Book Title: Tattvamimansa Author(s): Sunandaben Vohra Publisher: Nilaben and Ashokbhai Choksi View full book textPage 7
________________ ગ્રંથ આધાર પ્રસ્તુત ગ્રંથલેખનમાં નીચેના ગ્રંથોનો આધાર લીધો છે. તે માટે પરોક્ષપણે અને પ્રત્યક્ષપણે સૌનો આભાર માનું છું. (૧) સ્વ. પૂ. પંડિતજી સુખલાલજી રચિત તત્વાર્થસૂત્ર. (૨) પૂ. શ્રી રાજશેખર વિજયજી રચિત તત્વાર્થાધિગમ સૂત્ર (૩) નવતત્ત્વ સાથે (૪) પંડિત શ્રી ધીરજલાલ મેહતા જેમણે ગ્રંથનું અવલોકન કરી સૂત્ર રચના, આદિમાં સહયોગ આપ્યો છે. આભાર mwanae પ્રસ્તુત ગ્રંથ પ્રકાશનમાં મૂળ અમદાવાદના સત્સંગી મિત્રો હાલ અમેરીકામાં મીશીગન સ્ટેટમાં ડેટ્રોઈટમાં વસતા લીના ચોક્સી અને અશોકભાઈ ચોક્સીના અર્થસહયોગ બદલ આભાર માનું છું. તેઓ બંને પરદેશમાં રહીને પણ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે અને અન્યને કરાવે છે. તે પ્રશંસનીય છે. છેલ્લા પાંચ વર્ષથી તેમના નિવાસે સ્વાધ્યાય શાસ્ત્ર વાચનનો પ્રસંગ ગોઠવાય છે. તેમાં તેમની ભાવના હોય છે કે કોઈ સરળતાથી સમજાય તેવું ગ્રંથ પ્રકાશન થાય. અને તે માટે તેમનો સહયોગ પણ તેઓ આપે છે. આ અગાઉ મુક્તિબીજ (સમ્યગદર્શન) લેખનમાં પણ તેમણે જ અનુરોધ કર્યો હતો. આ ગ્રંથમાં પણ તેમણે ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો છે. તે બદલ આભારી છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 428