Book Title: Shravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
[ ૬૬૮ ]
શ્રી વિજયપઘસૂરિજી કૃત અગર દરરોજ બે વાર નીચે પ્રમાણે વિચારણા જરૂર કરવી. એમ કરીએ તે ભવાંતરે ઉંચ સંસ્કારે ઉદયે આવે જેથી જન્માદિ ફેરે જરૂર ટલે.
(૧) સાત નવકાર ગણું અરિહંતાદિનવપદોને યાદ કરવા. શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને શ્રી જિનધર્મનું શરણ અંગીકાર કરવું. (૨) ત્રણે ચોવીશીના તીર્થકરને વંદના કરવી. (૩) ત્રણે ભુવનમાં રહેલા જિનાલય,તીર્થભૂમિ, કલ્યાણકભૂમિ, શાશ્વતી અશાશ્વતી પ્રતિમાઓને વંદન કરું છું એમ કહેવું. (૪) અઢી દ્વીપમાં રહેલા ત્રણે કાલના શ્રી અરિહંત તીર્થકર, કેવલી, અવધિજ્ઞાની વિગેરે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, બારવ્રતધારી, સમ્યકત્વધારી શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને વંદના કરવી.
–શ્રી શત્રુંજય, અષ્ટાપદ, ગિરનાર, સમેતશિખર, આબુ વિગેરે પવિત્ર તીર્થસ્થલે સિદ્ધિપદ પામેલા મહાપુરૂષને વંદન કરું છું.
૧૦–અઢારે પાપસ્થાનકેનો ત્યાગ કરું છું અને સર્વે ને ખમાવું છું.
(અહીં સૂતક, મુસાફરી, માંદગી આદિ કારણે જયણું, કારણ વિના ભૂલી જવાય તે અમુક ચીજ વાપરવાને ત્યાગ કે અમુક તપ કરવાનો નિયમ કરાય.)
૧૧-ચતુર્થ વ્રતના પાલન કરવામાં ભાવ પ્રમાણે નિયમ પાળું અને પર્યાદિના દિવસોમાં જરૂર બ્રહ્મચર્ય પાળું. અપશબ્દ બલવા નહિ.
૧૨–ચારિત્ર ન લેવાય ત્યાં સુધી અમુક પદાર્થને ત્યાગ કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 707 708 709 710 711 712 713 714