Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 15
________________ નથી તેમ બાહ્યપરિગ્રહના ત્યાગમાત્રથી કોઈ ત્યાગી કહેવાતા નથી.” -આ પ્રમાણે પાંચમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ જ છે કે આત્માની ત્યાગની પરિણતિથી શૂન્ય એવા બાહ્ય ધનધાન્યાદિના ત્યાગમાત્રથી કોઈ લાભ નથી. આવા સંયોગોમાં ત્યાગને જણાવનારા વેષાદિનું ઘારણ કરવાથી કોઈ પણ જાતના આત્મિક લાભની પ્રાપ્તિ થતી નથી. તેમ જ મમત્વ વગેરે કોઈ પણ જાતના દોષની હાનિ પણ થતી નથી. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ ત્યારે જ સારી મનાય છે કે જ્યારે તેનાથી ગુણની પ્રાપ્તિ થતી હોય અથવા તો દોષની હાનિ થતી હોય. મનુષ્ય કે તિર્યંચ વગેરેની પાસે ધનધાન્યાદિ સ્વરૂપ બાહ્ય પરિગ્રહ નહિ હોવા છતાં તેઓ આ લોકમાં ત્યાગી મનાતા નથી. કારણ કે તેઓને ધનધાન્યાદિનું મમત્વ તો છે જ. આન્તરિક મમત્વના ત્યાગથી જ વસ્તુતઃ ત્યાગીપણાની પ્રાપ્તિ થાય છે. આ રીતે બાહ્ય કોટિના ત્યાગમાત્રથી જેમ ત્યાગીપણાસ્વરૂપ ગુણની પ્રાપ્તિ થતી નથી; તેમ દોષની હાનિ પણ થતી નથી. કારણ કે સર્પ કાંચળીનો ત્યાગ કરતો હોવા છતાં તે નિર્વિષ થતો નથી-એ પ્રસિદ્ધ છે. આથી સમજી શકાશે કે બાહ્યત્યાગમાત્રથી કોઈ જ સાર નથી. આવા નિસાર બાહ્યત્યાગ-માત્રને જણાવનારા બાહ્યવેષના પરિધાન-માત્રને સદ્ધર્મની પરીક્ષાનું પ્રધાન અંગ માનવાની પ્રવૃત્તિ; બાલ જીવોની બાલતા સ્વરૂપ છે. [૧-પા આત્તર પરિણામથી રહિત બાહ્ય વેષ-આચારાદિ સારા નથી-અસાર છે-આ વાત અન્યદર્શનકારો પણ માને છે એ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 450