Page #1
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસંસ્થા અને સંધસંસ્થા તથા તેને ઉપયોગ
[૧૮] જ્યાં માનવજાત છે ત્યાં જ્ઞાનને આદર સહજ હોય જ છે, અને જરા ઓછો હોય તે એને જમાવે પણ સહેલ છે. હિંદુસ્તાનમાં તે જ્ઞાનની પ્રતિષ્ઠા હજારો વર્ષથી ચાલી આવે છે. બ્રાહ્મણ અને શ્રમણ સંપ્રદાયની ગંગા-યમુનાની ધારાઓ માત્ર વિશાળ જ્ઞાનના પટ ઉપર જ વહેતી આવી છે, અને વહે જાય છે. ભગવાન મહાવીરનું તપ એટલે બીજું કાંઈ જ નહિ, પણ જ્ઞાનની ઊંડી શોધ. જે શેધ માટે એમણે તન તેવું, રાતદિવસ ન ગણ્યાં અને તેમની જે ઊંડી શેધ જાણવા-સાંભળવા હજારે માણસોની મેદની તેમની સામે ઊભરાતી, તે શોધ એ જ જ્ઞાન, અને એના ઉપર જ ભગવાનના પંથનું મંડાણ છે.
ભગવાનના નિર્વાણ પછી એમના અનુભવજ્ઞાનને આસ્વાદ લેવા એકત્ર થયેલ અથવા એકત્ર થનાર હજારે માણસ એ જ્ઞાન પાછળ પ્રાણ પાથરતા. એ જ્ઞાને શ્રત અને આગમ નામ ધારણ કર્યું. એમાં ઉમેરે પણ થશે અને સ્પષ્ટતાઓ પણ થતી ચાલી. જેમ જેમ એ મૃત અને આગમના માનસરોવરને કિનારે જિજ્ઞાસુ હંસો વધારે અને વધારે આવતા ગયા તેમ તેમ એ જ્ઞાનને મહિમા વધતો ચાલ્યો. એ મહિમાની સાથે જ એ જ્ઞાનને મૂર્ત કરનાર એનાં સ્થૂળ સાધનોને પણ મહિમા વધતો ચાલ્યો. સીધી રીતે જ્ઞાન સાચવવામાં મદદ કરનાર પુસ્તક પાનાં જ નહિ, પણ તેના કામમાં આવનાર તાડપત્ર, લેખણ, શાહીને પણ જ્ઞાનના જેટલો જ આદર થવા લાગ્યો, એટલું જ નહિ, પણ એ પિોથી-પાનાનાં બંધનો, તેને રાખવા મૂકવા અને બાંધવાનાં ઉપકરણે પણ બહુ જ સકારાવા લાગ્યાં. જ્ઞાન આપવા અને મેળવવામાં જેટલું પુણ્ય કાર્ય, તેટલું જ જ્ઞાનનાં સ્થળ ઉપકરણોને આપવા અને લેવામાં પુણ્ય કાર્ય મનાવા લાગ્યું.
જ્ઞાનપ્રાપ્તિ માટે અનેક તપે યોજાયાં હતાં. એવાં તપે જાહેરમાં વધારે આવે અને ચોમેર જ્ઞાનનું આકર્ષણ વધે એટલા માટે મોટાં મેટાં જ્ઞાનતપનાં ઉત્સવ અને ઉજમણુઓ જાયાં, તેની અનેક જાતની પૂજાઓ રચાઈ ગવાઈ અને તેને લીધે એવું વાતાવરણ બની ગયું કે જૈનને એકેએક બચ્ચે
Page #2
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન વગર ભણે એમ સમજવા મંડી ગયો કે કરડે ભવનાં પાપ એક જ પદના કે એક જ અક્ષરના જ્ઞાનથી બળી શકે છે.”
આ જ્ઞાનની ભક્તિ અને મહિનામાંથી, જે એકવારના વ્યક્તિગત અને જાતે ઉપાડી શકાય એટલા જ સાધુઓના બંને અને પીઠે ભંડારે લટકતા, તે બીજું કારણ ઉપસ્થિત થતાં મોટા બન્યા અને ગામ તથા શહેરમાં દૃશ્યમાન થયા. એક બાજુ શાસ્ત્રસંગ્રહ અને લખાણને વધતે જ મહિમા. અને બીજી બાજુ સંપ્રદાયની જ્ઞાન વિશેની હરીફાઈઓ--આ બે કારણોને લીધે પહેલાંની એકવારની મેળે ચાલી આવતી જ્ઞાનસંસ્થા આખી જ ફેરવાઈ ગઈ અને મોટા મોટા ભંડારરૂપમાં દેખા દેવા લાગી.
દરેક ગામ અને શહેરની સંઘને એમ લાગે જ છે અમારે ત્યાં જ્ઞાન ભંડાર હોવો જ જોઈએ. દરેક ત્યાગી સાધુ પણ જ્ઞાનભંડારની રક્ષા અને વૃદ્ધિમાં જ ધર્મની રક્ષા માનતે થઈ ગયો. પરિણામે આખા દેશમાં, એક છેડેથી બીજા છેડા સુધી, જૈન જ્ઞાનસંસ્થા ભંડારરૂપે વ્યવસ્થિત થઈ ગઈ. ભંડારે પુસ્તકેથી ઊભરાતા ચાલ્યા. પુસ્તકોમાં પણ વિવિધ વિષયનું અને વિવિધ સંપ્રદાયનું જ્ઞાન સંધરાતું ગયું. સંધના ભંડારે, સાધુના ભંડારો અને વ્યક્તિગત માલિકીના પણ ભંડાર––એમ ભગવાનના શાસનમાં ભંડાર, ભંડાર અને ભંડાર જ થઈ ગયા ! એની સાથે જ મેટ લેખકવર્ગ ઊભો થયો, લેખનકળા વિકાસ પામી અને અભ્યાસી વર્ગ પણ ભારે વ. છાપવાની કળા અહીં આવી ન હતી ત્યારે પણ કોઈ એક નવો ગ્રંથ રચાયો કે તરત જ તેની સેંકડો નકલે થઈ જતી અને દેશના બધે ખૂણે વિદ્વાનોમાં વહેંચાઈ જતી. આ રીતે જૈન સંપ્રદાયમાં જ્ઞાન સંસ્થાની ગંગા અવિચ્છિન્નપણે વહેતી આવી છે. વંદા, ઊધઈ અને ઉંદરો તેમ જ ભેજ, શરદી અને બીજાં કુદરતી વિધિ જ નહિ, પણ ધર્માધ યવને સુધ્ધાંએ આ ભંડારે ઉપર પિતાને નાશકારક પંજો ફેરવ્યો, હજારે ગ્રંથે તદ્દન નાશ પામ્યા, હજારે ખવાઈ ગયા હજારે રક્ષકની અને બીજાઓની બેપરવાઈથી નષ્ટભ્રષ્ટ થઈ ગયા, છતાં જ્ઞાન તરફની જીવતી જૈનભક્તિને પરિણામે આજે પણ એ ભંડારે એટલા બધા છે અને એમાં એટલું બધું વિવિધ તેમ જ જૂનું સાહિત્ય છે કે તેનો અભ્યાસ કરવા માટે સેંકડે વિદ્વાને પણ ઓછા જ છે. પરદેશના અને આ દેશના કડીબંધ શકે અને વિદ્વાનોએ આ ભંડારોની પાછળ વર્ષો ગાળ્યાં છે અને એમાંની વસ્તુ તથા એને પ્રાચીન રક્ષાપ્રબંધ જોઈ તેઓ ચકિત થયા છે. વર્ષો થયાં કેડીબંધ છાપખાનાંઓને જૈન ભંડારે પૂર રાક આપી રહ્યા છે, અને હજી પણ વર્ષો સુધી તેથી વધારે ખોરાક પૂરો પાડશે.
Page #3
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસંસ્થા અને સધર્મસ્થા
[ ૩૭૫
ભડારા જેમ નામમાં તેમ સ્વરૂપમાં પણ હવે ખદલાયા છે. હવે પુસ્તકાલયા, લાયબ્રેરીએ, જ્ઞાનમદિરા અને સરસ્વતીમંદિરનાં નામ તેઓએ ધારણ કર્યાં છે, અને કલમને બદલે ખીખાંમાંથી લખાઈ નવે આકારે પુસ્તકા બહાર પડતાં જાય છે. ભંડારાની જૂની સંગ્રાહક શક્તિ હજી પુસ્તકાલયોમાં કાયમ છે; એટલું જ નહિ, પણ જમાનાના જ્ઞાનપ્રચાર સાથે તે વધી છે. તેથી જ આજનાં જૈન પુસ્તકાલયા જૂના જૈન ગ્રંથૈા ઉપરાંત આધુનિક, દેશી, પરદેશી અને ખધા સૌંપ્રદાયાના સાહિત્યથી ઊભરાતાં ચાલ્યાં છે.
બ્રાહ્મણ સંપ્રદાયના અને જૈન સપ્રદાયના ભારા વચ્ચે એક ફેર છે, અને તે એ કે બ્રાહ્મણના ભંડારા વ્યક્તિની માલિકીના હૈાય છે, જ્યારે જૈન ભારા બહુધા સધની માલિકીના જ હાય છે; અને ચિત્ વ્યક્તિની માલિકીના હાય ત્યાં પણ તેનો સદુપયોગ કરવા માટે તે વ્યક્તિ માલિક છે, અને દુરુપયોગ થતા હોય ત્યાં મોટે ભાગે સધની જ સત્તા આવીને ઊભી રહે છે. બ્રાહ્મણા આસો મહિનામાં જ પુસ્તકામાંથી ચામાસાને ભેજ ઉડાડવા અને પુસ્તકાની સારસંભાળ લેવા ત્રણ દિવસનુ એક સરસ્વતીશયન નામનું પર્વ ઊજવે છે, જ્યારે જૈને કાર્તિક શુદિ પંચમીને જ્ઞાનપંચમી કહી તે વખતે પુસ્તકા અને ભંડારાને પૂજે છે, અને એ નિમિત્તે ચામાસામાંથી સભવતા બગાડ ભંડારામાંથી દૂર કરે છે. આ રીતે જૈન જ્ઞાનસંસ્થા, જે એકવાર માત્ર મૌખિક હતી તે, અનેક ફેરફાર પામતાં પામતાં, અનેક ઘટાડાવધારા અને અનેક વિવિધતા અનુભવતાં અનુભવતાં આજે મૂ રૂપે આપણી સામે છે.
પરંતુ આ બધુ વારસાગત હોવા છતાં અત્યારે જમાનાને પહોંચી વળે તેવા કાર્ય અભ્યાસીવગ એ ભડારાની મદદથી ઊભા થતા નથી. પ્રાચીન અને મધ્યકાળમાં જે ભડારાએ સિદ્ધસેન અને સમતભદ્ર, હરિભદ્ર અને અકલક, હેમચંદ્ર અને ચોવિજયતે જન્માવ્યા, તે જ ભંડા૨ેશ અને તેથીયે મોટા ભડારી વધારે સગવડ સાથે આજે હાવા છતાં અત્યારે વિશિષ્ટ અભ્યાસીને નામે મીડું છે. કાઈ ને જાણે સંગ્રહ સિવાય બીજી ખાસ પડી જ ન હેાય તેમ અત્યારની આપણી સ્થિતિ છે. એએક અપવાદને બાદ રીએ તે આ જ્ઞાનસંસ્થાને વાસે સંભાળી રાખનાર અને ધરાવનાર ત્યાગીવ જાણે તુષ્ટિમાં પડી ગયા છે, અને અત્યારના યુગની સામે તેના ઉપર જ્ઞાનની દૃષ્ટિએ કેટલી મોટી જવાબદારી છે એ વાત જ એક ભૂલી ગયા છે અથવા સમજી શક્યો નથી, એમ કાઈ પણ આખા સાધુ્રવર્ગના પરિચય પછી કહ્યા વિના ભાગ્યે જ રહી શકે.
Page #4
--------------------------------------------------------------------------
________________
૩૭૬ 3.
દર્શન અને ચિંતન આ ભંડારને ઉપયોગ અભ્યાસીઓ સર્જવામાં જ ખરે હોઈ શકે. અત્યાર સુધી જે એની સ્થૂળ પૂજા થઈ તેણે હવે અભ્યાસનું રૂપ ધારણ કરવું જોઈએ. સાધુવર્ગ એ વસ્તુ સમજે તે ગૃહસ્થ પણ એ દિશામાં પ્રેરાય અને આપણે વાર બધે સુવાસ ફેલાવે.
અત્યારે જે કેટલાક ખંડ ભંડાર છે. એક જ ગામ કે શહેરમાં અનેક ભંડારે છે, એક જ સ્થળે એક જ વિષયનાં અનેક પુસ્તકે તાં પાછાં વળી તેનાં અનેક પુસ્તક લખાયે જ જવાય છે અથવા સંધરે જ જવાય છે, તે બધાને ઉપયોગની દૃષ્ટિએ વિચાર કરી એક કેંદ્રસ્થ ભંડાર તે તે સ્થાને બનવો જોઈએ, અને દરેક ગામ કે શહેરના કેન્દ્રસ્થ ભંડાર ઉપરથી એક મહાન સરસ્વતીમંદિર ઊભું થવું જોઈએ, જયાં કઈ પણ દેશ-પરદેશને વિદ્વાન આવી અભ્યાસ કરી શકે અને તે તરફ આવવા લલચાય. લંડન કે બર્લિનની લાયબ્રેરીનું ગૌરવ એ મુખ્ય સરસ્વતીમંદિરને મળે અને તેની અંદર અનેક જાતની ઉપગી કાર્યશાખાઓ ચાલે, જેના દ્વારા ભણેલ કે અભણ સમગ્ર જનતામાં એ જ્ઞાનગંગાના છટા અને પ્રવાહ પહોંચે.
આટલું આપણા ત્યાગી ગુરુઓ ન કરે તે તેઓ ઈચ્છશે છતાં તેમને નામાંથી આલસ્ય, કલેશ અને બિનજવાબદારીનું જીવન કદી જ જવાનાં નથી. તેથી સાધુતાને જીવતી કરવા આ ભંડારેના જીવંત ઉપયોગમાં જ વ્યવસ્થિત રીતે સાધુવર્ગે નિયંત્રણપૂર્વક અને ઇચ્છાપૂર્વક, એક પણ ક્ષણને વિલંબ કર્યા સિવાય, ગેહવાઈ જવું જોઈએ. જેમના પૂર્વજોએ ખભે જ્ઞાનની કાવડનો. ભારેમાં ભારે બે લાકડીને ટેકે ઉપાડી, પગપાળા ચાલી, કેડ વળી જાય ત્યાં સુધી અને ધેળાં આવે ત્યાં સુધી જહેમત ઉઠાવી છે અને એકેએક જણને તાજું જ્ઞાનામૃત પાવાની કેશિશ કરી છે તે સાધુવને મારા જેવા સુદ જ્ઞાનપિપાસુ સેવકે એમને વારસાગત કાર્ય જમાનાની રીતે બનાવવા માટે વિનવણું કરવી, એમાં તે વિનવણી કરનાર અને વિનવાતા વર્ગ બંનેનું અપમાન છે. હું મારું પિતાનું અપમાન ગળી જાઉં તો પણ એ જ્ઞાનગંગાવાહીઓનું અપમાન સહી શકાય નહિ. તેથી તેઓ આપોઆપ સમજી જઈ વિનવણને નિરર્થક સાબિત કરે.
સંઘ સંસ્થા હવે આપણે વિષયના બીજા ભાગ તરફ વળીએ. બૌદ્ધો અને બીજા આજીવક જેવા શ્રમણ પથની પેઠે જૈને વર્ણવ્યવસ્થામાં નથી માનતા; એટલે એમને વણીનાં નામ સામે કે વિભાગ સામે વાંધો નથી, પણ
Page #5
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા એ વર્ણવિભાગને તેઓ વ્યાવહારિક કે આધ્યાત્મિક વિકાસમાં બંધનરૂપ માનવાની ના પાડે છે. બ્રાહ્મણ સંપ્રદાય વર્ણવિભાગમાં વહેંચાયેલું અને બંધાયેલ છે. એમાં જ્યારે વર્ણવિભાગે વ્યાવહારિક અને આધ્યાત્મિક વિકાસ સાધવામાં બંધન ઊભું કર્યું અને આર્ય માનવોના માનસિક વિકાસમાં આડ ઊભી કરી ત્યારે ભગવાન મહાવીરે એ આડ ફેંકી દેવા અને સામ્યવાદ સ્થાપવા બુદ્ધના જેટલો જ પ્રયત્ન કર્યો.
જેઓ જેઓ ભગવાન મહાવીરના અનુગામી થતા ગયા તેઓ વર્ણનું બંધન ફેંકતા કે ઢીલું તે કરતા જ ગયા, છતાં પિતાના પૂર્વજોના અને પિતાના જમાનાના બ્રાહ્મણપથી પડેશીઓના કડક વબંધનના સંસ્કારોથી છેક જ અલિપ્ત રહી ન શક્યા. એટલે વળી બ્રાહ્મણપથે જ્યારે જ્યારે જોર પકડ્યું, ત્યારે ત્યારે જેનો એ પથના વર્ણબંધનના સંસ્કારથી કાંઈક અને કાંઈક રીતે લેપાયા. એક તરફ વબંધન સામેના જૈનવિધે બ્રાહ્મણપથ ઉપર સીધી અસર કરી અને તે પંથના વણુંબધન સંસ્કારે કાંઈક મેળા પડથા, તે બીજી તરફ બ્રાહ્મણપંથના વર્ણબંધન વિશેના દઢ આગ્રહે જેનપંથ ઉપર અસર પાડી. જેને લીધે ઈચ્છાઓ કે અનિચ્છાએ, એક અથવા બીજે રૂપે, જૈન લોકોમાં વર્ણસંસ્કારોનું કાંઈક વાતાવરણ આવ્યું. આ રીતે વર્ણબંધનના વિરોધી અને અવિરોધી બંને પક્ષો એકબીજા સાથે લડતા
અકળાતા છેવટે એકબીજાની થેડીઘણી અસર લઈ સમાધાનીપૂર્વક આ દેશમાં વસે છે.
આ તે ટૂંકમાં ઐતિહાસિક અવલોકન કર્યું, પણ ભગવાન મહાવીરે જ્યારે વર્ણ બંધનને છેદ ઉડાડી મૂક્યો ત્યારે ત્યાગના દષ્ટિબિંદુ ઉપર પિતાની સંસ્થાના વર્ગો પાડયા. મુખ્ય બે વર્ગ : એક ઘરબાર અને કુટુંબકબીલા વિનાને ફરતો અનગાર વર્ગ, અને બીજે કુટુંબકબીલામાં રાચનાર સ્થાનબદ્ધ અગારી વર્ગ. પહેલો વર્ગ પૂર્ણ ત્યાગી. એમાં સ્ત્રી અને પુરુષ બન્ને આવે, અને તે સાધુ-સાધ્વી કહેવાય. બીજો વર્ગ પૂર્ણ ત્યાગને ઉમેદવાર. એમાં પણ સ્ત્રી અને પુરુષ બને આવે અને તે શ્રાવક-શ્રાવિકા કહેવાય. આ રીતે ચતુર્વિધ સંઘવ્યવસ્થા, અથવા બ્રાહ્મણપંથના પ્રાચીન શબ્દને નવેસર ઉપયોગ કરીએ તે ચતુર્વિધ વર્ણવ્યવસ્થા, શરૂ થઈ. સાધુસંધની વ્યવસ્થા સાધુઓ કરે. એના નિયમે એ સંધમાં અત્યારે પણ છે, અને શાસ્ત્રમાં પણ બહુ સુંદર અને વ્યવસ્થિત રીતે મુકાયેલા છે. સાધુસંધ ઉપર શ્રાવકસંધને અંકુશ નથી એમ કેઈ ન સમજે, પ્રત્યેક નિવિવિદ સારું કાર્ય કરવા સાધુસંધ સ્વતંત્ર જ છે, પણ ક્યાંય ભૂલ દેખાય અથવા તે મતભેદ હોય અથવા તે સારા કાર્યમાં
Page #6
--------------------------------------------------------------------------
________________
૩૮ ]
દર્શન અને ચિંતન
પણ ખાસ મદદની અપેક્ષા હાય ત્યાં સાધુસંઘે પોતે જાતે જ શ્રાવકસ’ધના અંકુશ પાતાની ઇચ્છાથી જ સ્વીકાર્યાં છે. એ જ રીતે શ્રાવકસવનું બંધારણ શ્રેણી રીતે જુદું હાવા છતાં તે સાધુસંધને અંકુશ સ્વીકારતો જ આવ્યા છે. આ રીતે પરસ્પરના સહકારથી એ અને સધા એકંદર હિતકા જ કરતા આવ્યા છે.
મૂળમાં તા સુધના મેજ ભાગ અને ધર્મની દૃષ્ટિએ મહાવીરના એક જ સંધ, છતાં ગામ અને શહેર તેમ જ પ્રદેશોના ભેદ પ્રમાણે એ સંધ લાખા નાના નાના ભાગેમાં વહેંચાઈ ગયા; અને વળી દુ વથી પડેલા શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી જેવા ત્રણ કાંટાને એ લાખા નાનકડા સધા સાથે ગુણીએ તે! એ અનેક લાખા નાનકડા ટુકડા થઈ જાય. દુધૈવ ત્યાંથી જ ન અટકયું, પણ ગચ્છ વગેરેના ભેદ પાડી તેણે એ નાના ટુકડાઓના, આજના હિંદુસ્તાનના ખેડૂતોની ખેડવાની જમીનના નાના ટુકડાની પેડે, વધારે અને વધારે ભાગલા પાડી દીધા, આ બધું છતાં જૈન સમાજમાં કેટલાંક એવાં સામાન્ય તા સુરક્ષિત છે અને ચાલ્યાં આવે છે કે જેને લીધે આખા જૈન સધ એકત્ર થઈ શકે અને એક સાંકળમાં બંધાઈ પ્રગતિ કર્યું જાય.
એ સામાન્ય તત્ત્વામાં ભગવાન મહાવીરે વારસામાં આપેલી અનેક વસ્તુઓમાંની શ્રેષ્ઠ, શાશ્વત અને સદા ઉપયોગી એ વસ્તુઓ આવે છે: એક, અહિંસાના આચાર અને બીજી, અનેકાંતના વિચાર,
ભગવાન મહાવીરને સધ એટલે પ્રચારક સધ. પ્રચાર ના ? તે ઉપલી એ વસ્તુઓના, અને એ બે વસ્તુઓની સાથે અથવા એ એ વસ્તુઓના વાહનરૂપે નાનીમોટી બીજી અનેક વસ્તુઓના. હવે નાના નાના કટકાઓમાં વહેંચાયેલા અને વળી વધારે ને વધારે આજે વહેંચાતા જ તે જૈનસધ પોતાના પ્રચારધર્માંના ઉદ્દેશને અને પ્રચારની વસ્તુને સમજી લે, તેમ જ આ સમયમાં આ દેશમાં તેમ જ સર્વત્ર લેાકેાની શી અપેક્ષા છે, તે શું માગે છે, એ વિચારી લે, અને લેકની એ માગણી અહિંસા તેમ જ અનેકાંત દ્વારા કેવી રીતે પૂરી પાડી શકાય એને અભ્યાસ કરી લે તે હજીયે એ સંધ એ તત્ત્વો ઉપર અખંડ રહી શકે અને એનું બળ ટકી શકે. ફરજનુ ભાન જ સમય, શત અને બુદ્ધિના દુરુપયોગ અટકાવે છે. તેથી જૈનસંઘે પહેલાં પાતાની ક્રતુ ભાન વનમાં તું કરવું જેઈ એ.
દેશના સદ્ભાગ્યે તેમાં જૈન જેવા પ્રચારક સંધ પડ્યો છે. તેનુ બંધારણ વિશાળ છે. તેનું કાય સૌને જોઈ એ અને સૌ માગે તેવું જ છે. એટલે
Page #7
--------------------------------------------------------------------------
________________ જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા [ 379 અત્યારે, બીજે કઈ પણ વખતે હતી તે કરતાં, સંધસંસ્થાને વ્યવસ્થિત કરવાની વધારે જરૂર છે. જે સંધના આગેવાને પોતાની સંધસંસ્થાને નિષ્ણાણ જોવા ન માગતા હોય અને પિતાને વારસદારને શાપ તેમ જ દેશવાસીઓને તિરસ્કાર વહોરવા ન માગતા હોય તે અત્યારે સંધસંસ્થાને વ્યવસ્થિત કરવાની અને તેને ઉપયોગ રાષ્ટ્રપર કરવાની ખાસ જરૂર છે. આ દેશમાં જે એકવાર ભારે વગસગ ધરાવતો તે બૌદ્ધ સંઘ હયાત નથી, છતાં જૈનસંધ તો છે જ. એટલે આ સંસ્થાનો ઉપયોગ દેશ પરત્વે પહેલાં જ ઘટે; અને માત્ર તબલાં કે ખડતાલ, ઝાંઝર કે ડાંડિયારા વગાડવા-વગડાવવામાં તેમ જ નિર્જીવ જમણવારની મીઠાઈઓ ખાવાખવરાવવામાં અને બહુ તે ભપકાબંધ વરડા ચડાવવામાં જ એ સંધસંસ્થા પિતાની ઈતિશ્રી ન સમજે. જો કોઈ શાસનદેવી હોય અને તેના સુધી સાચી પ્રાર્થના પહોંચતી હોય, અને પ્રાર્થના પહોંચ્યા પછી તે કાંઈ કરી શકતી હોય, તે આપણે બધા તેને પ્રાથશું કે આજે જ તેને પિતાનું શાસનદેવતા નામ સફળ કરવાનો વખત આવ્યો છે. જે આજે તે ઉદાસીન રહે તે ફરી તેને પિતાને અધિકાર ઓજસ્વી બનાવવાની તક આવશે કે નહિ એ કહેવું કઠણ છે. ખરી વાત તે એ છે કે આપણે બધા જ શાસનદેવતા છીએ, અને આપણામાં જ બધું સારું કે નરસું કરવાની શક્તિ છે અને પ્રાર્થના કરનાર પણ આપણે જ છીએ, એટલે આપણી પ્રાર્થના આપણે જ પૂરી કરવાની છે. જે એ કામ આપણે ન કરીએ તે શાસનદેવતાને ઠપકો આપ એને અર્થ આપણી જાતને મૂર્ખ બનાવ્યા બરાબર છે. પુરુષાર્થ ન હોય તો કશું જ થતું નથી અને હોય તે કશું જ અસાધ્ય નથી. તેથી આપણે આપણે પુરુષાર્થ સંધસંસ્થાને દેશપગી કરવામાં પ્રેરીએ એટલે આપણું કામ કેટલેક અંશે પૂરું થયું. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, 1930.