SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ સમજદાર હતા. તેમણે છગનલાલ મનસુખલાલ નામથી પેઢી શરૂ કરેલ, પણ બાર માસમાં જ તેમનો દેહાંત થયો. શ્રીમદ્ રાજચંદ્ર (વચનામૃત) ગ્રંથના કયા પૃષ્ઠ ઉપર કયો વિષય છે, તે તેમને જીવઠાગ્રે હતું. દેહત્યાગના આઠ-દસ દિવસ પહેલાં કહ્યું, “અમદાવાદથી ફોનોગ્રાફી મંગાવો, એમાં બાપુનાં રચેલાં કાવ્યો ઉતારેલાં છે.” (શ્રીમદ્ રાજચંદ્રના આત્મા સંબંધીના કાવ્યો સાંભળવાની જ વૃત્તિ હતી.) જીવનના છેલ્લા સમયે કૃપાળુદેવનો ફોટો તેમની સામે રાખતા. જવલબેન (૨) જવલબેન (જયાબેન), જન્મ સં.૧૯૫૦ના કારતક સુદ ૫, જ્ઞાનપંચમીના થયો હતો. તેમનો દેહાન્ત તા.૮-૩-૧૯૭૮ બુધવારે સવારના ૯ વાગ્યા આસપાસ માટુંગા, મુંબઈ (તેમનાં લગ્ન સં. ૧૯૬૬માં શ્રી ભગવાનદાસભાઈ રણછોડભાઈ ધારશીભાઈ મોદી સાથે થયાં હતાં. તેમણે રાજ-જન્મભુવન બનાવવામાં ખૂબ ઉત્સાહ સાથે મોટો નાણાંકીય ફાળો આપ્યો હતો. ત્યારબાદ રાજ-જન્મભુવનની અને વવાણિયા આવતા દરેક મુમુક્ષુની ખૂબ ખંતથી સારસંભાળ રાખતાં. તેમના ત્રણ પુત્રોનાં નામ બુદ્ધિધનભાઈ, પ્રફુલભાઈ અને મનુભાઈ હતાં. કાશીબેન (૩) કાશીબેનનો જન્મ સં. ૧૯૫૨માં થયો હતો. દેહાંત સં. ૧૯૮૦માં ૨૮ વર્ષની વયે થયો. માતુશ્રી જેવાં દેખાતાં હુતાં. તેમનાં લગ્ન શ્રી રેવાશંકર ડાહ્યાભાઈ સંઘવી સાથે થયાં, તેમના બે દીકરાના નામ નગીનભાઈ અને પ્રવિણભાઈ. રતિલાલ || (૪) રતિલાલ, જન્મ સં. ૧૯૫૪માં થયો હતો. દેહાંત ૧૨ વર્ષની ઉંમરે થયો. બનેવી શ્રી ચત્રભુજ બેચ૨ અને શ્રી ઠાકરશીભાઈ મહેતા, શ્રીમદ્જીના બનેવી હતા. સગાં | શ્રી રેવાશંકરભાઈ અને ડો. પ્રાણજીવનભાઈ, શ્રીમદ્જીના કાકાજી-સસરા હતા. શ્રી સંબંધીઓ રેવાશંકર અને શ્રી માણેકલાલ તેમના ભાગીદાર હતા. ગાંધીજી શ્રી મોહનલાલ કરમચંદ ગાંધી (મહાત્માજી), એક વર્ષ દસ મહિના નાના હતા. જન્મ સં. ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ના. કૃપાળુદેવ સાથે તેમનો પરિચય સં. ૧૯૪૭માં, સને ૧૮૯૧ના જુલાઈ માસમાં થયો હતો. વેબ સાઈટ ઉપર વધુ જોવું. રાજ વવાણિયામાં, સં. ૧૯૯૭ના આસો સુદ દસમ (વિજ્યા દસમી) ના વકીલ શ્રી જન્મભૂવન રામજીભાઈ માણેકચંદ દોશી એ શિલારોપણવિધિ કરી. આ સ્થળ માટે જવલબેન અને શ્રી ભગવાનદાસભાઈ મોદીએ ખૂબ ઉત્સાહ સાથે મોટો નાણાંકીય ફાળો આપ્યો હતો. આ ભવનમાં, સર્વશ્રી સોભાગભાઈ, બ્રહ્મચારીજી (મૂળ નામ ગોવર્ધનદાસ કાળિદાસ પટેલ), પૂજયશ્રી લલ્લુજીસ્વામી, પૂજયશ્રી કાનજીસ્વામી, મહાત્મા ગાંધી, તેમના કુટુંબીઓ, ઝબકબા, મનસુખભાઈ છગનભાઈ, જવલબેન, ભગવાનદાસ મોદી, કાશીબેન, જાતિ-સ્મરણ થયું તે બાવળના ઝાડ વાળો, મુનિ સમાગમ વાળો, ઉપરાંત બીજા ફોટા રાખ્યા હતા. ધરતીકંપને કારણે હાલ આ ભવન ફરીથી બંધાય છે. વિવાણિયા | વાણિયા, સૌરાષ્ટ્રમાં મોરબી પાસે દરિયા કિનારે નાનું ગામ છે, ત્યાં સ્થાનકવાસી જૈન ધર્મ પાળનાર ઘણા લોકો હતા. અહીં જન્મભુવનમાં કુપાળુદેવના વપરાશની ચીજ, વસ્ત્રો, ઘોડીયું વગેરે રાખેલ છે. (ધરતીકંપને કારણે હાલ આ બધું નવું ભવન ફરીથી બંધાય ત્યાં સુધી અગાસ આશ્રમમાં રાખેલ છે.) જે બાવળના ઝાડ પર કૃપાળુદેવને જાતિસ્મરણ જ્ઞાન થયું તે બાવળનું થડ સ્મશાનભૂમિ પાસે છે, બાજુમાં જ્ઞાન પ્રકાશ મંદિર બનાવેલ છે.
SR No.008331
Book TitleShrimad Rajchandra Life Relative Work Summary
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy