Book Title: Shrimad Rajchandra Life Relative Work Summary
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 4
________________ જીવનદર્શન શ્રીમદ્ રાજચંદ્રજીની જીવન કથાનાં પુસ્તકો, સચિત્ર(એનીમેટેડ) પુસ્તકો, VDO, CD, વિગેરે, ઘણાં સ્થાન અને ઘણી સંસ્થાઓએ પ્રકાશન કર્યુ છે. વધુ જાણકારી માટે વેબ સાઇટ જુઓ. શ્રીમદ્ રાજચંદ્રજીની જીવન કથાનાં કેટલાક પ્રસંગ નીચે લખ્યા છે. વર્ષ ૭ ८ ૯ ૧૦ ૧૩ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૨ ૨૩ ૨૪ ૨૫ જન્મ, વવાણિયામાં સં. ૧૯૨૪, કાર્તિક સુદ ૧૫, રવિવાર તા. ૧૦-૧૧-૧૮૬૭ રાત્રે ૨ વાગે. શ્રી અમીચંદભાઇના અગ્નિસંસ્કાર વિધિ જોતાં, જાતિસ્મરણ જ્ઞાન થયું, અને પૂર્વ ભવો સ્મરણમાં આવ્યા. સાત વર્ષ પછી સ્કૂલમાં કેળવણી માટે બેસાડયા. ૫,૦૦૦ કડીઓનો નેમિરાજ નામનો કાવ્યગ્રંથ છ દિવસમાં રચેલો. આ રચના અપ્રાપ્ય છે. રામાયણ અને મહાભારત ૫ધમાં રચ્યાં. જ્ઞાન ધારા ઉલશી. શ્રી ધારશીભાઈ ન્યાયાધીશ સાથે મોરબી જતાં ઓળખ થઈ. કૃપાળુદેવને કોઈ વ્યક્તિ મળવા આવે છે અને શા માટે આવે છે તેની ૧૦ વર્ષની વયથી ખબર પડતી હતી. અંગ્રેજી ભણવા રાજકોટ ગયા. ૧૩ વર્ષ પૂરાં થયે પિતાજીની દુકાને બેઠા. અવધાન કરવાની શક્તિ બહાર જાણમાં આવી. પુષ્પમાળા, ભાવનાબોધ લખ્યાં. મોક્ષમાળા, સોળ વર્ષને પાંચ માસની ઉંમરે, સં. ૧૯૪૦માં, મોરબીમાં શ્રી પોપટભાઈ દફતરીની વિનંતીથી ૩ દિવસમાં લખી હતી અને સં. ૧૯૪૪માં છપાવી હતી. સાતસો મહાનિતિ લખી. જામનગરમાં ૧૨ અને બોટાદમાં ૧૬ અવધાન કર્યા. “હિંદના હીરા” અને “સાક્ષાત્ સરસ્વતી ” નું બિરુદ મળ્યું. અદ્ભૂત વૈરાગ્યધાર રે. મુંબઈમાં સતાવધાન કર્યા, અલૌકિક સ્પર્શેન્દ્રિયશક્તિ હતી તેમજ ૨સોઈ જોઈ મીઠું ઓછું વત્તું કહી આપતા. શ્રી રેવાશંકર ઝવેરી રાજકોટમાં વકીલ હતા. ધંધામાં ભાગ્ય સારું છે તેવા કૃપાળુદેવના ભવિષ્ય કથનથી મુંબઈમાં સં. ૧૯૪૫માં તેમણે હીરામોતી, ઝવેરાતનો ધંધો, રેવાશંકર જગજીવન ઝવેરી નામથી ભાગીદારીમાં શરૂ કર્યો, તેમના ભાગીદારો, રેવાશંકરભાઈ, માણેકલાલ ઝવેરી હતા, સં. ૧૯૪૮માં, નગીનચંદ કપુરચંદ અને છોટાલાલ લલ્લુભાઈ જોડાયા. (સં. ૧૯૫૨ના દ્વિતિય જેઠ સુદ ૧ના દિવસે ભાગીદારીમાંથી છૂટા થયા અને તે મનસુખભાઈના નામે કરી દીધો.) લગ્ન, સં. ૧૯૪૪ના મહા સુદ ૧૨નાં, શ્રી પોપટભાઈ જગજીવનભાઈની પુત્રી ઝબકબેન સાથે રાજકોટમાં થયાં. અવધાન કરવાનું બંધ કરી દીધું. શુદ્ધ સમકિત પ્રગટયું. સં. ૧૯૪૭, ઇ. સ. ૧૮૯૧ના જૂનમાં મહાત્મા ગાંધીજી સાથે ઓળખાણ થઈ. “બિના નયન પાવે નહિ” મુંબઈમાં લખ્યું. (પત્ર–૨૫૮). સં. ૧૯૪૭ના પર્યુષણ ૫૨ કૃપાળુદેવ સાથે ૨ાળજમાં શ્રી સોભાગભાઈ હતા ત્યારે, ભાદરવા સુદ ૮ના “હે પ્રભુ, હે પ્રભુ” (પત્ર-૨૬૪), “યમ નિયમ સંજમ આપ કિઓ” ( પત્ર-૨૬૫ ), “જડ ભાવે જડ પરિણમે ” (પત્ર-૨૬૬ ) અને તે સમયમાં જ “જિનવ૨ કહે છે જ્ઞાન તેને” (પત્ર-૨૬૭) લખેલ. સં. ૧૯૪૬માં, શ્રી સોભાગભાઇને મોરબીમાં, અને મુનિશ્રી લલ્લુજીનો ખંભાત સમાગમ થયો. સં. ૧૯૪૭માં, શુધ્ધ સમકિત પ્રકાશ્યું. જયોતિષનો ત્યાગ. મહાત્મા ગાંધી મુંબઇમાં મળ્યા.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28