Page #1
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન અને સ્વાનુભૂતિ–એક વિચારણું
લેખકઃ પૂ. આ. ભ. શ્રી વિજયભસૂરીશ્વરજીના શિષ્ય પૂ. પં. શ્રી ભાનુવિજવછગણિશિષ્ય પૂજ્ય મુનિ શ્રી અમરેન્દ્રવિજયજી
“જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કમનો ખેહ,
પૂવકેડી વરસાં લગે અજ્ઞાની કરે તેહ. ” આમ જ્ઞાનને ઘણે મહિમા શાઓમાં ગવાતે આપણે સાંભળીએ છીએ. પ્રશ્ન એ થાય છે કે જેનું આટલું બધું મહત્ત્વજ્ઞાનીઓ આં કે છે એ જ્ઞાન શી વસ્તુ છે?
શું માત્ર પુસ્તક વાંચી જવાં, ઘણું આગમો કંઠે હવા, કે એમાં ગણાવેલ પદાર્થોના ભાંગા અને ભેદ-પ્રભેદે આંગળીના વેઢે ગણાવી શકાય એવી કુશળતા પ્રાપ્ત કરી લેવી, કે પછી પ્રતિભાસંપન્ન સાહિત્યનું નવનિર્માણ કરવું, એ જ્ઞાની થવા માટે જરૂરી છે? કે જ્ઞાની થવા માટે બીજી પણ કઈ શરતો છે?
એક રીતે જોઈએ તે, જગતમાં આજે વિજ્ઞાન, વાણિજ્ય, કલા, તત્વજ્ઞાન આદિ ભિન્નભિન્ન ક્ષેત્રે ઘણું જ્ઞાન ભેગું કરતી અનેક વ્યક્તિઓ આપણને જોવા મળે છે.
અર્વાચીન વિજ્ઞાન માત્ર એક માખીના જ એટલા બધા પ્રકારો બતાવે છે, કે માણસ એ બધાનું–તેની ટેવ, સમૂહવ્યવસ્થાદિનું–અધ્યયન કરે તો આખી જિંદગી પૂરી થઈ જાય. અરે! ફક્ત કોબીની એક જાતો ગણવે છે વનસ્પતિશાસ્ત્ર અને વિજ્ઞાનની આવી ૧. વં સનાળી જમ્મ, વેદ્ વદુચારું વાક્યોતિર્દિ तं नाणी तिहिं गुत्तो, स्रवेइ उसासमेत्तेण ॥
–શ્રી બૃહત્કલ્પભાષ્ય, ખંડ ૨. ઉદ્દેશ ૧, ગાથા ૧૧૭૦. क्रियाशून्यं चय ज्ज्ञानं, ज्ञानशून्या च या क्रिया । अनयोरन्तरं क्षेये, भानुखद्योतयोरिव ॥
–જ્ઞાનસાર, પ્રશસ્તિ, લૅક ૧૧,
૧૨
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ તે કેટલીય શાખા-પ્રશાખાઓ છે, તેમાંની કેઈએકનું અધ્યયન કરવામાં જ આખી જિંદગી ખરચી નાંખનારા છે આ જગતમાં! ધારો કે કઈ વ્યક્તિએ વિશ્વનાં મોટામાં મોટાં ગ્રંથાલયમાં ગણના પામતી મેકેની લાયબ્રેરીના ૪૦ લાખ પુસ્તકો વાંચીને ધારી લીધાં, એમાં ભરેલું જ્ઞાન મેળવી લીધું, તો આપણે એને જ્ઞાની કહીશું? તમે કહેશેઃ “ના, એ તે ફક્ત માહિતી કહેવાય.” તેમ કેઈએ શાનું અધ્યયન કર્યું, મેટામોટા જ્ઞાનભંડારોમાં સંગ્રહીત સકળ શામાં પારંગતતા મેળવી, તો એણે જ્ઞાન મેળવ્યું એમ કહેશો કે માહિતી મેળવી એમ કહેશે ?
શા તે ત્યાં સુધી કહે છે કે સાડાનવ પૂર્વ ભણી જનાર પણ અજ્ઞાની હોઈ શકે.
જેમ પહેરવેશ ઉપરથી કોણ કેટલું ભણેલો છે તે ન કહી શકાય—મેલાંઘેલાં કપડાં વાળો વિદ્વાન હોઈ શકે અને મૂલ્યવાન કપડાં પહેરીને સુઘડ દેખાતો માણસ પણ અબૂઝ હઈ શકે–તેમ શાસ્ત્રોના માત્ર ઓછા-વધતા જાણપણથી જ જ્ઞાની–અજ્ઞાનીને વિભાગ ન કરી શકાય. ઘણું ભણેલે અજ્ઞાની હોઈ શકે અને એકે શાસ્ત્ર ન ભણેલે મહાજ્ઞાની હોઈ શકે.
તો પછી આરાધનાની કાયાપલટ–ધૂળનું સોનું-કરનાર “જ્ઞાન” એ શી વસ્તુ છે? જ્ઞાનનું મહત્ત્વ બતાવનાર શાસ્ત્રવચનમાં “જ્ઞાન” શબ્દથી શુ અભિપ્રેત છે? જ્ઞાન શબ્દને વાસ્તવિક અર્થ શો ?
કોઈ વ્યક્તિ (દા. ત. નોબેલ પારિતોષિકના સ્થાપક આલફ્રેડ નોબેલ)ના નામથી અને કામથી આપણે પરિચિત હઈએ, પણ પ્રત્યક્ષ કે છબી દ્વારા એનું રૂપ જોયું ન હોય, તે એ વ્યક્તિને આપણને અકસ્માત ભેટો થઈ જાય ત્યારે આપણે એને ઓળખી શકીએ ખરા?
આપણે જ્ઞાનને નામથી ઓળખીએ છીએ, અને કામથી—ક્રિયા કરતાં અનેકગણી કર્મનિર્જરા કરાવનાર વગેરે તરીકે પણ ઓળખીએ છીએ; પણ એનું સ્વરૂપ શું?–એ વિચાર કદી કર્યો છે? એને પિછાણી શકીએ એવી સ્થિતિ છે આપણું?
તો ચાલે, વિવિધ દષ્ટિકોણથી જ્ઞાનનું નિરીક્ષણ કરી આપણે એના સ્વરૂપને અહીં વિશેષ પરિચય મેળવીએ. મુમુક્ષુની જ્ઞાન-પ્રવૃત્તિ
એજીનીયરીંગ લાઈનમાં દાક્તરીનું કે સર્જરીનું જ્ઞાન એ કોઈ કલીફિકેશન-લાયકાત નથી; એ જ્ઞાન ઈજનેરીના ક્ષેત્રમાં જ્ઞાન ગણાતું નથી, તેમ સફળ દાક્તર થવા માટે કાયદાપોથીઓનું જ્ઞાન ઉપયોગી નથી.
પ્રત્યેક ક્ષેત્રમાં “જ્ઞાન” એટલે તે તે ક્ષેત્રને સ્પર્શતા વિષયનું જ્ઞાન જ ગણનાપાત્ર બને છે. દાક્તરને શરીરરચનાનું, રોગનું, રોગનાં લક્ષણોનું અને દવાઓનું જ્ઞાન જરૂરી; વકીલને કાયદાનું, સાક્ષીઓના માનસનું, સાક્ષીની ઊલટતપાસ (Cross-examination) ની આંટીઘૂંટીનું; અને વેપારીને ઘરાકનું, માલનું, બજારનું, બજારની રૂખનું જ્ઞાન ઉપયોગી મનાય છે. વેપારી રાજકીય પ્રવાહ જાણવા ઈચ્છે તે પણ પોતાના વિષય સાથે એને જે
Page #3
--------------------------------------------------------------------------
________________
મુ. શ્રી અમરેન્દ્રવિજયજી જ્ઞાન અને સ્વાનુભૂતિ–એક વિચારણા
૯૧ સંબંધ છે, વેપાર પર એની જે અસર છે, તે જાણવા માટે. દાક્તર કિરત્સર્ગ વિષે વાંચે તે શરીર ઉપર એની શી અસર છે એ વધુ સારી રીતે સમજવા અને એના પ્રતિકાર માટે શું થઈ શકે તેમ છે તે જાણવા.
એ જ રીતે, આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાન તે જ ગણાય છે જે આત્મા સંબંધી હાય. મુમુક્ષુ બીજી વસ્તુઓનું–જગતનું જ્ઞાન મેળવે તે પણ આત્મા અને જગતને સંબંધ સમજવા. જગતની માહિતી મેળવતાં પણ તેના કેન્દ્રમાં આત્મતત્ત્વ–ચૈતન્ય જ હોય. આત્મનિર્મળતાના પ્રકટીકરણમાં જે સહાયભૂત હોય તેવું જ્ઞાન જ અહીં ગણનાપાત્ર બને છે. ચૈતન્યને બાજુએ રાખી એકલી જગતની માહિતી કઈ ગમે તેટલી મેળવે, પણ આ ક્ષેત્રમાં એની ઉપયોગિતા ન ગણાય. આત્મા, જગત અને એ બે વચ્ચેનો સંબંધ, એ મુમુક્ષુની જ્ઞાનપ્રવૃત્તિને વિષય હોય.
પ્રથમ કૃત–શાસ્ત્રશ્રવણ કે અધ્યયન, પછી એના ઉપર ચિંતન, અને એમાંથી ભાવનાજ્ઞાન સુધી પહોંચે તે ક્ષયોપશમ જ બની જાય. આમ મુમુક્ષુનું જ્ઞાન આગળ વધતાં વધતાં સ્વાનુભવ સુધી પહોંચે.
શાસ્ત્ર ભણી જવા માત્રથી આત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. શ્રુતથી મેળવેલું જ્ઞાન પક્ષ છે, તેથી તે સ્પષ્ટ ન હોઈ શકે. “અws gોક્ષમ્ ”૩ તેથી, આત્માનું અપરોક્ષ જ્ઞાન મેળવવું જોઈએ. “પ્રત્યક્ષમ્!” ૪
આપણું રોજના વ્યવહારમાં પણ “દાક્તરે કે વકીલે કેટલાં પુસ્તક વાંચ્યા છે?”એ નથી જોવાતું, પરંતુ તે રોગનું નિદાન કરી શકે છે? દવાથી આપણને આરામ આપી શકે છે?—એ જોવાય છે. એ કરી શકે તે દાક્તર માન્ય બને છે; જે કેસ જીતી આપે તે વકીલ માન્ય બને છે; તેમ કર્મ સામે, ભવ સામે જીત અપાવે તે જ્ઞાન મુમુક્ષુ વાંચ્યું છે. એ માટે શાસ્ત્રાધ્યયન સાથે સાધના જોઈએ. | લાખ લેકપ્રમાણુ સાહિત્યનું નવનિર્માણ કરનાર ઉપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજી મહારાજને અનુભવજ્ઞાન લાધ્યું ત્યારે એમના મુખેથી સરી પડેલા આ ઉદ્દગાર છે:
“સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠો;
વાદવિવાદ અનિશ્ચિત કરતે, અનુભવ વિણ જાય હેઠે રે.” અનુભવજ્ઞાનના નિર્મળ પ્રકાશ આગળ જીવનભરના અથાક પરિશ્રમથી મેળવેલું બહોળું શ્રુતજ્ઞાન એમને ફિક લાગે છે, “જૂઠું લાગે છે. ૫
આત્મસ્વરૂપનું અભાન એ જ અજ્ઞાન છે. એ અજ્ઞાન ટાળી આપે તે જ્ઞાન, દેહાધ્યાસ ટળે–દેહમાં આત્મબુદ્ધિ એટલે કે “હું” એ બુદ્ધિ ટળે, સ્વરૂપનું અનુસંધાન ચાલુ રહે-કર્મકૃત ભાવોમાં “હું” બુદ્ધિ ન થાય, તેનું નામ જ્ઞાન,
પ્રમાણનયતવાલેક, પરિચ્છેદ ૩, સૂત્ર ૧. એજન, પરિચ્છેદ ૨, સૂત્ર ૨. પાસમાં જિમ વૃદ્ધિનું કારણ, ગોયમને અંગૂઠા; જ્ઞાનમાંહિ અનુભવ તિમ જાણે, તે વિણ જ્ઞાન તે જૂઠો રે.
–શ્રી પાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૦.
8. ૪.
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ-મહત્સવ-ગ્રંથ આત્માનું એવું નિર્મળ, કર્ણોપકર્ણ પ્રાપ્ત થયેલું નહિ પણ પોતીકું જ (firsthand) સ્પષ્ટ જ્ઞાન મેળવવા એનું પ્રત્યક્ષ દર્શન-સ્વાનુભૂતિ આવશ્યક છે. આત્માનું આવું અપરોક્ષ જ્ઞાન, જ્ઞાન તરીકે ગણનાપાત્ર છે.
કેરી વિષે પુસ્તકનાં પુસ્તક વાંચીએ, પણ જ્યાં સુધી તેને ચાખીએ નહીં ત્યાં સુધી તેને સ્વાદ નથી મળતો, એટલું જ નહિ, એ (સ્વાદ) ની યથાર્થ સમજણ પણ નથી મળતી. એવું જ આત્મા વિષે છે. શ્રતથી, તર્ક-યુક્તિ–આગમ વગેરેથી એની બૌદ્ધિક પ્રતીતિ મળે, પરંતુ ગમે તેટલું વાંચીએ, સાંભળીએ કે વાતો કરીએ પણ જ્યાં સુધી આત્માને આત્મા પોતે-ઈન્દ્રિયો કે મનની મદદ વિના–સાક્ષાત્ ન જુએ, એ આનંદસાગરને અનુભવ ન મેળવે, ત્યાં સુધીની આત્મા વિષેની આપણી સમજ અધૂરી જ રહે છે. એક વાર પણ આત્માને નિજાનંદને અનુભવ થઈ ચૂક્યો હોય ત્યારે જ આત્મતત્ત્વને તે યથાર્થપણે સમજી શકે છે. સાધના-પ્રક્રિયા
પ્રશ્ન એ થાય કે અનુભવજ્ઞાન સુધી પહોંચાય શી રીતે?
અહીં મુખ્ય વાત તો સ્વાનુભૂતિ માટેની તીવ્ર વ્યાકુળતા અને ઉત્કટ ઝંખના જાગવી એ જ છે. આ માનવભવ એમ જ નથી ગુમાવવો એવી તીવ્ર ચટપટી લાગી જાય તો ઉપાય અવશ્ય હાથ લાગે. આવશ્યકતા એવી વસ્તુ છે કે તે આપમેળે જ બધું શોધી કાઢે છે.
આ વ્યાકુળતા પ્રગટયા પછી સત્તા, પ્રતિષ્ઠા, નામના, કીતિ આદિની આકાંક્ષા નિવૃત્ત થાય છે; એમાં મેળવવા જેવું કંઈ લાગતું નથી. બાળક નાનું હોય છે ત્યાં સુધી એ ઢીંગલીઓ સાથે રમે છે અને એ રમતમાં આનંદ મેળવે છે. મોટું થતાં એ રમત તે છોડતો જોય છે. તેવું જ જગતની વસ્તુઓનું છે. તેમાં જ્યાં સુધી આનંદ આવે, મળવવા જેવું લાગે, ત્યાં સુધી સમજવું કે હજી બાળકઅવસ્થા છે. શા એને “ભવબાળકાળ” કહે છે; ધર્મયાન આવતાં જ એ બધું છૂટી જાય છે અને તે આત્મા સત્ય માટે દોડે છે.
એટલે પ્રથમ તો જીવનના ધ્યેય વિષે નિશ્ચય થો જોઈએ. ધ્યેય નક્કી થયા પછી એની સિદ્ધિ અર્થે શું જરૂરી છે તે જાણી લઈ, સાધકે પોતાની સાધનાની યોજના (Plan) ઘડી કાઢી, એ પ્રમાણે જીવનનું ઘડતર કરતાં, પ્રથમ નજીકનાં અને પછી દૂરનાં લક્ષ્ય સિદ્ધ કરતાં, આગળ વધવું જોઈએ.
આપણી સાધના-પ્રક્રિયાનું ટૂંકમાં દર્શન (૧) દશેય ? મુક્તિ=સર્વકર્મ રહિત થઈ સ્વરૂપમાં સ્થિતિ. (૨) સર્વ કર્મના ક્ષય માટે આત્મજ્ઞાન (આત્મા સંબંધી માત્ર બૌદ્ધિક જાણપણું નહિ
. “ આત્મનિરીક્ષણ” (“ ધર્મચક્ર ફેબ્રુઆરી-એપ્રીલ, ૧૯૬ર) અને “ આધ્યાત્મિક ઉત્થાન” (“ કલ્યાણ, મે-જૂન, ૧૯૬૩) એ શીર્ષક હેઠળ લેખકે અહીં રજૂ કરવામાં આવેલા મુદ્દાઓમાંના કેટલાક મુદાઓનું વિશદ વિવેચન કરેલું છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
મુ. શ્રી અમરેન્દ્રવિજયજી ઃ જ્ઞાન અને સ્વાનુભૂતિ—એક વિચારણા
પરંતુ આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન) પ્રાપ્ત કરવું રહ્યું.
(૩) આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થ : આત્મા શરીરથી તદ્દન જુદે છે . એના સાક્ષાત્કાર કરવાના ઉદ્દેશથી ધ્યાનની સાધના જરૂરી છે.
(૪) ધ્યાનની સિદ્ધિ માટે ; પ્રથમ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવી રહી. (૫) ચિત્તની સ્થિરતા માટે : ચિત્તની નિર્મળતા અને શરીરશુદ્ધિ આવશ્યક છે.
(૬) ચિત્તનો નિ`ળતા સ ંપાદન કરવા : સ્વાધ્યાયમાં—શાસ્ત્રાભ્યાસ અને તત્ત્વચિંતનમાં—મન પરોવી દેવુ જોઈ એ, જેથી બાહ્ય વિકલ્પે। આપોઆપ ટળી જાય. સાથે સાથે મૈત્રી આદિ ચાર ભાવનાએ અને અનિત્યત્વ આદિ બાર ભાવનાએથી ચિત્તને હંમેશાં વાસિત કરતાં રહેવુ જોઈ એ.
(૭) મૈત્રી આદિ ભાવેાની સિદ્ધિ માટે : એટલે કે એ ભાવાને જીવનમાં ઉતારવા અને સ્થિર કરવા માટે જીવનવ્યવહાર ન્યાય—નીતિ, વ્રત–નિયમ, ત્યાગવૈરાગ્ય અને સયમથી નિયત્રિત હાવા જોઈ એ.
(૮) શરીરની શુદ્ધિ આદિ માટે : તપની સાધના જોઈ એ.
આ છે આત્મા અને કમને જુદાં પાડી આપનાર આધ્યાત્મિક સાધનાપ્રક્રિયા (process). પાણીને તેાખવાળું કરી તેમાંથી વિદ્યુત પસાર કરીને, એકરૂપ (પાણીરૂપ) થઈ ગયેલ હાઈડ્રોજન અને આકસીજન વાયુએને વૈજ્ઞાનિકે છૂટા પાડી શકે છે, તેમ આત્મા અને કને જુદાં પાડવામાં વ્રત, નિયમ, સયમ, સ્વાધ્યાયરૂપ તેજાબ અને ધ્યાનરૂપ વિદ્યુત એ મને જરૂરી છે.૧૦
૭. (૧) મજ્ઞાન .......... આત્મનઃ વિવ્રૂવલ્ય સંવેનમેવ નૃશ્યતે ।
नातो अन्यदात्मज्ञानं नाम ।
..
4.
૧૦.
૯૩
—ચેાગશાસ્ત્ર પ્રસ્તાવ ૪, શ્લોક ૩ની ટીકા (૨) ખીરનીર પરે પુદ્ગલમિશ્રિત, પણ એથી છે અળગા રે; અનુભવ-હુ સચંચુ જો લાગે, તે નવ દીસે વળા રે. —સમકિતન સડસઠ મેટલની સઝાય, ગાથા ૬૨.
मोक्षः कर्मक्षयादेव, स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च तदुद्ध्यानं हितमात्मन ॥
—યેગશાસ્ત્ર, પ્રસ્તાવ ૪, શ્લાક ૧૧૩. -દાત્રિ શન્દ્વાત્રિંશિકા, ૨૨, શ્લોક ૨ ની ટીકા.
આમ્યતર ( શૌત્ર ) મળ્યાલિમિશ્ચિત્તમઽવ્રુક્ષાનમ્ ।
(૧) પદ્મમોરિતિ સપ્લાય, નીચે શાળ શિયાયરૂં । तइयाए भिक्लायरियं पुणो चउत्थीए सज्झायं ॥
(4
-~ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન ૨૬, ગાથા ૧૨. (૨) પૂર્વધરષ્કૃત શ્રી પંચસૂત્ર ' મહાગ્રન્થમાં પણ સામાન્યથી મુનિનું વિશેષણ “ જ્ઞાન ઉન્નયળસંકો ” મૂકયુ છે, એકલુ' અધ્યયન નહિ.
( 3 ) स्वाध्यायात् ध्यानमध्यास्तां, ध्यानात् स्वाध्यायमामनेत् । ध्यानस्वाध्याय संपत्त्या, परमात्मा प्रकाशते ॥
—તત્ત્વાનુશાસન, અધ્યાય ૩, ૭, (૮૧)
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહાત્સવ ગ્રંથ
આ રીતે આપણા ધ્યેય-આત્મજ્ઞાનનું અંતિમ સાધન ધ્યાન છે;૧૧ એ લક્ષમાં રાખી “ એની પ્રાપ્તિ કરાવવા માટે મહાવ્રતાઢિ યમ, નિયમ, તપનું આસેવન છે.”—એ સમજપૂર્વક આરાધના થવી જોઈએ;૧૨ એમ થાય તેા, એ આરાધના ઉત્તરોત્તર વધુ આત્મવિકાસ કરાવનારી અને યમ, નિયમ, તપ સીધાં જ મેાક્ષપ્રાપક નથી, પર`તુ તે ચિત્તની શુદ્ધિ અને સ્થિરતામાં સહાયક અની પરપરાએ મેાક્ષસાધક છે.
યમ, નિયમ, તપ વગેરે સીધાં જ મેાક્ષપ્રાપક છે, એવી માન્યતાને કારણે, યમ, નિયમ, તપ, સંયમાદિની શુદ્ધિ અર્થે જરૂરી આત્મનિરીક્ષણ ન રહેતાં, એનાથી નીપજવું જોઈતું પરિણામ પ્રગટતું નથી. દા. ત. તપના યથાયોગ્ય આસેવનથી નાડીશુદ્ધિ થવી જોઈ એ; એટલે કે નાડીઓમાં રહેલ મળે! (Toxins) ખળી જાય; પરિણામે, શરીર હલકુ ફૂલ લાગે અને, ધ્યાન, સ્વાધ્યાય આદિની આરાધનામાં શરીર વિઘ્નભૂત ન રહેતાં, ચિત્તની સ્થિરતા સુલભ બને.
જ્ઞાનપ્રાપ્તિ માટે બુદ્ધિની કેળવણી–બુદ્ધિના વિકાસ-ઉપરાંત હૃદયની વિશાળતાના વિકાસ ઉપર, સંયમ ઉપર, સ'કલ્પશક્તિને સુદૃઢ બનાવવા ઉપર તથા ચિત્તને શાંત, શુદ્ધ અને ઇચ્છાનુસાર એકાગ્ર કરવાની શક્તિ સ`પાદન કરવા ઉપર વધારે ધ્યાન અપાયું જોઈ એ. અંતઃકરણની આવી અવસ્થામાં જ વાસ્તવિક જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. ૧૩ તત્ત્વદર્શન મનની પ્રશાંત અવસ્થામાં પ્રાપ્ત થાય છે. માટે ચિત્ત ઉત્તરાત્તર વિકલ્પરહિત પ્રશાંત મનતું જાય, અને સમત્વ સ્થિર થતું જાય, એ દિશામાં નિત્ય, અવિરત પ્રયાસ કરવા જોઈએ. સામાયિક ભાવની–સમભાવની સ્થિરતાથી જ્ઞાનપ્રાપ્તિ થાય છે. ૧૪ સામાયિક ભાવ જેટલા ઊંડા તેટલુ જ્ઞાન ઊંડું.
શ્રુતજ્ઞાનપ્રાપ્તિમાં જરૂરી વિવેક
સ્વાનુભૂતિ સુધી પહોંચવા માટે જરૂરી સાધનાનું આપણે વિહંગાવલેાકન-ઊડતું અવલેાકન કયું; પણ ત્યાં સુધી પહોંચીએ તે પહેલાં આપણે અનુભવીએના વચનથી -શ્રુતથી નભાવવુ રહ્યું. એ જ્ઞાનાર્જનના વિષયમાં પણ આપણા ચિત્તમાં સ્પષ્ટતા હેાવી જોઈ એ. કાઈ એક વિષયનું જીવનભર અધ્યયન કરતાં રહીએ તાય પાર ન આવે એટલાં શાસ્ત્રો છે. માટે આપણા ધ્યેય વિશે નિશ્ચિત દૃષ્ટિ કેળવી, “ શાસ્ત્ર ઘણાં મતિ થેાડલી ” –એ વિચારના ખ્યાલ રાખી વિવેકપૂર્વક એમાંથી પસંદગી ન કરીએ તે જિંગ્નુગીભર શાસ્ત્રો ભણતાં રહીએ છતાં આત્માન્નતિની દૃષ્ટિએ ખાસ લાભ ન થાય, એવુય અને.
૧૧.
आत्मज्ञानफलं ध्यान - मात्मज्ञानं च मुक्तिदम् ।
—અધ્યાત્મસાર, પ્રસ્તાવ ૬, શ્લાક ૧.
૧૨.
૧૩. ૧૪.
मूलोत्तरगुणाः सर्वे सर्वा चेयं बहिष्क्रिया । मुनीनां श्रावकाणां च ध्यानयोगार्थमीरिताः ॥
—ઉપમિતિભવપ્રપંચા કથા, પ્રસ્તાવ ૮, શ્લોક ૭૨૬.
વિશતિવિશિકા, ૧, ગાથા ૧૭–૨૦. यदिदं तदिति न वक्तुं साक्षाद् गुरुणाऽपि हन्त शक्येत । औदासीन्यपरस्य प्रकाशते तत् तत्त्वं स्वयं तत्त्वम् ॥
—યામશાસ્ત્ર, પ્રસ્તાવ ૧૨, શ્લોક ૨૧.
Page #7
--------------------------------------------------------------------------
________________
gam, અને
મુ. શ્રી અમરેન્દ્રવિજયજી જ્ઞાન અને સ્વાનુભૂતિ–એક વિચારણા
માટે, પ્રારંભમાં વિશ્વમાં રહેલ ચેતન અને જડ પદાર્થોના સ્વભાવનું મૃતથી લભ્ય દર્શન પ્રાપ્ત કરવા તેમને અંગે આગમ દ્વારા–અનુભવીઓના વચન દ્વારા–જાણપણું મેળવવું રહ્યું, કે જે પિતાને સ્વભાવદશામાં, અથવા એની વધુમાં વધુ નજીક રહેવામાં સહાયભૂત થાય.૧૫ જગતના ચેતન અચેતન પદાર્થોનું જે જાણપણું વિભાવદશામાં ઘસડી જાય તે જાણપણું પણ અજ્ઞાન છે. જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો ભેદ “ જાણપણા–અજાણપણ એને નથી, પણ જે જાણપણું આત્માને પિતાના સ્વભાવથી દૂર લઈ જનારું હોય –પછી ભલે તે આગમ ગ્રંથનું હોય–તે અજ્ઞાન, અને જે જાણપણું સ્વભાવદશામાં સ્થાપિત થવામાં ઉપયોગી હોય કે સ્વભાવસમુખતા જગાવતું હોય તે જ્ઞાન.૧૭
સાધકે પોતાની કૃતજ્ઞાનપ્રાપ્તિની પ્રવૃત્તિનું આ રીતે નિરીક્ષણ કરતાં રહેવું જોઈએ.૧૮ ૧૫. ગરમાગરમાવી લેવાગ્યાર્થમ્ |
-તત્વાર્થસૂત્ર, અધ્યાય ' . ૧૬. અહંકારવૃદ્ધિ આદિ દ્વારા
સેક: ત્રીજી ૧૭. સ્વમાવત્રામiાર– જ્ઞાનમિષ્યતે
વર્ષ લ ध्यान्ध्यमात्रमतस्त्वन्यत् , तथा चोक्तं महात्मना ।
–સાનસાર, ૫ મું જ્ઞાનાષ્ટક, શ્લોક ૧૮. આ દષ્ટિએ જોતાં જીવવિચાર, નવતત્વ, કર્મગ્રંથ, સંગ્રહણી વગેરે ગ્રન્થમાંથી જ્ઞાન પ્રાપ્ત થયું કયારે કહેવાય?–એને વિચાર કંઈક આ રીતે કરી શકાય –
દા. ત. જીવવિચારના અધ્યયનથી—નાના, નજીવા, નગણ્ય દેખાતા છે પણ આપણા આત્મા સમાન જ છે; જેમ મેટો ફોટો અને તેની એક ઈચની કેપી; એનું કદ નાનું થતાં કેટલીક ઝીણી ઝીણી વિગતે પ્રથમ દર્શને જણાતી નથી, પણ એને એન્લાર્જ કરવામાં આવે છે, પહેલાં ન દેખાતી બધી વિગતે છૂટ થાય છે, તેમ નાના જીવજંતુઓમાં –એક કુંથુઆ સુદ્ધામાં –અને પિતાનામાં પણ કઈ ભેદ નથી; જે ભેદ ભાસે છે, તે કર્મકૃત છે.
ભવભ્રમણ માટે કેટલું વિશાળ ક્ષેત્ર છે ! કેટલી યુનિઓ ! એકેન્દ્રિયાદિમાં કાયસ્થિતિ કેટલી દીધું છે! કોઈ વખત આપણે પણ એ બધી અવસ્થામાં સમય પસાર કર્યો છે વગેરે વિચારણું જાગે અને તેથી ભવભીરતા–પાપભીરુતા જન્મ અને નાના કીટ-પતંગ પ્રત્યે તેમ જ પાપી અધમ છ પ્રત્યે પણ ઘણાભાવ કે તિરસ્કારની લાગણી ન જન્મે; પરંતુ તેમાં પણ દેખવામાં આવતા ચૈતન્યના અંશ પ્રત્યે માન (Reverance for life ) 3012.
નવતત્વનું અધ્યયન થતાં–જીવ-અજીવની સ્પષ્ટ સમજણ આવે; સાથે પોતાના વર્તમાનમાં દેખાતા પર્યાયે કર્મને લીધે છે, અને પિતાનું ખરું સ્વરૂપ કર્મથી અવરાયેલું પડયું છે એનું ભાન વધુ સ્પષ્ટ બને; સ્વરૂપે પ્રગટ કરવાના સાધન તરીકે સંવર અને નિર્જરાનાં અંગે પ્રત્યે અભિરુચિ જાગે અને સ્વરૂપપ્રાપ્તિ( મુક્તિ)અર્થે તાલાવેલી જાગે
ક્ષેત્રસમાસ, બૃહસંગ્રહણી (કૈલેષદીપિકા) નું અધ્યયન ચિત્તમાં કેવા ભય પ્રેરે !—એક તીઠાંલેકમાં જ અસંખ્ય દ્વીપસમુદ્રો ! અને તે પણ કેટલા વિરાટકાય ! અને કલ્પનાને પણ થકવી નાખે એટલા વિસ્તારમાં પથરાયેલે આ તીચ્છક પણ જેની પાસે વામણો લાગે એવા ઊર્વલક અને અધોલકા
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-ગ્રંથ
શ્રુતથી શુદ્ધિ–અંતઃકરણની નિળતા-જન્મે તે એ ઉપયેાગી ગણાય. પ્રત્યેક હકીકત તે કાચા અનાજના દાણા જેવી છે. તેને કાઠારમાં સંગ્રહી રાખ્યું ન ચાલે. અનાજના દાણા વડે રસાઈ તૈયાર કરી, દાંત વડે ચાવી, તેને લેાહીના ટીપામાં પરિણમાવીએ તે એ દેહધારણમાં ઉપયોગી બને; તેમ શાસ્ત્રોની હકીકતા અને વિગતાના સંગ્રહસ્થાન માત્ર અન્ય કામ ન સરે. એ વિગતામાંથી એક જીવનદૃષ્ટિ પ્રાપ્ત થવી જોઈએ, જીવન પ્રત્યે નવુ' વલણ ઘડાવુ જોઈએ; માત્ર હકીકતા કે માહિતીઓને ગળી ગયે ન ચાલે.
એકલુ. શ્રુત એ કોઠારમાં પડેલ ખીજ તુલ્ય છે.૧૯ શ્રવણ-વાચન પછી એના ઉપર ચિંતન થવું જોઈએ. ચિંતનથી જ્ઞાન વધે છે,॰ અને તેથી મધ્યસ્થભાવ જન્મે છે,૨૧ આધુનિક ખગોળવિજ્ઞાન (Astrology ) પણ કેવડું માટુ. બ્રહ્માંડ સ્વીકારે છે. તેને ખ્યાલ પણ નીચેના અવતરણથી આવી શકરો :
૯૬
E ;
ઘેાડા સમય પહેલાં એક ખગાળશાસ્ત્રીએ ૨૦૦ ઈંચના વ્યાસના કૅમેરા-દૂરબીન ( Telescopecamera) દ્વારા એક તારાવિશ્વના ફોટોગ્રાફ લીધેા હતા. આ તારાવિશ્વ એટલું બધુ દૂર છે કે (એક સેકડે ૧,૮૬,૦૦૦ માઈલની ઝડપે અહીં આવતા ) તેના પ્રકાશને પૃથ્વી સુધી પહેાંચતાં છ અબજ શુ લાગે છે ! અત્યાર સુધી શેાધાયેલા તારાવિશ્વમાં આ તારાવિશ્વ દૂરમાં દૂર છે
..
આપણા નવ ગ્રહ અને સૂ મળીને સૂર્યમંડળ બને. અને આવાં અબજો સૂર્યંમડાનુ એક તારાવિશ્વ અને ! એવાં તે ઘણાં તારાવિશ્વા આ બ્રહ્માંડમાં છે.”
આ વિરાટ વિશ્વમાં વ્યક્તિનું સ્થાન દરિયાકાંઠાની રેતીના એક કણુ જેટલુ' પણ કહી શકાય ખરું ? આ બધું નજર સામે તરવરતું દેખાય તેા વ્યક્તિને પેાતાનાં ક્ષણિક, અપ સુખદુઃખ ઉન્માદ કે ગ્લાનિ જન્માન્ની શકે ખરાં ?
પેાતાની આકાંક્ષાઓ, પ્રવૃત્તિઓ, સિદ્ધિ કે નિષ્ફળતાઓનું મહત્ત્વ શું ? શૈલેાકષદીપિકાના અધ્યયનથી કાળ અને સ્થળની વિરાટતાનું ભાન જાગે, પેાતાની અપતા-લઘુતા સમજાય, અને પરિણામે નમ્રતા પ્રગટે, તા આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાન તરીકે એ ગણુનાપાત્ર અને
નહિંતર, આજની ( સ્કૂલે અને કોલેજોમાં ) ભૂંગાળ ભણનાર વિદ્યાર્થી આધુનિક વિજ્ઞાનમાન્ય, વર્તમાનમાં દૃષ્ટ, પૃથ્વીનાં શહેર, ગામડાં, નદી, પવ તા વગેરે ગણાવી શકે છે; અને પેલે આજે માનવીને જે અષ્ટ છે તે સૃષ્ટિનાં નદી નાળાં, દરવાજા, જગતિ, પત્રતા વગેરે ગણાવી જવાની આવડત મેળવે એ ખૈમાં ફેર કર્યાં? એ માહિતીને માજ તેા વ્ય ન ગણાય જો એ શુદ્ધિને માર્ગે લઈ જતા હોય. વૃત્તિમાં કાંઈક પણ પરિવર્તન થતું હોય તે! જાણવું કે એ અધ્યયનથી ચિત્તમાં કંઈક જ્ઞાનનાં કિરણેા પ્રગટયાં છે. वाक्यार्थमात्र विषय, कोष्ठकगतबीजसन्निभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं,
૧૯.
उदक इव तैलबिन्दुर्विसर्प चिन्तामयं तत् स्यात् ।
श्रुतज्ञानाद् विवादः स्यान्मतावेशश्च चिन्तथा । माध्यस्थ्यं भावनाज्ञानात् सर्वत्र च हितार्थिता ॥
૨૦.
૨૧.
—Àાડશક, ૧૧, શ્લોક છ
પાડશક, ૧૧ શ્લોક ૮
--- વૈરાગ્યક પલતા, સ્તખક - Àાક ૧૦ પહ
Page #9
--------------------------------------------------------------------------
________________
મુ. શ્રી અમરેન્દ્રવિજયજી જ્ઞાન અને સ્વાનુભૂતિ–એક વિચારણા
૯૭ બીજાના પિતાનાથી ભિન્ન વિચાર-મતે પ્રત્યે સહિષ્ણુતા પ્રગટે છે, અને એમાંથી જે સારું હોય તે ગ્રહણ કરી લઈ બીજા અંશેની ઉપેક્ષા કરવાની ક્ષમતા આવે છે. ચિંતન પછી શ્રતને ભાવનાજ્ઞાન સુધી પહોંચાડવું જોઈએ; ત્યારે જ એ જ્ઞાન તરીકે પ્રતિષ્ઠા પામે છે. ૨૩ જ્ઞાનની કસોટી : મગુપ્તિ
જેનાથી ચિત્તમાં કંઈક શુભ પરિવર્તન આવે તે શ્રત ઉપયોગી મનાય. મનગુપ્તિ એ જ્ઞાનની કસોટી છે. મને ગુપ્તિમાં આગળ વધાતું હોય તે સાધક માની શકે કે તે જ્ઞાનમાં ખરેખર પ્રગતિ કરી રહ્યો છે, નહિતર જ્ઞાનની બ્રાતિ સમજવી. શા મને ગુપ્તિની ત્રણ કક્ષાએ બતાવી છે:
૧. આત-રૌદ્ર ધ્યાનમાં ઘસડી જનાર સંકલ્પ-વિકલ્પને વિયેગ, એ પ્રથમ કક્ષા. ૨. ચિત્ત મધ્યસ્થવૃત્તિવાળું બને કે જેથી ધર્મધ્યાન સાધી શકાય, એ બીજી; અને ૩. કુશળ–અકુશળ સકલ મનવૃત્તિઓને નિરોધ થઈ સ્વરૂપમાં સ્થિતિ, એ ત્રીજી
કક્ષા. ૨૪
આ રીતે મને ગુપ્તિમાં પ્રગતિ થતાં ચિત્તની ઉત્તરેત્તર અધિક એકાગ્રતા નિષ્પન્ન થતી જાય છે. ઊંડાણથી વિચારતાં સમજાશે કે મુક્તિ પર્વતની સમગ્ર સાધનાને મનેગુપ્તિમાં અહીં આવરી લીધી છે. ટૂંકમાં, સાધનામાં પ્રગતિ એટલે મને ગુપ્તિમાં આગળ વધવું તે, એમ કહી શકાય.
જ્ઞાન જેમ જેમ પરિણમે તેમ તેમ ક્રમશઃ મનમાંની ઈર્ષ્યા માત્સર્ય-દ્વેષની વૃત્તિઓ વિદાય લે; તિરસ્કાર, ધૃણા આદિનું સ્થાન સહાનુભૂતિ, સમજ, ઔદાર્ય અને વાત્સલ્ય લે; ભય, ચિંતા, સંકલેશ ટળી જાય; તેમ જ તત્વચિંતનમાં અને સ્વગુણની વૃદ્ધિ અને આત્મનિરીક્ષણ આદિમાં ઓતપ્રેત રહેવાથી અન્યની નરસી પ્રવૃત્તિ પ્રત્યે સહજપણે ઉદાસીનતા ૨૨. “મુળપ્રદક્ષિાનો વરવનાનુરારિદાબવાવમાવવાત.... તથા ર ત મૂાનૈમેદવાર્યતાमापाद्योपत्तिरेव कर्तव्या, इत्थमेव सम्यग्दृष्टिपरिगृहीतस्य मिथ्याश्रुतस्यापि सम्यक्श्रुतत्वसिद्धः ।'
–ષોડશક ૧૬, બ્લેક ૧૩, ટીકા. ૨૩. (૧) નેન હિ જ્ઞાનં નામ, બિયાડખેતર પૂર્વ મોક્ષાવાડા Hથ .
–ડશક, ૧૧, શ્લોક ૮ની ટીકા. (२) सम्यगभावनाज्ञानाधिगताना भावतोऽधिगतत्वसम्भवात् ।
–ઉપદેશપદ, ટીકા, ગાથા ૧૬૫. ૨૪. વિમુન્નાનાગાર્જ, સમવે સુપ્રતિષ્ઠિતમ્ | રામામં મનતમૈનોનુપ્તિ કરવા માં .
टीका-आर्तरौद्रध्यानानुबंधिकल्पनाजालवियोगः प्रथमा । ...धर्मध्यानानुबन्धिनी माध्यस्थपरिणतिद्वितीया । कुशलाकुशलमनोवृत्तिनिरोधेन योगनिरोधावस्थाभाविन्यात्मारामता तृतीया ।
–ોગશાસ્ત્ર, પ્રસ્તાવ ૧, બ્લેક ૪૧.
Page #10
--------------------------------------------------------------------------
________________
૯૮
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણ મહાત્સવ ગ્રંથ
આવતી જાયપ, એટલું જ નહિ, પણ પેાતાના મતથી તદ્દન વિરોધી જણાતી વિચારધારાને પણ તે સહી શકે એવી ક્ષમતા-પરમતસહિષ્ણુતા( tolerance)ના ગુણ તેનામાં વિકસતા જાય છે.૨૬ ક્રમશઃ જીવનનાં અન્ય દ્વન્દ્વોમાં પણ એ ઉત્તરોત્તર અધિક સમત્વ કેળવતા આગળ વધે છે. પરિણામે, એના ચિત્તમાં પ્રસન્નતા, શાન્તિ, સ્વસ્થતા સહજપણું રેલાતાં રહે છે. મનેાગ્રુતિની બીજી કક્ષા વટાવી ગયા પછી નિશ્ચય-રત્નત્રયમાં પ્રવેશ મળે. વ્યવહાર અને નિશ્ચય રત્નત્રયી
નવ તત્ત્વ, ષડ્ દ્રવ્ય આદિ શ્રી જિનેશ્વરદેવ(અર્થાત્ પૂર્ણજ્ઞાની)કથિત ભાવેાને સારી રીતે જાણીને તેનું શ્રદ્ધાન અને તે મુજબ યથાશક્તિ સયમ, વ્રત આદિનું આચરણ એ છે વ્યવહાર-રત્નત્રયી અથવા ભેદરત્નત્રયી. પરપદાર્થોની ચિંતા છોડીને પેાતાના આત્માનું જ શ્રદ્ધાન, તેના સ્વરૂપનું જ્ઞાન અને ચિત્તને અન્ય વિકલ્પાથી રહિત કરી સ્વરૂપમાં જોડી, ત્યાં લીન કરવું તે છે નિશ્ચય-રત્નત્રયી૧૭ અર્થાત્ અભેદ્યરત્નત્રયી.
ચિત્ત ઇન્દ્રિયા, વિષયા અને ખાદ્ય પદાર્થો સાથે જોડાયેલુ રહે છે. તેમાંથી ખેંચીને તેને આત્મા સાથે જોડવાના અભ્યાસ એ જ પારમાર્થિક ભેગ છે. વ્યવહાર નિશ્ચય સુધી લઈ જવા માટે છે.૨૮ વ્યવહાર-રત્નત્રય કારણ છે, નિશ્ચય-રત્નત્રય કાર્ય છે. જેનાથી કાર્ય ન થાય તે કારણ તરીકે ગણના પામે નહિ.
શ્રુત કેટલુ' મેળવવું આવશ્યક છે?—એ કાયડાના ઉકેલ આમાંથી મળી રહે છે. આત રૌદ્ર · ધ્યાન ટાળી શકાય અને ધ-શુકલ ધ્યાનમાં પ્રવૃત્તિ કરી શકાય એટલુ' શ્રુત સાધકની પ્રાથમિક જરૂરિયાત મનાઈ છે.૨૯
મુનિના એક મનારથ એ હેાય કે “ કયારે હુ' શ્રુતસાગરના પાર પામું. ” પણ સમગ્ર શ્રુતસાગરને પાર પામવા કેટલાને શકય હેાય ? સમય, શક્તિ અને સચાગાની મર્યાદા એ મનોરથની સિદ્ધિની આડે નડતી હાય છે. તેથી સાધકને માટે કાયડા એ રહે છે કે કેટલું અને શું ભણવું ? આ મૂંઝવણુના ઉકેલ માટે શાસ્ત્ર સાધકને શુ' અને કેટલું ભણવુ`? –એ ન કહેતાં આતરાષ્ટ્ર ધ્યાન નિવારી ધ-શુકલ ધ્યાનમાં પ્રવૃત્ત થઈ શકાય એટલું
૫. જ્ઞાનગભિ ત વૈરાગ્યનાં લક્ષણેામાંનુ એક આ છે :
૨૬.
૨૭.
૨૮.
૨૯.
.
ચેષ્ટાવક્ષ્ય વૃત્તાન્ત, મૂળાધરોષમાં । કલાર્: સમુળાભ્યાસ, ૩.સ્થત્યેવ ધનાગૅને ૫
'
—અધ્યાત્મસાર, અધિકાર ૬, શ્લાક ૪૧ (૧) માä ચઢે નાયાતં, ન તદ્દા જ્ઞાનમતા । --- એજન, અધિકાર ૬, શ્લોક ૩૭, (ર) જીએ ઉપાધ્યાય શ્રી યશાવિજયજી મહારાજકૃત અધ્યાત્માપનિષદ, શાસ્ત્રયાગ શુદ્ધિ, શ્લાક ૭૦-૭૧.
आत्मissterयेव यच्छुद्धं, जानात्यात्मानमात्मना । सेयं रत्नत्रये ज्ञप्ति - हच्याचारिकता मुनेः ॥ —જ્ઞાનસાર, ૧૩ મું મૌનાષ્ટક, શ્લાક ૨. व्यवहारोऽपि गुणकृद् भावोपष्टंभतो भवेत् । सर्वथा भावहीनस्तु स झेयो भववृद्धिकृत् ॥ વૈરાગ્યક પલતા, સ્તખક ૯, શ્લાક ૧૦૧૮,
ઉપદેશપદ, ટીકા, ગાથા ૮૯૭.
Page #11
--------------------------------------------------------------------------
________________
સુ. શ્રી અમરેન્દ્રવિજયજી ઃ જ્ઞાન અને સ્વાનુભૂતિ—એક વિચારણા
૯૯
શ્રુત મેળવવાનું બહુમૂલ' સૂચન કર્યું' છે. પછી એ પાંચ ગ્રન્થા હો કે પિસ્તાલીસે આગમા હા કે માત્ર અષ્ટપ્રવચનમાતાનુ' જ જ્ઞાન હા. જો આ કાર્ય ન થતું હાય તા મહાનુ શ્રુત પણ ભારરૂપ સમજાવુ.૩૦ સમિતિ-ગુમિનું જ્ઞાન એટલે શું?
જે દયાવાન છે, કરુણા છે, નિ...ભ છે, ગુણગ્રાહી છે, તે ભલે એક પદ જ જાણતા હાય તાયે જ્ઞાની છે.૩૧
સમિતિનું જ્ઞાન એટલે ઈર્યા વગેરે સમિતિ કેમ જોવી, નજર નીચી જ ઢાળેલી રાખવી, ખેલતાં મુહપત્તિ મુખે રાખવી, કે પૂજવુ–પ્રમાજવુ' એટલે' જ માત્ર નહિ પણ એની પાછળ પ્રાણીમાત્ર પ્રત્યેના વાત્સલ્યથી ધખકતું હૈયું જરૂરી છે. સિતિ અને ગુપ્તિને પ્રવચનમાતા કહી. શાથી ? બીજાના સુખમાં પેાતાના હાથે કંઈ ખાધા ન આવે, કાઈને પીડા ન થઈ જાય, એવી કાળજીપૂર્વક જીવવું એ છે સમિતિના પ્રાણ; પ્રવચન (જિનશાસન ) જીવા પરના વાત્સલ્યથી ભરપૂર છે, જીવા પ્રત્યેના વાત્સલ્યમાંથી જન્મેલુ છે, અને જીવા પ્રત્યેના વાત્સલ્યથી ભરપૂર હૈયામાંથી એ ઉભળ્યું છે, માટે સના સુખની હિતની ચિંતાને પ્રવચનની માતા કહી.૩૨
સમિતિપૂર્ણાંકનું જીવન એટલે જગત સાથે પ્રેમ, સહાનુભૂતિ, સહકાર, સહિષ્ણુતાપૂર્વ કના જીવનવ્યવહાર.
ગુપ્તિ શું માગે છે ? પરમાં પ્રવૃત્ત થતાં મન, વાણી, દેહને ત્યાંથી પાછાં વાળી એકાંત અને મૌન દ્વારા નિજમાં ઉતારવાની પ્રક્રિયાના અભ્યાસ.
આ છે સમિતિ-ગુતિપૂર્ણાંકનું જીવન.
અધ્યયન વિના પણ જ્ઞાન પ્રાસ થઈ શકે ?
આવું વિશુદ્ધ જીવન હાય અને એની સાથે તત્ત્વદર્શીનની તીવ્ર જિજ્ઞાસા હોય તા જ્ઞાન આપે।આપ પ્રગટે છે. જેનુ' અંતઃકરણ નિર્મળ હેાય તે અલ્પ શ્રુતમાંથી પણ તત્ત્વભૂત વાત ગ્રહણ કરી લે છે.૩૩ સપ્ટેાગવશાત્ શ્રવણ કે વાચનની તક ન મળે, પરંતુ તત્ત્વ પામવાની તીવ્ર જિજ્ઞાસા હાય તા એવી વ્યક્તિને શ્રુત વિના પણ જ્ઞાન પ્રાપ્ત થઈ “ સાર લઘા વિષ્ણુ ભાર કહ્યો શ્રુત, ખર દૃષ્ટાંત પ્રમાણ; ''
૩૦.
૩૧.
૩૨.
૩૩.
ચિદાન દજી મહારાજ, निर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं निर्बन्धो नास्ति भूयसा ॥ —જ્ઞાનસાર, ૫ મું જ્ઞાનાષ્ટક, શ્લોક ૨.
प्रवचनस्य प्रसूतिहेतुत्वेन हितकारित्वेन च मातृत्वमवसेयम् ।
—પાડશક, ૨, શ્લોક ૮, ટીકા,
"... ते हि बहिर्बहुश्रुतमपठन्तोऽपि अतितीक्ष्णसूक्ष्मप्रज्ञतया बहुपाठकस्थूलप्रज्ञपुरुषानुपलब्धं तत्त्वમવવુષ્યન્ત કૃતિ । તવુò—
स्पृशन्ति शरवत्तीक्ष्णाः स्वल्पमन्तर्विशन्ति च ।
13
बहुस्पृशापि स्थूलेन स्थीयते बहिरश्मवत् ॥
—ઉપદેશપદ, ગાથા ૧૯૩, ટીકા,
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦૦
જાય.૩૪ વિશુદ્ધ અંતઃકરણમાં જ્ઞાનના પ્રકાશ આપેાઆપ થાય છે.૩૫
જ્ઞાન મહારથી જ મળે, એવુ આપણા ચિત્તમાં વસી ગયુ. હાવાથી, કોઈ મળે ત્યારે, એની જ્ઞાનમાં થયેલ પ્રગતિ જાણવા, આપણે પૂછીએ છીએ કે ન્યાય ભણ્યા? વ્યાકરણ કર્યું? આગમેા કેટલા વાંચ્યા ? પણ એ તે જ્ઞાનપ્રાપ્તિનાં મહિર`ગ સાધન છે. માત્ર શબ્દો, સૂત્રેા કે સિદ્ધાંતાના સોંગ્રહ એ એક વસ્તુ છે અને ચેતનામાં તે અંકુરિત થઈ પાંગરે તથા તેના ફળ સ્વરૂપ શીલપયવસાયી પ્રજ્ઞા જન્મે તે જુદી જ વસ્તુ છે. ચાગનું રહસ્ય સાધનાથી પૂલે છે; કેવળ ગ્રન્થાના અધ્યયનથી જ્ઞાનની પૂર્ણતા પ્રાપ્ત થતી નથી. ધારા કે જાણી શકાય તે અધુ' તમે જાણી લીધું. પછી પણ તમને જણાશે કે એથીય વધુ મહત્ત્વનું કાંઈક તા જાણવાનુ` હજી બાકી જ છે. વધુ જાણવાની જરૂરિયાત તમને જણાયા જ કરશે; તમે કદીય એના છેડા નહિ મેળવી શકે.
શાસ્રવચનેાના અર્થ કાઢવાની શક્તિ પણ કેવળ ન્યાય-વ્યાકરણના નૈપુણ્યથી નથી પ્રાપ્ત થતી.૩૬ શાસ્ત્રના મસાધનાથી મળે છે—ભાષાજ્ઞાન અલ્પ હાય તાપણું. “ચિ'તનીય વિષયમાં દત્તચિત્ત હાય તેને તેવા એક જ પ્રકારના ઉપયોગને લીધે વસ્તુનુ વાસ્તવિક સ્વરૂપ ભાસે છે. એ જ જ્ઞાન આ યાગમાગમાં ઇષ્ટસિદ્ધિનુ મુખ્ય અંગ છે. એ જ તત્ત્વજ્ઞાન છે અને તે અસત્પ્રવૃત્તિથી નિવૃત્તિ કરાવનારું અને છે.’૩૭
જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય અને હનમેાહનીય કના ક્ષાપશમને અધીન છે; એનુ' નિમિત્ત મળતાં, શ્રુત વિના પણ, જ્ઞાન પ્રગટી નીકળે છે. તત્ત્વજિજ્ઞાસાની જેમ, સાચા જ્ઞાનીની ભક્તિબહુમાનાદિથી તેમ જ સુધાગ્ય ગુરુની સમર્પિત ભાવે ઉપાસના श्रुताभावेऽपि भावेऽस्याः ( शुश्रूषायाः ) शुभभावप्रवृत्तितः । फलं कर्मक्षयाख्यं स्यात्पर बोधनिबन्धनम् ॥
૩૮
૩૪.
૩૫.
.
૩૭.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-ગ્રંથ
૩૮.
—યાગદષ્ટિસમુચ્ચય, શ્લોક ૫૪.
समलो न विजानीते, मोक्षमार्गं यथास्थितम् । मलक्षये पुनस्तस्य मोक्षमार्गों यथास्थितः ॥ ચત્ર તત્ર સ્થિતાવિ, ડાઢેલ પ્રજ્ઞાાતે । —ઉપમિતિભવપ્રપ’ચા કથા, પ્ર. ૮, શ્વે. ૯૦૭–૪.
આ( ન્યાય-ન્યાકરણ )ના અધ્યયન પાછળ મુમુક્ષુએ સમય અને શક્તિ કેટલા ખરચવાં આવશ્યક ગણાય ? મૂળ ધ્યેયની અપેક્ષાએ શાસ્ત્ર એ પણુ સાધન છે, ભાષા—ન્યાય—માક રણનું અધ્યયન તા એ સાધનનું પણુ સાધન માત્ર છે; શાસ્ત્રવચનેને સમજવા માટે તેના ઉપયાગ છે. જિંદગીનાં અમૂલ્ય વર્ષાં કેવળ આ અધ્યયનમાં ખર્ચાઈ જાય અને સાધકજીવનમાં ઉપયાગી ખબતાનુ –સાધનાનાં અંગાનુ જ્ઞાન મેળવવા માટે પછી અવકાશ ન રહે તેા, એ સાધકજીવનની કેવી કરુણુતા ગણાય !
" तग्गयचित्तस्स तहोवओगओ तत्तभासणं होइ । एवं एस्थ पहाणं अंगं खलु इट्ठसिद्धीए ॥
एयं खु तत्तनाणं असष्यवित्तिविणिवित्तिसंजणगम् । " —યાગશતક, ગાયા ૬૫,
*
प्रस्तुतबुद्धिधनानां उचितान्नपानादिसम्पादनपादधावन ग्लानावस्थाप्रतिजागरणादिरूपया भक्त्या, चिन्तारत्नकामदुघादिवस्तुभ्योऽपि समधिकादुपादेयपरिणामात् ( बहुमानतः ), एतेषामेव बुद्धिमतां अद्वेषाद् (अमत्सराद् ईर्ष्यापरिहारलक्षणात् ), प्रशंसातव बुद्धिर्जायते ।
""
—ઉપદેશપદ, ટીગ્રા ગાયા ૧૬૨.
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૦૧
મુ. શ્રી અમરેન્દ્રવિજયજી જ્ઞાન અને સ્વાનુભૂતિ –એક વિચારણા કરવાથી પણ જ્ઞાનપ્રાપ્તિ થાય છે.
આંતરિક નિર્મળતામાંથી જન્મતી આંતર સૂઝ વડે સાધક એગ્ય ગુરુને પારખી શકે છે. જે ગુરુએ પતે શાસ્ત્રનું રહસ્ય મેળવ્યું હોય અને મનઃશુદ્ધિ તથા ચિત્તધૈર્ય માટેની સાધનામાંથી પસાર થઈને અનુભવ પ્રાપ્ત કર્યો હોય, તે પિતાના અનુયાયી વર્ગને સ્વાનુભૂતિજન્ય યથાયોગ્ય માર્ગદર્શન આપી શકે છે. એવા સમર્થ ગુરુનાં ૩૯ ચરણ પકડનાર શિષ્ય, પિતાને વિશેષ જ્ઞાન ન હોવા છતાં, સરળતાથી આત્મવિકાસ સાધી શકે છે.
આ બધું સ્મૃતિમાં રાખી સાધક શ્રુતજ્ઞાનાર્જનની પ્રવૃત્તિ કરે. ટૂંકમાં, શ્રતને મુખ્ય હેતુ ચિત્તવૃત્તિઓમાં પરિવર્તન લાવવાનું છે, એ મૂળભૂત વાત એ ન વીસરે. યુતની મર્યાદા
શ્રતથી–વાચન, શ્રાવણ કે શાસ્ત્રાધ્યયનથી–આત્માનું પક્ષ જ્ઞાન મેળવી લઈ એ જ પ્રાપ્તવ્ય છે અને તે (આત્મા) સિવાયનું બીજું બધું–રિદ્ધિ સિદ્ધિઓ કે શક્તિઓ એ બધું–માથા ઉપરથી ઉતારેલ વાળ કે આંગળીથી જુદા કરેલા નખ તુલ્ય અસાર છે, એ વિચાર સ્થિર કરે એ અધ્યયનનું પ્રથમ કાર્ય છે.
એ પછીની જ્ઞાનની બીજી ભૂમિકા છે મુક્તિમાર્ગની સ્પષ્ટ સમજણ, જ્ઞાનયોગ, કર્મગ, ભક્તિગ, રાજગ, લયયોગ આદિ વિવિધ સાધના-પદ્ધતિઓ અને તે સાથે ચિત્તની એકાગ્રતાની કેળવણી અર્થે ઉપયોગમાં લેવાતી અન્ય પ્રવૃતિઓનું–જેવી કે જપ, નાદાનુસંધાન, શ્વાસોશ્વાસનું નિરીક્ષણ, ચિત્તમાં ઊઠતા વિચારપ્રવાહનું તટસ્થ અવલોકન વગેરેનું–જ્ઞાન સંપાદન કરી, પિતાની પ્રકૃતિ, સંગે અને સામર્થ્યને અનુરૂપ પ્રક્રિયા શોધી કાઢવી એ આ ભૂમિકાનાં શ્રવણ-વાચન-શાસ્ત્રાભ્યાસનું લક્ષ્ય હોય. શ્રવણું, ચિંતન અને વિમર્શ દ્વારા મુમુક્ષુ જ્ઞાન અને ક્રિયાના હાર્દ સુધી પહોંચે છે. અંતિમ ધ્યેય સુધી પહોંચાડનાર સાધનામાર્ગોમાંથી છેવટ કઈ એકનું પણ અબ્રાંત દર્શન સાધકે મેળવી લેવું જોઈએ.
આ થઈ બૌદ્ધિક સમજની વાત. અહી શાસ્ત્ર અટકી જાય છે. આત્મતત્તવનું પરોક્ષ જ્ઞાન અને તેની (આત્મતત્વની) પ્રાપ્તિનાં સાધનો તે બતાવી દે છે, શ્રવણ-વાચન અહીં સુધી પહોંચાડે છે; આંગળી ચીંધી માર્ગ બતાવી દે છે; પછીને પંથે આપણે પિતે કાપવાને છે. પછી ચાલવું આપણે રહ્યું, જે સાંભળ્યું, વાંચ્યું તે જીવનમાં અનુભવવું રહ્યું.
આ બંને કાર્ય એકસાથે થતાં રહે છે; જેમ માર્ગ ઉપર થોડું ચાલીએ કે આગળ એક-બે ફર્લીગ સુધીને રસ્તો દેખાતો જાય છે, એટલું આગળ ન વધીએ ત્યાં સુધી એની આગળને માર્ગ દેખાતું નથી. ૩૯. વિતામનોવેશવાનો ગુન.....રસ્તૌતિ
–ગશાસ્ત્ર, ટીકા, પ્રરતાવ ૧૨, બ્લેક પ૩ની અવતરણિકા. ૪૦, व्यापारः सर्वशास्त्राणां, दिक्प्रदर्शनमेव हि । पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ॥ भतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्तिशतेनाऽपि, न गम्यं यद् बुधा जगुः ॥
-જ્ઞાનસાર, અનુભવાષ્ટક, શ્લેક ૨-૩,
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવ ગ્રંથ
આગમ, અનુમાન અને યેાગાભ્યાસ એ ત્રણ વડે પેાતાની બુદ્ધિને કેળવતા સાધક ઉત્તમ તત્ત્વ પામી શકે.૪૧ આગમથી અર્થાત્ અનુભવીએનાં વચનથી જે જાણ્યુ તેને તક દ્વારા વિશદતાથી સમજવા પ્રયત્ન કરવા રહ્યો. સાથે યાગાભ્યાસથી પેાતાના જાતઅનુભવથી એની પ્રતીતિ મેળવતા જવાય તે। અતીન્દ્રિય વસ્તુના નિશ્ચિત જ્ઞાન સુધી પહોંચાય. સિદ્ધાંત( theory)માં જે સાચું સમજાયુ' તેને પ્રયોગાત્મક રીતે ચકાસીને વ્યવહાર (Practice) માં પણ તે સાચું છે એવી પ્રતીતિ મેળવતાં આગળ વધવુ જોઈ એ.
૧૦૨
આગમ અને તકથી જ્ઞાન મળે, પણ તે અધૂરું; એનાથી શંકાઓ અને સંશયા ન ટળે; એ ટળે ધ્યાનજન્ય જાતઅનુભવથી.૪૨
જ્ઞાનપ્રાસિની ભૂમિકાએ
જ્ઞાનની પ્રથમ ભૂમિકામાં સંસારની નિઃસારતા આઘથી સમજાય છે અને તેના નાશના ઉપાયની જાણકારી માટે મુમુક્ષુ શાસ્ત્ર અને ગુરુ અર્થાત્ એ માગે જે પેાતાનાથી આગળ ગયેલા છે તેમના તરફ વળે છે. અર્થાત્ આ ભૂમિકા આગમપ્રધાન છે.
બીજી ભૂમિકામાં શ્રવણ-વાચન સાથે વિચારણા-ચિંતન-મનન છે. આ ભૂમિકામાં તર્કની મુખ્યતા કહી શકાય. એથી અહીં, મુક્તિના ઉપાયાનુ -જ્ઞાન અને કનું– એટલે કે અનુષ્ઠાનનું નિર્મળ, અભ્રાંત જ્ઞાન લાધે છે.
જ્ઞાનની ત્રીજી અવસ્થાથી શ્રવણ-મનન સાથે ચેાગાભ્યાસજનિત જાતઅનુભવ ભળે છે. ચિત્તમાં વિચાર-વમળાના પૂર્વે વહેતા ધેાષ અહીં શાંત થતા જાય છે. અશુભ સ'કલ્પવિકલ્પ આછા રહે છે, અને કકૃત વ્યક્તિત્વ સાથે પેાતાની એકતારૂપ ‘અહું' ઓગળતા જાય છે. ચિત્તમાંથી વિચારને પ્રવાહ એસરતાં અહી શાંતિના-સુખનેઆનંદના અનુભવ થાય છે.
સ’કલ્પ-વિકલ્પની અલ્પતા અને અહં'નું બહુધા અનુત્થાન-આ બેમાં વિકાસ થતાં સ્વાનુભવ માટેની ભૂમિકા તૈયાર થાય છે. પરિણામે, ચેાથી ભૂમિકામાં સ્વાનુભૂતિની કંઈક ઝાંખી (glimpses) મળવા માંડે છે. પછી, કાઈક ધન્ય પળે, આત્માનુ' પ્રત્યક્ષ દર્શન લાધે છે, કે જે જીવન પ્રત્યેની સાધકની દૃષ્ટિમાં ધરમૂળતુ' પરિવર્તન લાવી દે છે; અવળી દિષ્ટ સવળી થઈ જાય છે.
પ્રારંભમાં ક્ષણવાર અને કવચિત્ કદાચિત્ પ્રાપ્ત થતા આ અનુભવ પછીની સાધના દ્વારા વધુ સુલભ (frequent) અને વધુ ટકાઉ થવા અને અંતે સમાધિની એ અવસ્થાતુર્વ્યવસ્થા સહજ દશા ખનવી એ છે અનુભવ પછીની જ્ઞાનની ભૂમિકાએ.
૪૧.
૪૨.
(૧) આમેનાનુમાનેન, યોામ્યાલસેન ચ । ત્રિધા પ્રવચન્દ્રજ્ઞાં, મતે તરવમુત્તમમ્ ॥ --યાગદષ્ટિસમુચ્ચય, શ્લોક ૧૦૧.
(૨) આગમ તે અનુમાનથી, વળી ધ્યાનરસે' ગુણુગેહ રે; કરે જે તગવેષણા, તે પામે નહિં. સંદે રે.
निश्चयोऽतीन्द्रियार्थस्य, योगिज्ञानादृते न च ।
——શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ છે, ગાથા ૧૩. —યાગદષ્ટિસમુચ્ચય, શ્લોક ૧૪૧.
Page #15
--------------------------------------------------------------------------
________________
મુ. શ્રી અમરેન્દ્રવિજયજી ! જ્ઞાન અને સ્વાનુભૂતિ—એક વિચારણા
આપણી સાધનાનું લક્ષ્ય
આમ ક્રમશઃ સાધના કરતાં કરતાં આત્મતત્ત્વનાં અપરાક્ષ દર્શન-સમાપત્તિ૪૩ સુધી પહેાંચવુ' એ આપણી વર્તમાન ભૂમિકાનું લક્ષ્ય અનવું જોઈએ.
હા, એ માટે આપણા “ અહુ` ''ને—આપણું કકૃત વ્યક્તિત્વ, જેને મહિષ પત’જલિ ‘ અસ્મિતા' કહે છે તેને—એગાળતાં રહેવુ જોઈ એ.
કકૃત ભાવામાં ‘હું’ બુદ્ધિ થવી એ મેહની જડ છે; એને અધીન જ મેાહની આખી માજી નભે છે.૪૪
કકૃત જે અવસ્થાઓ છે, તેમાં ‘હું' બુદ્ધિ ન થવી એ જાગૃતિ માગે છે. સ્વાનુભવ વિના નિત્યના જીવનવ્યવહારમાં આવી જાગૃતિને ટકાવી રાખવી એ કપરું કાય છે. કેવળ બૌદ્ધિક પ્રતીતિથી દેહાત્મબુદ્ધિ ટળવી અસંભવપ્રાયઃ છે. એને માટે નિર્વિકલ્પ અવસ્થામાં આત્માનુભવ મેળવવા રહ્યો.
જેમ શિલ્પી પાતે ધારે તે ટાંકણું ઉપાડી શકે છે અને પેાતાની ઇચ્છાનુસાર તેના ઉપયાગ કરી પછી ઇચ્છે ત્યારે તેને ખાજુએ મૂકી શકે છે, તેમ મુમુક્ષુ પેાતાના મનરૂપી સાધનના પાતે ધારે ત્યારે અને તેટલે વખત ઉપયાગ કરી શકે અને ઇચ્છે ત્યારે એને માજુએ મૂકી શકે એવી સ્થિતિ હોવી જોઈ એ. એમાં જ્યારે એ પૂર્ણ સફળ થાય અને મનને તદ્દન સ્થગિત-શાંત કરી દે—ભલે એવી સ્થિતિ ક્ષણભર જેટલી હાય—ત્યારે સ્વાનુભૂતિજન્ય આત્મજ્ઞાન એને લાધે,
૧૦૩
શુષ્ક જ્ઞાન
તે વિના, “ હું આત્મા....શુદ્ધ, બુદ્ધ, નિરંજન શું” એવી વાતે માત્ર પેાપટપાઠ છે.૪પ એની સ્થિતિ હાટલના વેઈટર (પરસણિયા) જેવી છે. કાઈ અદ્યતન ઢખની હૉટલમાં યેાજાયેલ પાટીમાં, કડક ઇસ્રીબંધ, ઊજળાં દૂધ જેવાં વસ્ત્રોમાં સજ્જ વેઈટરો ’ દૂધપાક પીરસી રહ્યા હાય કે મધુર સેાડમવાળી વિવિધ વાનગીઓની રકાખીએ (dishes) લઈ ને દોડાદોડ કરતા હાય તે જોઈ અબૂઝ ભિખારીને એમની સ્થિતિ ધૃહણીય–ઇચ્છવા યોગ્યલાગે, પણ એમના અંતરમાં ડોકિયુ' કરી શકનાર, પાટીમાં દૂધપાકના આસ્વાદ માણુતા, —યાગદષ્ટિસમુચ્ચય, ટીકા, શ્લાક ૬૪.
૪૩.
समापतिर्ध्यानतः स्पर्शना ।
૪૪.
૪૫.
ये कर्मकृता भावा: परमार्थनयेन चात्मनो भिन्नाः । तत्रात्माऽऽत्माभिनिवेशोऽहङ्कारोऽहं यथा नृपतिः ॥ useमानौ सेनान्यौ तौ च तत्सुतौ । यदायत्तः सुदुर्भेदो मोहव्यूहः प्रवर्तते ॥
— તત્ત્વાનુશાસન, અધ્યાય ૧, શ્લોક ૧૫, ૧૩,
(१) जौं लौं मन थिर होत नहीं छीन, जिम पीपरको पान; वेद भन्यो पण शठ ( मूर्ख), पोथी थोथी जाण रे. घटमें प्रगट भयो नहीं, जौं लौं अनुभवज्ञान.
(૨) અવયવ સવિત સુંદર હાયે હું, ગ્રંથજ્ઞાન અનુભવ વિષ્ણુ તેહવુ,
નાકે દીસે ચા; શુક્ર ત્સ્યિ મુખપાઠો રે.
—ચિટ્ટાન જી મહારાજ.
—ઉપાધ્યાય યશવિજયજી મહારાજ,
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહેાત્સવ-ગ્ન થ
સહૃદયી મહેમાનાને તે તેમની (વેઈટરાની) સ્થિતિ દયામણી જ લાગેઃ બિચારા મણઅંધ દૂધપાકની હેરફેર કરતા હેાય પણ એને પેાતાને તા એ દૂધપાકના સ્વાદ નસીમમાં જ નહિ ! જ્ઞાનીની નજરે એવી જ કરુણ સ્થિતિ છે શુષ્કજ્ઞાનીની.૪૬
શ્રુતના રસાસ્વાદ માટે અનુભવરૂપ જીભ જોઈએ;૪॰ બુદ્ધિની કડછીથી એના રસના આસ્વાદ ન મળે; એથી તેા માત્ર શ્રુતની હેરફેર જ થાય.
અનુભવ
શ્રુત એ જ્ઞાનના પડછાયા છે. પડછાયા કામ ન કરી શકે; કાય કરનાર તેા પડછાયાનુ ઉર્દૂભવ સ્થાન-અનુભવ-જ છે. અનુભવનું વચન એ આગમ છે. શાસ્ત્રા અનુભવમાંથી જન્મ્યાં છે, શાસ્રવચનો પાછળ અનુભવનુ ખળ છે, તેથી તે શ્રદ્ધેય, આદેય અને અનુસરણીય બન્યાં છે. એકલાં વચન પકડીએ તેથી એનેા આત્મા-શ્રુતનું રહસ્ય-ન પમાય. પડછાયાને પકડવાથી એનાં હલનચલન ઉપર કાબુ નથી મેળવી શકાતા, પડછાયે જેના છે તેને પકડા તા પડછાયા આપેાઆપ પકડાઈ જાય છે.
નિજાનંદના એક વાર—ભલે ક્ષણભર પણ—અનુભવ મળવા જોઈ એ. નિજના નિરતિશય આન ંદ મેળવ્યા પછી વિષયા (ઇન્દ્રિયાનાં ભેગા) યથાપણું નીરસ લાગે છે,૪૯ અને સ પુદ્ગલ-ખેલ ઇંદ્રજાળ સમ સમજાય છે. આવા આત્મજ્ઞાનીને મન જગતના બનાવેાનું મહત્ત્વ સ્વપ્નના બનાવાથી કંઈ અધિક રહેતું નથી.૫૦
બૌદ્ધિક પ્રતીતિ વિચારમાંથી જન્મે છે; પણ વિચાર પેાતે જ અવિદ્યા ઉપર નિર્ભીપ
૪.
૪૭.
. ૪૮.
૪.
૫૦.
૫૧.
रसभाजनमें रहत द्रव्य नित, नहि तस रस पहिचान;
तिम श्रुतपाठी पंडितकुं पण, प्रवचन कहत अज्ञान रे. घट प्रगट भयो नहीं, जौं लौं अनुभवज्ञान.
—ચિદાનંદજી મહારાજ,
केषां न कल्पनादव शास्त्रक्षी गन्नगाहिनी । विरलास्तद्रसास्वादविदोऽनुभव जिह्वया ॥ —જ્ઞાનસાર, અનુભવાષ્ટક, શ્લોક પ. दृढाज्ञानमयीं शङ्कामेनामपनिनीषवः । अध्यात्मशास्त्रमिच्छन्ति, श्रोतुं वैराग्यकाङ्क्षिणः ॥ दिशः प्रदर्शकं शाखा - चन्द्रन्यायेन तत्पुनः । प्रत्यक्षविषयां शङ्कां न हि हन्ति परोक्षधीः ॥ श्रुत्वा मत्वा मुहुः स्मृत्वा, साक्ष दनुभवन्ति ये । तत्वं न बन्धधीस्तेषः- मात्माऽबन्धः प्रकाशते ॥ —અધ્યાત્મસાર, પ્રસ્તાવ ૬, શ્લાક ૭૪, ૧૭૫, ૧૦૭. (૧) પાચરર્શન તમાસ્કૃતી૧ (તારિયમ્। —Àગદષ્ટિસમુચ્ચય, ક્લેક ૬૯. (૨) ન ચ અરષ્ટાત્મતત્ત્વય, દૃષ્ટ×ાંતિનિવર્તતે । -અધ્યાત્માપનિષદ્, જ્ઞાનયોગ, શ્લોક ૪ (૧) આતમન્નાને મગન જો, સા સખ પુદ્ગલ ખેલ;
ઇન્દ્રજાળ કરી લેખવે, મીલે ન તિહાં મનમેલ.
—સમાધિશતક.
(૨) બાહ્મજ્ઞાને મુનિમેન, સર્વ વુદ્ઘનિશ્રમમ્ । મહેન્દ્રગાનàત્તિ, નૈવ તત્રાનુ યંતે ॥ -અધ્યાત્માપનિષદ્, જ્ઞાનયેાગ, શ્લાય ૬.
विकल्पकल्पनाशिल्पं, प्रायोऽविद्याविनिर्मितम् ।
ટીા——- વિશ્વના: ''શુવિા કાર્ય વિરુપાર્શ્વ, તેષાં ૫નાવું શિષ, ‘ પ્રાયો ’યાક્રુજ્યેન, ક્ષત્રિયાવિનિર્મિત ' જ્ઞાનાવરણીયામિસંવર્જનિતમ્ । --ાત્રિ શદ્ાત્રિંશિકા, ૨૩, શ્લોક ૬.
'
Page #17
--------------------------------------------------------------------------
________________
. શ્રી અમરેન્દ્રવિજયજી જ્ઞાન અને સ્વાનુભૂતિ–એક વિચારણા
૧૫ છે; એટલે વિચાર શાંત થાય ત્યારે જ અનુભવ મળે.૫ર મનની ઉપશાંત અવસ્થા કે તેને નાશ એ ઉન્મની અવસ્થા છે. અને ઉન્મની અવસ્થામાં અનુભવ મળે છે. માટે આત્મજ્ઞાનની–અનુભવની પ્રાપ્તિ ઇછતા મુમુક્ષુએ પ્રથમ ચંચળ ચિત્તને પિતાની ઈચ્છાનુસાર પ્રવર્તાવવાનું સામર્થ્ય મેળવવું રહ્યું પછી એકાગ્ર બનેલ એ ચિત્તને આત્મવિચારમાં જેડી એને નાશ કરે જોઈએ.૫૩ મેહનાશને આ અમેઘ ઉપાય છે.૫૪ શું વર્તમાન કાળે આત્માનુભવ મેળવી શકાય?
અને સ્વાનુભૂતિ આ જીવનમાં ન જ મળે એવું નથી; આપણા નિકટના કાળમાં થઈ ગયેલ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી માનવિજયજી વાચક, મહાયોગી આનંદઘનજી અને ચિદાનંદજી મહારાજે પિતાને અનુભવ પ્રાપ્ત થયાના સ્પષ્ટ ઉલ્લેખ કર્યા છે – - (૧) “મારે તે ગુરુચરણ પસા, અનુભવ દિલમાં પેઠે;
ઋહિં વૃદ્ધિ પ્રગટી ઘટમાંહી, આતમ રતિ હુઈ બેઠો રે.. "પપ
–ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૩ (૨) “અજિત જિનેસર ચરણની સેવા હેવાએ હું હળીઓ;
કહીએ અચાને પણ અનુભવ-રસને ટાણે મીલીયે.
પર. (૧) નારિસ્થવિસ્તરતુચવાનુમો રા. –અધ્યાત્મપનિષદ્, જ્ઞાનેગ, શ્લોક ૨૪.
(२) नष्टे मनास समन्तात्, सकले विलयं च सर्वतो याते ।
निष्कलमुदेति तत्त्वं, निर्वातस्थायि दीप इव ॥ टीका-नष्टे भस्मछन्नाग्निवत्समन्ततस्तिरोहिते मनसि । तथा सह कलाभिश्चि तास्मृत्यादिरूपाभितते यत्तत्सकलं तस्मिन् जलप्रवाहालावितवहनिवद्विलयं क्षयमुपगते सति तत्वमात्मज्ञानरूपं निष्कलं કર્મઠાવિનિમ્મુ તિ
–યોગશાસ્ત્ર સટીક, પ્રસ્તાવ ૧૨, લેક ૩૬. ૫૩.
“ विक्षिप्ताच्चेतसः स्वाभाविकाद्यातायातं चित्तमभ्यस्येत् , ततोऽपि विश्लिष्टं, ततोऽपि च सुलीनं, एवं पुनःपुनरभ्यासान्निरालम्बं ध्यानं भवेत् । ततः समरसभावप्राप्तेः परमानन्दमनुभवति ।"
–ોગશાસ્ત્ર, પ્રકાશ ૧૨, શ્લેક ૫, ટીકા. (ચિત્તની વિક્ષિપ્તાદિ અવસ્થાઓનું વર્ણન લેક ૩-૫ માં કર્યું છે.) ૫૪. (૧) શારંવૈપાર્થ, ચા ન ક્રિવિચિન્તા !
अनुपनतेन्धनवहूनिवदुपशान्तं स्यात्तदा चेतः ॥ शान्ते मनसि ज्योतिः प्रकाशते शान्तमात्मनः सहजम् । भस्मीभवत्यविद्या, मोहध्वान्तं विलयमेति ॥
–અધ્યાત્મસાર, અનુભવાધિકાર, બ્લેક ૧૭, ૧૯ (૨) જીવઘાવિયા સોનિયપત્ર(અ) મન:સંતા
ગમનલ્ટ ટે નરથતિ સર્વગ્રાળ છે –ગશાસ્ત્ર, પ્ર. ૧૨ કલેક ૪૦. ૫૫. (૧) “જિનગુણુ ચંદ કિરનસુ:ઉમ, સહજ સમુદ્ર અથાગ; થાતા ય ભયે દાઉ એકહ, મીટ ભેદ કે ભાગ.”
–ઉપાધ્યાય યશોવિજયજીઃ ચન્દ્રભજિનસ્તવન.
૧૪
Page #18
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ પ્રભુની મહેર તે રસ ચાખે, અંતરંગ સુખ પામ્યો; માનવિજય વાચક ઈમ જપે, હુ મુજ મન કામે.”
– અજિતનાથ જિનરતવન (ઉપાધ્યાય શ્રી માનવિજયજીકૃત વીસી) “ અવધુ અનુભવ કલિકા જાગી, મતિ મેરી આતમ સમરન લાગી... અનુભવરસમેં રેગ ન શગા, લકવાદ સબ મેટા; કેવળ અચલ અનાદિ શિવશંકર ભેટા. અવધુ૩ વર્ષાબુંદ સમુદ્ર સમાની, ખબર ન પા કોઈ આનંદઘન વહૈ તિસભાવે, અલખ કહાવે ઈ. અવધુ ૪
-આનંદધનજી મહારાજ, અનુભવ તિ જગી છે એ અમારે છે,
અનુભવ તિ જગી છે. –ચિદાનંદ બહેતરી, પદ ૫૫. આજે પણ એવી વિરલ વ્યક્તિઓ નહિ હોય એમ નહિ, એમને પારખવાની દષ્ટિ જોઈએ. જે એમણે મેળવ્યું તે આપણે પણ મેળવી શકીએ છીએ; જરૂર છે એ માટેના રોગ્ય દિશાના પુરુષાર્થની. સાધના અને પ્રેરણા
પ્રથમ તે નિધાન આપણી પાસે જ પડયું છે, એનું ભાન થવું જોઈએ. અને પછી એના સાધનનું જ્ઞાન મેળવી એની સાધનામાં લાગી જવું જોઈએ. સાધન છે સ્થિરતા. સ્વાનુભવ માટે પ્રગાઢ શાંતિમાં સ્થિત થવું જોઈએ. પાત્રની સ્થિરતા વિના તેની અંદરની વસ્તુ સ્થિર ન થઈ શકે, માટે આત્મદ્રવ્યની સ્થિરતા આવે તે પહેલાં શરીર અને મન સ્થિર થયેલાં હોવાં જરૂરી છે. તેથી મનરોધને અભ્યાસ આવશ્યક થઈ પડે છે. સ્વાનુભૂતિ અને સમયકત્વ સંકળાયેલાં છે.૫૭ (૨) ગુરુપ્રસાદ આતિમરતિ પાઈ, તમે મન ભયે લીન; ચિદાનંદધન અબ હુઈ બેઠે, કાહુકે નહિ આધિન. ૧
ઘટ પ્રગટી સવિ સંપદા હે. ઈન્દ્રાણું સમતા પવિ ધીરજ, જસ ઘટ જ્ઞાન વિમાન; જબ સમાધિ–નંદનવનમેં ખેલે, તબ હમ ઇન્દ્ર સમાન. ૨ ચિંતામણિ સુરતરુ સુરધેનુ, કામકલશ ભયે પાસ; અષ્ટ મહાસિદ્ધિ નવ નિધિ નિરખે, આપમેં આપ વિલાસ. ૧૨ વાચક જસવિજયે ઈમ દાખી, આતમ સાખિ સહિ;
ભાખી સદ્દગુરુ અનુભવ ચાખી, રાખીયે કરી ધનવૃદ્ધિ. ૧૫ वत्स! कि चञ्चलस्वान्तो भ्रान्त्वा भान्वा विषीदसि ।
નિધિ સ્વનિ ધોવેવ સ્થિરતા ચિષ્યતિ || -જ્ઞાનસાર, સ્થિરતાઅષ્ટક, કલેક ૧. ૫૭. (૧) સમતિ દ્વારા ગભારે સિતાં છે,
ભૂંગળ ભાંગી આ કષાયની છે, મિથ્યાત્વમેહની સાંકળ સાથ રે; બાર ઊધાથી શમસંગનાં જી, અનભવ ભવને પેઠે નાથ રે.
Page #19
--------------------------------------------------------------------------
________________
સુ. શ્રી અમરેન્દ્રવિજયજી : જ્ઞાન અને સ્વાનુભૂતિ—એક વિચારણા
છે
જ્ઞાન સહિત ક્રિયા એટલે જે ક્રિયામાં શ્રુત ઉપરાંત પેાતાની આત્માની સ્વાતુભવજન્ય પ્રતીતિ ભળી હાય તે.૫૮ એવા જ્ઞાની શ્વાસેાશ્વાસમાં એટલી કનિરાકરી શકે જે અજ્ઞાની પૂર્વ ક્રોડ વર્ષ સુધીમાં પણ માંડ કરે. આવી વિપુલ કનિ રા કરાવી આપનાર એવું જ્ઞાન મેળવવા પ્રત્યે ઉદાસીન રહેનાર મુમુક્ષુના સંવેગ તીવ્ર ગણાય ખરી ?
*
જે જ્ઞાન વિના વિપુલ શ્રુતજ્ઞાન પણ “તૂ હું...” જ રહે છે, એ અનુભવજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રત્યેક મુમુક્ષુને કેવુ આકણુ હાય ! અને તેમાંયે આત્મસાધના કાજે જ જેણે ભેખ લીધે। તેને તા એની પ્રાપ્તિ માટે કેવી તાલાવેલી હાય ! તે શું માત્ર શાસ્ત્રજ્ઞાનથી સતાષ માની નિરાંત અનુભવી શકે ખરા ?પ૯
ભાવી ગણધરના આત્માના ધર્મગુરુ થવાનું સૌભાગ્ય જેમને સાંપડયુ' છે, તે “ કલિકાલસર્વજ્ઞ ’” આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે વિવેકશીલ મુમુક્ષુને સ્વાનુભવપૂ જે સલાહ આપી છે, અને ભાવી ગણધર થનાર આત્માએ જેનું અનન્ય ભાવે અનુસરણ કર્યુ. છે, તે આપણે અહી જોઈશું? આ રહી તે સલાહ :
“ જે કઈ દુઃખ છે તે આત્મજ્ઞાન રહિતને છે. આત્માનાં અજ્ઞાનજનિત તે દુઃખ અજ્ઞાનના પ્રતિપક્ષી આત્મજ્ઞાનથી શમે છે, નાશ પામે છે; જેમ પ્રકાશથી અધકાર.”
“કનો ક્ષય તા તપથી થાય, તેા પછી આત્મજ્ઞાનને આટલુ મહત્ત્વ શા માટે ? ” —એ શંકાનુ નિરસન કરતાં તેઓ કહે છે કે “ ખીજાં અનુષ્ઠાનેાની વાત તે દૂર રહી, જેને તમે નિરાનું મુખ્ય કારણ કહેા છે તે તપથી પણુ, આત્માના અજ્ઞાનમાંથી જન્મેલ (૨) પાતાને અનુભવ લાધ્યાના ઉદ્ગારની સાથે ઉપાધ્યાય શ્રી યરવિજયજી મહારાજ
૧ર.
પર.
}..
૧.
કહે છે
ઉગ્યે સમકિત રવિ ઝલહલતા, ભરમતિમિર વિનાઠો.
...
હરબ્ય। અનુભવ જોર હતા જે માઠુમક્ષ જંગલૂ ડૉ, પરિપરિ તેહના મ દેખાવી, ભારે કીધા ભેડે રે. અનુભવગુણુ આવ્યા નિજ મ ંગે, મિથો રૂપ નિજ માટે,
—શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૨.
अधिगत्याखिलं शब्दबह्म शास्त्रशा मुनिः । स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाऽधिगच्छति ॥
...
...
(
આતમ દરિસણુ જેણે કર્યું, તેણે સૂંદો ઢાંકયો) ભવભવકૂપ રે. ક્ષણુ અંધે જે અધ લે, તે ન લે ભવની કાડી હૈ, તપસ્યા કરતાં સ્મૃતિ ધણી, નહિ દાન તણી છે તેડી રે.
—શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૭, ૩૭–૩૮.
—જ્ઞાનસાર, અનુભવાષ્ટક, શ્લોક ૮.
કુમારપાળ મહારાજાના.
t
या शात्रा सुगुरोर्मुखादनुभवाश्चाज्ञायि किञ्चित् क्वचित्, योगस्योपनिषद्विवे कि परिषश्चेतश्व मरकारिणी । श्री चौक कुमारपालनृपतेरत्यर्थमभ्यर्थना-दाचार्येण निवेशिता पथि गिरां श्रीहेमचन्द्रेण सा ॥ સીા—અનુમવાન્ન = નસંવનવાસ । -~યાગશાસ્ત્ર, પ્રસ્તાવ ૧૨, શ્લાય પત્ર,
Page #20
--------------------------------------------------------------------------
________________ 108 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણ મહત્સવ-2ધ દુઃખ આત્મવિજ્ઞાનવિનાનાઓથી છેદી શકાતું નથી, કારણ કે જ્ઞાન વિનાના તપનું ફળ નહિવત છે.” : “માટે, બીજી બધી આળપંપાળ મૂકી દઈને રત્નત્રયના પ્રાણભૂત આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ. અને...સ્વાનુભૂતિનું જ નામ આત્મજ્ઞાન છે; આત્મજ્ઞાન એ એનાથી જુદી કઈ ચીજ નથી.”૬૨ અને તે (અનુભવ) અસંભવિત છે એવુંયે નથી. જાતની કીતિ કે યશોગાથાની ખેવના જેવી પિતાની ક્ષુદ્ર કામનાઓની તૃપ્તિ માટે જેટલી મહેનત માણસ કરે છે, તેના કરતાં આ પ્રયાસ વધારે મુશ્કેલીભર્યો નથી. આમાં તે પોતાના મન જોડે જ યુદ્ધ કરવાનું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના "gi ગિળેઝ અપાળ, સમે વરણી નમો’ 63 એ સૂત્રને પિતાને જીવનમંત્ર બનાવી દઈ સર્વત્ર વીખરાયેલી પિતાની ચિત્તવૃત્તિઓનો નિરોધ કરી, ચિત્તને એકાગ્ર કરવાને અભ્યાસ રાખવાને છે,”૬૪ જેથી ઈચ્છાનુસાર તેને સ્વરૂપમાં જોડી શકાય અને, ત્યાં એને લય કરવા દ્વારા, આત્માનું અપક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા લાધે. પ્રારંભમાં એ કામ નીરસ અને નિષ્ફળ લાગે છે, પણ સંકલ્પબળને આધાર લઈને, અનેક વારની નિષ્ફળતાઓને અવગણીને, ખંત અને વણથંભ્યા અથાક પ્રયત્નથી તેને જ કાબુમાં લેવાનું છે. આ કાર્ય જે પાર ઉતારે છે તેનું જીવન પ્રસન્નતાથી સભર બની રહે છે; માનવજીવનનું ખરું ફળ મેળવી તે કૃતાર્થ બની જાય છે. - “આ માર્ગે જનાર માટે એક ઉત્સાહપ્રેરક હકીકત એ છે કે આ કાર્યમાં સાધકને સદા પિતાની હૃદયગુફામાં બિરાજમાન પરમગુરુ” તરફથી ગુપ્ત રીતે પ્રેરણા, માર્ગ, દર્શન અને સહાય મળતાં જ રહે છે. આ એક નક્કર હકીકત ( fact) છે એ અનુભવ આ માર્ગે ચેડાંક જ પગલાં મૂકનારને થયા વિના નથી રહેતો. પછી તે તેનું કામ એટલું જ રહે છે કે એ અવાજ સાંભળવા સદા સજાગ રહી પૂરી શ્રદ્ધાથી એનું અનુ. સરણ કરવું.”૬૫ અમદાવાદ વિ. સં. 223; 5 5 શુકલા 12, - તા. 23 2-7 62. “મારમાર જમવં સુલતાનને ઇંતે . તરસાડથર વિજ્ઞાનીૌછેતું ન શયતે | टीका-इह सर्व दुःखमनारनविदा भवति, तदात्माज्ञानभवं प्रतिपक्षभूतेनात्मज्ञानेन शाम्यति યમુનયતિ, તમ વ વારો . નનું કર્મક્ષયદેતુઃ પ્રધાન તા 3 .* * યાદૃ, તવરાપિ आस्तामन्येनानु ठानेन तदात्माज्ञानभवं दुःखमाल वेज्ञ नहीनैर्नच्छेतुं शक्यते, ज्ञानमन्तरेण तपसोऽल्पफलत्वात् / .... तत् स्थितमेतत् --- बाद्य विषयव्य मोहमपहाय रत्नत्रयसर्वस्वभूते અરમાને પ્રતિત કર્યું .અજ્ઞાનં 2 ... માનઃ વિટૂચ સ્વસંવેદનમેવ મૃતે, તોડવાના નં નામ " –સટીક રોગશાસ્ત્ર, પ્રકાશ 4, શ્લોક 3. પિતાની જાત ઉપર જય મેળવ, એ તારે પરમ વિજય બની રહેશે. બીજા બધા વિ એની આગળ ફિક્કા લાગશે.” 64-65 “અનામીઉપનામથી લેખકે લખેલ એક લેખ “પાયાનું કામ” (“ધર્મચક', જૂન ૧૯૬૨)માંથી.