Book Title: Shravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 705
________________ [ ૬૬૪] શ્રી વિજયપધરિજી કૃત પ્રશ્ન-બરે વતેના બધા મલીને ૧૨૪ અતિચારે કઈ રીતે ગણવા? ઉત્તર-બાર વતેમાં સાતમા વ્રતના ૨૦ અતિચારે ગણવા તથા બાકીના ૧૧ માંના દરેકના પાંચ પાંચ અને સમ્યકતવના પાંચ અતિચાર ગણતાં બધા મળીને ૮૦ થાય અને બાકીના ૪૪ રહ્યા તેમાં ૮ જ્ઞાનાચારના, ૮ દર્શનાચારના, તથા ૮ ચારિત્રાચારના અને તપાચારના ૧૨ તથા વીર્યાચારના ૩ અને સંલેખના વ્રતના પાંચ અતિચાર ગણવા. જેથી ૪૪ થાય. એમ ૮૦ અને ૪૪ ભેગાં કરતાં ૧૨૪ અતિચારે બારે વ્રતના થાય છે. - શ્રી ઉપદેશ પ્રાસાદના ત્રીજા ભાગમાં ૧૭૬ મા વ્યાખ્યાનમાં નિશ્ચય અને વ્યવહારથી બારે તેનું સ્વરૂપ જણવ્યું છે, તે ત્યાંથી જાણી લેવું. ગ્રંથ વધી જાય તેથી અહીં જણાવ્યું નથી. આ બારે વ્રતની ૧૪ વર્ષ સુધી આરાધના કરવાથી આનંદ વિગેરે મહા શ્રાવકે દેવતાઈ ત્રાદ્ધિ ભેગવીને સિદ્ધિપદ પામશે. વિગેરે બીના સત્ય પ્રકાશ માસિકના શ્રી પર્યુષણ વિશેષાંકમાંથી જાણી લેવી. તેમજ તેટલી પુત્ર દેવતાના વચને બારે વ્રતની આરાધના કરી, તેથી કેવલી થઈને મુક્તિપદ મેળવ્યું. તથા પ્રદેશી રાજાએ ફક્ત ૩૯ દિવસ સુધી ભારે વતની આરાધના કરી, તેમાં તે સૂર્યાભનામના મહદ્ધિક દેવ થયા. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. આવું વિચારીને ઉત્તમ શ્રાવક કુલમાં જન્મ. પામેલા ભવ્ય જીવોએ આ બારે વ્રતની જરૂર આરાધના કરવી, અને પિતાના આત્માને પરમ નિવૃત્તિમય સંયમના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 703 704 705 706 707 708 709 710 711 712 713 714