને ૮૦૦ ભવનું જ્ઞાન છે.” ( કેટલાંક સ્થળે ૯૦૦ ભવનું જ્ઞાન હતું તેમ લખેલ છે) તેઓ મહાવીરના છેલ્લા શિષ્ય હતા, તે વખતે કંઈક (લઘુ શંકા જેટલા) પ્રમાદથી આટલા ભવ કરવા ( પડયા. મૂનિશ્રી લલ્લુજીને વસોમાં આત્મદર્શન કરાવ્યું.
સ્ત્રી, પુત્રાદિ, અને લક્ષમીનો ત્યાગ.
“ઈચ્છે છે જે જોગી જન” રાજકોટના નર્મદા મેન્સનમાં ચૈત્ર સુદ ૨, ૧૯૫૭માં લખ્યું હતું.
સં. ૧૯૫૭ના ચૈત્ર વદ ૫ ના મંગળવારે, તા. ૦૯-૦૪-૧૯૦૧ના રાજકોટના નર્મદા મેન્સનમાં દેહ છોડયો.
Page #6
--------------------------------------------------------------------------
________________
દશા
દેહુઆકૃતિ, પહેરવેશ અને દશા દેહાકૃતિ અને | કૃપાળુદેવના ભાગીદાર શ્રી માણેકલાલ ઘેલાભાઈના શબ્દોમાં. પહેરવેશ કૃપાળુદેવનો પહેરવેશ સાદો હતો. પહેરણ, અંગરખું, ખસ, ગરભસૂતરો ફેંટો અને
ધોતી. એ કંઈ બહુ સાફ કે ઈસ્ત્રી બંધ રહેતાં એમ મને સ્મરણ નથી. તેમની ચાલ ધીમી હતી. ચાલતાં પણ પોતે વિચારગ્રસ્ત રહેતાં, આંખમાં ચમત્કાર, અત્યંત તેજસ્વી તેમજ વિહુવળતા વિનાની એકાગ્ર હતી. ચહેરો ગોળાકાર, હોઠ પાતળાં (મોં ફાડ પહોળી), નાક અણીદાર, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિનો હતો. ચહેરો પ્રફુલ્લિત અને હસમુખ હતો. કંઠમાં
માધુર્ય અને ભાષા પરિપૂર્ણ હતી. દેહદૃષ્ટિ અને સ્મશાન જતાં કાંટાનો પ્રસંગ, ઈડરના પહાડ પર મુનિઓ સાથેના પ્રસંગે,
“શ્રીમદ એટલી ઝડપથી કાંટા, કાંકરા, જાળાં, ધારવાળા પથ્થરોમાં થઈને દેહની પરવા કર્યા વિના આત્મવેગમાં ચાલતા હતા. નડિયાદ નજીક મોતિલાલભાઈ સાથેની સ્થિરતા વખતે મચ્છરોનો, તેમજ પગમાં પગરખાંના પ્રસંગોથી, ઉપરાંત કૃપાળુદેવના પોતાના શબ્દોમાં, “અમે દેહધારી છીએ કે કેમ? તે સંભારીએ ત્યારે
માંડ જાણીએ છીએ.” થી કૃપાળુદેવની વિદેહિ દેષ્ટિ સમજમાં આવે. મંદિર
કૃપાળુદેવ ભૂલેશ્વર પાસેના ચંદપ્રભુના દિગંબર મંદિરમાં જતા હતા. શ્રી રેવાશંકર મહેતા રાજકોટમાં વકીલ હતા. ધંધામાં ભાગ્ય સારું છે તેવા કૃપાળુદેવના ભવિષ્યકથનથી મુંબઈમાં સં. ૧૯૪૫માં તેમણે ઝવેરાતનો ધંધો, રેવાશંકર જગજીવન ઝવેરી નામથી ભાગીદારીમાં હીરા-મોતીનો ધંધો શરૂ કર્યો તેમના ભાગીદારો કૃપાળુદેવ, રેવાશંકરભાઈ, માણેકલાલ ઝવેરી હતા સં. ૧૯૪૮માં, નગીનચંદ કપુરચંદ અને છોટાલાલ લલ્લુભાઈ જોડાયા. સં. ૧૯૫રના દ્વિતિય જેઠ સુદ ૧ના દિવસે ભાગીદારીમાંથી છૂટા થયા અને મનસુખભાઈના નામે કરી દીધો, કૃપાળુદેવના દેહ ત્યાગ બાદ, સં. ૧૯૬૧-૬૨માં સગાસંબંધીઓની ભાગીદારીના ઝઘડાને કારણે હાઈકોર્ટમાં પેઢી માટે ખટલો ચાલેલો, તેનું સમાધાન સ. ૧૯૬૪ના અંતમાં થયુ.
મૂનિશ્રી લઘુરાજ સ્વામીની પ્રેરણાથી અગાસ સ્ટેશનની નજીક સંદેશર ગામમાં (ફોટો) શ્રી જીજીભાઈએ જમીન ભેટ આપી. ત્યાં, સં. ૧૯૭૬ના કાર્તિક સુદ પૂનમના
“શ્રી અગાસ આશ્રમ” ની સ્થાપના થઈ. પરમશ્રુતમડળ “પરમકૃત પ્રભાવક મંડળ”ની યોજના કૃપાળુદેવે સં. ૧૯૫૬ના પર્યુષણ પર્વમાં
વઢવાણ કેમ્પમાં વિચારી હતી. પરમશ્રુત પ્રભાવક મંડળ, મુંબઈમાં અને અગાસમાં ચાલે છે. શરૂઆતમાં શ્રી રેવાશંકરભાઈ તેના મંત્રી હતા.
ધંધો
વચનામૃત
વચનામૃત, શ્રી અંબાલાલભાઈએ કૃપાળુદેવે લખેલા પત્રો મેળવી તેનો સંગ્રહ કરી, તેનું સંકલન કર્યું, તે કૃપાળુદેવને બતાવ્યું અને તે સં. ૧૯૬૧માં શ્રી પરમ શ્રુત પ્રભાવક મંડળે છપાવ્યું. તે માટે શ્રી મનસુખભાઈએ ખૂબ જહેમત લીધી હતી. શ્રી પરમ શ્રત પ્રભાવક મંડળે સર્વ હસ્ત લિખિત પત્રોના ફોટા પડાવી આલ્બમ બનાવ્યું છે. ત્યાર બાદ પૂ. જવલબા અને શ્રી ભગવાનદાસભાઈ મોદીએ પત્રોને ચિરંજીવ રાખવા તાંબાના પતરાં ઉપર તૈયાર કરાવી, ૨૦ થી ૨૫ પતરાંને એક લાકડાની પેટીમાં પ્લાસ્ટીકમાં પેક કરી આવી ૧૦૮ પેટીમાં સુરક્ષિત રાખેલ છે. આ બનાવવા શીવ (મુંબઈ) ના શ્રીમતી લક્ષ્મીબેન ભોજરાજે મોટી નાણાંકીય સહાય કરી છે. શ્રી પરમ શ્રુત પ્રભાવક મંડળે આજ સુધી “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની (વચનામૃત) ૮ આવૃત્તિ છપાવી છે. નવમી આવૃત્તિ છાપવામાં
Page #7
--------------------------------------------------------------------------
________________
છે. આઠમી આવૃતી પ્રમાણે E-Book આ વેબસાઈટ પર છે, તેમજ CDROMમાં ઉપલબ્ધ છે. દેવલાલીથી જયસિંહભાઈના અવાજમાં સંપૂર્ણ શ્રીમદ્
રાજચંદ્ર ગ્રંથની “વચનામૃતની ઓડીયો કેસેટ અને ઓડીયો CD ઉપલબ્ધ છે. છ પદનો પત્ર | સં. ૧૯૫૦માં, શ્રી લલ્લુજી મુનિને પોતાનો દેહ છૂટી જશે એમ લાગવાથી વિનંતી (પત્રાંક-૪૯૩) લખી હતી, તેના જવાબમાં કૃપાળુદેવે છ પદનો પત્ર લખ્યો, સાથે લખેલ કે, “દેહ
છૂટવાનો ભય કર્તવ્ય નથી”. કૃપાળુદેવના હસ્તલિખિત પત્ર આ વેબસાઈટ ઉપર
| તેમજ CD-ROM માં જોઈ શકાશે. આત્મ-સિદ્ધિ | શ્રી લલ્લુજી મુનિની પ્રેરણાથી શ્રી સોભાગભાઈએ કૃપાળુદેવને વિનંતી કરી કે, છ (પત્રાંક-૭૧૮)| પદનો પત્ર યાદ રહેતો નથી માટે કંઈક ગાવાનું હોય તો મોઢે થાય. એ વાતને (ફોટો) વીસેક દિવસમાં કૃપાળુદેવે આત્મ-સિદ્ધિ શાસ્ત્ર રચ્યું. સં. ૧૯પરના આસો વદ ૧,
ને ગુરુવારના દિવસે સંધ્યા સમયે, નડિયાદ મુકામે ચૌદ પૂર્વના સારરૂપ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ૧૪૨ ગાથા ધારાવાહી રીતે દોઢ કલાકમાં પૂરી લખી, તે દરમ્યાન શ્રી અંબાલાલભાઈ ફાનસ ધરીને એકાગ્ર ચિત્તે ઉભા રહ્યા, આત્મસિદ્ધિ-શાસ્ત્રની ચાર નકલ કરી, ચાર મહાપુરુષો સર્વશ્રી સોભાગભાઈ, શ્રી લઘુરાજ સ્વામી, શ્રી અંબાલાલભાઈ અને શ્રી માણેકલાલભાઈને આપવામાં આવેલ. આ ઉપરાંત શ્રી સોભાગભાઈના મિત્ર, શ્રી ડુંગરશીભાઈ ગોસળીયાની યોગ્યતા જાણી વાંચવા અને મુખપાઠ કરવા રજા આપી હતી. કૃપાળુદેવના હસ્તલિખિત આત્મ-સિદ્ધિ શાસ્ત્રની પ્રતના ફોટા બનાવેલ છે. આત્મસિદ્ધિ શાસ્ત્રના સૌ પ્રથમ અર્થ શ્રી અંબાલાલભાઈએ કર્યા હતા, તે કૃપાળુદેવે જોયેલા હતા. ત્યારબાદ ઘણી સંસ્થાઓએ અને વ્યકિતઓએ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં અનુવાદ કયો છે. વેબસાઈટ તેમજ CD-ROM ઉપર પણ ગુજરાતીમાં, અંગ્રેજીમાં અને અવાજ સાથે જોઈ અને સાંભળી શકાય છે તેમજ કૃપાળુદેવના
હસ્તલિખિત આત્મસિદ્ધિ શાસ્ત્ર વેબ સાઈટ ઉપર તેમજ CDમાં જોઈ શકાશે. રાજ-પદ કૃપાળુદેવે કુલ ૩૭ ઉપદેશાત્મક ભક્તિ પદ રચ્યાં છે. તે સર્વ “શ્રીમદ્ રાજચંદ્ર”
ગ્રંથમાં છે. આ પદને અગાસ અને દેવલાલી આશ્રમથી “રાજ પદ” નામથી પુસ્તક છપાયેલ છે. આ પદમાંથી ઘણાં ખરાં પદ અવાજ સાથે વેબસાઈટ ઉપર જોઈ શકાશે તેમજ CD-ROM માં જોઈ અને સાંભળી શકાશે.
Page #8
--------------------------------------------------------------------------
________________
કૃપાળુદેવ (શ્રીમદ્ રાજચંદ્રજીના) કુટુંબીઓ અને જીવનની જાણવા જેવી
અલૌકિક ઘટનાઓ.
નીચે લખેલી વિગતો (૧) જીવનસાધના (૨) શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન અને આપ્તજનો (૩) શ્રી લઘુરાજ સ્વામીના ઉપદેશામૃત (૪) જીવનદર્શન વગેરે પુસ્તકોમાંથી સંકલન કર્યું છે.
આપ્તજન
વિગત નામ | રાયચંદભાઈ રવજીભાઈ મહેતા (જન્મથી નામ લક્ષ્મીનંદન રાખેલ, સં. ૧૯૨૮માં નામ
બદલ્યું.) જન્મ સ્થળ | વવાણિયા, સં. ૧૯૨૪, કાર્તિક સુદ ૧૫, રવિવાર, તા. ૧૦-૧૧-૧૮૬૭, રાત્રે ૨ વાગે. દેહવિલય રાજકોટ, સં. ૧૯૫૭, ચૈત્ર વદ પાંચમ, મંગળવાર, તા. ૯-૪-૧૯૦૧, નર્મદા મેન્શન,
હાલનું નામ અનંતસુખ-ધામમાં સંઘરણી રોગ થવાથી, વઢવાણ કેમ્પમાં પડાવેલ ઊભા કાઉસ્સગ મુદ્રાના ફોટાની જેમ કાઉસ્સગ મુદ્રામાં કોચ પર સૂતા રહી પાંચ કલાક (૭. ૪૫ થી ૨ વાગ્યા સુધી) સમાધિમાં રહ્યા. બપોરે બે વાગે દેહ છોડ્યો. રાજકોટની સ્મશાનભૂમિના ડોસાભાઇના વડના પાસે આજી નદીના કિનારે અગ્નિદાહ આપ્યો
હતો. આ સ્થળે સમાધિમંદિર બનાવેલ છે. માતાજી દેવબાઈ, તેમનું બીજું નામ મોંઘીબેન હતું. તેઓ માળિયાના રાઘવજીભાઈ શાહના
પુત્રી હતા. તેઓ જૈન હતા. તેઓ કપાળદેવના દેહવિલય સમયે હાજર હતા. પિતાજી રવજીભાઈ પંચાણભાઈ મહેતા, જન્મ સં. ૧૯૦૨માં થયો હતો. સ્થાનકવાસી જૈન
હતા. તેમને બે પુત્રો રાયચંદભાઈ અને મનસુખભાઈ, તેમજ ચાર પુત્રીઓ શિવકોરબેન, મેનાબેન, ઝબકબેન અને જીજીબેન હતા. તેઓ કૃપાળુદેવના દેહવિલય
સમયે હાજર હતા. દાદાજી | પંચાણભાઈ મહેતાના પિતાજી શ્રી દામજીભાઈ પીતાંબરભાઈ, મોરબી નજીકના
માણેકવાડામાં પૈસેટકે ખૂબ સુખી હતા. શ્રીકૃષ્ણ ભક્ત હતા. તેમની પત્નીનું નામ
ભાણબાઈ હતું. તેમણે સં. ૧૮૯૨માં વવાણિયા આવી મકાન લીધું. આ મકાનમાં
| કૃપાળુદેવનો જન્મ થયો, ત્યારે તેઓ ૮૮ વર્ષના હતા. ૯૮મા વર્ષે ગુજરી ગયા. ભાઈ-બહેન મનસુખભાઈ એક ભાઈ અને ચાર બહેન શિવકોરબેન, મેનાબેન, ઝબકબેન અને
જીજીબેન હતાં. મનસુખભાઈ મનસુખભાઈનો જન્મ સં. ૧૯૩૩માં થયો હતો. દેહાંત સં. ૧૯૮૦માં રાજકોટમાં થયો
હતો. તેમની પત્નીનું નામ પણ ઝબકબેન, પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુરજબેન હતું. કૃપાળુદેવ સં. ૧૯૫૨ના દ્વિતિય જેઠ સુદ ૧ના દિવસે ભાગીદારીમાંથી
છૂટા થયા અને ધંધો મનસુખભાઈને નામે કરી દીધો. પત્ની ઝબકબેન, શ્રી પોપટભાઈ જગજીવનભાઈ (રેવાશંકર જગજીવનભાઈના મોટાભાઈ)
ઝવેરીના પુત્રી, રાજકોટ. તેમના લગ્ન સં. ૧૯૪૪ના મહા સુદ ૧૨ના થયાં. ત્રંબકભાઈ તેમના ભાઈ હતા. કૃપાળુદેવના દેહાંત બાદ સં. ૧૯૭૦માં ખંભાતમાં દેહ છોડયો.
તેઓ કૃપાળુદેવના દેહવિલય સમયે હાજર હતા. પુત્ર-પુત્રી | (૧) છગનભાઈ (૨) જવલબેન (૩) કાશીબેન (૪) રતિલાલભાઈ. છગનભાઈ | (૧) છગનભાઈ, જન્મ સં. ૧૯૪૬ના મહા સુદ ૧૨ના મોરબીમાં થયો હતો. દેહાંત સં.
૧૯૬૫ના ચૈત્ર વદ ૨ ના બુધવારના સવારના ૭ વાગે, ૨૦ વર્ષની ઉંમરે ક્ષય રોગથી મોરબીમાં થયો. કૃપાળુદેવ છ વર્ષની ઉંમરથી તેમને છગનશાસ્ત્રી નામથી બોલાવતા. તેમને કૃપાળુદેવ તરફ ખૂબ બહુમાન અને ભક્તિ હતાં. તેમની ઉંમરના પ્રમાણમાં ખૂબ
Page #9
--------------------------------------------------------------------------
________________
સમજદાર હતા. તેમણે છગનલાલ મનસુખલાલ નામથી પેઢી શરૂ કરેલ, પણ બાર માસમાં જ તેમનો દેહાંત થયો. શ્રીમદ્ રાજચંદ્ર (વચનામૃત) ગ્રંથના કયા પૃષ્ઠ ઉપર કયો વિષય છે, તે તેમને જીવઠાગ્રે હતું. દેહત્યાગના આઠ-દસ દિવસ પહેલાં કહ્યું, “અમદાવાદથી ફોનોગ્રાફી મંગાવો, એમાં બાપુનાં રચેલાં કાવ્યો ઉતારેલાં છે.” (શ્રીમદ્ રાજચંદ્રના આત્મા સંબંધીના કાવ્યો સાંભળવાની જ વૃત્તિ હતી.) જીવનના છેલ્લા
સમયે કૃપાળુદેવનો ફોટો તેમની સામે રાખતા. જવલબેન (૨) જવલબેન (જયાબેન), જન્મ સં.૧૯૫૦ના કારતક સુદ ૫, જ્ઞાનપંચમીના થયો
હતો. તેમનો દેહાન્ત તા.૮-૩-૧૯૭૮ બુધવારે સવારના ૯ વાગ્યા આસપાસ માટુંગા, મુંબઈ (તેમનાં લગ્ન સં. ૧૯૬૬માં શ્રી ભગવાનદાસભાઈ રણછોડભાઈ ધારશીભાઈ મોદી સાથે થયાં હતાં. તેમણે રાજ-જન્મભુવન બનાવવામાં ખૂબ ઉત્સાહ સાથે મોટો નાણાંકીય ફાળો આપ્યો હતો. ત્યારબાદ રાજ-જન્મભુવનની અને વવાણિયા આવતા દરેક મુમુક્ષુની ખૂબ ખંતથી સારસંભાળ રાખતાં. તેમના ત્રણ પુત્રોનાં નામ
બુદ્ધિધનભાઈ, પ્રફુલભાઈ અને મનુભાઈ હતાં. કાશીબેન (૩) કાશીબેનનો જન્મ સં. ૧૯૫૨માં થયો હતો. દેહાંત સં. ૧૯૮૦માં ૨૮ વર્ષની વયે
થયો. માતુશ્રી જેવાં દેખાતાં હુતાં. તેમનાં લગ્ન શ્રી રેવાશંકર ડાહ્યાભાઈ સંઘવી સાથે
થયાં, તેમના બે દીકરાના નામ નગીનભાઈ અને પ્રવિણભાઈ. રતિલાલ || (૪) રતિલાલ, જન્મ સં. ૧૯૫૪માં થયો હતો. દેહાંત ૧૨ વર્ષની ઉંમરે થયો. બનેવી
શ્રી ચત્રભુજ બેચ૨ અને શ્રી ઠાકરશીભાઈ મહેતા, શ્રીમદ્જીના બનેવી હતા. સગાં | શ્રી રેવાશંકરભાઈ અને ડો. પ્રાણજીવનભાઈ, શ્રીમદ્જીના કાકાજી-સસરા હતા. શ્રી સંબંધીઓ રેવાશંકર અને શ્રી માણેકલાલ તેમના ભાગીદાર હતા. ગાંધીજી શ્રી મોહનલાલ કરમચંદ ગાંધી (મહાત્માજી), એક વર્ષ દસ મહિના નાના હતા. જન્મ
સં. ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ના. કૃપાળુદેવ સાથે તેમનો પરિચય સં. ૧૯૪૭માં, સને
૧૮૯૧ના જુલાઈ માસમાં થયો હતો. વેબ સાઈટ ઉપર વધુ જોવું. રાજ વવાણિયામાં, સં. ૧૯૯૭ના આસો સુદ દસમ (વિજ્યા દસમી) ના વકીલ શ્રી જન્મભૂવન રામજીભાઈ માણેકચંદ દોશી એ શિલારોપણવિધિ કરી. આ સ્થળ માટે જવલબેન અને
શ્રી ભગવાનદાસભાઈ મોદીએ ખૂબ ઉત્સાહ સાથે મોટો નાણાંકીય ફાળો આપ્યો હતો. આ ભવનમાં, સર્વશ્રી સોભાગભાઈ, બ્રહ્મચારીજી (મૂળ નામ ગોવર્ધનદાસ કાળિદાસ પટેલ), પૂજયશ્રી લલ્લુજીસ્વામી, પૂજયશ્રી કાનજીસ્વામી, મહાત્મા ગાંધી, તેમના કુટુંબીઓ, ઝબકબા, મનસુખભાઈ છગનભાઈ, જવલબેન, ભગવાનદાસ મોદી, કાશીબેન, જાતિ-સ્મરણ થયું તે બાવળના ઝાડ વાળો, મુનિ સમાગમ વાળો, ઉપરાંત
બીજા ફોટા રાખ્યા હતા. ધરતીકંપને કારણે હાલ આ ભવન ફરીથી બંધાય છે. વિવાણિયા | વાણિયા, સૌરાષ્ટ્રમાં મોરબી પાસે દરિયા કિનારે નાનું ગામ છે, ત્યાં સ્થાનકવાસી
જૈન ધર્મ પાળનાર ઘણા લોકો હતા. અહીં જન્મભુવનમાં કુપાળુદેવના વપરાશની ચીજ, વસ્ત્રો, ઘોડીયું વગેરે રાખેલ છે. (ધરતીકંપને કારણે હાલ આ બધું નવું ભવન ફરીથી બંધાય ત્યાં સુધી અગાસ આશ્રમમાં રાખેલ છે.) જે બાવળના ઝાડ પર કૃપાળુદેવને જાતિસ્મરણ જ્ઞાન થયું તે બાવળનું થડ સ્મશાનભૂમિ પાસે છે, બાજુમાં જ્ઞાન પ્રકાશ મંદિર બનાવેલ છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
ભક્ત રત્નો
વિગત શ્રી જુઠાભાઈ શ્રી જુઠાભાઈ ઉજમશીભાઈ, અમદાવાદ, જન્મ કાર્તિક સુદ-૨ નાં સંવત ૧૯૨૩ના.
દેહત્યાગ સં. ૧૯૪૬ના અષાડ સુદ ૯ના દિવસે. શ્રી જુઠાભાઈ ઉજમશીભાઈ, સં. ૧૯૪૪માં કૃપાળુદેવ ૨૦ વર્ષની વયે અમદાવાદમાં મોક્ષમાળા છપાવવા આવ્યા ત્યારે પરિચયમાં આવેલા. તેઓએ ૨૩ વર્ષની ઉંમરે દેહ છોડ્યો. કૃપાળુદેવ તેમને સત્યપરાયણ કહેતા. કૃપાળુદેવે એમને “સમ્યકત્વ” પ્રાપ્ત થયું છે તેમ કહ્યું હતું.
કૃપાળુદેવે તેમના મૃત્યુનો દિવસ બે મહિના પહેલેથી કહ્યો હતો. શ્રી અંબાલાલભાઈ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈ સંઘવી, ખંભાત, જન્મ સં. ૧૯૨૬, દેહત્યાગ ૩૭
વર્ષની ઉંમરે, સં. ૧૯૬૩ના ચૈત્ર વદ બારસના થયો. તેઓ દત્તક પુત્ર હતા. સ્થાનકવાસી જૈન હતા. જુઠાભાઈએ અમદાવાદમાં કૃપાળુદેવ વિષે વાત કરી હતી, ત્યારબાદ કૃપાળુદેવની રજા મેળવી મુંબઈમાં કૃપાળુદેવની ૨૦ વર્ષની વયે સમાગમ થયો, ઉત્તરોતર તેમને સત્સંગનો અપૂર્વ લાભ થયો. સં. ૧૯૪૬ના આસો વદ ૧૩ના, શ્રી અંબાલાલભાઈના ઘરે ઉતરેલા. ત્યારબાદ તેમનો પરિચય ગાઢ થયો.
જ્યારથી કૃપાળુદેવના સમાગમમાં આવ્યા ત્યારથી કૃપાળુદેવના દેહાંત સુધી અનન્ય ભક્તિથી સેવા કરી. કૃપાળુદેવની તેમના ઉપર અનહદ કૃપા હતી. કૃપાળુદેવે
એમને “સમ્યકત્વ” પ્રાપ્ત થયું છે તેમ કહ્યું હતું. | શ્રી સોભાગભાઈ શ્રી સોભાગભાઈ લલ્લુભાઈ શેઠનો સાયલામાં જન્મ સં. ૧૮૮૦માં. દેહત્યાગ સં.
૧૯૫૩ જેઠ વદ ૧૦ના ગુરુવારે, સવારે ૧૦.૫૦ વાગે. પત્નીનું નામ રતનબા. શ્રી સોભાગભાઈ, સં. ૧૯૪૬ના ભાદરવામાં મોરબી ગયા ત્યારે કૃપાળુદેવને યોગ્ય વ્યક્તિ જાણી બીજજ્ઞાન આપવાના આશયથી તેમને દુકાને મળવા ગયા, ત્યારે એકબીજાને ઓળખતા નહોતા. કૃપાળુદેવે તેમને તેમના નામથી બોલાવી, પહેલેથી લખેલ ચિઠ્ઠી બતાવી જેમાં તેઓનું આવવાનું કારણ લખ્યું હતું. ત્યારે તેઓ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ કૃપાળુદેવના અનન્ય ભક્ત હતાં. કૃપાળુદેવની તેમના ઉપર અનહદ કૃપા હતી. તેઓ કૃપાળુદેવથી ૪૪ વર્ષ મોટા હતા. તેમના માટે “બિના નયન પાવે નહિ” મુંબઈથી અષાઢ ૧૯૪૭ના લખ્યું. (પત્ર-૨૫૮). સં. ૧૯૪૭ના પર્યુષણ પર કૃપાળુદેવ સાથે રાળજમાં શ્રી સોભાગભાઈ હતા ત્યારે, ભાદરવા સુદ ૮એ “હે પ્રભુ, હે પ્રભુ” (પત્ર-ર૬૪). “યમ નિયમ સંજમ આપ કિઓ” (પત્ર-૨૬૫). “જડ ભાવે જડ પરિણમે” (પત્ર-૨૬૬) અને તે સમયમાં જ “જિનવર કહે છે જ્ઞાન તેને” (પત્ર-ર૬૭), લખેલ, કૃપાળુદેવે એમની અંતિમ અવસ્થા જાણી લીધી, આથી મુંબઈથી અપૂર્વ આત્મજાગૃતિ અર્થે પરમ ઉપકારી થઈ પડે એવા ત્રણ અમરપત્રો ૭૭૯, ૭૮૦, ૭૮૧ લખીને મોકલ્યા. કૃપાળુદેવને સોભાગભાઈ ઉપર કેવો ગાઢ સ્નેહ હતો તે પત્ર ૨૫૯માં અને ઠેકઠેકાણે બતાવ્યો છે, શ્રી સોભાગભાઈને છેલ્લા આઠ મહિનાથી ઝીણો તાવ આવતો હતો. તેમણે સં ૧૯૫૩ના જેઠ વદ ૧૦ના દેહુ છોડયો. તે વખતે શ્રી અંબાલાલભાઈ હાજર હતા.
કૃપાળુદેવે એમને “સમ્યકત્વ પ્રાપ્ત થયું છે તેમ કહ્યું હતું. . મુનિશ્રી લલ્લુજી મુનિશ્રી લલ્લુજીના પિતાજીનું નામ કૃષ્ણદાસ હતું. જન્મ સં. ૧૯૧૦ના, વડોદરાના
ભાલ પ્રદેશના વટામણ ગામમાં માતુશ્રી કસલીબાઈની કુખે થયો. દેહત્યાગ સં. ૧૯૯૨ના વૈશાખ સુદ ૮ની રાત્રે અગાસ આશ્રમમાં સમાધિસ્થ દેહ છોડયો. ધનાઢય કુટુંબના એકના એક પુત્ર હતા. વૃદ્ધ માતા, બે સ્ત્રી, એક પુત્રનો પરિવાર છોડી, ખંભાત સંવાડાના શ્રી હરખચંદ મુનિ પાસે તેમના ભત્રીજા શ્રી દેવકરણજી સાથે દીક્ષા ગ્રહણ કરી. સાધુ અવસ્થામાં ૫ થી ૬ વર્ષમાં પ્રધાનપદ અને નામના
Page #11
--------------------------------------------------------------------------
________________
મેળવી. તેઓ કૃપાળુદેવ કરતાં ૧૪ વર્ષ મોટા હતા. કૃપાળુદેવની ૨૨ વર્ષની વયે, સં. ૧૯૪૬ની દિવાળીમાં ખંભાતમાં, શ્રી અંબાલાલભાઈએ તેમનો પરિચય કપાળદેવની સાથે કરાવ્યો હતો. તેમની વિનંતીથી, કુપાળુદેવે આત્મ-સિદ્ધિ શાસ્ત્ર, સં. ૧૯૫રના આસો વદ ૧, ને ગુરુવારના દિવસે સંધ્યાસમયે, નડિયાદ મુકામે ચૌદ પૂર્વના સારરૂપ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ૧૪૨ ગાથા ધારાવાહી રીતે દોઢ કલાકમાં પૂરી લખી. સં. ૧૯૫૪માં મુનિશ્રીને વસો ક્ષેત્રે આત્મદર્શન કરાવ્યું. મુનિ, શ્રી લલ્લુજી (લઘુરાજ સ્વામી, પ્રભુશ્રી), શ્રી દેવકરણજી, શ્રી મોહનલાલજી, શ્રી નરહરી ૨ખ, શ્રી વેલશી ૨ખ, શ્રી લક્ષ્મીચંદજી અને શ્રી ચતુરલાલજી આ સર્વે મુનિ ખંભાત સંપ્રદાયના હતા. કુપાળુદેવે એમને “સમ્યકત્વ પ્રાપ્ત થયું છે તેમ કહ્યું હુતું. કૃપાળુદેવના છેવટના સમયે શ્રી ધારશીભાઈને સં. ૧૯૫૭ના ચૈત્ર વદ ચોથની સાંજે કહ્યું, “અમારા સમાગમે ત્રણ પુરુષો અપૂર્વ સ્વરૂપજ્ઞાન પામ્યા છે. શ્રી સોભાગભાઈ, શ્રી લઘુરાજસ્વામી, શ્રી અંબાલાલભાઈ” તેમજ કૃપાળુદેવે પત્રાંક ૧૧૭માં “શ્રી જુઠાભાઈને સમ્યકત્વ પ્રકાણ્યું હતું, તેમ લખ્યું છે. શ્રી જુઠાભાઈને સમ્યકજ્ઞાન થયું છે, તે તેમના કુટુંબીઓ જાણી શકેલ નહીં, તેમ કૃપાળુદેવે, શ્રી છગનલાલ બેચરલાલને, જુઠાભાઈના અવસાન સંબંધી જણાવવા કહેલ ત્યારે કહ્યું હતું.
સમ્યકજ્ઞાન
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રી
સિદ્ધિ શાસ્ત્ર
Page #13
--------------------------------------------------------------------------
________________
અગાસ આશ્રમ
Page #14
--------------------------------------------------------------------------
________________
T
શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો જન્મ થયો તે મૂળ ઘર, વવાણિયા
જન્મ સ્થળ
Page #15
--------------------------------------------------------------------------
________________
ht
દેહ વિલય
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર નવનિર્મિત સમાધિમંદિર - રાજકોટ
O'M
સમાધિ મંદિર
Page #17
--------------------------------------------------------------------------
________________
દેવબાઈ દેહાંત : કૃપાળુ દેવના દેહ વિલય પછી
Page #18
--------------------------------------------------------------------------
________________
જન્મ : સં. ૧૯૦૨
રવજીભાઈ
Page #19
--------------------------------------------------------------------------
________________
TUDIO
S
AL
,
,
,
જન્મ : સં. ૧૯૩૩ મનસુખભાઈ
દેહાંત : સં. ૧૯૮૦
,
છે.)
(
ક) ક (
ક) છે
જ.) ક
ક
ક (જ.
Page #20
--------------------------------------------------------------------------
________________
ઝબકબેન
દેહાંત : સં. ૧૯૭૦
છે.) છે
,
આ (
ક) છે
જ.) ક
ક
ક (6
Page #21
--------------------------------------------------------------------------
________________
જન્મ : સં. ૧૯૪૬
છગનભાઈ
દેહાંત : સં. ૧૯૬૫
Page #22
--------------------------------------------------------------------------
________________
૯) જો
હું
)
જી)
) {
5)
જવલબેન
જન્મ : સં. ૧૯૫૦
Page #23
--------------------------------------------------------------------------
________________
કાશીબેન
Page #24
--------------------------------------------------------------------------
________________
ચિતા નિરખતા બાળયોગી શ્રીમન્ને જાતિસ્મરણજ્ઞાન
જાતિસ્મરણ જ્ઞાન
Page #25
--------------------------------------------------------------------------
________________
જન્મ : સં. ૧૯૨૩
જુઠાભાઈ
દેહાંત : સં. ૧૯૪૬
Page #26
--------------------------------------------------------------------------
________________
અબાલાલભાઈ
જન્મ : સં. ૧૯૨૬
દેહાંત : સં. ૧૯૬૩
Page #27
--------------------------------------------------------------------------
________________
જન્મ : સં. ૧૮૮૦
સોભાગભાઈ
દેહાંત : સં. ૧૯૫૩
Page #28
--------------------------------------------------------------------------
________________ હ. કે જો કરી છે કે, છે મુનિ શ્રી લલ્લુજી જન્મ : સં. 1910 દેહાંત સં. 1992