________________
જ્ઞાન અને સ્વાનુભૂતિ–એક વિચારણું
લેખકઃ પૂ. આ. ભ. શ્રી વિજયભસૂરીશ્વરજીના શિષ્ય પૂ. પં. શ્રી ભાનુવિજવછગણિશિષ્ય પૂજ્ય મુનિ શ્રી અમરેન્દ્રવિજયજી
“જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કમનો ખેહ,
પૂવકેડી વરસાં લગે અજ્ઞાની કરે તેહ. ” આમ જ્ઞાનને ઘણે મહિમા શાઓમાં ગવાતે આપણે સાંભળીએ છીએ. પ્રશ્ન એ થાય છે કે જેનું આટલું બધું મહત્ત્વજ્ઞાનીઓ આં કે છે એ જ્ઞાન શી વસ્તુ છે?
શું માત્ર પુસ્તક વાંચી જવાં, ઘણું આગમો કંઠે હવા, કે એમાં ગણાવેલ પદાર્થોના ભાંગા અને ભેદ-પ્રભેદે આંગળીના વેઢે ગણાવી શકાય એવી કુશળતા પ્રાપ્ત કરી લેવી, કે પછી પ્રતિભાસંપન્ન સાહિત્યનું નવનિર્માણ કરવું, એ જ્ઞાની થવા માટે જરૂરી છે? કે જ્ઞાની થવા માટે બીજી પણ કઈ શરતો છે?
એક રીતે જોઈએ તે, જગતમાં આજે વિજ્ઞાન, વાણિજ્ય, કલા, તત્વજ્ઞાન આદિ ભિન્નભિન્ન ક્ષેત્રે ઘણું જ્ઞાન ભેગું કરતી અનેક વ્યક્તિઓ આપણને જોવા મળે છે.
અર્વાચીન વિજ્ઞાન માત્ર એક માખીના જ એટલા બધા પ્રકારો બતાવે છે, કે માણસ એ બધાનું–તેની ટેવ, સમૂહવ્યવસ્થાદિનું–અધ્યયન કરે તો આખી જિંદગી પૂરી થઈ જાય. અરે! ફક્ત કોબીની એક જાતો ગણવે છે વનસ્પતિશાસ્ત્ર અને વિજ્ઞાનની આવી ૧. વં સનાળી જમ્મ, વેદ્ વદુચારું વાક્યોતિર્દિ तं नाणी तिहिं गुत्तो, स्रवेइ उसासमेत्तेण ॥
–શ્રી બૃહત્કલ્પભાષ્ય, ખંડ ૨. ઉદ્દેશ ૧, ગાથા ૧૧૭૦. क्रियाशून्यं चय ज्ज्ञानं, ज्ञानशून्या च या क्रिया । अनयोरन्तरं क्षेये, भानुखद्योतयोरिव ॥
–જ્ઞાનસાર, પ્રશસ્તિ, લૅક ૧૧,
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org