________________
ગુણસ્થાનકની પૂર્વે યોગની પૂર્વસેવા સ્વરૂપ યોગના ઉપાય હોય છે. પાંચમા દેશવિરતિગુણસ્થાનથી આરંભીને સાનુબંધ (ઉત્તરોત્તર વધતી) યોગની પ્રવૃત્તિ જ હોય છે. આ પ્રમાણે વાસ્તવિક યોગશાસ્ત્રની મર્યાદા છે. ૧૮-૩૧.
પ્રકરણાર્થનું સમાપન કરતાં યોગનું ફળ વર્ણવાય છેभगवद्वचनस्थित्या, योग: पञ्चविधोऽप्ययम् । सर्वोत्तमं फलं दत्ते, परमानन्दमञ्जसा ॥१८-३२॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચનમાં સ્થિર થવાથી અધ્યાત્મ, ભાવના... વગેરે પાંચેય પ્રકારનો આ યોગ સર્વોત્કૃષ્ટ પરમાનંદ સ્વરૂપ મોક્ષફળને શીધ્ર આપે છે. અંતે અધ્યાત્માદિ યોગને આરાધી આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એકની એક શુભાભિલાષા....
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां योगभेदद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमानसकन्द्रमतेन धीमता ॥