Book Title: Karmgranthonu Sampadan
Author(s): Punyavijay
Publisher: Punyavijayji
Catalog link: https://jainqq.org/explore/230056/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથોનું સંપાદન* કર્મગ્રંથ દ્વિતીય વિભાગનું નવીન સંસ્કરણ–આ વિભાગમાં તપાગચ્છીય માન્ય આચાર્ય પ્રવર શ્રી દેવેન્દ્રસૂરિકૃત પજ્ઞ ટીકાયુક્ત શતક નામના પાંચમા કર્મગ્રંથનો અને આચાર્ય શ્રી મલયગિરિકૃત ટીકાયુક્ત સિત્તરિ નામના છઠ્ઠ કર્મગ્રંથને સમાવેશ કરવામાં આવ્યું છે. આ બન્નેય સટીક કર્મગ્રંથને બીજા વિભાગ તરીકે પ્રસિદ્ધિમાં લાવવા માટેને યશ વર્ષો અગાઉ શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર પ્રાપ્ત કર્યો છે. આજે એ પ્રકાશન અલભ્ય હોવાથી અમે એને બીજી વાર પ્રકાશમાં લાવવા પ્રયત્ન કરીએ છીએ. આ વખતના પ્રકાશનમાં સંશોધનકાર્ય માટે પ્રાચીનતમ તાડપત્રીય અને કાગળની પ્રતોનો ઉપયોગ કરવા ઉપરાંત ટીકાકારોએ ટીકામાં ઉદ્દત કરેલાં પ્રમાણોનાં સ્થળાની નોંધ અને પ્રાકૃત પાઠની છાયા પણ આપવામાં આવી છે. આદિમાં અને અંતમાં કર્મગ્રંથના અભ્યાસીઓને અતિ ઉપગી વિષયાનુક્રમ, પરિશિષ્ટ વગેરે પણ આપવામાં આવ્યાં છે, જેને પરિચય આ નીચે કરાવવામાં આવે છે: કર્મ ગ્રંથનાં પરિશિષ્ટ આદિ–આ વિભાગના અંતમાં અમે ચાર પરિશિષ્ટ આપ્યાં છે. પહેલા પરિશિષ્ટમાં ટીકાકારોએ ટીકામાં ઉદ્દત કરેલાં આગમિક તેમ જ શાસ્ત્રીય ગદ્ય-પદ્ય પ્રમાણોની અકારાદિ ક્રમથી અનુક્રમણિકા આપી છે, બીજા-ત્રીજા પરિશિષ્ટમાં ટીકામાં આવતા ગ્રંથો અને ગ્રંથકારનાં નામોની સૂચી છે અને ચોથા પરિશિષ્ટમાં પાંચમા–છટ્ટા કર્મગ્રંથમાં તેમ જ તેની ટીકામાં આવતા પારિભાષિક શબ્દોને કેષ (જેની વ્યાખ્યા આદિ મૂળ કે ટીકામાં હોય) સ્થળનિર્દોશપૂર્વક આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ વિભાગની શરૂઆતમાં વિષયાનુક્રમણિકા પછી અમે ઘર્મસ્થાનતતવિષયતુતાનિર્વેરાનાં વિશ્વની શાસ્ત્રમધ્યવતનાં સ્થાનાં નિ:” એ મથાળા નીચે ઈયે કર્મગ્રંથમાં ગાથાવાર આવતા વિવિધ વિષયે સમાનપણે કે વિષમપણે દિગમ્બરીય શાસ્ત્રોમાં ક્યાં ક્યાં આવે છે તેને લગતી એક અતિ મહત્વની નેંધ આપી છે. આ વિદ્વત્તાપૂર્ણ નેધ દિગમ્બર જૈન વિદ્વાન ન્યાયતીર્થ ન્યાયશાસ્ત્રી પં. શ્રી મહેન્દ્રકુમાર મહાશયે તૈયાર કરી છે. આ નોંધ કર્મગ્રંથના વિશિષ્ટ અભ્યાસીઓને એક નવીન માર્ગનું સૂચન કરે છે. અમે ઈચ્છીએ છીએ કે આ ગૌરવભર્યા સંગ્રહનું કર્મવિષયક સાહિત્યના વિશિષ્ટ અભ્યાસીઓ ધ્યાનપૂર્વક અવલોકન કરે. * પંચમ અને ષષ્ઠ કર્મગ્રન્થના, સ્વ. ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજે કરેલા સંપાદનની (પ્રકાશક: શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, સને ૧૯૪૦) પ્રસ્તાવના. જ્ઞાના. ૧૯ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] જ્ઞાનાંજલિ કર્મગ્રંથને અંગે અમારું વક્તવ્ય–શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાલાના મુખ્ય સંચાલક અને એના પ્રાણસ્વરૂપ પૂજ્ય ગુરુવર શ્રી ચતુરવિજયજી મહારાજે સ્વસંપાદિત કર્મગ્રંથના પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિ અને તેમના નવ્ય પાંચે કર્મગ્રંથોનો વિસ્તૃત પરિચય આપે છે, એટલે આ વિભાગની પ્રસ્તાવનામાં મારે જે કાંઈ કહેવાનું છે એ મુખ્યત્વે કરીને છઠ્ઠા કર્મગ્રંથ અને તેના કર્તા આદિને અંગે જ કહેવાનું છે. છઠ્ઠ કર્મગ્રંથનું નામ–આ વિભાગમાં છપાયેલ છઠ્ઠા કર્મગ્રંથનું નામ સિત્તરિ છે. આ પ્રકરણની ગાથા સિત્તેર હોવાથી આને સિત્તરિએ નામથી ઓળખવામાં આવે છે. એક જમાનો એવો પણ હતો જ્યારે ગ્રંથને એના વિષય આદિ ઉપરથી ન ઓળખતાં માત્ર તેની પદ્યસંખ્યાને આધારે જ ઓળખવા–ઓળખાવવામાં આવતા હતા. આના ઉદાહરણ તરીકે આચાર્ય શિવશર્મકૃત શતક, આચાર્ય સિદ્ધસેનકૃત કાવિંશિકા પ્રકરણ આચાર્ય હરિભકૃત પંચાશકપ્રકરણુ, વિંશતિવિંશતિકા પ્રકરણ, ડશક પ્રકરણ, અષ્ટપ્રકરણ, આચાર્ય જિનવલભકૃત ષડશીતિપ્રકરણ આદિ અનેકાનેક પ્રાચીનતમ જેનાચાર્ય કૃત ગ્રંથનાં નામોનો નિર્દેશ કરી શકાય તેમ છે. આપણું ચાલુ પ્રકરણ પણ એ કોટિનું હેઈ એની ગાથાસંખ્યાને આધારે સિત્તરિ એ નામથી ઓળખવામાં આવે છે. ગાથાસંખ્યા–અમારા પ્રસ્તુત પ્રકાશનમાં સિત્તરિ કર્મગ્રંથની ૭૨ ગાથાઓ છે. અંતની બે ગાથાઓ મૂળ પ્રકરણના વિષયની સમાપ્તિ ઉપરાંતની હોઈ તેને ગણતરીમાં ન લઈ એ—અને ન લેવી જોઈએ—તો આ પ્રકરણનું આચાર્યે આપેલું સિત્તરિ એ નામ સુસંગત અને સાર્થક જ છે. શ્રી જૈનધર્મ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલ દ્વિતીય વિભાગમાં, આ પ્રકરણની અમારા પ્રકાશનમાં આવતી ૭૨ ગાથા ઉપરાંત “Gર નવ ટૂન્નિ અટ્ટo '' Tre ૬ “વાસપાસફૂસવા” To ૪૮ અને “મપુથારૂ તજ'' ગાઇ ૫૮ આ ત્રણ ગાથાઓ વધારે છે. આ ત્રણ ગાથાઓ પૈકી “વંજ નવ ટૂન્નિ” ગાથા ૬ ટીકાકારે વર્ણવેલા આઠ કર્મની ઉત્તરપ્રકૃતિઓના સ્વરૂપના અનુસંધાનમાં કોઈ વિદ્વાને ટિપ્પણરૂપે નોંધેલી અંદર પેસી ગઈ છે. ૫૮ મી ગાથા તરીકે મુકાયેલી “મધ્યગઇ જાઇ0” ગાથા સિત્તેરમી ગાથા તરીકે બીજી વાર આવતી હોવાથી બે પૈકી ગમે તે એક ઠેકાણે એ ગાથા પુનરુક્ત અને નિરુપયોગી છે. અહીં જોવાનું એટલું જ રહે છે, કે બે સ્થાન પૈકી ક્યા સ્થાનની ગાથા વધારાની છે ? આનો ઉત્તર આપણને નાણુતરાયેદસંગગાથા ૫૭ની ટીકા જોતાં સહેજે મળી રહે છે કે, એકધારા ચાલતી ૫૭મી ગાથાની ટીકામાં ગાથાની અધૂરી ટીકાએ એકાએક વચમાં આવી પડતી “મણુયગઈ જાઇ0” ગાથા ૫૮ તદન અસંગત છે. એટલું જ નહિ, પણ જે ટીકાપ કિતઓને “મધ્યગઈ ' ગાથાની ટીકા તરીકે માની લેવામાં આવી છે એ પણ એક ભૂલ થઈ છે. અસ્તુ. ખરું જોતાં ગાથા ૫૭માં “નવનામ” ઉઍ ચ” અને ગાથા ૬૯માં “ઉગાય નવનામાં આ પ્રમાણે બે ગાથામાં “નવનામ પદને નિર્દેશ આવતો હોવાથી તેના સ્પષ્ટીકરણ માટે ટીમકારે “નવનામેધૂ તતસ્તા 4 નવ પ્રતીન્દ્રિયતિ ” એ પ્રમાણેનું અવતરણ મૂકી ૭૦મી ગાથા તરીકે જે “મણુયગઈ જાઇ૦ ગાથા સ્વીકારી છે એ જ સુસંગત અને સૂત્રકારસંમત ગાથા છે. ૧. અમારા પ્રકાશમાં આ ગાથા ૬૭મી છે. ૨. અમારા પ્રકાશનમાં આ ગાથા પામી છે. ૩. અમારા સંપ્રાદન પ્રમાણે ગાથા ૫૫. ૪. અમારા સંપાદનને આધારે ગાથા ૬૬. ૫. અમારા સંપાદન મુજબ ગાથા ૬૭, Page #3 -------------------------------------------------------------------------- ________________ ક્રમ પ્રત્થાનું સ‘પાદન | ૧૪૭ <" સંશોધન માટે એકઠી કરેલી તાડપત્રીય વગેરે પ્રાચીન પ્રામાં પણ ઉપરોક્ત બંનેય ગાથા નથી. ચૂર્ણિકાર ભગવાને ચૂર્ણિમાં “ પંચ નવ” ગાથા લીધી છે ખરી, પણ તે માત્ર ઉત્તરપ્રકૃતિના વ્યાખ્યાનની સૂચના પૂરતી જ, નહિ કે સૂત્રકારની ગાથા તરીકે. “ મણુયગઇ જાઇ ” ગાથાને તા ચૂર્ણિકારે ૫૮ મી ગાથાના સ્થાનમાં નિર્દેશ સરખાય કર્યાં નથી, તેમ માકારે પણ આ ગાથાને નિર્દેશ કર્યો નથી. આ રીતે આ બંનેય ગાથા સૂત્રકારસંમત નથી. હવે રહી મારસપણસફ઼ેસયા૦” ગાથાની વાત. આ ગાથા ઉપર અવતરણ તેમ જ ટીકા હાવા છતાં, અમે એને ચૂર્ણિકારના एएति उदयविगप्पपयवंदनिरूवणत्थमन्तर्भाष्यगाथा - बारसપળસટ્રુતા” આ કથનાનુસાર બીજી અન્તર્ભાષ્યગાથાઓની માફ્ક મૂળ પ્રકરણની ગાથા તરીકે ગણતરીમાં લીધી નથી. આ રીતે પ્રસારક સભાની આવૃત્તિમાં મૂળપ્રકરણગાથા તરીકે પ્રકાશન પામેલી ત્રણે ગાથાએ સિત્તરિપ્રકરણકારની નથી. સિત્તરિપ્રકરણની તા ૭૨ ગાથાઓ જ છે. મુદ્રિત પ્રકરણમાલા તેમ જ ટબા વગેરેમાં આ પ્રકરણની ૯૨ ગાથાઓ જોવામાં આવે છે; એ બધીયે વધારાની ગાથાઓ માટે ભાગે અની પૂર્ત્તિ અને તેના સ્પષ્ટીકરણ માટે ચૂર્ણિકાર-ટીકાકારાએ ચૂર્ણિ-ટીકામાં આપેલી અન્તર્ભાષ્ય આદિની જ ગાથાઓ છે. આ વસ્તુ એના અંતમાં આવતી ગાથા ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે: गाहग्गं सयरीए, चंदमहत्तरमयाणुसारीए । टीगाइ नियमियाणं, एगुणा होइ नउई उ ॥ ભાષા અને છંદ——જનકલ્યાણના ઇચ્છુક જૈનાચાર્યાએ લાકજિાને અનુકૂળ પ્રાકૃતભાષા અને ગ્રંથરચનાને અનુકૂળ આર્યાં છંદને જ મુખ્યપણે પસંદ કરેલ હોઈ તેમની મૌલિક દરેક રચનાઓ પ્રાકૃતભાષા અને આર્યા છંદમાં જ થઈ છે. એ રીતે સિત્તરી ક્રમ ગ્રંથની રચના પણ પ્રાકૃતભાષા અને આર્યા છંદમાં જ થઈ છે. વિષય—પાંચમા-ઠ્ઠા કર્મગ્રંથના વિષયને પરિચય આ વિભાગમાં આવેલી વિસ્તૃત વિષયા નુક્રમણિકા જોવાથી વાચકોને મળી રહેશે. પ્રથકારા નવ્ય પાંચ કર્મગ્રંંધ અને તેની સ્વાપન્ન ટીકાના પ્રણેતા આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિવરને વિસ્તૃત પરિચય પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજે પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં આપેલા હાઈ અહી' માત્ર સપ્તતિકા પ્રકરણ અને તેની ટીકાના પ્રણેતાઓ વિષે જ વિચાર કરવામાં આવે છે. સપ્તતિકાના પ્રણેતા સપ્તતિકા પ્રકરણકારને લગતે પ્રશ્ન વિવાદથ્યસ્ત છે. સામાન્ય પ્રચલિત માન્યતા એવી છે કે એના પ્રણેતા શ્રી ચન્દ્રષિ` મહત્તર છે, અને માત્ર આ રૂઢ માન્યતાને અનુસરવા ખાતર પૂજ્ય ગુરુવર શ્રી ચતુરવિજયજી મહારાજશ્રીએ પણ કર્મગ્રંથના પ્રથમ વિભાગતી પ્રસ્તાવનામાં અને આ વિભાગમાં સપ્તતિકાના શાકમાં “શ્રીચન્દ્રષિ મહત્તરવિરચિત' એમ જણાવ્યું છે, પરંતુ વિચાર કરતાં આ ફ માન્યતાના મૂળમાં કોઈ પણ આધાર જડતા નથી. સપ્તતિકા પ્રકરણ મૂલની પ્રાચીન તાડપત્રીય પ્રતામાં ચન્દ્રષિ મહત્તર નામ ગર્ભિત જે ; 'गाहगं Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮] જ્ઞાનાંજલિ સારી” ગાથા (આ ગાથા અમે ઉપર લખી આવ્યા છીએ) જવામાં આવે છે એ પણ આપણને સત્તરના પ્રણેતા ચન્દ્રર્ષિ મહત્તર હોવા માટેની સાક્ષી આપતી નથી. એ ગાથા તો એટલું જ જણાવે છે કે, “ચર્ષિ મહત્તરના મતને અનુસરતી ટીકાના આધારે સત્તરિની ગાથા (૭૦ ને બદલે વધીને) નવ્યાસી થઈ છે.” આ ઉલ્લેખમાં સિરિ પ્રકરણની ગાથામાં વધારે કેમ કે એનું કારણ જ માત્ર સચવવામાં આવ્યું છે, પણ એના કર્તા વિષે એથી કશેય પ્રકાશ પડતા નથી. આચાર્ય શ્રી મલયગિરિ પણ ટીકાની શરૂઆતમાં કે અંતમાં એ માટે કશુંય જણવતા નથી. એટલે આ રીતે fસત્તના પ્રણેતા અંગેના પ્રશ્ન અણઉકલ્યો જ રહે છે. સિત્તરિ પ્રકરણ દ્રષિમહત્તરપ્રણીત હોવાની માન્યતા અમને તો ભ્રમમૂલક જ લાગે છે. અને એ તેના અંતની “ગાહગે સયરીએ.” ગાથામાં આવતાં થન્દ્રર્ષિ મહત્તર એ નામ શ્રવણ માત્રમાંથી જ જન્મ પામેલ છે. અને ટબાકારે કરેલા અસંબદ્ધ અર્થથી એ ભ્રમમાં ઉમેરો થયો છે. ખરું જોતાં ચન્દ્રર્ષિ મહત્તરાચાર્યે પંચસંગ્રહ ગ્રંથની રચના કરી છે તેમાં સંગ્રહ કરેલા અથવા સમાવેલા શતક, સપ્તતિકા, કષાયપ્રાભૃત, સત્કર્મ અને કર્મ પ્રકૃતિ એ પાંચે ગ્રંથો ચન્દ્રર્ષિ મહત્તરના પહેલાં થઈ ગયેલ આચાર્યોની કૃતિરૂપ હોઈ પ્રાચીન જ છે. અત્યારની રૂઢ માન્યતા મુજબ ખરેખર જો સતતિકાકાર અને પંચસંગ્રહકાર આચાર્ય એક જ હોત તો ભાગ્યકાર, ચૂણિ કાર આદિ પ્રાચીન ગ્રંથકારોના ગ્રંથોમાં જેમ શતક, સપ્રતિકા, કમપ્રકૃતિ આદિ ગ્રંથોનાં નામના સાક્ષી તરીકે ઉલ્લેખ મળે છે તેમ પંચસંગ્રહ જેવા પ્રાસાદભૂત ગ્રંથના નામનો ઉલ્લેખ પણ જરૂર મળ જોઈતો હતો. પરંતુ એવો ઉલ્લેખ ક્યાંય જોવામાં નથી આવતો એ એક સૂચક વસ્તુ છે, અને આ ઉપરથી આપણે એ અનુમાન કરી શકીએ છીએ કે “સપ્રતિકા”ના પ્રણેતા પંચસંગ્રહકાર કરતાં કઈ જુદા જ આચાર્ય છે કે જેમનું નામ આપણે જાતા નથી, અને તે પ્રાચીનતમ આચાર્ય છે. સપ્તતિકાને રચનાકાળ–ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે તેમના વિશેષણવતી ગ્રંથ માં સિત્તરિ કર્મ ગ્રંથમાં આવતા વિષયને અંગે ચર્ચા કરી છે, ત્યાં સિત્તરિ પ્રકરણના નામનો ઉલ્લેખ કર્યો છે એટલે આ પ્રકરણ મહાભાષ્યકાર શ્રી જિનભકગણિ ક્ષમાશ્રમણના કાળ પહેલાં રચાઈ ચૂકયું હતું એ નિર્વિવાદ હકીકત છે. ભગવાન શ્રી જિનભદ્રગણિ સમય વિક્રમની સાતમી સદીનો ગણાય છે એટલે એ પૂર્વે આ પ્રકરણ રચાયું હતું એમ માનવામાં કશી હરકત નથી. ૧. “જા સયરીys” ગાથાને અર્થ ટબાકારે આ પ્રમાણે કર્યો છે—-“ચદ્રમહત્તરાચાર્ય. ના મતને અનુસરવાવાળી સિત્તેર ગાથા વડે આ ગ્રંથ રચાયેલ છે. તેમાં ટીકાકારે રચેલી નવી ગાથાઓ ઉમેરતાં નવ્યાશી થાય છે. ૧૯૧ાા વિવેચન–એ સપ્તતિકા ગ્રંથકર્તા ચન્દ્રમહત્તર આચાર્યો તે પૂર્વે સિત્તેર જ ગાથા કરી હતી” ઈત્યાદિ. (શ્રેયસ્કરમંડળની આવૃત્તિ). - ૨. સવાટુ દૂર થા, નારિટું ઘરથ સંહિત્તારાજા વંશ ગઢવા, તે નથrમિદાળfમ છે ૨ ” gશ્વસંગ્રહૃા “પ્રજાનાં શતાવ–સપ્તતિ-રાયબમૃત-સવર્મ-કર્મપ્રકૃતિलक्षणानां ग्रन्थानाम्, अथवा पञ्चानामर्थाधिकाराणां योगोपयोगमार्गणा-बन्धक-बन्द्धव्य-बन्धेहत વરઘવિધિનાળાના સંઘરું: ઘરચાંઘરું: ” (વંસંસ્થા , મયનિરિટીવા) II ३. “सयरीए मोहबंधट्ठाणा पंचादओ कया पंच । अनियट्टिणो छलुत्ता णवादओदीरणापगए । ९० ॥ सरीयए दो विगप्पा, सम्मामिच्छं समोहबंधम्मि। भणिया उईरणाए, चत्तारि #રુન્નિહિ? | e? ત્યવિવI: નાથr : .. Page #5 -------------------------------------------------------------------------- ________________ ક ગ્રન્થાનું સ`પાદન | ૧૪૯ અહીં સાથે સાથે એ વાત ધ્યાનમાં રહે કે મહત્તર પદ અને ગર્ગષિ, સિદ્ધ િ, પાષિ, ચન્દ્રષિ` આદિ જેવાં ઋષિપદાંત નામે સામાન્ય રીતે પાછલા જમાનાના હાઈ સિત્તરિ પ્રકરણની રચનાને સમય અને ચન્દ્રષિ` મહત્તર એ નામનેા સંબંધ પણ વિષમતાભર્યાં છે એ કારણસર પણુ સિત્તરિના પ્રણેતા ચન્દ્રષિ` મહત્તર ઠરતા નથી. સિત્તરિ પ્રકરણકાર વિષે આ કરતાં વિશેષ અમે અત્યારે કશું જ કહી શકતા નથી, ટીકાકાર આચાર્ય શ્રી મલયરિ સિત્તરિ ટીકાના પ્રણેતા આચાર્ય શ્રી મલયગિરિ છે એ આપણે ટીકાના અંતમાં આવતા નામે લેખ પરથી જાણી શકીએ છીએ. એમનેા શકય પરિચય અહીં કરાવવામાં આવે છે. ગુણવંતી ગુજરાતની ગૌરવવંતી વિભૂતિ સમા, સમગ્ર જૈન પરપરાને માન્ય, ગૂર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલદેવ પ્રતિષેાધક મહાન આચાર્ય શ્રી હેમચન્દ્રના વિદ્યાસાધનાના સહચર, ભારતીય સમગ્ર સાહિત્યના ઉપાસક, જૈનાગમશિરોમણિ, સમર્થ ટીકાકાર, ગુજરાતની ભૂમિમાં અશ્રતપણે લાખા લૈકપ્રમાણુ સાહિત્યગંગાને રેલાવનાર આચાર્ય શ્રી મલગિરિ કાણુ હતા ? તેમની જન્મભૂમિ, જ્ઞાતિ, માતા, પિતા, ગચ્છ, દીક્ષાગુરુ, વિદ્યાગુરુ વગેરે કાણુ હતા ? તેમના વિદ્યાભ્યાસ, ગ્રંથના અને વિહારભૂમિનાં કેન્દ્રસ્થાન કયાં હતાં ? તેમને શિષ્યપરિવાર હતા કે નહિ ?—ઇત્યાદિ દરેક બાબત આજે લગભગ અંધારામાં જ છે. તે છતાં શેાધ અને અવલેાકનને અ ંતે જે કાંઈ અલ્પ-સ્વલ્પ સામગ્રી પ્રાપ્ત થઈ છે, તેને આધારે એ મહાપુરુષતા અહીં પરિચય કરાવવામાં આવે છે. આચાર્યં શ્રી મલયગિરિએ પેાતે પેાતાના ગ્રંથૈાના અંતની પ્રશસ્તિમાં થવાવિ મયશિરિના, fŕદ્ધ તેનશ્રુતાં તો:' એટલા સામાન્ય નામેાલ્લેખ સિવાય પાતા અંગેની બીજી કોઈ પણ ખાસ હકીકતની નોંધ કરી નથી. તેમ જ તેમના સમસમયભાવી કે પાછળ થનાર લગભગ બધાય ઐતિહાસિક ગ્રંથકારાએ સુધ્ધાં આ જૈનશાસનપ્રભાવક આગમજ્ઞધુરધર સૈદ્ધાન્તિક સમ મહાપુરુષ માટે મૌન અને ઉદાસીનતા જ ધારણ કર્યાં છે. ફક્ત પંદરમી સદીમાં થયેલા શ્રીમાન જિનમ'ડનગણિએ તેમના કુમારપાલપ્રમધ’માં · આચાર્ય શ્રી હેમચન્દ્ર વિદ્યાસાધન માટે જાય છે' એ પ્રસંગમાં આચા શ્રી મલયગિરિને લગતી વિશિષ્ટ બાબતને ઉલ્લેખ કર્યાં છે, જેના ઉતારે અહીં આપવામાં આવે છે— एकदा श्रीगुरूनापृगच्छ्यान्यगच्छीय देवेन्द्र सूरि-मलयगिरिभ्यां सह कलाकलापकौशलाद्यर्थं गौडदेशं प्रति प्रस्थिताः खिल्लूरग्रामे च त्रयो जना गताः । तत्र ग्लानो मुनिर्वैयावृत्यादिना प्रतिचरितः । स श्री रैवतकतीर्थे देवनमस्करणकृतार्त्तिः । यावद्ग्रामाध्यक्षश्राद्धेभ्यः सुखासनं प्रगुणीकृत्य ते रात्रौ सुप्तास्तावत् प्रत्यूषे प्रबुद्धाः स्वं रैवतके पश्यन्ति । शासनदेवता प्रत्यक्षीभूय कृतगुणस्तुतिः भाग्यवतां भवतामत्र स्थितानां सर्व भावि' इति गौडदेशे गमनं निषिध्य महौषधीरनेकान्मन्त्रान्नामप्रभावाद्याख्यानपूर्वमाख्याय स्वस्थानं जगाम । < ** एकदा श्रीगुरुभिः सुमुहूर्ते दीपोत्सवचतुर्दशीरात्रौ श्रीसिद्धचक्रमन्त्रः सान्माय: समुपदिष्टः । स च पद्मिनीस्त्रीकृतोत्तरसाधकत्वेन साध्यते ततः सिध्यति, याचितं वरं दत्ते, नान्यथा । x x ×× ते च त्रयः कृतपूर्वकृत्याः श्रीअम्बिकाकृतसान्निध्याः शुभध्यानधी रधियः श्री रैवतकदैवत दृष्टौ त्रियामिन्यामाह्वाना ऽत्रगुण्डन-मुद्राकरण-मन्त्रन्यास - विसर्जनादिभिरुपचारैर्गुरुक्तविधिना સમીપथपद्मिनीस्त्रीकृतोत्तरसाधक क्रियाः श्रीसिद्धचक्रमन्त्रमसाधयन् । तत इन्द्रसामानिकदेवोऽस्याधिष्ठाता श्रीविमलेश्वरनामा प्रत्यक्षीभूय पुष्पवृष्टिं विधाय 'स्वेप्सितं वरं वृणुत' इत्युवाच । ततः श्रीहेम . Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦] જ્ઞાનાંજલિ सूरिणा राजप्रतिबोधः, देवेन्द्रसूरिणा निजावदातकरणाय कान्तीनगर्याः प्रासाद एकरात्रौ ध्यानबलेन सेरीसकग्रामे समानीत इति जनप्रसिद्धिः, मलयगिरिसूरिणा सिद्धान्तवृत्तिकरणवर इति । त्रयाणां वरं दत्त्वा देव: स्वस्थानमगात् ।” जिनमण्डनीय कुमारपालप्रबन्ध, पत्र १२-१३॥ ભાવાર્થ–“આચાર્ય શ્રી હેમચન્દ્ર ગુરુની આજ્ઞા લઈ અન્ય છીય શ્રી દેવેન્દ્રસૂરિ અને શ્રી મલયગિરિ સાથે કળાઓમાં કુશળતા મેળવવા માટે ગૌદશ તરફ વિહાર કર્યો. રસ્તામાં આવતા ખિલૂર ગામમાં એક સાધુ માંદા હતા તેમની ત્રણે જણાએ સારી રીતે સેવા કરી. તે સાધુ ગિરનાર તીર્થની યાત્રા માટે ખૂબ ઝંખતા હતા. તેમની અંત સમયની ભાવના પૂરી કરવા માટે ગામના લોકોને સમજાવી પાલખી વગેરે સાધનને બંદોબસ્ત કરી રાત્રે સુઈ ગયા. સવારે ઊઠીને જુએ છે તો ત્રણે જણે પોતાની જાતને ગિરનારમાં જુએ છે. આ વખતે શાસનદેવતાએ આવીને તેમને કહ્યું કે, આપ સૌનું ધારેલું બધુંય કામ અહીં જ પાર પડી જશે. હવે આપને આ માટે ગૌડેદેશમાં જવાની જરૂરત નથી. અને વિધિ, નામ, માહાત્મ્ય કહેવાપૂર્વક અનેક મંત્ર, ઔષધી વગેરે આપી દેવી પિતાને ઠેકાણે ચાલી ગઈ એક વખત ગુરુમહારાજે તેમને સિદ્ધચક્રને મંત્ર આમ્નાય સાથે આ, જે કાળી ચૌદશની રાતે પતિની સ્ત્રીના ઉત્તરસાધકપણાથી સિદ્ધ કરી શકાય. * મર * * ત્રણે જણાએ વિદ્યાસાધનના પુરશ્ચરણને સિદ્ધ કરી, અંબિકા દેવીની સહાયથી ભગવાન શ્રી નેમિનાથ સામે બેસી સિદ્ધચક્રમંત્રની આરાધના કરી. મંત્રના અધિષ્ઠાયક શ્રી વિમલેશ્વેદેવે પ્રસન્ન થઈ ત્રણે જણાને કહ્યું કે, તમને ગમતું વરદાન માગે. ત્યારે શ્રી હેમચન્દ્ર રાજાને પ્રતિબંધ કરવાનું, શ્રી દેવેદ્રસૂરિએ એક રાતમાં કાન્તી નગરીથી સેરીસામાં મંદિર લાવવાનું અને શ્રી મલયગિરસૂરિએ જૈન સિદ્ધાંતોની વૃત્તિઓ રચવાનું વર માગ્યું. ત્રણેને તેમની ઈચ્છા પ્રમાણેનું વર આપી દેવ પોતાને સ્થાને ચાલ્યા ગયે.” ઉપર કુમારપાલપ્રબંધમાંથી જે ઉતાર આપવામાં આવ્યો છે, એમાં મલયગિરિ નામનો જે ઉલેખ છે એ બીજા કોઈ નહિ, પણ જૈન આગમોની વૃત્તિઓ રચવાનું વર માગનાર હાઈ પ્રસ્તુત મલયગિરિ જ છે. આ ઉલેખ ટૂંકો હોવા છતાં એમાં નીચેની મહત્વની બાબતોનો ઉલ્લેખ થયેલ આપણે જોઈ શકીએ છીએઃ ૧. પૂજ્ય શ્રી મલયગિરિ ભગવાન શ્રી હેમચન્દ્ર સાથે વિદ્યાસાધન માટે ગયા હતા. ૨. તેમણે જૈન આગમોની ટીકાઓ રચવા માટે વરદાન મેળવ્યું હતું અથવા એ માટે પોતે ઉત્સુક હોઈ યોગ્ય સાહાયની માગણી કરી હતી. ૩. “મલયગિરિસૂરિણા' એ ઉલ્લેખથી શ્રી મલયગિરિ આચાર્ય પદ વિભૂષિત હતા. શ્રી મલયગિરિ અને તેમનું સૂરિપદ પૂજ્ય શ્રી મલયગિરિ મહારાજ આચાર્યપદ વિભૂષિત હતા કે નહિ ? એ પ્રશ્નને વિચાર આવતાં જે આપણે સામાન્ય રીતે તેમના રચેલા ગ્રંથોના અંતની પ્રશસ્તિઓ તરફ નજર કરીશું તો આપણે તેમાં તેઓશ્રી માટે “પઢવાપિ મનથnિfir” એટલા સામાન્ય નામનિર્દેશ સિવાય બીજે કશેય ખાસ વિશેષ ઉલ્લેખ જોઈ શકીશું નહિ. તેમ જ તેમના પછી લગભગ એક સિકા બાદ એટલે કે ચૌદમી સદીની શરૂઆતમાં થનાર તપાગચ્છીય આચાર્ય શ્રી ક્ષેમકીર્તિસૂરિએ શ્રી મલયગિરિવિરચિત ૧. “ વૃ ત્વમૂત્ર'ની ટીકા આચાર્ય શ્રી ક્ષેમકીર્તિએ વિ. સં. ૧૩૩૨માં પૂર્ણ કરી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ કપ્રન્થનું સંપાદન બૃહસ્પસૂત્રની અપૂર્ણ ટીકાના અનુસંધાનના મંગલાચરણ અને ઉસ્થાનિકામાં પણ એમને માટે આચાર્ય તરીકેનો સ્પષ્ટ નિર્દેશ કર્યો નથી. એ વિષેનો સ્પષ્ટ ઉલ્લેખ તો આપણને પંદરમી સદીમાં થનાર શ્રી જિનમંડન ગણિના “કુમારપાલપ્રબંધમાં જ મળે છે. એટલે સૌઈને એમ લાગશે કે તેઓશ્રી માટે આચાર્ય તરીકેનો નિર્દેશ કરવા માટે આચાર્ય શ્રી ક્ષેમકીર્તિ જેવાએ જ્યારે ઉપેક્ષા કરી છે તો તેઓશ્રી વાસ્તવિક રીતે આચાર્યપદવિભૂષિત હશે કે કેમ ? અને અમને પણ એ માટે તર્કવિતર્ક થતા હતા. પરંતુ તપાસ કરતાં અમને એક એવું પ્રમાણ જડી ગયું કે જેથી તેઓશ્રીના આચાર્યપદવિભૂષિત હોવા માટે બીજા કોઈ પ્રમાણુની આવશ્યકતા રહે જ નહિ. એ પ્રમાણુ ખુદ શ્રી મલવગિરિવિરચિત પજ્ઞશબ્દાનુશાસનમાંનું છે, જેનો ઉલ્લેખ અહીં કરવામાં આવે છે. ૨ “ एवं कृतमङ्गल रक्षाविधानः परिपूर्णमल्पग्रथं लघूपाय आचार्यो मलयगिरिः દાનુશાસનમમિતે | આ ઉલ્લેખ જોયા પછી કોઈને પણ તેઓશ્રીના આચાર્ય પણ વિષે શંકા રહેશે નહિ. શ્રી મલયગિરિસૂરિ અને આચાર્ય શ્રી હેમચંદ્રને સંબંધ—ઉપર આપણે જોઈ આવ્યા છીએ કે મલયગિરિરુરિ અને ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય વિદ્યાભ્યાસને વિકસાવવા માટે તેમ જ મંત્રવિદ્યાની સાધના માટે સાથે રહેતા હતા અને સાથે વિહારાદિ પણ કરતા હતા. આ ઉપરથી તેઓ પરસ્પર અતિનિકટ સંબંધ ધરાવતા હતા, તે છતાં એ સંબંધ કેટલી હદ સુધીનો હતો અને તેણે કેવા રૂપ લીધું હતું એ જાણવા માટે આચાર્ય શ્રી મલયગિરિએ પોતાની આવશ્યકવૃત્તિમાં ભગવાન શ્રી હેમચંદ્રની કૃતિમાનું એક પ્રમાણુ ટાંકતાં તેઓશ્રી માટે જે પ્રકારનો બહુમાનભર્યો ઉલ્લેખ કર્યો છે તે આપણે જોઈએ. આચાર્ય શ્રી મલયગિરિનો ઉલ્લેખ આ પ્રમાણે છે : " तथा चाहुः स्तुतिषु गुरवः अन्योन्यपक्षप्रतिपक्षभावाद्, यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन्, न पक्षपाती समयस्तथा ते ।।' __हेमचन्द्रकृत अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका, श्लोक ३० ।। આ ઉલ્લેખમાં શ્રી મલયગિરિએ ભગવાન શ્રી હેમચંદ્રનો નિર્દોષ “Yરવ:” એવા અતિ બહુમાનભર્યા શબ્દથી કર્યો છે. આ ઉપરથી ભગવાન શ્રી હેમચંદ્રના પાંડિત્ય, પ્રભાવ અને ગુણોની છાપ શ્રી મલયગિરિ જેવા સમર્થ મહાપુરુપ પર કેટલી ઊંડી પડી હતી એની કલ્પના આપણે સહેજે કરી શકીએ છીએ. સાથે સાથે આપણે એ પણું અનુમાન કરી શકીએ કે શ્રી મલયગિરિ શ્રી હેમચંદ્રસૂરિ કરતાં વયમાં ભલે નાના-મોટા હોય, પરંતુ વ્રતપર્યાયમાં તો તેઓ શ્રી હેમચંદ્ર કરતાં નાના જ હતા. નહિ તો તેઓ શ્રી હેમચંદ્રાચાર્ય માટે ગમે તેટલાં ગૌરવસૂચક વિશેષણો લખે પણ “ગુરવ:” એમ તો ન જ લખે. 1 " आगमदुर्गमपदसंशयादितापो विलीयते विदुषाम् । यद्वचनचन्दनरसैमलयगिरिः स जयति यथार्थः ॥ ५ ।। श्रीमलयगिरिप्रभवो, यां कर्तुमुपाक्रमन्त मतिमन्तः । सा कल्पशास्त्रटीका, मयाऽनुसन्धीयतेऽल्पधिया ॥ ८ ॥ २ "-चूणिकृता चूणिरासूत्रिता तथापि सा निविडजडिमजम्बालजटालानामस्मादृशां जन्तूनां न तथाविधमवबोधनिबन्धनमुपजायत इति परिभाव्य शब्दानुशासनादिविश्वविद्यामयज्योति:पुञ्जपरमाणुधटितमूर्तिभिः श्रीमलयगिरिमुनीन्द्रषिपादः विवरणमुपचक्रमे ।" Page #8 -------------------------------------------------------------------------- ________________ १५२ ] જ્ઞાનાંજલિ મલગિગિરની ગ્રંથચના-આચાર્ય શ્રી મલયગિરિએ કેટલા ગ્રંથ રચ્યા હતા એ વિષેના સ્પષ્ટ ઉલ્લેખ કયાંય જોવામાં નથી આવતા. તેમ છતાં તેમના જે ગ્ર ંથ અત્યારે મળે છે, તેમ જ જે ગ્રેચાનાં નામાને ઉલ્લેખ તેમની કૃતિમાં મળવા છતાં અત્યારે એ મળતા નથી, એ બધાયની યથાપ્રાપ્ત નોંધ આ નીચે આપવામાં આવે છે: મળતા ગ્રંથા નામ १ भगवती सूत्र द्वितीयशतक वृत्ति. २ राजप्रश्नीयोपाङ्गटीका ३ जीवाभिगमोपाङ्गटीका ४ प्रज्ञापनोपाङ्गटीका ५ चन्द्रप्रज्ञप्त्युपाङ्गटीका ६ सूर्यप्रज्ञप्त्युपाङ्गटीका ७ नन्दी सूत्रटीका ८ व्यवहारसूत्रवृत्ति बृहत्कल्पपीठिकावृत्ति - अपूर्ण १० आवश्यकवृत्ति - अपूर्ण ११ पिण्डनिर्युक्तिटीका १२ ज्योतिष्करण्डकटीका १३ धर्मसंग्रहणीवृत्ति १४ कर्म प्रकृतिवृत्ति १५ पंचसंग्रहवृत्ति १६ षडशीतिवृत्ति १७ सप्ततिकावृत्ति १८ बृहत्संग्रणीवृत्ति १६ बृहत्क्षेत्रसमासवृत्ति २० मलयगिरिशब्दानुशासन १ जम्बूद्वीपप्रज्ञप्ति टीका ३ विशेषावश्यक टीका ५ धर्मसारप्रकरण टीका અલભ્ય ગ્રંથા મથલા પ્રમાણ? ३७५० ३७०० १६००० १६००० ६५०० ६५०० ७७३२ ३४००० ४६०० १८००० ६७०० मुद्रित मुद्रित मुद्रित मुद्रित मुद्रित मुद्रित मुद्रित मुद्रित मुद्रित मुद्रित मुद्रित ५००० १०००० ८००० मुद्रित १८८५० मुद्रित २००० मुद्रित ३७८० मुद्रित ५००० मुद्रित ६५०० मुद्रित ५००० (?) २ ओघनिर्यक्ति टीका ४ तत्त्वार्थाधिगमसूत्र टका ६ देवेन्द्र र केन्द्रप्रकरण टीका ४ ૧. અહી આપવામાં આવેલી શ્લેાકસ ખ્યા કેટલાકની મૂળગ્રંથ સહિતની છે. "" २. “ यथा च प्रमाणबाधित्वं तथा तत्त्वार्थटीकायां भावितमिति ततोऽवधार्यम् । प्रज्ञापनासूत्र टीका ॥ "" 3. " यथा चापुरुषार्थता अर्थकामयोस्तथा धर्मसारटीकायामभिहितमिति नेह प्रतायते । धर्म संग्रहणी टीका ॥ ४. “ वृत्तादीनां च प्रतिपृथिवि परिमाणं देवेन्द्रनरकेन्द्र प्रपञ्चितमिति नेह भूयः प्रपञ्चयते " संग्रहणीवृत्ति, पत्र १०६ ॥ Page #9 -------------------------------------------------------------------------- ________________ કર્મ ગ્રંથોનું સંપાદન [૧૫૩ અહીં જે ગ્રંથોનાં નામોની નોંધ આપવામાં આવી છે તેમાંથી શ્રીમલયગિરિશબ્દાનુશાસન સિવાયના બધાય ગ્રંથો ટીકાત્મક જ છે. એટલે આપણે આચાર્ય મલયગિરિને ગ્રંથકાર તરીકે ઓળખીએ તે કરતાં તેમને ટીકાકાર તરીકે ઓળખવા એ જ સુસંગત છે. - આચાર્ય શ્રી મલયગિરિની ટીકારચના–આજ સુધીમાં આચાર્ય શ્રી હરિભદ્ર, ગંધહસ્તી સિદ્ધસેનાચા, શ્રીમાન કોટવાચાર્ય, આચાર્ય શ્રી શીલાંક, નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ, મલધારી આચાર્ય શ્રી હેમચંદ્ર, તપ શ્રી દેવેન્દ્રસૂરિ આદિ અનેક સમર્થ ટીકાકાર આચાર્યો થઈ ગયા છે, તે છતાં આચાર્ય શ્રી મલયગિરિએ ટીકાનિર્માણના ક્ષેત્રમાં એક જુદી જ ભાત પાડી છે. શ્રી મલયગિરિની ટીકા એટલે તેમના પૂર્વવત્ત તે તે વિષયના પ્રાચીન ગ્રંથો, ચૂર્ણિ, ટીકા, દિપણુ આદિ અનેક શાસ્ત્રોના દેહન ઉપરાંત પિતા તરફના તે તે વિષયને લગતા વિચારોની પરિપૂર્ણતા સમજવી જોઈએ. ગંભીરમાં ગંભીર વિષયોને ચર્ચતી વખતે પણ ભાષાની પ્રાસાદિકતા, પ્રૌઢિ અને સ્પષ્ટતામાં જરા સરખી પણ ઊણપ નજરે પડતી નથી અને વિષયની વિશદતા એટલી જ કાયમ રહે છે. આચાર્ય મલયગિરિની ટીકા રચવાની પદ્ધતિ ટૂંકમાં આ પ્રમાણેની છે: તેઓશ્રી સૌપહેલાં મૂળસૂત્ર, ગાથા કે લેકના શબ્દાર્થની વ્યાખ્યા કરતાં જે સ્પષ્ટ કરવાનું હોય તે સાથે કહી દે છે. ત્યાર પછી જે વિષ પર વિશેષ સ્પષ્ટીકરણની આવશ્યકતા હોય તેમને “ માં માવ:, લિમુi મવતિ, મયમારાથી, મત્ર ૬ '' ઇત્યાદિ લખી આખાય વક્તવ્યનો સાર કહી દે છે. આ રીતે પ્રત્યેક વિષયને સ્પષ્ટ કર્યા પછી તેને લગતાં પ્રાસંગિક અને અનુપ્રાસંગિક વિષયોને ચર્ચવાનું તેમ જ તદિષયક અનેક પ્રાચીન પ્રમાણોને ઉલ્લેખ કરવાનું પણ તેઓશ્રી ચૂકતા નથી, એટલું જ નહિ, પણ જે પ્રમાણોને પોતે ઉલ્લેખ કર્યો હોય તેને અંગે જરૂરત જણાય ત્યાં વિષમ શબ્દોના અર્થો, વ્યાખ્યા કે ભાવાર્થ લખવાનું પણ તેઓ ભૂલતા નથી, જેથી કોઈ પણ અભ્યાસીને તેના અર્થ માટે મૂંઝાવું ન પડે કે ફાંફાં મારવાં ન પડે. આ કારણસર તેમ જ ઉપર જણાવવામાં આવ્યું તેમ ભાષાની પ્રાસાદિકતા અને અર્થ તેમ જ વિષયપ્રતિપાદન કરવાની વિશદ પદ્ધતિને લીધે આચાર્ય શ્રી મલયગિરિની ટીકાઓ અને તેમનું ટીકાકારપણું સમગ્ર જૈન સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠા પામ્યાં છે. આચાર્ય મલયગિરિનું બહઋતપણું–આચાર્ય મલયગિરિકૃત મહાન ગ્રંથરાશિનું અવગાહન કરતાં તેમાં જે અનેક આગમિક અને દાર્શનિક વિજ્યોની ચર્ચા છે, તેમ જ પ્રસંગે પ્રસંગે તે તે વિષયને લગતાં જે અનેકાનેક કલ્પનાતીત શાસ્ત્રીય પ્રમાણો ટાંકેલાં છે, એ જોતાં આપણે સમજી શકીશું કે, તેઓશ્રી માત્ર જૈન વાડ્મયનું જ જ્ઞાન ધરાવતા હતા એમ નહોતું, પરંતુ ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાના ભારતીય જૈન-જૈનેતર દાર્શનિક સાહિત્ય, જ્યોતિર્વિદ્યા, ગણિતશાસ્ત્ર, લહાણુશાસ્ત્ર આદિને લગતા વિવિધ અને વિશિષ્ટ શાસ્ત્રીય જ્ઞાનનો વિશાળ વારસ ધરાવનાર મહાપુરુષ હતા. તેઓશ્રીએ પોતાના ગ્રંથોમાં જે રીતે પદાર્થોનું નિરૂપણ કર્યું છે એ તરફ આપણે સૂક્ષ્મ રીતે ધ્યાન આપીશું તો આપણને લાગશે કે એ મહાપુરુષ વિપુલ વિભયવારિધિને ઘૂંટીને પી જ ગયા હતા, અને આમ કહેવામાં આપણે જરા પણ અતિશયોક્તિ નથી જ કરતા. પૂજ્ય આચાર્ય શ્રી મલયગિરિરિવરમાં ભલે ગમે તેટલું વિશ્વવિદ્યાવિષયક પાંડિત્ય હો, તે છતાં તેઓશ્રી એકાંત નિર્વતિમાગના ધોરી અને નિર્વતિમાર્ગપરાયણ ઈ તેમને આપણે નિર્વતિમાર્ગ પરાયણ જૈનધર્મની પરિભાષામાં આગમિક કે સૈદ્ધાંતિક યુગપ્રધાન આચાર્ય તરીકે ઓળખીએ એ જ વધારે ઘટમાન વસ્તુ છે. જ્ઞાનાં. ૨૦ -- Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] જ્ઞાનાંજલિ આચાર્ય મલયગિરિનું આતરજીવન–વીરવદ્ધમાન–જેન-પ્રવચનના અલંકારરવરૂપ, યુગપ્રધાન, આચાર્યપ્રવર શ્રી મલયગિરિ મહારાજની જીવનરેખા વિષે એકાએક કાંઈ પણ બોલવું કે લખવું એ ખરે જ એક અઘરું કામ છે, તે છતાં એ મહાપુરુષ માટે ટૂંકમાં પણ લખ્યા સિવાય રહી શકાય તેમ નથી. આચાર્ય શ્રી મલયગિરિવિરચિત જે વિશાળ ગ્રંથરાશિ આજે આપણી નજર સામે વિદ્યમાન છે એ પોતે જ એ પ્રભાવક પુરુષના આંતરજીવનની રેખા દોરી રહેલ છે. એ ગ્રંથરાશિ અને તેમાં વર્ણવાયેલાં પદાર્થો આપણને કહી રહ્યા છે કે, એ પ્રજ્ઞાપ્રધાન પુરુષ મહાન જ્ઞાનયોગી, કર્મયોગી, આત્માગી, અગર જે માનો તે હતા. એ ગુણધામ અને પુણ્યનામ મહાપુરુષે પોતાની જાતને એટલી છુપાવી છે કે એમના વિશાળ સાહિત્યરાશિમાં કોઈ પણ ઠેકાણે એમણે પોતાને માટે “ માજિરિત' એટલા સામાન્ય નામનિર્દેશ સિવાય કશુંય લખ્યું નથી. વાર વાર વંદન છે એ માન-મદવિરહિત મહાપુરુષના પાદપઘને ! સંશોધન માટે એકત્ર કરેલી હસ્તલિખિત પ્રતિ પ્રસ્તુત વિભાગમાં પ્રકાશન પામતા પાંચમા- કર્મગ્રંથના સંશોધન માટે પ્રાચીન તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલ સાત પ્રતિઓ એકઠી કરવામાં આવી હતી, જેના સંકેત વગેરેનો પરિચય અહીં આપવામાં આવે છે. ૧-૨, સં. ૧ અને સં. ૨ સંજ્ઞક પ્રતિ –આ બંનેય પ્રતિઓ પાટણ-સંઘવીના પાડાના તાડપત્રીય જ્ઞાનભંડારની છે. એ ભંડાર અત્યારે શા. સેવંતીલાલ છોટાલાલ પટવાની સંભાળ નીચે છે. સં. ૧ સંસક પ્રતિ તાડપત્રીય છે અને તે સટીક છયે કર્મગ્રંથની છે. તેનાં પાનાં ૩૫૧ છે અને તેની લંબાઈ-પહોળાઈ ૩૫ xરા ઈંચની છે. પ્રતિની દરેક પંડીમાં વધારેમાં વધારે છે અને ઓછામાં ઓછી ચાર પંક્તિઓ લખાયેલી છે. એની લિપિ તેમ જ સ્થિતિ ઘણી જ સારી છે અને તેના અંતમાં નીચે પ્રમાણે ઉલેખ છે : " इति श्रीमलयगिरिविरचिता सप्ततिटीका समाप्ता ॥ छ । ग्रन्थाग्रम् ३८०० ॥ छ । संवत् १४६२ वर्षे माघ शुदि ६ भोमे अद्येह श्रीपत्तने लिखितम् ॥ छ ॥ शुभं भवतु ॥ उकेशवंशसम्भूतः, प्रभूतसुकृतादरः ।। वासी साण्डउसीग्रामे, सुश्रेष्ठी महुणाभिधः ॥ १ ॥ मोघीकृताघसङ्घाता, मोघीरप्रतिघोदया । नानापुण्यक्रियानिष्ठा, जाता तस्य सधर्मिणी ॥ २ ॥ तयोः पुत्री पवित्राशा, प्रशस्या गुणसम्पदा । हादूर्दरीकृता दोषैर्धर्मकमैंककर्मठा ॥ ३ ॥ शुद्धसम्यकत्वमाणिक्यालङ्कतः सुकृतोदयः । एतस्या भागिनेयोऽभूदाकाकः श्रावकोत्तमः ॥ ४ ॥ श्रीजैनशासननभोऽङ्गणभास्कराणां __ श्रीमत्तपागणपयोधिसुधाकराणाम् । विश्वाद्भुतातिशयराशियुगोत्तमानां श्रीदेवसुन्दरगुरुप्रथिताभिधानाम् ।। ५ ।। Page #11 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથનું સંપાદન [૧૫૫ पुण्योपदेशमथ पेशलसन्निवेशं तत्त्वप्रकाशविशदं विनिशम्य सम्यक् । एतत्सुपुस्तकमलेखयदुत्तमाशा सा श्राविका विपुलबोधसमृद्धिहेतोः ॥ ६ ।। बाणाङ्गवेदेन्दुमिते १४६५ प्रवृत्ते । संवत्सरे विक्रमभूपतीये । श्रीपत्तनाह्वानपुरे वरेण्ये, શ્રીશાનો નિહિત તરમ્ | ૭ | यावद्व्योमारविन्दे कनकगिरिमहाकर्णिकाकीर्णमध्ये विस्तीर्णोदीर्णकाष्ठातुलदलकलिते सर्वदोज्ज म्भमाणे । पक्षद्वन्द्वावयातौ वरतरगतितः खेलतौ राजहंसौ तावज्जीयादजस्र कृतियतिभिरिदं पुस्तकं वाच्यमानम् ॥ ८ ॥ ગુમ ભવતુ . ” સં. ૨ પ્રતિ પણ તાડપત્રીય છે અને સટીક પાંચ કર્મગ્રંથ સુધીની છે. તેનાં પાનાં રથી ૩૦૬ છે અને પાંચમા કર્મગ્રંથનો અંતનો થોડો ભાગ ખૂટે છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૨૨૪૨ ઈંચની છે. દરેક પૂંઠીમાં છ કે સાત લીટીઓ છે. પ્રતિના દેખાવ અને લિપિને ધ્યાનમાં લેતાં એ ચું સદીમાં લખાયેલી લાગે છે. એની સ્થિતિ સાધારણ છે. ઉપર્યુક્ત બંનેય પ્રતિઓની પંક્તિઓ અવ્યવસ્થિત હોવાને લીધે તેની અક્ષરસંખ્યા જણાવી નથી. આ બંનેય પ્રતિઓ લાંબી હોઈ ત્રણ વિભાગમાં લખાયેલી છે અને એનાં પાનને દોરાથી વ્યવસ્થિત રાખવા માટે વચલા બે વિભાગમાં કાણું પાડેલાં છે. ૩. સં. ૨ સંજ્ઞક પ્રતિ–આ પ્રતિ પણ ઉપર્યુક્ત સંધવીના પાડાના તાડપત્રીય ભંડારની જ છે અને તાડપત્ર ઉપર લખાએલ છે. આ પ્રતિ ફક્ત આચાર્ય મલયગિરિકૃત ટીકાયુક્ત સડતા કર્મ ગ્રંથની છે. એની પત્રસંખ્યા ૧૨૨ છે. તે પૈકી ૪૫, ૬૧, ૧૦૧, ૧૦૮ એ ચાર પાનાં ખોવાઈ ગયાં છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૧૪૪રા ઈચની છે અને પૂકી દીઠ પાંચથી સાત લીટીઓ છે. પ્રતિ જીર્ણ સ્થિતિમાં છે. પ્રતિ બે વિભાગમાં લખાયેલી છે અને તેનાં પાનાંને વ્યવસ્થિત રાખી શકાય એ માટે વચલા વિભાગમાં દોરો પરોવવા માટે એક કાણું પાડવામાં આવ્યું છે. પ્રતિના અંતમાં નીચે મુજબની ગ્રંથના નામ અને લેખનસમયને દર્શાવતી પુપિકા છે : તિ મનનવિરચિતા સપ્તતિવારા સમાપ્તા ૫ છું II છે ૬૦ રૂ છે છે ! સંવત્ ૨૨૨૨ વર્ષ...૬ વૃધે | સંથા' . રૂ૭૬૦ | ” ઉપર એક વાર સં. ૨ સંસક પ્રતિનો પરિચય આપી દેવા છતાં અહીં બીજી વાર સં. ૨ સંજ્ઞક પ્રતિને પરિચય આપવામાં આવ્યો છે એનો આશય એ છે કે, ઉપરોક્ત સં. ૨ સંજ્ઞક પ્રતિ પાંચ કર્મગ્રંથ સુધીની છે. અને આ સં. ૨ સંજ્ઞક પ્રતિ માત્ર સંતતિા કર્મગ્રંથની છે. બન્ને પ્રતિ એક જ ભંડારની છે એટલે આ પ્રતિને અમે ઉપરોકત પ્રતિના અનુસંધાન તરીકે સં. ૨ એ સંજ્ઞાથી જ ઓળખાવી છે. આ પ્રતિની શરૂઆત પત્ર ૧ થી થવા છતાં એમાં સાતિવા ટીકાની શરૂઆત ગાથા ૩૧ની ટીકાના અંત ભાગથી થાય છે એ એક વિચિત્રતા છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬] જ્ઞાનાંજલ ૪, સં. સંજ્ઞક પ્રતિ—આ પ્રતિ પાટણ શ્રીસંધના વિશાળ જ્ઞાનભડારની છે, જે અત્યારે શેઠ ધર્મીચંદ અભયચંદની પેઢીના કાર્યવાહકોની દેખરેખ નીચે છે. આ પ્રતિ તાડપત્ર ઉપર લખાયેલી છે અને તે ફક્ત સટીક સપ્તતિકા કગ્ર ંથની છે. એનાં પાનાં ૨૮૦ છે. એની લંબાઈ-પહેાળાઈ પાર ઈંચની છે. પાનાની પૂરી દીઠ ચારથી છ પંક્તિઓ છે. પ્રતિની સ્થિતિ સારી છે. અંતમાં નીચે પ્રમાણેની સાદી પુષ્પિકા છે : વૃત્તિ શ્રી માય...... ....સપ્તતિનાટીપા સમાતા: ॥ છે ॥ પ્રથા ૬૬૦ | ૬ | મંગલં महाश्रीः || शुभं भवतु श्रीसंघस्य ॥ પ્રતિના અંતમાં સંવતને ઉલ્લેખ નથી તે છતાં તેની સ્થિતિ જોતાં એ ચૌદમી સદીની શરૂઆતમાં લખાઈ હાય એમ લાગે છે. ૫. મ. સ`જ્ઞક પ્રતિ—આ પ્રતિ પાટણનિવાસી શા. મલુકચંદ દોલાચંદ હસ્તકની છે અને તે કાગળ ઉપર લખાયેલી છે. પ્રતિ સટીક કે કર્મગ્રથની અને ત્રિપાડ઼ લખાયેલ છે. એનાં પત્ર ૨૯૨ છે. પ્રતિની લંબાઈ-પહેાળાઈ ૧૦ના×૪ા ઇંચની છે. દરેક પૃષ્ઠમાં ચૌદથી સાળ પ`ક્તિએ છે અને પંક્તિ દીઠ પ૦ થી ૬૨ અક્ષરા છે. પ્રતિની સ્થિતિ ઘણી જ સારી છે. અંતમાં નીચે પ્રમાણે પુષ્પિકા છે: इति श्रीमलयगिरिसूरिविरचिता सप्ततिटीका समाप्ता ॥ छ ॥ ॥ संवत् १७०४ वर्षे कात्तिक शुदि ८ सोमे लिखितं ॥ ॥ પ્રથમ રૂ૬૬૦ | સર્વત્ર થાત્ર ૪૦પૂર્॥ ॥ છે ॥ ॥ કૈં ॥ ॥ શ્રી: ॥ ॥ શ્રીસ્તુ ॥ | ‰ | ॥ ૬ ॥ चतुर्दशसहस्राणि सार्धंशतसमन्वितम् । * * ग्रन्थं कर्मविपाकानां षण्णामत्र निरूपितम् ॥ १ ॥ तच्च वाच्यमानारवोवसीयमाना भवतु ॥ श्रीराजनगरे लिखिता ॥ एतस्यां शुचिसम्प्रदायविगमात्तादृक् सुशास्त्रेक्षणाभावाद्ग्रन्थगतार्थबोध विहराबुद्धेश्व मान्द्यान्मया । दुष्टं क्लिष्टमशिष्ट [ मत्र ] समयातीतं च यत्किञ्चन प्राज्ञैः शास्त्रविचारचारुहृदयैः क्षम्यं च शोध्यं च तत् ॥ १ ॥ श्रीमज्जैनमतं यावज्जयवज्जगती हितम् । अस्तु वृत्तिरियं तावदभुवि भव्योपकारिणी ॥ २ ॥ इति भद्रम् ॥ ૬. ત. સંજ્ઞક પ્રતિ—આ પ્રતિ પાટણ-ફાફળિયાવાડાની આગલી શેરીમાંના તપાગચ્છીય પુસ્તકભંડારની છે. આ ભંડાર અત્યારે શા. મલુકચંદ દેાલાચંદની દેખરેખમાં છે. પ્રતિ કાગળ ઉપર ત્રિપાટ લખાયેલી છે અને સટીક યે કગ્રંથની છે. તેનાં પાનાં ૧૧૯ છે, પ્રતિની લંબાઈ પહેાળાઈ ૧ના×જા! ઇંચ છે. પાનાની દરેક પૂર્કીમાં ૨૪ થી ૨૭ લીટીઓ છે અને લીટી દીઠ ૬૩ થી ૮૧ અક્ષરે છે. પ્રતિ ઘણી જ સારી સ્થિતિમાં છે અને અંતમાં આ પ્રમાણે પુષ્પિકા છે : ,, संवत १६०६ वर्षे कार्तिक शुद्ध ४ गुरौ दिने लिखितम् । शुभं भवतु ॥ ૭. છા. સંજ્ઞક પ્રતિ—આ પ્રતિ વડાદરા નજીક આવેલા છાયાપુરી (છાણી) ગામના જ્ઞાનમદિરમાં રહેલા પૂજ્યપાદ પરમ ગુરુદેવ પ્રવર્ત્તક શ્રી ૧૦૦૮ શ્રી કાન્તિવિજયજી મહારાજશ્રીના પુસ્તકભંડારની છે. આ જ્ઞાનભંડાર હમણાં ત્યાંના શ્રીસંધની દેખરેખ નીચે છે. આ પ્રતિ કાગળ ઉપર ઢ લખાયેલી છે અને તે સટીક છે કર્મગ્રંથની છે. એનાં પાનાં ૨૫૬ અને લંબાઈ-પહેાળાઈ ૧૦:૪૫ < Page #13 -------------------------------------------------------------------------- ________________ કર્મ ગ્રંથોનું સંપાદન (157 ઇંચ છે. દરેક પાનામાં 15 પંક્તિઓ છે અને પંડિત દીઠ 53 થી 60 અક્ષરો લખાયેલા છે. પ્રતિ ઘણી સારી સ્થિતિમાં છે. અંતમાં ખાસ પુપિકા જેવું કશુંય નથી. પ્રતિઓની શુદ્ધાશુદ્ધિ અને સંશોધન—ઉપર અમે જે સાત પ્રતિઓનો પરિચય આપ્યો છે તે પૈકી વધારે સારી અને શુદ્ધ પ્રતિઓ તાડપત્રની જ ગણાય; કાગળ ઉપર લખાયેલી પ્રતિ તાડપત્રીય પ્રતોથી સાધારણ રીતે બીજે નંબરે જ ગણાય. તે છતાં એ પ્રતોએ સંશોધનકાર્યમાં પૂરેપૂરી મદદ આપી છે. આ સાત પ્રાચીન–પ્રાચીનતમ પ્રતિઓને સામે રાખી પૂજ્ય ગુરુપ્રવર શ્રી 1008 શ્રી ચતુરવિજ્યજી મહારાજે પ્રસ્તુત કર્મગ્રંથના દ્વિતીય વિભાગનું અતિ ગૌરવતાભર્યું સંશોધન અને સંપાદનકાર્ય કર્યું છે અને એને પાઠાંતર વગેરેથી વિભૂષિત કર્યો છે. કર્મગ્રંથના પ્રથમ વિભાગની માફક આ વિભાગમાં પ્રત્યેક ફોર્મનાં પ્રફપત્રોને એક એક વાર આદિથી અંત સુધી મેં અતિ કાળજીપૂર્વક તપાસ્યાં છે તેમ જ પાઠાંતરાદિને નિર્ણય કરવામાં યથાશકર્થ સ્વલ્પ સહકાર પણ આવે છે. તે છતાં આ સમગ્ર ગ્રંથના સંશોધન અને સંપાદનને લગતો બધેય ભાર પૂજ્ય ગુરુવરે જ ઉપાડ્યો છે એ મારે સ્પષ્ટ રીતે કહી દેવું જ જોઈએ. આભાર આ વિભાગના સંશોધનમાં ઉપયોગી હસ્તલિખિત પ્રાચીન પ્રતિઓ, ભંડારના જે જે કાર્યવાહકોએ અમને આપવા માટે ઉદારતા દર્શાવી છે, જેમનાં નામો અમે ઉપર પ્રતિઓના પરિચયમાં લખી આવ્યા છીએ, તે સૌને આભાર માનીએ છીએ. આ પછી અમે સ્યાદ્વાર મહાવિદ્યાલય, બનારસના જૈન દર્શનાધ્યાપક દિગંબર વિદ્વાન શ્રીયુત મહેનદ્રકુમાર જૈન ન્યાયતીથ, ન્યાયશાસ્ત્રીને સવિશેષ આભાર માનીએ છીએ, જેમણે છે કર્મ ગ્રંથમાં આવતા વિષયે સમ કે વિષમ રીતે દિગમ્બરાચાર્યવિરચિત ગ્રંથમાં કયે કયે ઠેકાણે આવે છે તેને લગતો ગાથાવાર સ્થલનિર્દેશરૂપ સંગ્રહ તૈયાર કરી આપે છે. આ સંગ્રહને અમે પ્રસ્તુત વિભાગમાં પ્રારંભમાં પ્રકાશિત કર્યો છે. આ ઉપરાંત અમે પંડિતવર્ય શ્રીયુત ભગવાનદાસ હર્ષ ચન્દ્રના નામને પણ ભૂલી શકીએ તેમ નથી. કારણ કે પં. શ્રી મહેન્દ્રકમાર મહાશયે તૈયાર કરેલ ઉપર જણાવેલ નધની નકલ એટલી ભ્રામક હતી કે એ નકલ પ્રેસમાં ચાલી શકે જ નહિ. આ સ્થિતિમાં આ ગૌરવભર્યો સંગ્રહ મુદ્રણથી વંચિત જ રહી જાત; પરંતુ પં. શ્રીયુત ભગવાનદાસભાઈ એ તે તે દિગંબરીય ગ્રંથો જોઈને આ સંગ્રહની સુવાચ્ય અને પ્રેસને લાયક પાંડિત્યભરી કૅપી પિતાના હાથે નવેસર કરી આપી, જેને લીધે આ સંગ્રહ પ્રકાશમાં આવ્યો અને અમારું કર્મગ્રંથોનું નવીન સંસ્કરણ વધારે ગૌરવવંતું બન્યું. આ ગૌરવ માટેનો ખરો યશ પં. શ્રી ભગવાનદારાભાઈને જ છે એમ અમે માનીએ છીએ. ક્ષમાપ્રાર્થના–અંતમાં વિદ્વાનો સમક્ષ એટલું જ નિવેદન છે કે, પ્રરતુત સંસ્કરણના સંપાદન અને સંશોધનને નિર્દોષ બનાવવા તેમ જ ગૌરવયુક્ત કરવા અમે ગુરુ- શિષ્ય દરેક શક્ય પ્રયત્નો કર્યા છે. તે છતાં આમાં જે ખલના કે ઊણપ જણાય તે બદલ વિદ્રાને ક્ષમા કરે એટલું ઇઝી વિરમું છું. [ પંચમ-પષ્ટ કર્મગ્રન્થ પ્રસ્તાવના, સને 1940 ]