Book Title: Virvijayjigani
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 3
________________ 378 શાસનપ્રભાવકે દીક્ષા પછીના પ્રથમ વર્ષે જ શ્રી રામવિજયજી મહારાજને તેમણે વ્યાખ્યાન કરવાને આદેશ આપ્યું. અને વ્યાખ્યાન સાંભળીને પીઠ થાબડતાં કહ્યું કે, “તુ અચ્છા વ્યાખ્યાતા હેગા.” આ ભવિષ્યવાણી એટલી બધી સટ પુરવાર થઈ કે એમનાં મૂર્તિમંત ઉદાહરણ રૂપે આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું ચારિત્ર સાક્ષભૂત છે. આવા ચમત્કારે પછી તાબડતોબ ત્યાંથી વિહાર કરી જતા ! જમ : સં. 1908 : પડવા ગામ (ભાવનગર). દીક્ષા : સં. 1935 અંબાલા (પંજાબ). ઉપાધ્યાયપદ : સં. 1957 (પાટણ). સ્વર્ગવાસઃ સં. 1975 (ખંભાત). (સંકલન : “શ્રી દાન–પ્રેમ વશવાટિકા માંથી સાભાર.) સિદ્ધાંત અને સમાચારીની રક્ષા માટે જે જુસ્સાપૂર્વક ઝઝુમ્યા અને તેથી જ શ્રી જૈનશાસનમાં જેઓ “સદ્ધર્મસંરક્ષક” તરીકે પ્રસિદ્ધિ પામ્યા એવા પૂ. આચાર્યદેવશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ વર્તમાનમાં વિચરતા મોટા ભાગના સાધુસમુદાયના એક પ્રભાવક નાયક તરીકે પૂ. આત્મારામજી મહારાજનું નામ અવિસ્મરણીય રહે તેવું છે. તેઓશ્રીની પાટ પર પણ એવા જ પ્રભાવશાળી પુરુષ થઈ ગયા. તેમનું નામ હતું સદ્ધર્મસંરક્ષક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજ, પૂ. મુનિવર શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના શિષ્ય, પૂ. આત્મારામજી મહારાજના પ્રભાવક પટ્ટધર અને શ્રી સુધર્માસ્વામીજીની ૭૪મી પાટને પિતાના પ્રચંડ ચારિત્રપ્રભાવથી અને નીડર પડકારથી ભાવી જનારા આ મહાપુરુષ અનેક રીતે પૂ. આત્મારામજી મહારાજના ઉત્તરાધિકારી હતા. કોઈની યે શેહમાં નહિ તણાવની, સત્યના નિરુપણમાં સિંહ જે નાદ જગાવવાની અને નિઃસ્પૃહતાની પરાકાષ્ટાની કળા તેમણે પૂ. આત્મારામજી મહારાજ પાસેથી મેળવી હતી. બાર વર્ષની ઉંમરે તેમણે યતિ-દીક્ષા મેળવી હતી. પણ તપ-ત્યાગની સાધના કરવા નીકળનારને એ પાલવે ખરી? તેથી તેઓ સ્થાનકવાસી દીક્ષિત બન્યા. આ સંપ્રદાયમાં ત્યાગ હતું, પણ સત્ય નહોતું. તેથી તે પૂ. આત્મારામજી મહારાજ સાથે તેમણે પણ સંપ્રદાયત્યાગ કર્યો અને સંવેગી દીક્ષા સ્વીકારીને મુનિશ્રી કમલવિજયજી બન્યા. પૂ. કમલવિજયજી મહારાજના લલાટે બ્રહ્મનું તેજ ઝગારા મારતું હતું. તેઓશ્રી મેટે ભાગે હિન્દીમાં જ બોલતા. અને બેલતા થોડું, પણ નાભિના ઊંડાણમાંથી શબ્દો એવા નીકળતા કે મુમુક્ષુઓ માટે તે એ બોલ માર્ગદર્શક મશાલ બની જતા. ભલભલા રાજામહારાજાને શરમાવે એવા રૂપના ધારક મહાપુરુષ હિંસાના હિમાયતી રાજવીઓ સમક્ષ અહિંસાને એ સચોટ અને સજ્જડ ઉપદેશ આપતા કે સહવર્તી એને ય ત્યારે એમ થઈ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3