Book Title: Shravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 695
________________ શ્રી વિજ્યપવાસૂરિજી કૃત હ્યાં હેરાવતાં એક ઘી દૂધનું ટીંપુ જમીન ઉપર પડ્યું. સાધુમર્યાદા એ છે કે આવું જ્યાં થાય, ત્યાંથી સાધુએ પાછા ફરી બીજા સ્થલે ગોચરી જવું જોઈએ. કારણ કે ટીંપુ પડયા બાદ આગળ વહેરી ન શકાય. જમીન ઉપર આહાર ઢોળાય અને એ રીતે વ્હોરાવે તો મહા આરંભ વિગેરે સંભવે છે એમ સમજીને મુનિ બીજે ગેચરી ગયા. જમીન ઉપર ઘી દૂધનું ટીંપું પડયા બાદ તેની ઉપર માખી બેઠી. માંખીને જોઈ તેને મારવા ગિળી ત્યાં આવી. તેને મારવા કાકી: ત્યાં આવ્યો, આને પકડવા બિલાડી અને બિલાડીને પકડવા ઘરને પાળેલે કુતરે ત્યાં આવ્યો, આને મારવા શેરીના કુતરા આવ્યા. આ અવસરે લડાલડી થતાં કુતરાના માલિકે શરીના કુતરાને માર્યા. તેનું ઉપરાણું લઈને શેરીના માણસે તેની (માલિકની) સાથે લડાઈ કરવા તૈયાર થયા, અને તેઓએ પાળેલા કુતરાને માર્યો. આથી માણસમાં પણ મહામહે. જબરી મારામારી થઈ. આ બધું ભયંકર નુકસાન જોઈને મંત્રી સમજી ગયા કે આવા કારણથી મુનિએ ગોચરી લીધી નહિ અને બીજે ઘેર ગોચરી ગયા. “ધન્ય છે એ મુનિના ઉત્તમ જ્ઞાનને આમ વિચાર કરતાં મંત્રી જાતિ સ્મરણ જ્ઞાન પામ્યા. છેવટે મંત્રી વરદત્ત દેવતાએ આપેલા મુનિ વેષને ગ્રહણ કરી સંયમની સાધના કરવામાં ઉજમાલ બન્યા. બંને જણાએ આ ઉદાહરણ (દાખલ ) ધ્યાનમાં રાખીને શ્રાવકે આહાર દેવામાં અને સાધુએ લેવામાં પિતપતાને વ્યવહાર જાળવે જોઈએ. ઉપરની બીના ધ્યાનમાં રાખીને શ્રાવક જ્યારે મુનિરાજ આહારાદિ લેવા સાવધાન થાય, તે વખતે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714