________________
૩૭૬ 3.
દર્શન અને ચિંતન આ ભંડારને ઉપયોગ અભ્યાસીઓ સર્જવામાં જ ખરે હોઈ શકે. અત્યાર સુધી જે એની સ્થૂળ પૂજા થઈ તેણે હવે અભ્યાસનું રૂપ ધારણ કરવું જોઈએ. સાધુવર્ગ એ વસ્તુ સમજે તે ગૃહસ્થ પણ એ દિશામાં પ્રેરાય અને આપણે વાર બધે સુવાસ ફેલાવે.
અત્યારે જે કેટલાક ખંડ ભંડાર છે. એક જ ગામ કે શહેરમાં અનેક ભંડારે છે, એક જ સ્થળે એક જ વિષયનાં અનેક પુસ્તકે તાં પાછાં વળી તેનાં અનેક પુસ્તક લખાયે જ જવાય છે અથવા સંધરે જ જવાય છે, તે બધાને ઉપયોગની દૃષ્ટિએ વિચાર કરી એક કેંદ્રસ્થ ભંડાર તે તે સ્થાને બનવો જોઈએ, અને દરેક ગામ કે શહેરના કેન્દ્રસ્થ ભંડાર ઉપરથી એક મહાન સરસ્વતીમંદિર ઊભું થવું જોઈએ, જયાં કઈ પણ દેશ-પરદેશને વિદ્વાન આવી અભ્યાસ કરી શકે અને તે તરફ આવવા લલચાય. લંડન કે બર્લિનની લાયબ્રેરીનું ગૌરવ એ મુખ્ય સરસ્વતીમંદિરને મળે અને તેની અંદર અનેક જાતની ઉપગી કાર્યશાખાઓ ચાલે, જેના દ્વારા ભણેલ કે અભણ સમગ્ર જનતામાં એ જ્ઞાનગંગાના છટા અને પ્રવાહ પહોંચે.
આટલું આપણા ત્યાગી ગુરુઓ ન કરે તે તેઓ ઈચ્છશે છતાં તેમને નામાંથી આલસ્ય, કલેશ અને બિનજવાબદારીનું જીવન કદી જ જવાનાં નથી. તેથી સાધુતાને જીવતી કરવા આ ભંડારેના જીવંત ઉપયોગમાં જ વ્યવસ્થિત રીતે સાધુવર્ગે નિયંત્રણપૂર્વક અને ઇચ્છાપૂર્વક, એક પણ ક્ષણને વિલંબ કર્યા સિવાય, ગેહવાઈ જવું જોઈએ. જેમના પૂર્વજોએ ખભે જ્ઞાનની કાવડનો. ભારેમાં ભારે બે લાકડીને ટેકે ઉપાડી, પગપાળા ચાલી, કેડ વળી જાય ત્યાં સુધી અને ધેળાં આવે ત્યાં સુધી જહેમત ઉઠાવી છે અને એકેએક જણને તાજું જ્ઞાનામૃત પાવાની કેશિશ કરી છે તે સાધુવને મારા જેવા સુદ જ્ઞાનપિપાસુ સેવકે એમને વારસાગત કાર્ય જમાનાની રીતે બનાવવા માટે વિનવણું કરવી, એમાં તે વિનવણી કરનાર અને વિનવાતા વર્ગ બંનેનું અપમાન છે. હું મારું પિતાનું અપમાન ગળી જાઉં તો પણ એ જ્ઞાનગંગાવાહીઓનું અપમાન સહી શકાય નહિ. તેથી તેઓ આપોઆપ સમજી જઈ વિનવણને નિરર્થક સાબિત કરે.
સંઘ સંસ્થા હવે આપણે વિષયના બીજા ભાગ તરફ વળીએ. બૌદ્ધો અને બીજા આજીવક જેવા શ્રમણ પથની પેઠે જૈને વર્ણવ્યવસ્થામાં નથી માનતા; એટલે એમને વણીનાં નામ સામે કે વિભાગ સામે વાંધો નથી, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org