Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo Author(s): Babubhai Girdharlal Kadiwala Publisher: Ashokbhai Babubhai Kadiwala View full book textPage 6
________________ - - -- - -- - - - - સુધી પચફખાણ ન પારવું તેવો સંકલ્પ કરાવી, પરમાત્માની નિષ્ઠાપૂર્વકની આરાધનાને માર્ગ બતાવી સેવકને કૃતાર્થ કર્યો. વિ. સં. ૨૦૩૧-૩૨માં મૂળ વિધિથી ઉપધાન તપનું વહન, કરાવી આપશ્રીએ મોક્ષની માળા પહેરાવી સાધના માટે અપૂર્વ ભાલ્લાસ પ્રગટાવ્યો. વિ. સં. ૨૦૧૪થી ૨૦૩૩ સુધી એટલે કે ૧૯ વર્ષ સુધી અવારનવાર આપશ્રીને સંપર્કને સતત લાભ મળતું જ રહ્યું. જ્યારે જ્યારે આપશ્રી પાસે વસવાનું થયું, ત્યારે ત્યારે આપશ્રીએ કરુણાપૂર્ણ હૃદયથી ઠીક ઠીક સમય આપીને હાંધકારથી વ્યાપ્ત મારા હૃદયરૂપી નયનને જિનપ્રવચનરૂપ અમૃતનું અંજન કરાવ્યું. અનેક એકાન્ત આગ્રહની પકડમાંથી મને છોડાવ્ય. આત્માનું અને પરમાત્માનું પરમ સૌંદર્ય સમજાવ્યું. “આત્મસ્વરૂપને અનુભવ પ્રાપ્ત કરવો એ આ જીવનનું ધ્યેય છે.” એમ નક્કી કરાવ્યું. જિનશાસનનું વ્યવહાર અને નિશ્ચય ઉભયાત્મક સ્વરૂપ સમજાવ્યું. પરમાત્મપદની પ્રાપ્તિના ઉપાય બતાવી, પરમાત્માના દર્શન, મિલન, પૂજન, અને સ્પર્શનને દિવ્યમાર્ગ બતાવી આત્મામાં પરમાત્મભાવને અનુભવ પ્રાપ્ત કરવાનું તસ્વામૃત પાયું. અને મોક્ષમાર્ગ સંચરવાની દિવ્ય કળા શીખવાડીને આ દાસ ઉપર મહાન ઉપકાર કર્યો. માતા જેમ પોતાના બાળકની સારસંભાળ રાખે, પિતા જેમ, પુત્રને કેળવવા માટેની કાળજી રાખે, ગુરુ જેમ શિષ્યોમાં વિદ્યાને વિનિમય કરે અને પરમાત્મા જે રીતે પિતાની કરુણુને પાત્ર–અપાત્રને વિચાર કર્યા સિવાય વરસાવે તે રીતે આપે મારા જેવા તુરછ, સંસારમાં ફસાયેલા, અવિનયી, અપરાધી અને અજ્ઞાની જીવની માતાની જેમ સંભાળ રાખી, પિતાની જેમ ધાર્મિક વ્યવહારનો બોધ આપે, ગુરુની જેમ મારા જીવનમાં આત્મસાધનાને માર્ગ બતાવી મારા જીવનમાં સાધનાનું સંપ્રદાન કર્યું અને પરમાત્માની જેમ પ્રેમ, કરૂણા અને ! ----- - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 406