Book Title: Vastupal Tejpalni Janeta Kumardevina Punarlagna Pachalno Itihas Author(s): Subodhchandra Jain Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 8
________________ seste stedesliste desadoste da date de dadeadlaslachdestale da se destadestede slastadasdasdedededoch sedlosedades de este decade de sede de testese 4 ત્યારે કુમારદેવી પિતાની જીભ લે છે અને કહે છે: કહો કમ ઉદય મુજ આવીઆ, ન હિ કુલતણી લાજ; અકારજ કિમજ આદરું, સાંભલ્ય તું આસરાજ. આ રીતે કુમારદેવી અકાર્ય કરવા, કુળની લજજા લેપવા લગીરે ય તૈયાર નથી. પણ - . પ્રાણ પ્રીતને શું કરે, પરવશ પડિ તે બાલ; ઘરણ કરી ઘેર રાખતે, રૂપાચૂડ પહિરી રસાલ. ઘરની મેળે ઘરણી હુઈ, હરખે તે આસરાજ; સોપારાપુર જાયશું, દેશ છડી મહરાજ. કુમારદેવી સમજી ગઈ કે, અહીં મારું કોઈ સાંભળનાર નથી અને તેથી પારધિને વશ પડેલી એ ભેળી પંખિણને છેવટે આસરાજને વશ થવું જ પડ્યું. પણ તેનું મન આ દેશની સીમામાં પણ રહેવા તૈયાર ન હતું. કારણ કે, રખેને કઈ પિતાને જુએ અને પિતાના કુળની, ધર્મની, માતપિતાની નિંદા થાય, તેથી દેશ બદલવાનો નિર્ણય કર્યો. અને બંને જણ દક્ષિણ દિશામાં આવેલા સોપારકપુરમાં આવ્યા. રાસકાર ચરિત્રને આગળ ચલાવે છે, વસ્તુપાળ - તેજપાળના જન્મનો ઈતિહાસ દર્શાવે છે, પણ અહીં તે પ્રસ્તુત નથી. આપણે એટલું જ જોવાનું છે કે, કુમારદેવીએ કરેલું પુનર્લગ્ન એ સ્વેચ્છાથી થયેલ પુનર્લગ્ન ન હતું, લગ્ન ન હતું, પણ એક ભેળી, ધર્મશીલ, નિર્દોષ બાલિકાનુ કૂડકપટભરી ફતે અપહરણ કરી, જ્યાં તેનું રુદન સાંભળનાર પણ કેઈ ન હોય તેવા પ્રદેશમાં તેને લઈ જઈ તેના પર ગુજારાયેલું અમાપ દબાણ હતું કે, જે દબાણને વશ થયા વિના તેને અન્ય ઉપાય જ ન હોય. એ વાત આપણને આ વાત દ્વારા જાણવા મળે છે. [‘જૈનના સૌજન્યથી एव खु नाणिणो सार, जन हिंसई किंचण / नाण नरस्स सार', सारा वि नाणरस हाई सम्मत / / - भगवान श्री महावीर प्रभु જ્ઞાન હોવાને સાર એ છે કે, કોઈની પણ હિંસા ન કરવી. જ્ઞાન માનવતાને સાર છે. જ્ઞાનને સાર છે : સમ્યફ. મિ શ્રી આર્ય કયાણા ગૌતમસ્મૃતિગ્રંથDE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8