Book Title: Vishvajyoti Vibhu Vardhaman Mahavir
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Vijaydevsuri Sangh

View full book text
Previous | Next

Page 177
________________ [૧૬] વિશ્વચેતિ આથી આત્માર્થી મનુષ્યનું કર્તવ્ય છે કે, તે આ સાંસારિક ક્ષણિક સુખમાં ન ફસાઇ આત્મહિતની ચિન્તા કરે. ભગવાને વિસ્તારપૂર્વક જડ ચેતનનું વિવરણ કરીને, આર્ય વ્યક્તની તમામ શંકાઓ દૂર કરી ત્યારે એમણે પણ છાત્રમંડળી સાથે નિગ્રંથ શ્રમણધર્મની પ્રવ્રજ્યા અંગીકાર કરી આત્માને ધન્ય માન્ય. ૫. સુધર્માની દીક્ષા તે પછી મહાવીરે સુધર્માને સંબોધિત કરતાં કહ્યું–સુધર્મન્ ! શું તમે એમ માનો છે કે, પ્રાણીઓ મૃત્યુ પામ્યા પછી પિતાની જ નિમાં ઉત્પન્ન થાય છે? સુધર્મા–હા ભગવંત, વેદવાકય પણ મારા આ વિચારનું સમર્થક છે. શાસ્ત્રમાં કહ્યું છે કે પુણવો હૈ ઉ મરનને પરાવેઃ પશુમ્ ” પુરુષ પુરુષપણું પ્રાપ્ત કરે છે અને પશુ પશુપણું. મહાવીર–એના વિરોધી વાકયે પણ મળે છે તે તમને યાદ છે? સુધર્મા–જી, હા, “ગુiા હૈ પs ના યઃ પુરષો તે” આ વાકયમાં મનુષ્યનું ભવાન્તરમાં શગાળ (શિયાળ) હોવાનું લખ્યું છે. આ પરસ્પર વિરોધી વાકોમાં ભવાન્તરના નિશ્ચયન કંઈ મેળ ખાતો નથી. પરંતુ જ્યાં સુધી હું સમજ્યો છું ત્યાં સુધી, ભવાન્તરમાં પ્રાણિમાત્રનું સમાનત્વ પ્રતિપાદક વેદવાકય જ યુક્તિસંગત માલુમ પડે છે, કારણ કે આ એક ગુંચવાડાભરેલ નિયમ છે કે, કાર્ય હંમેશાં કારણનુરૂપ હોય છે. ઘઉંથી ઘઉંની ઉત્પત્તિ થાય છે; જુવારની નહિ. આવી રીતે મનુષ્ય વિગેરે પ્રાણું મૃત્યુ પછી ફરી મનુષ્ય વગેરે જ હવે જોઈએ. મહાવીર–મહાનુભાવ! તમે કાર્યકારણની વાત કરી તે તે ઠીક છે. અમે પણ એમ માનીએ છીએ કે, કાર્ય કારણનુરૂપ હોય છે, એટલા માટે ઘઉંથી ઘઉં અને જુવારથી જુવાર જ ઉત્પન્ન થવી જોઈએ પરંતુ આ કાર્યકારણના નિયમથી ઍહિક (આ લેકનું) સદશ્ય સિદ્ધ હોઈ શકે છે જન્માન્તરનું નહીં. ઘઉંના દાણાથી નવા ઘઉંની ઉત્પત્તિ થાય છે આ વાત સત્ય છે. પરંતુ એનો અર્થ એમ નથી હોઈ શકે કે, એના કારણરૂપ ઘઉંના વે, એનાથી ઉત્પન્ન થવાવાળા ઘઉંના દાણાએમાં જન્મ લીધે છે. કારણ અને કાર્યરૂપ ઘઉંના દાણાઓમાં ફકત શારીરિક કાર્યકારણું ભાવ હોય છે, આત્મિક નહીં એવા પ્રકારે મનુષ્ય તથા તિર્યંચ આદિમાં પણ શારીરિક કાર્યકારણ ભાવ હોય છે, મનુષ્યથી મનુષ્ય દેહધારી સંતાન હોય છે અને પશુથી પશુ દેહધારી. જે આ નિયમ ન હોય તે મનુષ્યથી પશુ અને પશુથી મનુષ્ય શરીર પણ ઉત્પન્ન થઇ શકત. મહાનુભાવ સુધર્મન્ ! પ્રત્યેક જનુને જીવ જુદો અને શરીર પણ જુદું હોય છે. પૂર્વ શરીર ઉત્તર શરીરનું કારણ હોઈ શકે છે, પરંતુ ઉત્તર ભવનું નહીં. ભવપ્રાપ્તિનું કારણ જીના શુભ અશુભ કર્મ હોય છે. ઉત્તરત્વના શુભાશુભ કર્માનુસાર જીવ ભલી બૂરી ગતિઓમાં જઈ ઉત્પન્ન થએલ હોય છે. એમાં એનું પૂર્વજવિક શરીર કંઈ પણ અસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198