Book Title: Shripal Parivarno Kuldharma Author(s): M A Dhaky Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 8
________________ Vol, II. 1996 શ્રીપાલ-પરિવારનો કુલધર્મ બૃહસ્વયંભૂસ્તોત્ર (પ્રાય: ઈસ્વી ૬૦૦) નામક “ચતુર્વિશતી જિનસ્તોત્રમાં “શર્ભવ” રૂપ છે, “સંભવ’ નહીં. યથા : – શાશ્વવ: સવ-ત-રો. सन्तप्यमानस्य जनस्य लोके । आसीरिहाऽऽकस्मिक एव वैद्यो वैद्यो यथाऽनाथरुजां प्रशान्त्यै ॥१॥ - નાગેન્દ્રકુલના વિમલસૂરિના પહેમચરિય (પ્રાય: ઈસ્વી ૪૭૩)માં ગ્રન્થારમ્ભ કરેલી સ્તુતિમાં “સંભવ' રૂપ છે, કેમકે રચના પ્રાકૃતમાં છે; પણ તેના પલ્લવિત સ્વરૂપે રચાયેલા, દાક્ષિણાત્ય પરમ્પરાના આચાર્ય રવિષેણના સંસ્કૃત પધચરિત (ઈસ્વીટ ૬૭૭)માં, પાદાન્ત-યમક સાથે “શંભવ’ રૂપ જોવા મળે છે. शंभवं शं भवत्यस्मादित्यभिख्यामुपागतम् ॥ - પાપુરા -૪' રવિણના પ્રાય: સમકાલીન અને કર્ણાટમાં થયાનું મનાતા જટાસિંહન્દીના વરાંગચરિતના ચતુર્વિશતિજિન સ્તુત્યાત્મક પદ્યસમૂહમાં પણ “શંભવરૂપ જ મળે છે. યથા : नाभेय आद्योऽजित शंभवै च ततोऽभिनन्दः सुमतिर्यतीशः । -વારિત, ર૭ રૂ૭’ પુત્રાટ સંઘના આચાર્ય જિનસેનના હરિવંશપુરાણ (ઈ. સ. ૭૮૪)માં પણ ગ્રન્થારભે ““ચતુર્વિશતિજિનસ્તુતિ” અંતર્ગત યમકાંકિત ચરણમાં શંભવ રૂપ જ જોવા મળે છે.... યથા : शं भवे वा विमुक्तौ वा भक्ता यत्रैव शम्भवे । भेजुर्भव्या नमस्तस्मै तृतीया च शम्भवे ॥ - हरिवंशपुराण १.५ શ્વેતામ્બરાચાર્ય ભદ્રકીર્તિ અપરના બપ્પભટ્ટસૂરિની પદાનયમકયુક્ત ચતુર્વિશતિનિસ્તુતિ (પ્રાય: ૮મી શતાબ્દી અંતિમ ચરણોમાં પણ “સંભવને બદલે “શમ્ભવ' જ રૂપ છે. પાદાન્તયમક પણ તેની પુષ્ટિ કરે છે. યથા : ની અવનવરું હૃતિ ! સેવિ ! તે વન્દિતાमितिस्तुतिपराऽगमत्रिदशपावली वन्दिता । यदीयजननीं प्रति प्रणुत तं जिनेशं भवं निहन्तु मनसः सदाऽनुपमवैभवं शम्भवम् ॥ ઉપરના ઈસ્વી, આઠમી શતીની સ્તુતિના દૃષ્ટાન્ન પછી, દશમી/૧૧મી શતાબ્દીના સંધિકાળે થયેલા, પરમારરાજ મુંજ અને ભોજના સભાકવિ ધનપાલના લધુબન્યુ શ્વેતામ્બર જૈન મુનિ શોભનની પદાન્તયમક યુક્ત ચતુર્વિશતિજિનસ્તુતિ (પ્રાય: ઈસ્વી ૧OOO)માં પણ “શર્મવરૂપ છે. અહીં પણ પાદાન્તયમકથી શમ્ભવ” રૂપ જ હોવાનું સિદ્ધ થાય છે : યથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14