Book Title: Vishvajyoti Vibhu Vardhaman Mahavir
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Vijaydevsuri Sangh

View full book text
Previous | Next

Page 171
________________ ( ૧૦ ) વિજ્યાતિ એણે વિચાર્યું કે હું એમને પ્રશ્ન પૂછું અને તે મારા મનની શંકાનું સમાધાન કરે તે હું જાણું કે, તેઓ સજ્ઞ છે. આ પ્રકારે તે વિચાર કરતા હતા તે સમયે, ભગવતે તેને સ ંબેધી કહ્યું: અગ્નિભૂતિ! તમને ક`ના અસ્તિત્વના વિષયમાં શંકા છે? અગ્નિભૂતિ—હા. મહારાજ ! કર્મના અસ્તિત્વના વિષયમાં હું શંકાની દ્રષ્ટિથી જોઉં છું કારણ કે વુક્ષ્મ Ë દ્વૈત અગ્નિ સર્વ યમૂતં યજ્ઞ મળ્યું” વિગેરે વેદ શ્રુતિ પુરુષાદ્વૈતનું પ્રતિપાદન કરી રહેલ છે. જ્યારે દ્રશ્ય, અદ્રશ્ય, ખાદ્ય, અભ્યન્તર, ભૂત એવ ભવિષ્યત્ સર્વે પુરુષ જ છે, તા પુરુષથી અતિરિક્ત કાઇ પદાર્થ નથી એવી મારી માન્યતા છે. યુક્તિવાદ પણ કર્મોનું અસ્તિત્વ સિદ્ધ નથી કરી શકતા. કમ વાદીએ કહે છે: “જીવ પહેલાં કર્મો કરે છે અને પછી તે એનુ ફળ ભાગવે છે.” પરંતુ આ સિદ્ધાંત તર્કવાદની કસેાટી પર સિદ્ધ નથી થઈ શકતા. જીવ નિત્ય અર્પી અને ચેતન” મનાય છે. તથા ક` “અનિત્ય” “વી” અને “જ્ઞ૩” છે તે, આ પરસ્પર વિરુદ્ધ પ્રકૃતિવાળા જીવ અને કર્માંના એક બીજાની સાથે સંબંધ કેવી રીતે માન્યા જાય? આફ્રિ અથવા તે અનાદિથી ? જીવ અને કર્મના સંબંધ “ટ્િ” માનતાં તેને અ એ થશે કે, “પહેલાં જીવ કરહિત હતા અને અમુક કાળમાં એને કથી સચેગ થયા.” પરંતુ આ માન્યતા ક સિદ્ધાન્તને અનુકૂળ નથી. ક સિદ્ધાન્તાનુસાર જીવની માનસિક, વાચિક અને શારીરિક પ્રવૃત્તિએ જ, જીવને કર્માંસયાગનું કારણ બને છે. મન, વચન અને શરીર એ સ્વયં ક ફળ છે, કારણ કે પૂર્વ બધિત કર્મોના ઉદયથી જ મન વગેરે તત્ત્વ જીવને પ્રાપ્ત થાય છે. આ દશામાં “અવદ્” જીવ કોઇ પણ પ્રકારે ‘વન્દ્વ” નથી હેાઇ શકતા, કારણ કે એની પાસે ખન્ધકારણ નથી. “જયારે કારણ વિના પણ જીવને કબદ્ધ માન્યે જાય તે, કમુક્ત સિદ્ધાત્માઓને પણ ી કબદ્ધ માનવામાં કોઇ આપત્તિ નહિં ડાય.” આ પ્રકારે કમ વાદીઓનુ “મોક્ષ” તવ નામ માત્ર રહી જશે. વસ્તુત: કાઇ પણ આત્મા મુક્ત ઠરશે જ નહિ. આથી “શ્રદ્ધ” જીવને વૃદ્ધ માનવા દોષાપત્તિપૂર્ણ છે. જીવ અને કર્માંના અનાદિ સંબંધ પણ સંગત નથી હોઇ શકતા. કારણ કે, જીવ અને ક્રના સંબંધ અનાદિ મનાશે તે તે, આત્મસ્વરૂપની માફક નિત્ય પણ થશે અને નિત્ય પદાર્થના કદીએ નાશ નહેાતાં કયારે પણ કર્મ મુક્ત નહિ થાય. જ્યારે જીવની કર્માંથી મુક્તિજ નથી તેા, તે એના માટે પ્રયત્ન જ શા વાસ્તે કરશે? મહાવીર—મહાનુભાવ અગ્નિભૂતિ ! તમારી આ દલીલેથી જ સ્પષ્ટ થાય છે કે તમે વેદવાકયના વાસ્તવિક અર્થ નથી સમજ્યા. “વુક્ષ્મ વૈર” આ શ્રુતિવાકય પુરુષાદ્વૈતનું અહીં અધિક મહત્વ નથી પરંતુ આ એક શ્રુતિવાકય છે. અગ્નિભૂતિ—આ શ્રુતિવાકયને સ્તુતિવાકય કેમ માની શકાય અને “વુષાદ્વૈતલાપ" કેમ નહિ ? મહાવીર—પુરુષાદ્વૈતવાદ દ્રષ્ટાપલાપ અને અદ્રશ્ય કલ્પનાદોષોથી દૂષિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198